By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: આપ’ ઉત્તર ગુજરાતમાં ‘રોજગાર ગેરંટી યાત્રા’ શરૂ કરશે.
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > આપ’ ઉત્તર ગુજરાતમાં ‘રોજગાર ગેરંટી યાત્રા’ શરૂ કરશે.
અમદાવાદગુજરાત

આપ’ ઉત્તર ગુજરાતમાં ‘રોજગાર ગેરંટી યાત્રા’ શરૂ કરશે.

Web Editor Panchat
Last updated: August 25, 2022 1:21 pm
Web Editor Panchat Published August 25, 2022
Share
SHARE

આપ’ ઉત્તર ગુજરાતમાં ‘રોજગાર ગેરંટી યાત્રા’ શરૂ કરશે.

‘આપ’ દ્વારા ‘રોજગાર ગેરંટી યાત્રા’ સાથે ‘બેરોજગાર નોંધણી મેળા’નું આયોજન પણ કરવામાં આવ્યું છે.

‘રોજગાર ગેરંટી યાત્રા’ 25 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી ચાલશે: યુવરાજસિંહ જાડેજા

‘રોજગાર ગેરંટી યાત્રા’ સતત 11 દિવસ ચાલશે: યુવરાજસિંહ જાડેજા

‘બેરોજગાર નોંધણી મેળા’માં દરેક બેરોજગારની નોંધણી લેવામાં આવશે: યુવરાજસિંહ જાડેજા

11 દિવસીય ‘રોજગાર ગેરંટી યાત્રા’ મોતીપુરા સર્કલ, હિંમતનગર થી શરુ થઈને વારાહી, પાટણમાં પૂર્ણ થશે: યુવરાજસિંહ જાડેજા

‘રોજગાર ગેરંટી યાત્રા’ના 11 દિવસમાં અમે 42 કાર્યક્રમો યોજીશું અને યુવાનોની રોજગાર સંબંધિત વ્યથા સાંભળીશું: યુવરાજસિંહ જાડેજા

ગુજરાતમાં દરેક ગામડે, તાલુકે અને શહેરોમાં જે બેરોજગારો છે, તેની સંપૂર્ણ નોંધણી લેવામાં આવશે જેથી આમ આદમી પાર્ટીની સરકાર બને ત્યારે વહેલી તકે સમસ્યાનો ઉકેલ લાવી શકાય: યુવરાજસિંહ જાડેજા

અરવિંદ કેજરીવાલજીએ ગુજરાતના યુવાનો માટે જે રોજગારનું ગેરંટી કાર્ડ આપ્યું છે તેની જાણકારી ગુજરાતના દરેક યુવાનો, દરેક ગામડાઓ, દરેક શહેરો સુધી પહોંચાડીશું: યુવરાજસિંહ જાડેજા

જે પણ યુવાનો બેરોજગાર છે તેમને કેવી રીતે રોજગારી આપી શકાય એ જ અમારું લક્ષ્ય રહેશે: યુવરાજસિંહ જાડેજા

સરકારી રોજગારી, અર્ધસરકારી રોજગારી, બિનસરકારી રોજગારી એમ તમામ સંસ્થાનોમાં કેવી રીતે ગુજરાતના યુવાનોને પ્રાવધાન આપી શકાય એ બાબત આવનારા દિવસોમાં મોખરે રહેશે: યુવરાજસિંહ જાડેજા

 

આમ આદમી પાર્ટી યુવા તથા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા એ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, બેરોજગારી એક ગંભીર મુદ્દો છે, બેરોજગાર યુવાનોની જે વ્યથા છે, વેદના છે તેનું કેમનું નિરાકરણ આવી શકે તે માટે અમે તારીખ 25 ઓગસ્ટ, 2022ના રોજ ઉત્તર ગુજરાતમાં ‘રોજગાર ગેરંટી યાત્રા’ શરૂ કરવા જઈ રહ્યા છીએ. ‘રોજગાર ગેરંટી યાત્રા’ ગુજરાતના 3 જિલ્લાઓમાંથી નીકળશે, તેમાં 11 દિવસનો કાર્યક્રમ રહેશે અને 21 વિધાનસભાના ક્ષેત્રો તેમાં સામેલ કરવામાં આવશે. આ 11 દિવસમાં અમે 42 કાર્યક્રમો યોજીશું અને યુવાનોની રોજગાર સંબંધિત વ્યથા સાંભળીશું. અને તેની સાથે જ ગુજરાતમાં હાલમાં જે યુવાનો બેરોજગાર છે તેની નોંધણી કરીશું આમ અમે ઉત્તર ગુજરાતમાં ‘બેરોજગાર નોંધણી મેળો’ શરૂ કરીશું. 11 દિવસીય ‘રોજગાર ગેરંટી યાત્રા’ મોતીપુરા સર્કલ, હિંમતનગર થી શરુ થઈને વારાહી, પાટણમાં પૂર્ણ થશે.

આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીએ ગુજરાતના યુવાનો માટે જે રોજગારનું ગેરંટી કાર્ડ આપ્યું છે તેની જાણકારી ગુજરાતના દરેક યુવાનો, દરેક ગામડાઓ, દરેક શહેરો સુધી પહોંચાડીશું. ભાજપ દ્વારા લોકોને જે ખોટી જાણકારી આપવામાં આવી રહી છે, તેના વિષે લોકોને સાચી માહિતી આપીશું કે કેવી રીતે 10,00,000 સરકારી નોકરી શક્ય છે.

ગુજરાતમાં જે પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાય છે તે કઈ રીતે પારદર્શિતા પૂર્વક લઇ શકાય છે તેની માહિતી લોકોને આપીશું. અને અત્યાર સુધી ભૂતકાળની પરીક્ષાઓમાં 12 પરીક્ષાના પેપર ફૂટવાની ઘટના સામે આવી છે જેમાં ભાજપના મળતીયાઓ સામેલ છે અને તેના પર હજી સુધી કોઈ જ એકશન લેવામાં આવ્યા નથી, તેના પર જલ્દીથી એકશન લેવામાં આવે તેવી ગુજરાતના દરેક યુવાનોની માંગણી રહેશે. અત્યારે ગુજરાતમાં જે બેરોજગારી દર છે તે ખોટો દર્શાવામાં આવી રહ્યો છે. બેનરો ઉપર જે દેખાડવામાં આવે છે અને ગ્રાઉન્ડ રિયાલિટી છે તે અલગ છે જેથી અમે બેરોજગારોની ખરેખરમાં જે પરિસ્થિતિ છે તેનું આંકલન કરીશું.

ગુજરાતમાં દરેક ગામડે, તાલુકે અને શહેરોમાં જે બેરોજગારો છે, તેની સંપૂર્ણ નોંધણી લેવામાં આવશે જેથી 2022માં જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર બને ત્યારે વહેલી તકે સમસ્યાનો ઉકેલ લાવી શકાય. જે પણ યુવાનો બેરોજગાર છે તેમને કેવી રીતે રોજગારી આપી શકાય એ જ અમારું લક્ષ્ય રહેશે. જેમાં સરકારી રોજગારી, અર્ધસરકારી રોજગારી, બિનસરકારી રોજગારી એમ તમામ સંસ્થાનોમાં કેવી રીતે ગુજરાતના યુવાનોને પ્રાવધાન આપી શકાય એ બાબત આવનારા દિવસોમાં મોખરે રહેશે.

ગુજરાતમાં જે સરકારી નોકરીની પરીક્ષાઓ છે તે ખૂબ જ અનિશ્ચિતા ભરી છે. 2018ની તલાટીની પરીક્ષા 2022માં પણ પૂર્ણ ના થાય, 2018ની બિનસચિવાલયની પરીક્ષાના નિમણુંક પત્રો 2022 સુધી અપાયા ન હોય, TET હોય કે TAT હોય બધામાં અનિશ્ચિતા રહે છે એમાં નિયમિત નિશ્ચિતા આવી જાય તે માટે અમારી પાસે જે રોડમેપ તૈયાર છે તેની માહિતી દરેક યુવાનોને, તેમના માતા-પિતાને અને વડીલો સુધી પહોંચાડીશું. અને જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર બનશે ત્યારે તેમને કેવી રીતે ન્યાય મળશે તે પણ જણાવીશું.

You Might Also Like

GCAS પોર્ટલ ફેલ કે પાસ ! વિદ્યાર્થીઓ કે વાલીઓ માટે હાલાકીનો ઘર કે પછી ઘર બેઠા ગંગા !

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વતનભૂમિ વડનગરમાં ઉજવાશે રાજ્યકક્ષાનો ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

કડી અને વિસાવદરમાં કોણ મારશે બાજી ! અપસેટ સર્જાશે કે પુનરાવર્તન થશે !

જૂનાગઢનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ઇન્ડિયન ગ્રે વુલ્ફના સંરક્ષણ માટે બન્યું આશાનું કિરણ

મગ, મઠ, અડદ અને ચોળા જેવા ખરીફ કઠોળ પાકમાં રોગ-જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં અને વાવણી સમયે ખેડૂતોએ આટલું જરૂર કરવું…..!!

TAGGED:aam aadmi partyarvind kejrivalbhupendra patelBJP Gujaratcmo gujaratyuvrajsinh jadeja
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

રાજ્યના જરૂરિયાતમંદ સાચા રેશનકાર્ડ ધારકોએ લાભ લેવા e-KYC કરાવવું જરૂરી : રાજ્યમાં ૮૮ ટકા e-KYC પૂર્ણ : અન્ન- નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
1941 વર્સી 2025 નુ કલેન્ડર : 1941 જેવું જ છે 2025નું કેલેન્ડર : 84 વર્ષ પછી ફરી આવ્યુ શ્રાપિત વર્ષ? જાણો જ્યોતિષ અનિલ પટેલ શુ કહે છે
અમદાવાદ એન્ટરટેનમેન્ટ ગુજરાત જ્યોતિષ
AI 171 વિમાનના પાઇલટ અને કો-પાઇલટના મૃતદેહનું પોસ્ટમોર્ટમ, એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના પ્રોટોકોલ મુજબ કરવામાં આવ્યું
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શ્રમિકોનો ‘અંત’ સુધી સાથ નિભાવે છે ગુજરાત સરકારની અંત્યેષ્ટિ સહાય યોજના
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
અમદાવાદ વિમાન દુર્ઘટના – અત્યાર સુધીમાં કુલ ૨૦૮ મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા, જેમાંથી ૧૭૩ મૃતદેહ પરિવારજનોને સોંપાયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?