By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: અદાણીની અદા! બદમાશ મૂડીવાદ પ્રો. હેમંતકુમાર શાહ,
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > અદાણીની અદા! બદમાશ મૂડીવાદ પ્રો. હેમંતકુમાર શાહ,
અમદાવાદગુજરાતબિઝનેસ

અદાણીની અદા! બદમાશ મૂડીવાદ પ્રો. હેમંતકુમાર શાહ,

Web Editor Panchat
Last updated: February 5, 2023 5:02 pm
Web Editor Panchat Published February 5, 2023
Share
SHARE

 

ગૌતમ અદાણીએ તેમની કંપનીનો ₹ ૨૦૦૦૦ કરોડનો ઇસ્યુ રદ કરવાની અને રોકાણ કરનાર સૌને પૈસા પાછા આપવાની જાહેરાત આજે મોડી રાતે કરી છે.

અમેરિકાની હિડેનબર્ગ રિસર્ચ કંપની દ્વારા અદાણી જૂથની કંપનીઓ પર હિસાબી ગોટાળાના આક્ષેપો મૂકાયા પછી અદાણી જૂથની કંપનીઓના શેરના ભાવમાં ભારે કડાકો બોલાયો હતો.
પરંતુ જૂથની મુખ્ય કંપનીનો ₹ ૨૦,૦૦૦ ઇસ્યુ ચાલુ રાખવામાં આવ્યો હતો.

નાના રોકાણકાર લોકો તો અદાણી જૂથની કંપનીઓના શેરના વેચવાલ હતા, એટલે ખરીદે કોણ? રસપ્રદ બાબત એ હતી કે તેમ છતાં કેટલીક નાણાં સંસ્થાઓ અને બેન્કો તથા ઉદ્યોગપતિઓએ બજાર ભાવ કરતાં પણ વધારે ભાવે શેર ખરીદ્યા હતા! આ એક બીજા જ કાવતરાનો ભાગ હતું. ઇસ્યુમાં ₹૨૦૦૦૦ કરોડ મળત નહિ તો ભારે ભવાડો થાત.

ગૌતમ અદાણીએ ઈજ્જત બચાવવા માટે પહેલેથી જ એ બધાને કહ્યું હોઈ શકે કે “પહેલાં ભરી દો પૈસા, પછી હું ઇસ્યુ કેન્સલ કરીને પૈસા પાછા આપી દઈશ.” આમ, સાપ મારે નહિ અને લાકડી ભાંગે નહિ એવો કારસો રચાયો!

લોકોની આંખમાં ધૂળ નાખવાનો આ અદ્ભુત કિસ્સો છે. આ બદમાશ મૂડીવાદ (crony capitalism)નું વરવું સ્વરૂપ છે.

ખરેખર તો સેબી અને ભારત સરકારે અદાણી જૂથની કંપનીઓ સામેના આરોપો તપાસવા માટે એક સમિતિની રચના કરીને એક મહિનામાં તેનો અહેવાલ મેળવીને પગલાં લેવાં જોઈએ. કોર્પોરેટ ગવર્નન્સનો પારદર્શિતાનો સિદ્ધાંત એની માગણી કરે છે હવે તો.

એ યાદ રહેવું જોઈએ કે, અમેરિકામાં એનરોન કોર્પોરેશન નામની કંપનીના અને ભારતમાં સત્યમ કોમ્પ્યુટર નામની કંપનીના આ જ પ્રકારના હિસાબી ગોટાળા બહાર આવ્યા ત્યારે રોકાણકારોની દશા બગડી ગઈ હતી. અને એ વાતની યાદ અપાવું કે ૧૯૯૬માં માત્ર ૧૩ દિવસ ટકેલી અટલ બિહારી વાજપેયીની સરકારે એક જ કામ કરેલું અને તે એ કે કૌભાંડી એનરોન કોર્પોરેશનના મહારાષ્ટ્રના દાભોલ પાવર પ્લાન્ટને મંજૂરી આપવાનું!

પણ શું અદાણી સામે તપાસ થશે? કોઈ પગલાં લેવાશે?

આવા સવાલો નહીં પૂછવાના, યાર. અદાણીએ હમણાં જ કહ્યું હતું કે એમની કંપનીઓ પરનો હુમલો તો ભારત સામેનો હુમલો છે.

અને હા, અદાણીની કંપનીમાં અબુ ધાબીના શેખ તાહનુન બિન ઝાયેદની કંપનીએ ₹ ૩૨૦૦ કરોડનું રોકાણ કર્યું હતું!
બોલો,
હિંદુ રાષ્ટ્રની
ભારત માતા કી જય!

પ્રો. હેમંતકુમાર શાહ,

You Might Also Like

ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ

શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૫૩ ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ

Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

SC સમાજના પીડાના પ્રશ્નો લઈને વિધાનસભામાં લડીશું – ગરીબનો અવાજ હવે દબાશે નહીં: ગોપાલ ઇટાલીયા
Uncategorized
“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬
ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી નો ગૃહકલેશ ફરી જાહેર માં આવ્યો સામે !
આણંદ ગુજરાત રાજકારણ
ગુજરાતના લોકોમાં સહકારનો વારસો, સહયોગ અને સેવા ભાવના છે, એ જ રાષ્ટ્રની પ્રગતિનો માર્ગ છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
એસ.ટી. બસોની સફાઈ માટે રાજ્યના ૩૩ ડેપો ખાતે ‘ઓટોમેટીક વ્હીકલ વોશિંગ મશીન’ ઇન્સ્ટોલ કરાયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?