By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: સુરેન્દ્રનગરમાં ગુરુબ્રાહ્મણ સમાજ દ્વારા આયોજિત સમૂહલગ્નમાં ૧૯ નવદંપતિઓને આર્શીર્વાદ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > સુરેન્દ્રનગરમાં ગુરુબ્રાહ્મણ સમાજ દ્વારા આયોજિત સમૂહલગ્નમાં ૧૯ નવદંપતિઓને આર્શીર્વાદ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
ગાંધીનગરગુજરાત

સુરેન્દ્રનગરમાં ગુરુબ્રાહ્મણ સમાજ દ્વારા આયોજિત સમૂહલગ્નમાં ૧૯ નવદંપતિઓને આર્શીર્વાદ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

Web Editor Panchat
Last updated: May 21, 2022 3:36 pm
Web Editor Panchat Published May 21, 2022
Share
SHARE

સુરેન્દ્રનગરમાં ગુરુબ્રાહ્મણ સમાજ દ્વારા આયોજિત સમૂહલગ્નમાં ૧૯ નવદંપતિઓને આર્શીર્વાદ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ


……..
-:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ:-

• સમૂહલગ્નો સામાજિક દાયિત્વ- સમરસતાના પ્રતિક બની રહ્યા છે
• દરેક સમાજને વિકાસની મુખ્ય ધારામાં લાવવા સરકાર જરૂરી તમામ મદદ માટે તત્પર
……..
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગરમાં ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા ચતુર્થ સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો.
આ પ્રસંગે ૧૯ નવદંપતિઓને આશીર્વાદ આપી દામ્પત્ય જીવનની શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, સમૂહ લગ્ન આજના સમયની માગ છે
. બે કુટુંબનો પ્રસંગ સમૂહ લગ્નના આયોજનથી સમગ્ર સમાજનો પ્રસંગ બને છે.
એટલું જ નહીં, દિકરીઓનાં માતા-પિતાની ચિંતા આવી પહેલથી હળવી બને છે
. સમૂહ લગ્નપ્રસંગો સામાજિક દાયિત્વનું પ્રતિક બની રહ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું કે, સામાજિક સમરસતા આપણા સમાજ અને સંસ્કૃતિની આગવી વિશેષતા રહી છે. સમાજ પોતાના દરેક વ્યક્તિ માટે ચિંતિત છે તે આવા પ્રસંગોથી પ્રસ્થાપિત થાય છે

સામાજિક સદભાવના પ્રસરાવતા આવા પ્રસંગોને પ્રશંસનીય પહેલ ગણાવતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, દરેક સમાજને વિકાસની મુખ્ય ધારામાં લાવવા માટે જરૂરી મદદ માટે સરકાર સદાય તત્પર છે. શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષા જેવી પાયાની સુવિધાઓ પૂરી પાડીને સૌ સમાજ-વર્ગો ક્ષેત્રે આગળ વધી શકે તે સુનિશ્ચિત કરવા સરકાર કટિબદ્ધ છે.
સરકાર હંમેશા લોકોની પડખે ઉભી રહી છે, તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, કોરોના મહામારી સમયે જ્યારે દુનિયાના વિકસિત દેશોએ પણ પોતાની પ્રજાને છોડી દીધી હતી ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ દેશનાં ૧૩૦ કરોડ માનવીઓને વિનામૂલ્યે રસીનું સુરક્ષા કવચ તેમજ વિનામૂલ્યે અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું, તે આજપર્યંત ચાલુ રહ્યું છે.
આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગનાં મંત્રીશ્રી પ્રદીપભાઈ પરમારે નવ યુગલોને સુખી દાંપત્યજીવનની શુભેચ્છા આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે છેવાડાના પ્રત્યેક વ્યક્તિની ચિંતા કરતા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, વિચરતી વિમુક્ત જાતિ સહિતનાં તમામ વર્ગોનાં કલ્યાણ માટે વિવિધ યોજનાઓ અમલી બનાવી દરેક વ્યક્તિ સુધી તેનાં લાભો સરળતાથી પહોંચાડ્યા છે.
મા અમૃતમ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની યોજનાઓનાં લાભ વિશે તેમણે વિગતવાર જાણકારી આપી હતી.
પૂર્વ સાંસદશ્રી શંભુપ્રસાદ ટુંડીયાએ અને અગ્રણી ગૌતમભાઈ ગેડીયાએ પ્રાસંગિક ઉદબોધનો કર્યા હતા. જાણીતા કલાકારશ્રી કિર્તીદાન ગઢવીએ આ પ્રસંગે દિકરીઓને લગ્નજીવનની શુભેચ્છા પાઠવતા “લાડલી…..” ગીતની પંક્તિઓ ગાઈ હતી.
આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા, ધારાસભ્યશ્રી ધનજીભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખશ્રી વીરેન્દ્રભાઈ આચાર્ય, જિલ્લા કલેકટરશ્રી કે.સી.સંપટ, જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાત અગ્રણી સર્વશ્રી જગદીશભાઈ મકવાણા, વર્ષાબેન દોશી, જે.વી. શ્રીમાળી, ચંદ્રશેખર દવે, અનિરુદ્ધસિંહ પઢિયાર, રાજભા ઝાલા, મહેન્દ્રભાઈ પટેલ, હિતેન્દ્રસિંહ ચૌહાણ, જયેશ પટેલ, કીર્તીદાન ગઢવી, ભગવતીપ્રસાદ શ્રીગોડ, હંસાબેન સોલંકી, સી.એન. જોશી, મુળશંકર પંડયા, રવિશંકર પંડયા સહિત મોટી સંખ્યામાં ગુરુ બ્રાહ્મણ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

You Might Also Like

GCAS પોર્ટલ ફેલ કે પાસ ! વિદ્યાર્થીઓ કે વાલીઓ માટે હાલાકીનો ઘર કે પછી ઘર બેઠા ગંગા !

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વતનભૂમિ વડનગરમાં ઉજવાશે રાજ્યકક્ષાનો ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

કડી અને વિસાવદરમાં કોણ મારશે બાજી ! અપસેટ સર્જાશે કે પુનરાવર્તન થશે !

જૂનાગઢનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ઇન્ડિયન ગ્રે વુલ્ફના સંરક્ષણ માટે બન્યું આશાનું કિરણ

મગ, મઠ, અડદ અને ચોળા જેવા ખરીફ કઠોળ પાકમાં રોગ-જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં અને વાવણી સમયે ખેડૂતોએ આટલું જરૂર કરવું…..!!

Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

રાજ્યના જરૂરિયાતમંદ સાચા રેશનકાર્ડ ધારકોએ લાભ લેવા e-KYC કરાવવું જરૂરી : રાજ્યમાં ૮૮ ટકા e-KYC પૂર્ણ : અન્ન- નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
1941 વર્સી 2025 નુ કલેન્ડર : 1941 જેવું જ છે 2025નું કેલેન્ડર : 84 વર્ષ પછી ફરી આવ્યુ શ્રાપિત વર્ષ? જાણો જ્યોતિષ અનિલ પટેલ શુ કહે છે
અમદાવાદ એન્ટરટેનમેન્ટ ગુજરાત જ્યોતિષ
AI 171 વિમાનના પાઇલટ અને કો-પાઇલટના મૃતદેહનું પોસ્ટમોર્ટમ, એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના પ્રોટોકોલ મુજબ કરવામાં આવ્યું
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શ્રમિકોનો ‘અંત’ સુધી સાથ નિભાવે છે ગુજરાત સરકારની અંત્યેષ્ટિ સહાય યોજના
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
અમદાવાદ વિમાન દુર્ઘટના – અત્યાર સુધીમાં કુલ ૨૦૮ મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા, જેમાંથી ૧૭૩ મૃતદેહ પરિવારજનોને સોંપાયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?