By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: સોમનાથ, દ્વારકા, અંબાજી, ડાકોરના મંદિરોમાં શ્રધ્ધાળુઓની સંખ્યા વધી : દાનપેટીઓ છલકાઇ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > સોમનાથ, દ્વારકા, અંબાજી, ડાકોરના મંદિરોમાં શ્રધ્ધાળુઓની સંખ્યા વધી : દાનપેટીઓ છલકાઇ
ગાંધીનગરગુજરાત

સોમનાથ, દ્વારકા, અંબાજી, ડાકોરના મંદિરોમાં શ્રધ્ધાળુઓની સંખ્યા વધી : દાનપેટીઓ છલકાઇ

Web Editor Panchat
Last updated: May 25, 2022 5:50 pm
Web Editor Panchat Published May 25, 2022
Share
SHARE

સોમનાથ, દ્વારકા, અંબાજી, ડાકોરના મંદિરોમાં શ્રધ્ધાળુઓની સંખ્યા વધી : દાનપેટીઓ છલકાઇ

સોમનાથ મંદિરની આવક 50.95 કરોડ, દ્વારકામાં 13 કરોડ, ડાકોરમાં 14.02 કરોડ અને અંબાજીમાં 47.76 કરોડની આવક
અમદાવાદ,તા. 25 : કોરોનાએ બે વર્ષ સુધી લોકોને ભયભીત રાખ્યા બાદ હળવો થઇ ગયો છે અને તમામ નિયંત્રણો પણ ઉઠી ગયા છે ત્યારે મંદિરો, ધાર્મિક સ્થળોએ યાત્રાળુઓની સંખ્યા વધી જવાને પગલે દાનપેટીઓ છલકાવા લાગી છે. લોકોની ધાર્મિક શ્રધ્ધા વધી ગઇ હોય તેમ મંદિરોએ શ્રધ્ધાળુઓની સંખ્યાની સાથોસાથ દાનનો પ્રવાહ પણ ઘણો વધી ગયો છે. સોમનાથ, દ્વારકા અને ડાકોરના મંદિરોમાં કોરોના કાળમાં દાનનો પ્રવાહ સાવ ધીમો પડી ગયો હતો તેના બદલે હવે મોટો વધારો સૂચવે છે.

કોરોના કાળમા મંદિરો કેટલાક મહિના બંધ રહ્યા બાદ નવેસરથી ખુલ્યા ત્યારે પણ અનેક નિયંત્રણો કારણે ભાવિકોની સંખ્યા ઓછી રહેતી હતી પરંતુ હવે તમામ અંકુશો દૂર થઇ ગયા હોવાના કારણે હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટવા લાગ્યા છે. દેશના વિખ્યાત અને બાર જ્યોર્તિલીંગ પૈકીનું પ્રથમ એવા સોમનાથ મંદિરની 2021-22નાં વર્ષની આવક 50.95 કરોડ પર પહોંચી ગઇ છે. આગલા વર્ષે તે 23.25 કરોડ હતી.

દ્વારકાધીશ મંદિરની આવક 2019-20માં 11.03 કરોડ અને 2020-21માં 6.44 કરોડ હતી તે વધીને 2021-22માં 13 કરોડે પહોંચી ગઇ છે. ડાકોરનાં રણછોડરાય મંદિરની 2021-22ની આવક 14.02 કરોડ થઇ છે જે 2020-21માં 7.25 કરોડ થઇ ગઇ હતી. એકમાત્ર અંબાજી મંદિર એવું છે જ્યાં દાનની આવક હજુ કોવિડ પૂર્વેનાં સમય સુધી પહોંચી શકી નથી. બનાસકાંઠાના ડેપ્યુટી કલેક્ટર આર.કે. પટેલે જણાવ્યું હતું કે 2020-21માં 31.92 કરોડની આવક હતી, 2019-20માં 51.63 કરોડનું દાન મળ્યું હતું. 2021-22માં આ આંકડો 47.76 કરોડ થયો છે.

ગત વર્ષની સરખામણીએ આવક વધી હોવા છતાં કોરોના અગાઉના સ્તરે પહોંચી શકી નથી. સોમનાથ મંદિર ટ્રસ્ટનાં જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ કહ્યું કે શ્રધ્ધાળુઓની સંખ્યામાં પણ મોટો વધારો થયો છે. અત્યારે સરેરાશ રોજ 10 હજાર શ્રધ્ધાળુઓ આવે છે અને શનિ-રવિમાં આ સંખ્યા 15,000 સુધી પહોંચી જાય છે.

You Might Also Like

FSI -૨૦૨૩ના અહેવાલ મુજબ નોટિફાઇડ વન વિસ્તાર બહારના વૃક્ષ આવરણમાં કુલ ૨૪૧ થી વધુ ચો.કિ.મીના વધારા સાથે ગુજરાત દેશભરમાં અગ્રેસર

ભુપેન્દ્ર પટેલ આ રસ્તા ચોમાસાના કારણે નહી પણ કમિશનના કારણે તુટ્યા છે ! તમે કોને બનાવો છો !

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી કોર્ટે ફગાવી!

ગ્રામીણ વિસ્તારોમાં ગામની સ્વચ્છતા માટે વ્યક્તિ દીઠ માસિક રૂ.૪ની ફાળવણી વધારીને બે ગણી રૂ.૮ કરવામાં આવશે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

ગુજરાતનું સહકારી મૉડલ બન્યું મહિલા સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ, મહિલા દૂધ મંડળીઓમાં 21%નો વધારો, આવક ₹9000 કરોડને પાર

TAGGED:crowddanpetigujaratjyotirlingsomnath temple
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

📢ગુજરાતમાં જો ખતરો હોય તો ફક્ત 🥤એક ગ્લાસ🥤 થી છે !
aap gujarat politics
GP-SMASHની વધુ એક ઉલ્લેખનીય સફળતા: ચાલુ ટ્રેનમાંથી પડી ગયેલી માતાના બંને બાળકોને સુરક્ષિત કરી, માતાની શોધખોળ માટે ત્વરિત કાર્યવાહી
કાયદો ગવર્મેન્ટ ગુજરાત વડોદરા સમસ્યા સુરત
આજે ગર્વ સાથે કહી શકું છું કે, અમારા બોરડી ગામની ગ્રામ પંચાયત સંપૂર્ણ મહિલા સદસ્યોથી રચાયેલી છે – મહિલા સરપંચ શ્રી લીલાબેન મોરી
ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
ક્લાયમેટ ચેન્જથી બદલાઇ રહ્યો છે ચોમાસાનો મિજાજ !! અર્બન હિટ આયલેન્ડ શહેરોમાં ભારે વરસાદનું કારણ બને છે અને પૂરની સ્થિતિનું નિર્માણ કરે છે
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત ભારે વરસાદ
કોંગ્રેસ ભાજપના ખિસ્સામાં છે, બન્ને મળીને જનતાને લૂંટે છે : અરવિંદ કેજરીવાલ
અમદાવાદ આમ આદમી પાર્ટી ગુજરાત રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?