By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: અમદાવાદમાં ડોક્ટર્સ કરશે ધરણા- આ તારીખે કરશે ધરણા- આ રહ્યા કારણો
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > અમદાવાદમાં ડોક્ટર્સ કરશે ધરણા- આ તારીખે કરશે ધરણા- આ રહ્યા કારણો
અમદાવાદગુજરાત

અમદાવાદમાં ડોક્ટર્સ કરશે ધરણા- આ તારીખે કરશે ધરણા- આ રહ્યા કારણો

Web Editor Panchat
Last updated: May 11, 2022 5:26 pm
Web Editor Panchat Published May 11, 2022
Share
SHARE

સી’ ફોર્મ રીન્યુઅલઃ 14-15 મેના રોજ રિવરફ્રન્ટ ખાતે ડોક્ટર્સના ધરણાં યોજાશે

અમદાવાદમાં ડોક્ટર્સ કરશે ધરણા- આ તારીખે કરશે ધરણા- આ રહ્યા કારણો

– 2021ના ઓક્ટોબર મહિનાથી ‘સી’ ફોર્મ રીન્યુઅલ માટે અચાનક જ બીયુ પરમિશન ફરજિયાત કરી દેવાતાં આ પ્રકારની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ

અમદાવાદના ડોક્ટર્સે ‘સી’ ફોર્મ રીન્યુઅલ મામલે સરકાર સામે બાંયો ચઢાવી છે. આગામી તા. 14 અને 15 મેના રોજ અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ અસોસિએશન (AHNA) દ્વારા 2 દિવસીય હડતાળ અંતર્ગત હોસ્પિટલ્સ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. આ કારણે હજારો દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે જે માટે અગાઉથી જ માફી માગવામાં આવી છે.

હડતાળ દરમિયાન ડોક્ટર્સ મોટી સંખ્યામાં રિવરફ્રન્ટ ખાતે એકત્રિત થઈને ધારણા પ્રદર્શન કરશે અને ‘ફૂથપાથ ઓપીડી’ જેવા કાર્યક્રમો કરશે.

અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ અસોસિએશન (AHNA) દ્વારા ફોર્મ ‘સી’ રીન્યુ કરવામાં પડી રહેલી મુશ્કેલીના પગલે હડતાલ પર ઉતરવાની ચીમકી આપવામાં આવી છે. એકસાથે શહેરની આશરે 400થી 450 હોસ્પિટલ તેમજ નર્સિંગ હોમના રજિસ્ટ્રેશન (ફોર્મ ‘સી’) ન થયા હોવાથી તેને તાળા મારવાની નોબત આવી છે.

આહનાના સેક્રેટરી ડો. વિરેન શાહે જણાવ્યું કે, સન 1949થી છેક 2021 સુધી આમાની હોસ્પિટલ અને નર્સિંગ હોમ્સે રજિસ્ટ્રેશન માટેના તમામ જરૂરી દસ્તાવેજો આપેલા છે અને તેમનું ‘સી’ ફોર્મ સમયાંતરે રીન્યુ કરી આપવામાં આવેલું છે. ત્યાર બાદ 2021ના ઓક્ટોબર મહિનાથી ‘સી’ ફોર્મ રીન્યુઅલ માટે અચાનક જ બીયુ પરમિશન ફરજિયાત કરી દેવાતાં આ પ્રકારની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે.

બીયુનો કાયદો ખૂબ જ ગૂંચવણભરેલો અને અટપટો છે તથા તેમાં નાની હોસ્પિટલ્સ તેમજ નર્સિંગ હોમ્સ માટે કોઈ જુદા ધારાધોરણો નથી નક્કી કરવામાં આવેલા.

બિલ્ડીંગ યુઝ પરમિશનના કારણે અમદાવાદ શહેરમાં આવેલી 450થી વધુ નર્સિંગ હોમ અને હોસ્પિટલના રજિસ્ટ્રેશન અટકયાં છે. બિલ્ડિંગ યુઝ પરમીશન વગર અન્ય શરતોના પાલન સાથે સી-ફોર્મ રજિસ્ટ્રેશન કરી આપવા આહના દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનને અપીલ કરાઈ છે. નિયમને તંત્ર વળગી રહેશે તો નર્સિંગ હોમ્સ અને હોસ્પિટલને તાળાં મારવા પડે એવી સ્થિતિ સર્જાશે. જો આમ છતાં કોઈ ચોકકસ નિર્ણય કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં મેડીકલ સેવા બંધ, રેલી તથા ધરણાં ઉપરાંત ફૂટપાથ ઉપર ઓ.પી.ડી.જેવા કાર્યક્રમ આપી વિરોધ દર્શાવવામાં આવશે.

ઓકટોબર-2021થી સી-ફોર્મ માટે બિલ્ડિંગ યુઝ પરમિશન ફરજિયાત કરી દેવામાં આવતા શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા 450થી વધુ નર્સિંગ હોમ અને હોસ્પિટલને તાળાં મારવા પડે એવી સ્થિતિ સર્જાઈ છે. આહનાના પ્રેસિડેન્ટ ડોકટર ભરત ગઢવીએ કહ્યું, 1949થી 2021 સુધી રજિસ્ટ્રેશન માટે જરૂરી તમામ દસ્તાવેજો જમા કરાવતા આવ્યા છીએ પરંતુ આ વખતે બિલ્ડિંગ યુઝ પરમિશન ફરજિયાત કરાતા મુશ્કેલી થઈ છે. નર્સિંગ હોમ્સને રજિસ્ટ્રેશન તેના સ્ટાફની લાયકાત તથા ડોકટરના કવોલીફિકેશનની ચકાસણી બાદ આપવામાં આવતુ હોય છે. જે માટે ક્યારેય બિલ્ડિંગ યુઝ પરમિશનની જરૂર ઉભી કરવામાં આવી નહોતી.

શહેરમાં 80 આરોગ્યની સુવિધા નર્સિંગ હોમ્સ તથા નાની હોસ્પિટલો દ્વારા પુરી પડાય છે જેના અસ્તિત્વ સામે જોખમ ઉભુ થયું છે. શહેરમાં રેસ્ટોરન્ટ માટે નિયમ બાજુ ઉપર મુકી મંજૂરી આપવામાં આવે છે. તો નર્સિગ હોમ્સ અને નાની હોસ્પિટલ માટે કયા કારણથી કાયદાની ગૂંચ ઉભી કરાઈ રહી છે? જો 450થી વધુ નર્સિંગ હોમ્સ અને નાની હોસ્પિટલ બંધ થાય તો આગામી દિવસોમાં શહેરમાં આરોગ્યની સેવા વધુ મોંઘી બનશે. હોસ્પિટલ સાથે સંકળાયેલ કર્મચારીઓ રોજગારી ગુમાવશે. જો કોરોનાની જોખમી લહેર ભવિષ્યમાં આવે તો દર્દીઓને સારવાર મેળવવામાં મુશ્કેલી થશે. ફાયરના સાધનો કે એન.ઓ.સી.ને લઈ અમે કોઈ બાંધછોડ કરવા માંગતા નથી એમ પણ આહના પ્રમુખે કહ્યુ હતું. આ મામલે રાજ્ય સરકારને પણ અપીલ કરવામાં આવી છે.

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:ahmadabadC FORMdocterRIVERFRONTSTRIKE
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?