By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: હિમ્મતનગર વિધાનસભામાં ચાલશે પરિવારવાદ ! કે મળશે મેરિટ ઉપર ટીકીટ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > હિમ્મતનગર વિધાનસભામાં ચાલશે પરિવારવાદ ! કે મળશે મેરિટ ઉપર ટીકીટ
અમદાવાદગાંધીનગરગુજરાત

હિમ્મતનગર વિધાનસભામાં ચાલશે પરિવારવાદ ! કે મળશે મેરિટ ઉપર ટીકીટ

Web Editor Panchat
Last updated: April 11, 2022 7:48 pm
Web Editor Panchat Published April 11, 2022
Share
SHARE

હિમ્મતનગર વિધાનસભામાં ચાલશે પરિવારવાદ ! કે મળશે મેરિટ ઉપર ટીકીટ

વિધાનસભા ચૂંટણીને લઇને તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે,,ત્યારે આ વખતે ભાજપની જીત પાકી માનવામાં આવી રહી છે
પરિણામે દાવેદારોની સંખ્યા પણ વધુ છે,, વાત હિમ્મતનગર વિધાનસભાની કરીએ અહી બે પ્રમુખ દાવેદારો છે, જેમાં
પુર્વ ગૃહ પ્રધાન અને દિવ દમણના એડમિનિસ્ટ્રેટર પ્રફુલ પટેલના સિધ્ધાર્થ પટેલ અને હાલના ધારાસભ્ય રાજેન્દ્ર સિહ ચાવડા છે

કપડવંજમાં ભાજપના દાવેદારોની લાંબી કતાર !

વાત હિમ્મતનગર વિધાનસભાના ઇતિહાસની

વર્ષ 1962માં કોંગ્રેસના શંકર ભાઇ પટેલે સ્વતંત્ર પક્ષના જોઇતારામ ભાઇ પટેલને હરાવ્યા

વર્ષ 1967માં સ્વતંત્ર પક્ષના ડી, હિમ્મતસિહજીએ કોગ્રેસના શંકર ભાઇ પટેલને હરાવ્યા

વર્ષ 1972માં કોગ્રેસના શંકર ભાઇ પટેલે એનસીઓના દેવ શંકર રાવલને હરાવ્યા

વર્ષ 1975માં કોગ્રેસના ભગવાનદાસ પટેલે ભારતિય જનસંધના શ્રીરામ નરસિહ દાસને હરાવ્યા

વર્ષ 1980માં ભાજપના નાથા ભાઇ પટેલે કોગ્રેસ આઇના ભગવાનદાસ પટેલને હરાવ્યા

વર્ષ 1985માં કોગ્રેસના લાખાભાઇ પટેલે જેએનપીના ભગવાન દાસ પટેલને હરાવ્યા

વર્ષ 1990માં જનતાદળના ભગવાન દાસ પટેલે કોગ્રેસના રણજીત સિહ ઝાલાને હરાવ્યા

વર્ષ 1995માં ભાજપના રણજીત સિહ ચાવડાએ કોગ્રેસના ભગવાન દાસ પટેલને હરાવ્યા

વર્ષ 1998માં ભાજપના રણજીત સિહ ચાડવાએ કોગ્રેસના ભગવાનદાસ પટેલને હરાવ્યા

વર્ષ 2002માં ભાજપના રણજીત સિહ ચાવડાએ કોગ્રેસના ભરત સિહ રહેવને હરાવ્યા

વર્ષ 2007માં ભાજપના પ્રફુલ પટેલે કોગ્રેસના સી કે પટેલને હરાવ્યા

વર્ષ 2012માં કોગ્રેસના રાજેન્દ્ર સિહ ચાવડાએ ભાજપના પ્રફુલ પટેલને હરાવ્યા

વર્ષ 2017માં ભાજપના રાજેન્દ્ર સિહ ચાવડાએ કોગ્રેસના કમલેશ પટેલને હરાવ્યા

 

માલધારીઓ કરશે 19મીથી ગાંધીનગરમા આમરણાંત ઉપવાસ આંદોલન

હિમ્મત નગરના રાજનૈતિક ઐતિહાસિક તથ્યો

હિમ્મનગર વિધાનસભા બેઠક પણ પાટીદારો અને ક્ષત્રિયોનુ પ્રભુત્વ રહ્યુ છે,,
સૌથી વધુ વખત ચૂંટણી લડવાનો રેકોર્ડ ભગવાનદાસ પટેલના નામે છે.
તો પક્ષ બદલવામાં પણ ભગવાનદાસ પટેલ અગ્રેસર રહ્યા છે
વર્ષ 1962થી 1990 સુધી સતત પાટીદાર સમાજનું હિમ્મત નગર બેઠક પર એક ચક્રીય શાષન રહ્યું
વર્ષ 1992માં બાબરી મસ્જીદ ધ્વસ્ત થયા બાદ ગુજરાતમાં પરિવર્તનનો પવન ફુંકાયો
ગુજરાતમાં ભાજપની પ્રથમ વખત સરકાર બની, હિમ્મત નગરમાં પણ પાટીદારોના એક ચક્રીય શાસનનો અંત આવ્યો
અને પ્રથમ વખત ક્ષત્રિય સમાજના રણજીત સિહ ચાવડા ધારાસભ્ય તરીકે ચૂંટાયા,
તેઓ વર્ષ 1998 અને 2002માં આ બેઠક જાળવી હેટ્રીક સર્જી,
વર્ષ 2007માં તેમને ટીકીટ ન મળી તેમના સ્થાને રાજ્ય સરકારના મંત્રીના પીએ રહી ચુકેલા પ્રફુલ પટેલને
હિમ્મત નગર બેઠક પરથી ભાજપે મૈદાનમાં ઉતાર્યા અને તેઓ જીત્યા,,અને ગુજરાતમાંથી અમિત શાહની વિદાય બાદ
પ્રફુલ પટેલ ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન બન્યા,,
વર્ષ 2012માં પુર્વ કુટીર ઉદ્યોગ પ્રધાન રણજીત સિહ ચાવડાના પુત્ર રાજેન્દ્રસિહ ચાવડા કોગ્રેસના ઉમેદવાર તરીકે ભાજપ
સરકારના ગૃહ રાજ્ય પ્રધાન પ્રફુલ પટેલને હરાવ્યા
વર્ષ 2014માં લોકસભાની ચૂંટણી દરમિયાન તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્રમોદીને વડા પ્રધાન પદના ઉમેદવાર જાહેર કરાયા
જેની સાથે ગુજરાત ભાજપે કમલમ ઓપરેશન શરુ કર્યુ, જેના ભાગ રુપે મુળ ભાજપ પરિવારમાંથી આવતા
રાજેન્દ્ર સિહ ચાવડા કોગ્રેસ છોડી ભાજપમાં પરત ફર્યા, તેઓ પેટા ચૂંટણી લડ્યા અને જીત્યા,, છતાં તેમને કમલમ પેકેજનો લાભ
નથી મળ્યો,, મહત્વપુર્ણ બાબત તો એ છે કે તેમના પછી કોગ્રેસ છોડીને ભાજપમા આવનાર, રાધવજી પટેલ, કુવરજી બાવળીયા
જવાહર ચાવડા, ધર્મેન્દ્ર સિહ જાડેજા, સહિનતા ધારાસભ્યો પ્રધાન બની ચુક્યા છે, જ્યારે નિમા બેન આચાર્ય ગુજરાત વિધાનસભાના
અધ્યક્ષ બન્યા છે જ્યારે જનતા દળ છોડીને આવેલા યોગેશ પટેલને પણ પ્રધાન પદ પ્રાપ્ત થયુ છે,
કોગ્રેસને છેહ દેનાર રાજેન્દ્ર સિહ ચાવડાને પ્રધાન પદનુ ઇનામ મળ્યું નથી,

ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ

હિમ્મતનગરના દાવેદારો !

રાજેન્દ્રસિહ રણજીત સિહ ચાવડા – હાલના ધારાસભ્ય
સિધ્ધાર્થ પ્રફુલ ભાઇ પટેલ- પુર્વ ગૃહરાજ્ય પ્રધાનના પુત્ર અને સોશિયલ મિડીયા કન્વીનર
જે ડી પટેલ, સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ
હિતેશ પટેલ -કિસાન મોર્ચા- ગુજરાત પ્રમુખ ભાજપ
કૌશલ્ય કુવરબા, મહિલા ઉપ પ્રમુખ,
રેખાબા ઝાલા,, મહિલા અને બાલ કલ્યાણ જિલ્લા પચાયતના સમિતી
જેઠા ભાઇ પટેલ,, સાબર ડેરીના પુર્વ ચેરમેન
હસમુખ પટેલ તાલુકા ભાજપનો પ્રમુખ
મહેશ અમિચંદ પટેલ, સાબરકાંઠા બેંકનો ચેરમેન
ગોપાલસિહ રાઠોડ, મુળ કોગ્રેસી અગ્રણી છે,પણ તેઓ ભાજપમાં સક્રીય છે,, વ્યવસાયિક છે,

ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ

હિમ્મત નગરમાં પરિવારવાદ

આમ તો વડા પ્રધાન નરેન્દ્રમોદી પરિવારવાદમાં માનતા નથી, તેઓ મેરીટના આધારે કાર્યકર્તાને ટીકીટ આપવામાં માને છે..
જો કે હિમ્મતનગરની વાત કરીએ તો દિવ દમણનગર વહીવટદાર પ્રફુલ પટેલના પુત્ર સિધ્ધાર્થ પટેલ ગુજરાત ભાજપ સોશિયલ મિડીયા
સેલના કન્વિનર છે, તેઓ પણ આ બેઠક માટે પ્રબલ દાવેદાર મનાય છે, અને સિધ્ધાર્થ પટેલની કામગીરીથી વડા પ્રધાન નરેન્દ્રમોદી પણ
પ્રભાવિત છે તેમ માનવામાં આવે છે,, તો બીજી બાજુ હાલના ધારાસભ્ય રાજેન્દ્ર સિહ ચાવડા પુર્વ પ્રધાન રણજીત સિહ ચાવડાના
પુત્ર છે..આમ જો આ બન્ને પૈકી કોઇ એકને ટિકીટ આપવાનુ થાય તો ભાજપ ઉપર પરિવારવાદનો આરોપ લાગી શકે છે, પણ જ્યારે
વાત સીટ જીતવાની હોય તો કોઇ પણ ફેક્ટર કામ કરતા નથી,

છતાં ટિકીટ કોને આપવી કોને નહી તે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ નકકી કરશે,,

 

શંકર સિહ વાધેલા જયચંદ કે અમીચંદ !

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:amit shahassembly electionELECTION 2022FeaturedgujaratHIMMAT NAGARPATIDAR FECTOREpmmodiPRAFULPATELSIDDHARTH PATEL
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?