By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: હાર્દિક પટેલે મુઠ્ઠીભર લોકોની હાજરીમાં ભાજપનો ખેંસ પહેર્યો એ સાબિત કરે છે. એ સાબિત કરે છે કે, શક્તિ પ્રદર્શનના બદલે બુદ્ધિપ્રદર્શન કર્યું – ડૉ. ઈન્દ્રવિજયસિંહ ગોહિલ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > હાર્દિક પટેલે મુઠ્ઠીભર લોકોની હાજરીમાં ભાજપનો ખેંસ પહેર્યો એ સાબિત કરે છે. એ સાબિત કરે છે કે, શક્તિ પ્રદર્શનના બદલે બુદ્ધિપ્રદર્શન કર્યું – ડૉ. ઈન્દ્રવિજયસિંહ ગોહિલ
અમદાવાદગુજરાત

હાર્દિક પટેલે મુઠ્ઠીભર લોકોની હાજરીમાં ભાજપનો ખેંસ પહેર્યો એ સાબિત કરે છે. એ સાબિત કરે છે કે, શક્તિ પ્રદર્શનના બદલે બુદ્ધિપ્રદર્શન કર્યું – ડૉ. ઈન્દ્રવિજયસિંહ ગોહિલ

Web Editor Panchat
Last updated: June 2, 2022 9:01 pm
Web Editor Panchat Published June 2, 2022
Share
SHARE

• હાર્દિક પટેલે મુઠ્ઠીભર લોકોની હાજરીમાં ભાજપનો ખેંસ પહેર્યો એ સાબિત કરે છે. એ સાબિત કરે છે કે, શક્તિ પ્રદર્શનના બદલે બુદ્ધિપ્રદર્શન કર્યું – ડૉ. ઈન્દ્રવિજયસિંહ ગોહિલ
• હું સૈનિક તરીકે ભાજપમાં જોડાયો છું તેવુ કહેનારને કોંગ્રેસ પક્ષે નાની ઉંમરમાં તેમને સેનાપતિ સમાન કાર્યકારી અધ્યક્ષનું પદ આપ્યું છતાં આપે શું કર્યું ? – ડૉ. મનિષ દોશી
• હાર્દિક પાટેલ ભાજપમાં જોડાયા તો શું હવે પાટીદાર આંદોલનના શહિદોને હવે ન્યાય મળી જશે તથા પાટીદાર સમાજના યુવાનો પર રાષ્ટ્રદ્રોહ સહિતના કેસો હવે પાછા લઈ લેવામાં આવશે ? – હેમાંગ રાવલ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે કોર કમીટીના સભ્ય અને પૂર્વ પ્રમુખ ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ ડૉ. ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી, મીડીયા કોર્ડીનેટર શ્રી હેમાંગ રાવલની સંયુક્ત પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવેલ. કોર કમીટીના સભ્ય અને પૂર્વ પ્રમુખ ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ ડૉ. ઈન્દ્રવિજયસિંહ ગોહિલે સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ કાર્યકારી પ્રમુખશ્રી હાર્દિક પટેલે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો છે. સને 2019માં કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય અધિવેશન મળ્યું હતું અને લાખોની જનમેદની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા એકઠી થઈ હતી ત્યારે આ કાર્યક્રમમાં કહેવાતા નેતા એકલા આવ્યા હતા અને કોંગ્રેસ પક્ષમાં જોડાયા. છેલ્લા ઘણા સમયથી વાત ચાલતી હતી કે, હવે ભારતીય જનતા પાર્ટીમાં તેઓ જોડાશે અને ખુબ જ મોટુ શક્તિ પ્રદર્શન કરશે. શક્તિ પ્રદર્શનના અહેવાલ પણ આવતા હતા કે, હજારો લોકોની હાજરીમાં તેઓ ભારતીય જનતા પક્ષમાં જોડાશે. પરંતુ આજનો કાર્યક્રમ જોયા પછી ભાજપ પ્રદેશ પ્રમુખના હાથે મુઠ્ઠીભર લોકોની હાજરીમાં ભાજપનો ખેંસ પહેર્યો એ સાબિત કરે છે. એ સાબિત કરે છે કે, શક્તિ પ્રદર્શનના બદલે બુદ્ધિપ્રદર્શન કર્યું હોય તેવુ સ્પષ્ટ દેખાઈ આવે છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓને મવાલી, ગુંડા, અસામાજીક તત્વો, હિટલર, જનરલ ડાયર અને દેશના ગૃહમંત્રીને લુખ્ખા સુધી કહેતા પરંતુ આજે આ લોકોએ એવી કઈ લોલીપોપ આપી કે પોતાના આંદોલનના સાથીદારને અસામાજીક તત્વો કહેવા પડે છે. સમગ્ર દેશનું ગૌરવ એવુ મોટેરાનું સરદાર પટેલ સ્ટેડીયમના નામે ઓળખાતુ હતુ એની નામ બદલાવીને તેનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડીયમ કરી દેવામાં આવ્યું. તેનો પણ કોંગ્રેસમાં હતા ત્યારે વિરોધ કરેલ હતો. પરંતુ હવે જ્યારે ભારતીય જનતા પક્ષમાં ગયા છે ત્યારે તે સ્ટેડીયમમાં મેચ ચાલતી હશે ત્યારે ચીયરલીડર્સના ડાન્સ જોવા માટે જશે ? એનો પણ ખુલાસો કરવો જોઈએ. વાત કરી હું ખીસકોલીની જેમ રામ સેતુ બનાવવા માટે ભારતીય જનતા પક્ષમાં આવ્યો છું, ખીસકોલીની જેમ નહી પરંતુ કાચીંડાની જેમ જુદા જુદા કલર બદલીને ભારતીય જનતા પક્ષમાં ગયા છો અને રામસેતુ બનાવવાની વાત કરો છો ત્યારે રામસેતુ બનાવવાના બદલે ભાજપમાં તમારુ રામનામ સત્ય છે એ સિવાય બીજી કોઈ વાત તમારી રાજકીય કારકીર્દીમાં હવે થવાની નથી. સમગ્ર ગુજરાત રાજ્યમાં ડ્રગ્સની વાતો કરતા અને ગુજરાત રાજ્યનો યુવાન દિવસેને દિવસે નશામાં ધકેલાતો જાય છે. મુદ્રામાં અદાણી પોર્ટ ઉપર કરોડો – અબજો રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે, સરકાર કઈ કરતી નથી તેવુ કહેતા હતા તો શું હવે ભાજપમાં જોડાયા છે તો હવે ડ્રગ્સ માફીયાઓ છે તેમના પેડલર તરીકે કામ કરવાના છે ? ગુજરાતના યુવાનોને એનો પણ જવાબ આપવો પડશે. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ગુજરાતના યુવાનોનો પ્રશ્ન હોય, રોજગારીનો પ્રશ્ન હોય, કોંગ્રેસ પક્ષ હંમેશા લડત આપી રહ્યો છે. પરંતુ ક્યારેય તેઓ પક્ષના કાર્યકારી અધ્યક્ષ હોવા છતાં કોઈ કામગીરી કરી નથી. તેઓ કહેતા હતા કે કેશુભાઈ પટેલ અને કાશીરામ રાણાની ભાજપ એ હવે નરેન્દ્ર મોદી અને અમિત શાહ જેવા અસામાજીક તત્વોની પાર્ટી બની ગઈ છે. આજે જોડાયા ત્યારે એ પણ ખુલાસો કરવાનો હતો કે તમે નરેન્દ્ર મોદી અને અમિત શાહની ભારતીય જનતા પાર્ટીની જોડાયા છો ? કે કેશુભાઈ પટેલ અને કાશીરામ રાણાની ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છો ?

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, વાત આદર્શની કરવાની, સમાજના ખભે બેસીને પોતાનો નક્કી કરેલા લક્ષને પાર પાડવા માટે ખભાઓના ઉપયોગ કરીને સમાજ સાથે અને રાજ્યના નાગરિકો સાથે અવનવા અખતરા કરીને ઘણા લોકો ગદ્દારી કરતા હતા પરંતુ એમાં હવે એક ભાઈનો ઉમેરો થયો છે. પ્રશ્ન એ છે કે, જે તે સમયે સમાજનું આંદોલન, સામાજીક સમસ્યા, રાજ્યમાં મોઘુ શિક્ષણ અને બેરોજગારીની સમસ્યા, સરકારી નોકરીઓમાં મોટા પાયે ગેરરીતિ – લાગવગ, ભ્રષ્ટાચાર અને મુદ્દે ગુજરાતના યુવાનોમાં ભારોભાર આક્રોશ હતો. ત્યારે પાટીદાર સમાજના લોકોએ સર્વ સમાજને સાથે રાખીને જે આંદોલન કરેલ હતું. એ સમયે સમાજે આપેલા નેતૃત્વનો પોતાના અંગત સ્વાર્થ માટે ઉપયોગ કરનાર ભાઈ એમ માનતા હશે કે, મારી રોજગારીનું તો થઈ ગયુ પોતાની વ્યક્તિગત રોજગારી માટે તેઓ ભાજપમાં જોડાયા હોય તેમ લાગી રહ્યું છે. સરદાર સાહેબની વિચારધારાની કોઈ વાત નહી. આ વિચારધારાના પરિવર્તન પાછળ ક્યા પ્રકારનો ખેલ છે ?, ક્યા પ્રકારની ગોઠવણ છે ? તે ગુજરાત જાણવા માંગે છે અને પાટીદાર સમાજ પણ જાણવા માંગે છે. તેમણે કહ્યું કે હું સૈનિક તરીકે ભાજપમાં જોડાયો છું. પરંતુ કોંગ્રેસ પક્ષે નાની ઉંમરમાં તેમને સેનાપતિ સમાન કાર્યકારી અધ્યક્ષનું પદ આપ્યું હતું. કોંગ્રેસ પક્ષની જવાબદારી પછી તમે શું કર્યું ? તમારી નિષ્ફળતા છુપાવવા માટે કોંગ્રેસ ઉપર પાયા વગરના આક્ષેપ કરી રહ્યાં છો. તમે ઉપરથી આવેલી સ્ક્રિપ્ટ પ્રમાણે કોંગ્રેસ પક્ષ માટે ગમે તેવી વાતો કરી, તેનાથી તમારી કઈ પ્રકારની માનસિકતા છે તે ખુલ્લી પડી છે. તેઓ કોંગ્રેસમાં હતા ત્યારે કહેતા હતા કે ખેડૂત, ખેતી અને ગામડુ બચાવવા માટે લડવુ જોઈએ. જે સરકારની નીતિથી ખેડૂત, ખેતી અને ગામડુ બરબાદ થઈ રહ્યું હોય એ ભાજપ પક્ષનો તમે આજે ખેસ પહેર્યો છે ત્યારે તમે ખેડૂત વિશે કેમ કઈ બોલ્યા નહીં ? અને સૌથી દુઃખદ બાબત એ છે કે, તમારી વ્યવસ્થામાં તમે ગોઠવાઈ ગયા.જે સમયે તમારે તેમની જરૂર હતી, તેમના ખભાનો ઉપયોગ કરીને તમે આગળ વધ્યા, પ્રસિધ્ધી મેળવી, તમને તમામ પ્રકારના એસો આરામ મળ્યા, સગવડો મળીએ આંદોલનના સાથીદારોને તમે અસામાજીક તત્વો કહો છે તે કેટલે અંશે વ્યાજબી ?

You Might Also Like

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી કોર્ટે ફગાવી!

GP-SMASHની વધુ એક ઉલ્લેખનીય સફળતા: ચાલુ ટ્રેનમાંથી પડી ગયેલી માતાના બંને બાળકોને સુરક્ષિત કરી, માતાની શોધખોળ માટે ત્વરિત કાર્યવાહી

આજે ગર્વ સાથે કહી શકું છું કે, અમારા બોરડી ગામની ગ્રામ પંચાયત સંપૂર્ણ મહિલા સદસ્યોથી રચાયેલી છે – મહિલા સરપંચ શ્રી લીલાબેન મોરી

ક્લાયમેટ ચેન્જથી બદલાઇ રહ્યો છે ચોમાસાનો મિજાજ !! અર્બન હિટ આયલેન્ડ શહેરોમાં ભારે વરસાદનું કારણ બને છે અને પૂરની સ્થિતિનું નિર્માણ કરે છે

કોંગ્રેસ ભાજપના ખિસ્સામાં છે, બન્ને મળીને જનતાને લૂંટે છે : અરવિંદ કેજરીવાલ

TAGGED:Congresshardik patelhemang rawalindravijay singhmanish doshi
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

FSI -૨૦૨૩ના અહેવાલ મુજબ નોટિફાઇડ વન વિસ્તાર બહારના વૃક્ષ આવરણમાં કુલ ૨૪૧ થી વધુ ચો.કિ.મીના વધારા સાથે ગુજરાત દેશભરમાં અગ્રેસર
ahmedabad govt gujarat
📢ગુજરાતમાં જો ખતરો હોય તો ફક્ત 🥤એક ગ્લાસ🥤 થી છે !
aap gujarat politics
ભુપેન્દ્ર પટેલ આ રસ્તા ચોમાસાના કારણે નહી પણ કમિશનના કારણે તુટ્યા છે ! તમે કોને બનાવો છો !
ahmedabad govt gujarat heavy rain weather ભારે વરસાદ
ગ્રામીણ વિસ્તારોમાં ગામની સ્વચ્છતા માટે વ્યક્તિ દીઠ માસિક રૂ.૪ની ફાળવણી વધારીને બે ગણી રૂ.૮ કરવામાં આવશે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
gandhinagar govt gujarat જાણવા જેવું
ગુજરાતનું સહકારી મૉડલ બન્યું મહિલા સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ, મહિલા દૂધ મંડળીઓમાં 21%નો વધારો, આવક ₹9000 કરોડને પાર
ahmedabad coopretive gandhinagar govt gujarat
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?