By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: હેલ્થ ટિપ્સ : સફેદ બ્રેડનું દરરોજ નાસ્તામાં સેવન કરવું જાણો કેટલું હાનીકારક
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > લાઈફ સ્ટાઇલ > હેલ્થ > હેલ્થ ટિપ્સ : સફેદ બ્રેડનું દરરોજ નાસ્તામાં સેવન કરવું જાણો કેટલું હાનીકારક
હેલ્થ

હેલ્થ ટિપ્સ : સફેદ બ્રેડનું દરરોજ નાસ્તામાં સેવન કરવું જાણો કેટલું હાનીકારક

Web Editor Panchat
Last updated: March 14, 2022 1:17 pm
Web Editor Panchat Published March 14, 2022
Share
SHARE

શરીરના સારા સ્વાસ્થ્ય અને પોષણ માટે સવારનો નાસ્તો સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ફળ, દૂધ, ઇંડાની સાથે બ્રેડ પણ મોટાભાગના લોકો માટે સૌથી સરળ વિકલ્પ રહે છે. ચોક્કસ તમે પણ નાસ્તામાં બ્રેડ ખાતા જ હશો, પણ કઈ? સામાન્ય રીતે, આપણે બધા સફેદ બ્રેડનું સેવન વધુ કરીએ છીએ. ઘણા લોકો તેને માખણની સાથે ખાતા હોય છે, તો કેટલાક આમલેટની સાથે પણ તેનું સેવન કરે છે. પરંતુ સાવધાન, સ્વાસ્થ્ય નિષ્ણાતો સફેદ બ્રેડને સ્વાસ્થ્ય માટે હાનિકારક માને છે. સફેદ બ્રેડનું સતત સેવન કરવાથી તમારી સમસ્યાઓ વધી શકે છે.

 

 

હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે, બ્રેડને બનાવવા માટે તેમાં મુખ્યત્વે મેદાનો ઉપયોગ થાય છે, તેથી તેના વધુ પડતા સેવનથી પેટની અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે. આ સિવાય સફેદ બ્રેડ પોષણની દ્રષ્ટિએ પણ સારી માનવામાં આવતી નથી. તેમાં કાર્બોહાઈડ્રેટની માત્રા પણ વધુ હોય છે, જેનું વધુ સેવન કરવાથી શરીર પર ઘણી હાનિકારક અસરો થઈ શકે છે. ચાલો જાણીએ નિષ્ણાંતો બ્રેડના સેવનથી બચવાની સલાહ કેમ આપે છે.

વધારી શકે છે બ્લડ સુગર લેવલ

આરોગ્ય નિષ્ણાતો સૂચવે છે કે સફેદ બ્રેડનું વધુ પડતું સેવન ડાયાબિટીસનું જોખમ વધારી શકે છે. સફેદ બ્રેડ ઝડપથી પચી જાય છે જેનાથી તે ઝડપથી ગ્લુકોઝમાં રૂપાંતરિત થાય છે અને લોહીમાં શર્કરાના સ્તરમાં વધારો કરી શકે છે. આ સિવાય આ પ્રકારના મેદામાંથી બનેલી બ્રેડમાં કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ પણ વધુ હોવાથી ખાંડનું સ્તર ઝડપથી વધે છે. ડાયાબિટીસના દર્દીઓએ સફેદને બદલે બ્રાઉન અથવા ગ્રેન બ્રેડનું સેવન કરવું જોઈએ.

બ્રેડના સેવનથી વધી શકે છે વજન

બ્લડ શુગર લેવલ વધારવાની સાથે-સાથે સફેદ બ્રેડના વધુ પડતા સેવનથી વજન વધવાનું જોખમ પણ વધી જાય છે. કારણ કે આ પ્રકારની બ્રેડમાં શુદ્ધ કાર્બોહાઇડ્રેટ્સની વધુ માત્રા હોય છે જે શરીરમાં ચરબી તરીકે સંગ્રહિત થાય છે. આ સિવાય સફેદ બ્રેડ ઝડપથી પચી જાય છે, જેનાથી તમારી ભૂખ જીવંત રહે છે અને વધુ ખાવાની ઈચ્છા થાય છે. આ બંને સ્થિતિઓ શરીરમાં કેલરીની માત્રામાં વધારો કરે છે, જેના પરિણામે વજન વધી શકે છે. આરોગ્ય નિષ્ણાતો વધુ પડતા વજનને ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ માને છે.

માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર

અભ્યાસો સૂચવે છે કે, જેઓ વધુ શુદ્ધ કાર્બોહાઇડ્રેટ્સ, જેમ કે સફેદ બ્રેડનું સેવન કરે છે તેમનામાં ડિપ્રેશનનું જોખમ પણ વધુ હોઈ શકે છે. તે તમારા મૂડ પર પણ નકારાત્મક અસર કરી શકે છે. અમેરિકન જર્નલ ઑફ ક્લિનિકલ ન્યુટ્રિશનમાં જૂન 2015માં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ રિફાઇન્ડ કાર્બોહાઇડ્રેટ્સ અને પોસ્ટ-મેનોપોઝલ સ્ત્રીઓમાં ડિપ્રેશનના જોખમ વચ્ચેની કડી શોધી કાઢી હતી. વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે જે લોકો શુદ્ધ કાર્બોહાઇડ્રેટવાળી વધુ વસ્તુઓનું સેવન કરે છે તેઓમાં થાક, ચિંતા અને ડિપ્રેશન જેવી સમસ્યાઓ પણ વધુ જોવા મળે છે. આથી તંદુરસ્ત આહાર તરીકે, નિષ્ણાતો તમામ લોકોને સફેદ બ્રેડને બદલે બ્રાઉન બ્રેડ પસંદ કરવાની સલાહ આપે છે.

You Might Also Like

H1N1 અને H3N2 સીઝનલ ફ્લુની તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા રાજ્ય સરકાર સજ્જ – આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ

આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

૧૦૮ સિટીઝન મોબાઈલ એપ્લીકેશનની શું છે વિશેષતાઓ

ક્વોલિટી કેર ફોર એવરી ચાઈલ્ડ-એવરીવેર’ની આ કોન્ફરન્સની વિષયવસ્તુને ગુજરાતે બાળકોના હોલિસ્ટિક હેલ્થકેર એપ્રોચથી સાકાર કરી છેઃ ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી

પ્રાદેશિક તાલીમ કેંદ્ર (સ્પીપા), મહેસાણા ખાતે મેડીકલ કેમ્પ નું કરાયું આયોજન

TAGGED:DISVANTAGIESEHITEBREADGOODhelth
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે
કૃષિ વિશ્વ ગાંધીનગર ગુજરાત
શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર
અમદાવાદ ગુજરાત
કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !
અમદાવાદ કોંગેસ ગુજરાત રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?