By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: દિલ્હીમાં વકીલોની માંગ હતી કે તેમની ચેમ્બરની વીજળી ફ્રી કરવામાં આવે, અમે વકીલોની ચેમ્બરની વીજળી ફ્રી કરી છેઃ અરવિંદ કેજરીવાલ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > દિલ્હીમાં વકીલોની માંગ હતી કે તેમની ચેમ્બરની વીજળી ફ્રી કરવામાં આવે, અમે વકીલોની ચેમ્બરની વીજળી ફ્રી કરી છેઃ અરવિંદ કેજરીવાલ
અમદાવાદગુજરાતરાજકારણ

દિલ્હીમાં વકીલોની માંગ હતી કે તેમની ચેમ્બરની વીજળી ફ્રી કરવામાં આવે, અમે વકીલોની ચેમ્બરની વીજળી ફ્રી કરી છેઃ અરવિંદ કેજરીવાલ

Web Editor Panchat
Last updated: September 12, 2022 10:34 pm
Web Editor Panchat Published September 12, 2022
Share
SHARE

આપ’ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીએ અમદાવાદમાં વકીલો સાથે સંવાદ કર્યો.

વકીલોની સુરક્ષા માટે નવો કાયદો લાવવામાં આવશે અને નવી સિસ્ટમ બનાવવામાં આવશેઃ અરવિંદ કેજરીવાલ

દિલ્હીમાં વકીલોની માંગ હતી કે તેમની ચેમ્બરની વીજળી ફ્રી કરવામાં આવે, અમે વકીલોની ચેમ્બરની વીજળી ફ્રી કરી છેઃ અરવિંદ કેજરીવાલ

નવા વકીલ ને રૂ. 5000 મળવા જોઇએ, કેરળમાં આ મળે છે. હું કેરળની આ યોજનાનો અભ્યાસ કરીશ, તે પછી હું તમને ખાતરી આપીશ કે એનાથી વધું સારી યોજના અહીં લાગુ કરીશું: અરવિંદ કેજરીવાલ

ઘણા લોકોની માંગ છે, તેથી અમે ચોક્કસપણે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરીશું: અરવિંદ કેજરીવાલ

વકીલો ખૂબ શક્તિશાળી હોય છે, જો બધા વકીલો એકજૂટ થઇ જાય અને નક્કી કરી લે તો તેઓ કોઈપણ પાર્ટીને જીતાડી શકે છે અને કોઈપણ પાર્ટીને હરાવી શકે છે, આ હું મારા અનુભવથી કહી રહ્યો છું: અરવિંદ કેજરીવાલ

એક સમય હતો જ્યારે 70% થી 80% વકીલો ભાજપના વફાદાર હતા, આજે 70% થી 80% વકીલો કેજરીવાલની સાથે છે, તેઓ અમને પ્રેમ કરે છે કારણ કે અમે તેમની સંભાળ રાખીએ છીએ: અરવિંદ કેજરીવાલ

હું જે કહું છું તે 5 વર્ષમાં નહીં કરું તો મને કાઢી મુકજો, મને બીજી વખત ગુજરાતમાં ઘુસવા ન દેતા – અરવિંદ કેજરીવાલ

આઝાદીને 75 વર્ષ થઈ ગયા છે, પરંતુ હજુ પણ આપણે પાછળ રહી ગયા છીએ, એક જ વસ્તુ એવી છે કે જો અત્યારે લાવવામાં આવે તો ભારત ને ગરીબીમાંથી બહાર કાઢી શકાય, તે છે ભારતના બાળકોને સારું શિક્ષણ આપવું: અરવિંદ કેજરીવાલ

ગુજરાતની તમામ પ્રાઇવેટ શાળાઓનું ઓડિટ કરવામાં આવશે અને સરકારી શાળાઓને એટલી શાનદાર બનાવવામાં આવશે કે પ્રાઇવેટ શાળાના બાળકો પણ સરકારી શાળાઓમાં પ્રવેશ લેશે: અરવિંદ કેજરીવાલ

સારું શિક્ષણ આપવું એ મફત રેવડીનું વિતરણ નથી, એ રાષ્ટ્ર નિર્માણનું કાર્ય છે: અરવિંદ કેજરીવાલ

આપણો દેશ સર્વશ્રેષ્ઠ, વિશ્વ ગુરુ અને નંબર વન ત્યારે બનશે જ્યારે આપણે દેશનાં દરેક બાળકને શ્રેષ્ઠ શિક્ષણ આપીશું – અરવિંદ કેજરીવાલ

જ્યારે 10,000 કમાનારનું બાળક IITમાંથી પાસ આઉટ થશે, તો તેની માસિક આવક 3-4 લાખ થશે, અને તે પરિવારની ગરીબી દૂર થશે: અરવિંદ કેજરીવાલ

દિલ્હીમાં તમામ સારવાર મફત કરવામાં આપવામાં આવી છે, સરકારી હોસ્પિટલોને પ્રાઇવેટ હોસ્પિટલો કરતા વધુ સારી બનાવવામાં આવી છે, મને લાગે છે કે આ સરકારની જવાબદારી છે, તેને મફતની રેવડી ન કહેવાય: અરવિંદ કેજરીવાલ

દુનિયામાં એવા 37 દેશો છે જ્યાં દરેક બાળકને મફતમાં શિક્ષણ મળે છે, તેઓ સમૃદ્ધ દેશ હોવાથી મફતમાં શિક્ષણ આપતા નથી, પરંતુ તેઓ એટલા માટે સમૃદ્ધ છે કારણ કે તે દેશો તેમના બાળકોને મફત શિક્ષણ આપે છે: અરવિંદ કેજરીવાલ

અમે ભ્રષ્ટાચાર સહન કરતા નથી, જો અમારા જ લોકોએ ભ્રષ્ટાચાર કર્યો હોત તો અમે તેમને જેલમાં મોકલી દીધા હોતઃ અરવિંદ કેજરીવાલ

 

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી ફરી એકવાર ગુજરાતની જનતાને વધુ એક ગેરંટી આપવા ગુજરાત આવ્યા છે. અરવિંદ કેજરીવાલજી સાંજે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. એરપોર્ટ પર આમ આદમી પાર્ટીના નેશનલ જોઇન્ટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા સહિત ઘણાં બધાં કાર્યકરોએ અરવિંદ કેજરીવાલજી નું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. બીજા દિવસે 12 સપ્ટેમ્બરે અરવિંદ કેજરીવાલજી એ ઓટો રિક્ષા ચાલકો સાથે સંવાદ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને તેમને ખાતરી આપી હતી કે જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો તેમની તમામ સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવશે. આ બાદ અરવિંદ કેજરીવાલજી વેપારીઓ સાથે જાહેર સંવાદ કરવા પહોંચ્યા. અરવિંદ કેજરીવાલજીએ વેપારીઓ સાથે વાતચીત કરી, તેમના પ્રશ્નો સાંભળ્યા અને તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવવાનું વચન આપ્યું. આ પછી અરવિંદ કેજરીવાલજી અમદાવાદમાં વકીલો સાથેના સંવાદ કરવા પહોંચ્યા.

વકીલો ખૂબ શક્તિશાળી હોય છે, જો બધા વકીલો એકજૂટ થઇ જાય અને નક્કી કરી લે તો તેઓ કોઈપણ પાર્ટીને જીતાડી શકે છે અને કોઈપણ પાર્ટીને હરાવી શકે છે, આ હું મારા અનુભવથી કહી રહ્યો છું: અરવિંદ કેજરીવાલ

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીએ અમદાવાદમાં વકીલોને સંબોધતા કહ્યું હતું કે વકીલો ખૂબ શક્તિશાળી છે. જો બધા વકીલો એકજૂટ થઈ જાય અને નક્કી કરી લે તો તેઓ કોઈપણ પાર્ટીને જીતાડી શકે છે અને કોઈ પણ પાર્ટીને હરાવી શકે છે, આ હું મારા પોતાના અનુભવ પરથી કહી રહ્યો છું. જ્યારે હું દિલ્હીમાં પહેલી ચૂંટણી લડ્યો હતો, ત્યારે ભાજપે કિરણ બેદીજીને સીએમ પદના ઉમેદવાર જાહેર કર્યા હતા. કિરણ બેદીજીએ એકવાર વકીલોના પ્રોટેસ્ટ પર લાઠીચાર્જ કર્યો હતો. એટલા માટે તમામ વકીલોએ તેમની ટીમ બનાવી, મારી પાસે આવ્યા અને મને કહ્યું કે અમે તમને સમર્થન આપીશું અને તેમને હરાવીશું. વકીલોએ પોતે ડોર ટુ ડોર કૈંપેન દ્વારા ઘરે-ઘરે જઇને અમારા માટે પ્રચાર કર્યો હતો અને અમને જીતાડ્યા હતા. કિરણ બેદીજીનું આટલું મોટું નામ હતું, છતાં તે અમારા જેવા નાના નેતા સામે હારી ગયા. તેવી જ રીતે ગુજરાતમાં તમામ વકીલો ભેગા થાય તો ગુજરાતમાં ભાજપના 27 વર્ષના શાસનનો પણ અંત આવી શકે છે અને ઈમાનદાર આમ આદમી પાર્ટીની સરકાર બની શકે છે.

વકીલોની સુરક્ષા માટે નવો કાયદો લાવવામાં આવશે અને નવી સિસ્ટમ બનાવવામાં આવશેઃ અરવિંદ કેજરીવાલ

દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર આવ્યા પછી અમે વકીલો સાથે શ્રેણીબદ્ધ બેઠકો કરી. દિલ્હીમાં વકીલો માંગ કરી રહ્યા હતા કે તેમની ચેમ્બરની વીજળી મફત કરવામાં આવે. અમે વકીલોની ચેમ્બરની વીજળી મફત કરી. બીજી તેમની બે માંગણીઓ હતી, એક જીવન વીમો અને બીજો આરોગ્ય વીમો. આ માટે, અમે ખૂબ જ ઉદાર નીતિ બનાવી હતી, વકીલો માટે અમે ₹ 10,00,000 નો જીવન વીમો કરાવ્યો હતો. ઘણા લોકોની માંગ છે, તેથી અમે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરીશું. હું માનું છું કે માત્ર કાયદાનો અમલ કરવાથી કંઈ નહીં થાય, પોલીસ તંત્ર સાથે મળીને તે કાયદાનો અમલ કરવો પડશે. વકીલો અને ડોક્ટરો પર આટલા હુમલાઓ થઈ રહ્યા છે તે દુર્ભાગ્યપૂર્ણ છે, આ બંધ થવું જોઈએ. તેથી એડવોકેટના રક્ષણ માટે નવો કાયદો લાવવામાં આવશે અને નવી વ્યવસ્થા બનાવવામાં આવશે.

નવા વકીલ ને રૂ. 5000 મળવા જોઇએ, કેરળમાં આ મળે છે. હું કેરળની આ યોજનાનો અભ્યાસ કરીશ, તે પછી હું તમને ખાતરી આપીશ કે એનાથી વધું સારી યોજના અહીં લાગુ કરીશું: અરવિંદ કેજરીવાલ

એક વ્યક્તિએ કહ્યું કે, નવા વકીલ ને રૂ. 5000 મળવા જોઇએ, કેરળમાં આ મળે છે. હું કેરળની આ યોજનાનો અભ્યાસ કરીશ, તે પછી હું તમને ખાતરી આપીશ કે એનાથી વધું સારી યોજના અહીં લાગુ કરીશું. અન્ય એક વ્યક્તિએ માંગણી કરી હતી કે ચેમ્બરની અછત છે, વધુ ચેમ્બર બનાવવી જોઈએ, ઘણા વકીલો બહાર બેસે છે. તેમના માટે ચેમ્બર પણ બનાવવામાં આવશે. અન્ય એક વ્યક્તિની માંગ હતી કે, 169 એડવોકેટનો કેસ અટવાયેલો છે, અમારી સરકાર બનશે તો અમે તમારા પક્ષમાં નિર્ણય કરીશું. એક મહિલાએ કહ્યું કે, જો મહિલાઓ તેમના બાળકોને ઘરે મુકીને આવે છે તો તેમના માટે સુવિધાઓ ઉભી કરવી જોઈએ. હું તમને ખાતરી આપું છું કે અમે તમને ગમશે તેવી સુવિધા આપીશું. એકથી એક એવી માંગણી આવી છે કે 10 વર્ષ પુરા થવા પર ઓટોમેટીક નોટરી આપી દેવી જોઇએ. તે પણ કરવામાં આવશે.

આઝાદીને 75 વર્ષ થઈ ગયા છે, પરંતુ હજુ પણ આપણે પાછળ રહી ગયા છીએ, એક જ વસ્તુ એવી છે કે જો અત્યારે લાવવામાં આવે તો ભારત ને ગરીબીમાંથી બહાર કાઢી શકાય, તે છે ભારતના બાળકોને સારું શિક્ષણ આપવું: અરવિંદ કેજરીવાલ

આઝાદીના 75 વર્ષમાં ઘણા દેશો આપણાથી આગળ નીકળી ગયા છે, આપણે પાછળ કેમ રહી ગયા? જ્યારે ભગવાને બ્રહ્માંડની રચના કરી, ત્યારે તેમણે ભારતમાં સૌથી વધુ મહેનતુ લોકો બનાવ્યા. ભારતીય સૌથી બુદ્ધિશાળી છે. જો તમે આખી દુનિયામાં નજર નાખો તો તમને બધી મલ્ટીનેશનલ કંપનીઓમાં ટોપ નંબર વન ટુ થ્રીમાં ક્યાંક ને ક્યાંક એક ભારતીય બેઠેલો જોવા મળશે, પરંતુ તેમ છતાં આપણે કેમ પાછળ રહી ગયા? જ્યારે ભગવાને બ્રહ્માંડની રચના કરી, ત્યારે તેમણે ભારતને સૌથી સુંદર સ્થળ, સોનાનું પક્ષી, પર્વતો આપ્યા, નદીઓ આપી, ઔષધિઓ આપી, તમામ પાકો આપ્યા, તમામ ખનીજો આપ્યા અને સમુદ્ર આપ્યા, છતાં આપણે કેમ પાછળ રહી ગયા છીએ? આપણા પછી ઘણા દેશો આઝાદ થયા પણ તેઓ પણ આપણાથી આગળ નિકળી ગયા. સિંગાપોર આપણા 15 વર્ષ પછી આઝાદ થયું હતુ,તે છતાં તે આપણાથી આગળ નીકળી ગયું છે. બીજા વિશ્વયુદ્ધમાં જાપાન બરબાદ થઈ ગયું હતું, છતાં તે આપણાથી આગળ નીકળી ગયું. આપણે કેમ પાછળ રહી ગયા? કરવા માટે હજું ઘણું બધું છે. આઝાદીને 75 વર્ષ થઈ ગયા છે, પરંતુ હજુ પણ આપણે પાછળ રહી ગયા છીએ, એક જ વસ્તુ એવી છે કે જો અત્યારે લાવવામાં આવે તો ભારત ને ગરીબીમાંથી બહાર કાઢી શકાય, તે છે ભારતના બાળકોને સારું શિક્ષણ આપવું.

સારું શિક્ષણ આપવું એ મફત રેવડીનું વિતરણ નથી, એ રાષ્ટ્ર નિર્માણનું કાર્ય છે: અરવિંદ કેજરીવાલ

આજે જ્યારે હું મફત શિક્ષણ આપવાની વાત કરું છું ત્યારે તેઓ મારી મજાક ઉડાવે છે અને કહે છે કે અરવિંદ કેજરીવાલ મફતની રેવડી વહેંચી રહ્યા છે. સારું શિક્ષણ આપવું એ મફત રેવડીનું વિતરણ નથી, એ રાષ્ટ્ર નિર્માણનું કાર્ય છે. જ્યારે દિલ્હીમાં અમારી સરકાર બની ત્યારે દિલ્હીની સરકારી શાળાઓની હાલત ખૂબ જ ખરાબ હતી. આજે એ જ સરકારી શાળાઓને ખાનગી શાળા કરતા પણ વધારે સારી બનાવી છે. ગત વર્ષે 4,00,000 બાળકો એ પોતાના નામ પ્રાઇવેટ શાળાઓમાંથી નિકાળીને સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે, આ કોઈ ચમત્કારથી ઓછું નથી. દિલ્હીમાં જ્યારે હું એક સરકારી શાળાના વર્ગમાં ગયો અને એક બાળકને પૂછ્યું કે, તમે કઈ શાળામાંથી આવ્યા છો, તો તેણે કહ્યું હતુ કે, સેન્ટ કોલંબસમાંથી. સેન્ટ કોલંબસ એ દિલ્હીની જાણીતી પ્રાઇવેટ શાળા છે અને ત્યાં એડમિશન લેવા માટે લાંબી લાઇનો લાગે છે. સેન્ટ કોલંબસ જેવી શાળામાંથી નામ કઢાવીને લોકો દિલ્હીની સરકારી શાળામાં એડમિશન મેળવી રહ્યા છે તો આનાથી મોટું પ્રમાણપત્ર શું હોઈ શકે.

જ્યારે 10,000 કમાનારનું બાળક IITમાંથી પાસ આઉટ થશે, તો તેની માસિક આવક 3-4 લાખ થશે, અને તે પરિવારની ગરીબી દૂર થશે: અરવિંદ કેજરીવાલ

ગયા વર્ષે, દિલ્હીની સરકારી શાળાઓનું બોર્ડ પરિણામ 99.7% આવ્યું હતું. હવે જે બાળકો દિલ્હીની સરકારી શાળાઓમાંથી બહાર આવી રહ્યા છે, તેઓ IIT જેવી જગ્યાએ એડમિશન લઈ રહ્યા છે, કેટલાક બાળકો મોટી મેડિકલ કોલેજોમાં એડમિશન લઈ રહ્યા છે. દિલ્હીમાં એક રિક્ષાચાલકનો બાળક IIT ભણવા જઈ રહ્યો છે, જ્યારે પ્લમ્બરનો દીકરો પણ કેમિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા IIT જઈ રહ્યો છે. આ વર્ષે 450 બાળકોને આઈઆઈટીમાં પ્રવેશ મળ્યો છે. 425-450 જેટલા બાળકોને NEET પાસ કર્યા બાદ મેડિકલમાં ગયા છે. જ્યારે 10,000 કમાનારનું બાળક IITમાંથી પાસ આઉટ થશે તો તેની માસિક આવક 3-4 લાખ થશે. ત્યારે તે પરિવારની ગરીબી દૂર થશે અને આ રીતે તમામ બાળકોને સારું શિક્ષણ આપીશું તો દરેકની ગરીબી દૂર થઈ શકશે. આ રીતે એક પેઢીને સારું શિક્ષણ આપીને આપણે આવનારા 5-10 વર્ષમાં ગરીબી દૂર કરી શકીએ છીએ.

આપણો દેશ સર્વશ્રેષ્ઠ, વિશ્વ ગુરુ અને નંબર વન ત્યારે બનશે જ્યારે આપણે દેશનાં દરેક બાળકને શ્રેષ્ઠ શિક્ષણ આપીશું – અરવિંદ કેજરીવાલ

આપણા દેશમાં 18 કરોડથી વધુ બાળકો સરકારી શાળાઓમાં અભ્યાસ કરે છે અને આજે દેશમાં એક એવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે જે ખૂબ જ ખતરનાક છે અને ટ્રેન્ડ એવો છે કે એક પછી એક સરકારી શાળાઓ બંધ થઈ રહી છે. સરકારી શાળા બંધ થશે તો ગરીબનું બાળક કેવી રીતે ભણશે? આ લોકો ખૂબ જ દયનીય સ્થિતિમાં જીવે છે અને તેમના બાળકોને સરકારી શાળાઓમાં ભણાવવા મજબૂર છે. સરકારી શાળાઓ બંધ થશે તો 18 કરોડ બાળકો કેવી રીતે ભણશે? તો પછી આપણો દેશ કેવો વિશ્વ ગુરુ અને કયો નંબર વન દેશ? જ્યારે આપણે આપણા દેશના દરેક બાળકને શ્રેષ્ઠ શિક્ષણ આપીશું ત્યારે આપણો દેશ વિશ્વનો શ્રેષ્ઠ શિક્ષક અને નંબર વન બનશે. અમે 5 વર્ષમાં સ્કૂલો ઠીક કરી છે અને જો દિલ્હીમાં આવું થઈ શકે તો આખા દેશની તમામ સ્કૂલો પણ 5 વર્ષમાં સારી થઈ શકે છે. અને જો ગુજરાતની જનતા અમને તક આપશે તો અમે ગુજરાતની શાળાઓને મહાન બનાવીશું.

ગુજરાતની તમામ પ્રાઇવેટ શાળાઓનું ઓડિટ કરવામાં આવશે અને સરકારી શાળાઓને એટલી શાનદાર બનાવવામાં આવશે કે પ્રાઇવેટ શાળાના બાળકો પણ સરકારી શાળાઓમાં પ્રવેશ લેશે: અરવિંદ કેજરીવાલ

હું જાણું છું કે અહીં હાજર તમામ વકીલોના બાળકો ખાનગી શાળાઓમાં ભણતા હોવા જોઈએ. તેથી હું કહેવા માંગુ છું કે અમારી સરકાર બન્યા પછી અમે ખાનગી શાળાઓને પણ સારી કરીશું. આપણે જાણીએ છીએ કે ખાનગી શાળાઓએ ઘણી ગુંડાગીરી કરી છે. અમે દિલ્લીમાં છેલ્લા 7 વર્ષમાં પ્રાઇવેટ શાળાઓને ફી વધારવાની મંજૂરી આપી નથી. અમારી સરકાર આવતાની સાથે જ અમે દિલ્હીની તમામ પ્રાઇવેટ શાળાઓનું ઓડિટ કરાવ્યું. ઓડિટમાં બહાર આવ્યું છે કે કેટલાક લોકો પાસે 50 કરોડ સુધીની FD છે. ગુજરાતમાં કદાચ આના કરતાં વધુ FD હશે. તેથી અમે દિલ્હીની તે શાળાઓની FD તોડી નાખી અને બાળકોની ફી પરત મળી. દેશમાં પહેલીવાર એવું બન્યું હશે કે ખાનગી શાળાઓએ બાળકોને ફી પરત કરી હોય. તે પછી અમે કાયદો બનાવ્યો કે સરકારની સંમતિ વિના કોઈ પણ પોતાની ફીમાં વધારો નહીં કરે. તેથી અમે ગુજરાતમાં પણ એવું જ કરીશું કે, અમે ખાનગી શાળાઓને ગેરવાજબી રીતે ફી વધારવા નહીં દઈએ અને તેનું ઓડિટ પણ કરાવીશું. બીજી વાતમાં, હું તમને ખાતરી આપું છું કે, 5 વર્ષમાં ગુજરાતની સરકારી શાળાઓ એટલી સારી કામગીરી કરશે કે અહીં બેઠેલા 70 થી 80% લોકો તેમના બાળકોના નામ પ્રાઇવેટ શાળાઓમાંથી નિકાળીને સરકારી શાળાઓમાં પ્રવેશ અપાવશે.

દિલ્હીમાં તમામ સારવાર મફત કરવામાં આપવામાં આવી છે, સરકારી હોસ્પિટલોને પ્રાઇવેટ હોસ્પિટલો કરતા વધુ સારી બનાવવામાં આવી છે, મને લાગે છે કે આ સરકારની જવાબદારી છે, તેને મફતની રેવડી ન કહેવાય: અરવિંદ કેજરીવાલ

બીજી મહત્વની બાબત આરોગ્ય છે. આજ સારી સારવાર લેવી ખૂબ મોંઘી થઈ ગઈ છે. નાની બીમારી હોય તો તમે ડોક્ટર પાસે જાવ,તો બિલ ત્રણ-ચાર હજારથી ઓછું આવતું નથી. જો કોઈ મોટી બીમારી હોય તો 8 થી 10 લાખનું બિલ આવે છે. માણસ લૂંટાઇ જાય છે, પગાર વધતો નથી. દિલ્હીમાં 2 કરોડ લોકો રહે છે, પછી તે ગરીબ હોય કે અમીર, અમે દરેકની સારવાર મફત કરી છે. ગલી-ગલીમાં મોહલ્લા ક્લિનિક્સ બનાવવામાં આવ્યા છે. દિલ્હીના પોશ વિસ્તાર ગ્રેટર કૈલાશમાં બે મોહલ્લા ક્લિનિક્સ છે. એક વાર ત્યાં સરપ્રાઈઝ વિઝીટ માટે ગયા અને જોયું કે ત્યાં ઘણી બધી સમૃદ્ધ પરિવારની સ્ત્રીઓ તેમની સારવાર કરાવી રહી હતી. તમામ દવાઓ, તમામ ટેસ્ટ, ઓપરેશન મફતમાં કરવામાં આવે છે. જો કોઈ મોટી બીમારી હોય તો 10, 20 કે 30 લાખનો ખર્ચ થાય છે, તે પણ દિલ્હી સરકાર આપે છે. સરકારી હોસ્પિટલોને પ્રાઇવેટ કરતા વધુ સારી બનાવવામાં આવી છે, મને લાગે છે કે તે સરકારની જવાબદારી છે, તેને મફતની રેવડી ન કહેવાય.

દુનિયામાં એવા 37 દેશો છે જ્યાં દરેક બાળકને મફતમાં શિક્ષણ મળે છે, તેઓ સમૃદ્ધ દેશ હોવાથી મફતમાં શિક્ષણ આપતા નથી, પરંતુ તેઓ એટલા માટે સમૃદ્ધ છે કારણ કે તે દેશો તેમના બાળકોને મફત શિક્ષણ આપે છે: અરવિંદ કેજરીવાલ

દુનિયામાં 37 દેશો એવા છે જ્યાં દરેક બાળકને મફત શિક્ષણ મળે છે. અમેરિકા, ઈંગ્લેન્ડ, જાપાનમાં મફત શિક્ષણ આપવામાં આવે છે. તેઓ સમૃદ્ધ દેશ હોવાથી તેઓ ત્યાં મફતમાં શિક્ષણ આપતા નથી, પરંતુ તેઓ સમૃદ્ધ છે કારણ કે તે દેશો તેમના બાળકોને મફત શિક્ષણ આપે છે. જો આપણે પણ આપણા બાળકોને મફત શિક્ષણ આપીશું તો આપણે ધનવાન બનીશું. એવા ઘણા દેશો છે જે તેમના નાગરિકોને મફત આરોગ્ય સેવાઓ પૂરી પાડે છે. દિલ્હીમાં આપી, ગુજરાતના સાડા-છ કરોડ લોકોને પણ આપવામાં આવશે. તમારા માટે સરકારી હોસ્પિટલો, ગામમાં-ગામમાં મહોલ્લા ક્લિનિક, શહેરમાં પણ વસાહતની અંદર મોહલ્લા ક્લિનિક્સ બનાવવામાં આવશે. તમે કહો છો કે એ પૈસા ક્યાંથી આવશે? પૈસાની કોઈ અછત નથી, પોતાના માટે કાર ખરીદવી હોય, બંગલો ખરીદવો હોય, વિમાન ખરીદવું હોય તો પૈસા જોઇએ, જનતા કંઈ પણ માંગી લે પરંતુ એમની પાસે પૈસો નથી.

અમે ભ્રષ્ટાચાર સહન કરતા નથી, જો અમારા જ લોકોએ ભ્રષ્ટાચાર કર્યો હોત તો અમે તેમને જેલમાં મોકલી દીધા હોતઃ અરવિંદ કેજરીવાલ

MLAએ ખરીદવા માટે તેમની પાસે ઘણા પૈસા છે. દિલ્હીમાં અમારી સરકારને તોડી પાડવાનો પ્રયાસ કરતાં અમારા 12 ધારાસભ્યોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. દરેકને 20 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. તેમનો ટાર્ગેટ 40 MLA હતો. તેમણે દિલ્હીમાં 800 કરોડની વ્યવસ્થા કરી રાખી હતી. આ પૈસા ક્યાંથી આવ્યા? કોના પૈસા છે? MLA ખરીદવાનો ધંધો અમારો નથી એટલે અમે તમારા માટે વીજળી મફત કરીએ છીએ, શિક્ષણ મફત કરીએ છીએ, હોસ્પિટલો પણ મફત કરીએ છીએ, દવાઓ મફત કરીએ છીએ. ભ્રષ્ટાચારનો અંત આવશે. આખા દેશમાં એક જ પાર્ટી છે જે કટ્ટર ઈમાનદાર પાર્ટી છે. પંજાબમાં અમારા એક મંત્રીનું રેકોર્ડિંગ સામે આવ્યું છે કે તે કોઈની પાસે પૈસા માંગી રહ્યો છે. ભગવંતમાને અમારા જ મંત્રીને સીધા જેલમાં મોકલી દીધા હતા. તેઓ ક્યારેય પોતાના લોકો પર કાર્યવાહી કરતા નથી, CBI, ED અન્ય લોકો પર કાર્યવાહી કરતા નથી. અમે ભ્રષ્ટાચાર સહન કરતા નથી, જો અમારા જ લોકોએ ભ્રષ્ટાચાર કર્યો હોત તો અમે તેમને જેલમાં મોકલી દીધા હોત.

હું જે કહું છું તે 5 વર્ષમાં નહીં કરું તો મને કાઢી મુકજો, મને બીજી વખત ગુજરાતમાં ઘુસવા ન દેતા – અરવિંદ કેજરીવાલ

આજે દિલ્હી અને પંજાબમાં સરકારી ઓફિસોમાં કોઈપણ કામ પૈસા વગર થાય છે. લાઇસન્સ કઢાવવા, વીજળીનું કનેક્શન લેવા, રેશનકાર્ડ લેવા, પાણીનું કનેક્શન લેવા, પેન્શન લેવા માટે, કોઈપણ કામ માટે લાંચ આપવાની જરૂર નથી, પૈસા વગર કામ થાય છે. ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપીશું, ઘણા પૈસાની બચત થશે. ગુજરાત પર 3.5 લાખ કરોડનું દેવું છે. પહેલા દિલ્હી પર પણ ઘણું દેવું હતું, આજે ગયા વર્ષનો CAG નો રિપોર્ટ આવ્યો છે, તેમાં લખ્યું છે કે દિલ્હીમાં એક રૂપિયાની પણ લોન નથી અને પોઝિટિવ બજેટ આવી રહ્યું છે. શિક્ષિત IIT એન્જિનિયરને મુખ્યમંત્રી બનાવવાનો આ ફાયદો છે. તમે તેમને 27 વર્ષ આપ્યા, તેઓ જે કરવા માગતા હતા તે કર્યું, આગામી 5 વર્ષમાં તેઓ જે કરી રહ્યા છે, તેઓ કંઈ નવું નહીં કરે. અમને પણ એક તક આપો, પરિવર્તન આવવું જ જોઈએ. જો હું જે કહું છું તે 5 વર્ષમાં નહીં કરું તો મને લાત મારીને કાઢી દેજો, મને બીજી વખત ગુજરાતમાં પ્રવેશવા ન દેતા. દિલ્હીમાં છેલ્લી 2020ની ચૂંટણીમાં મેં કહ્યું હતું કે જો મેં છેલ્લા 5 વર્ષમાં કામ કર્યું નથી, તો મને મત ન આપતા, આ કહેવા માટે કાળજું હોવું જોઇએ. આ લોકો 5 વર્ષ પછી આવે છે અને કહે છે કે એક તક આપો. દિલ્હીમાં તમારા જે પણ સગા-સંબંધીઓ અને મિત્રો રહેતા હોય તો એમને ફોન કરીને પૂછજો કે, શું કેજરીવાલ દિલ્હીમાં સારું કામ કરી રહ્યા છે? જો તે ના કહેતો હોય તો ગુજરાતમાં મને વોટ ન આપતા. દિલ્હીના લોકો અમારાથી ખુશ છે, અમને પ્રેમ કરે છે.

એક સમય હતો જ્યારે 70% થી 80% વકીલો ભાજપના વફાદાર હતા, આજે 70% થી 80% વકીલો કેજરીવાલની સાથે છે, તેઓ અમને પ્રેમ કરે છે કારણ કે અમે તેમની સંભાળ રાખીએ છીએ: અરવિંદ કેજરીવાલ

એક સમય હતો જ્યારે 70% થી 80% વકીલો ભાજપ ને વફાદાર હતા, આજે 70% થી 80% વકીલો કેજરીવાલ સાથે છે. તેઓ અમને પ્રેમ કરે છે કારણ કે અમે તેમની સંભાળ રાખીએ છીએ. આજની તારીખે જે સર્વે આવી રહ્યા છે તેમાં અમે બીજા નંબરે આવી ગયા છીએ. ચૂંટણી માટે 2 મહિના છે, અમે પ્રથમ આવીશું. પહેલા દિલ્હીએ રેકોર્ડ બનાવ્યો, 70માંથી 67 સીટો આવી, પછી પંજાબમાં 117માંથી 92 સીટો આવી, હવે આ બંનેનો રેકોર્ડ ગુજરાત તોડવા જઈ રહ્યું છે.

આ ટાઉનહોલ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીની સાથે ‘આપ’ના ગુજરાત પ્રદેશ ચૂંટણી પ્રભારી ગુલાબસિંહ યાદવ, ‘આપ’ના નેશનલ જોઇંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી, ‘આપ’ના નેશનલ જોઇંટ સેક્રેટરી ઈન્દ્રનીલ રાજગુરુ, ‘આપ’ના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા અને ‘આપ’ એડવોકેટ વિંગના પ્રદેશ પ્રમુખ પ્રણવ ઠક્કર હાજર રહ્યા હતા.

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:AAPadvocatearwind kejrivalfree educationgopal italianotryprivate school
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?