Connect with us

અમદાવાદ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણાદાયી ઉપસ્થિતીમાં આઇ-ક્રિયેટ અને CSIR વચ્ચે ગાંધીનગરમાં એમ.ઓ.યુ સંપન્ન

Published

on

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણાદાયી ઉપસ્થિતીમાં આઇ-ક્રિયેટ અને CSIR વચ્ચે ગાંધીનગરમાં એમ.ઓ.યુ સંપન્ન

ઝડપી આર્થિક વિકાસને પ્રોત્સાહન તથા વૈશ્વિક કક્ષાના સ્ટાર્ટઅપ્સનું નિર્માણ કરવામાં આ MoU મહત્વપૂર્ણ બનશે
…….
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને સ્ટાર્ટઅપ્સ-ઇન્કયુબેટર્સની શક્તિના સથવારે સાકાર કરવામાં ગુજરાતનું આગવું કદમ
………….
CSIR નવા સ્ટાર્ટઅપ્સને આર્થિક ટેકો આપવાની નવી રીતોમાં પણ સહયોગી બનશે

લો બોલો, કેન્દ્ર અને રાજ્ય વચ્ચે રેલવેના પ્રશ્નો ઉકેલવા માટે કોઇ વ્યવસ્થા જ નથી !


……………..
ગુજરાતની આઇ-ક્રિયેટ અને ભારત સરકારની કાઉન્સીલ ઓફ સાયન્ટીફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ CSIR વચ્ચે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે MoU સંપન્ન થયા છે
દેશમાં ઉદ્યોગ સાહસિકો અને સંશોધન કર્તા-રિસર્ચર્સ માટે આ MoU અંતર્ગત CSIR અને આઇ-ક્રિયેટ સંયુકત સંશાધનો ઉપલબ્ધ કરાવશે. આના પરિણામે દેશ અને રાજ્યમાં ઝડપી આર્થિક વિકાસ સાથે વૈશ્વિક કક્ષાના સ્ટાર્ટઅપ્સના નિર્માણમાં નવું બળ મળશે
એટલું જ નહિ, કુશળ અને આશાસ્પદ ટેક સ્ટાર્ટઅપ માટે કોલાબરેટિવ સપોર્ટ સિસ્ટમ સ્થાપિત થવાથી સાયન્ટિફિક ઇનોવેશન અને હાઇટેક સ્ટાર્ટઅપ્સની માર્કેટેબિલીટીને પણ પ્રોત્સાહન મળશે
આ MoUનું રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવકુમાર ગુપ્તા અને CSIRના ચીફ સાયન્ટીસ્ટ અને હેડ સેન્ટ્રલ પ્લાનિંગ ડિરેકટરેટ કે. વૈંકટેશસુબ્રહ્મણયન એ પરરસ્પર આદાન-પ્રદાન કર્યુ હતું

અમદાવાદના આઇપીએસ ઓફિસરની ગાય, રોજ 20 કીલો સફરજન ખાય


આ મહત્વપૂર્ણ MoU અન્વયે iCreate નિર્ધારિત CSIR લેબમાં નવા ઇન્ક્યુબેટર સ્થાપિત કરવામાં મદદ કરશે તથા આવા સ્ટાર્ટ-અપ્સ CSIRના સાધનો, સુવિધાઓ અને વૈજ્ઞાનિક માનવબળનો ઉપયોગ પણ કરી શકશે. CSIR ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી સપોર્ટ પૂરો પાડીને ઉભરતા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપવા માટે ભારતના નવીન સ્ટાર્ટ-અપ્સને આર્થિક ટેકો આપવા માટેની નવી પદ્ધતિઓનું અન્વેષણ કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશની યુવાશક્તિના સ્ટાર્ટઅપ્સ ઇનોવેશનને પ્રોત્સાહિત કરી ‘આત્મનિર્ભર ભારત’નો સંકલ્પ સાકાર કરવા કરેલા આહવાનમાં ગુજરાતે આ MoUથી આગવું કદમ ઉઠાવ્યું છે
iCreate તેના મજબૂત ઇન્ડસ્ટ્રી કનેક્શન્સ અને માર્કેટ લિંકેજ એટલે કે બજાર જોડાણોનો પણ ભરપૂર લાભ મેળવશે, જેથી વાસ્તવિક જરૂરિયાતો શોધી CSIRના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવતા સાયન્ટિફિક ઇનોવેશન્સ મારફતે પૂર્ણ કરી શકાશે. આમ, CSIR દ્વારા કરવામાં આવતા ઇનોવેશન્સનું ઝડપી કમર્શિયલાઇઝેશન એટલે કે વ્યાપારીકરણ થશે અને ગ્લોબલ માર્કેટ પણ મળતું થશે.

Advertisement

મુખ્યમંત્રી કાર્યાલયના કહેવા છતાં દોઢ કરોડનો તોડ કરનાર પોલીસ અધિકારી ઉપર કોનો હાથ !


iCreate અને CSIR ના એકસાથે આવવાથી બહુવિધ હિસ્સેદારો વચ્ચે નવી સિનર્જીના પરિણામે સ્ટાર્ટ-અપ્સ માટે નવી તકો ખુલવાની અપેક્ષા છે.
iCreate એ તમામ ક્ષેત્રોમાં નોંધપાત્ર સંખ્યામાં સ્ટાર્ટ-અપ્સને ઝડપથી વિકાસ કરવામાં અને ઉત્પાદનની માત્રા વધારવામાં મદદ કરી છે. હવે CSIR ના સહયોગથી, iCreate ભારતની મજબૂત ઇનોવેટિવ સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમમાં સહાયક બનશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સહભાગીતા યુવા સ્ટાર્ટઅપ્સ અને સમગ્ર સ્ટાર્ટઅપ-ઇનોવેશન-રિસર્ચ ઇકોસિસ્ટમ માટે મહત્વપૂર્ણ બનશે એવો વિશ્વાસ આ વેળાએ દર્શાવ્યો હતો
મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, આઇ-ક્રિયેટના સી.ઇ.ઓ શ્રી અનુપમ જલોટે તેમજ CSIRના વરિષ્ઠ અધિકારીઓ આ MoU વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

અમદાવાદ

ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

Published

on

 

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.

મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.

આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.

Advertisement

તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!

આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.

પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.

આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!

Advertisement
Continue Reading

અમદાવાદ

પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

Published

on

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .

આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો

Continue Reading

અમદાવાદ

આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

Published

on

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી

 

નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.

Advertisement

મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન

મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.

રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી

Advertisement

ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.

જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે

આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.

અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

Advertisement

આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

Continue Reading
Advertisement

Trending