By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: રાજ્‍યમાં દર ત્રણે એક વિદ્યાર્થી પ્રાથમિકથી માધ્‍યમિકમાં અને દર પાંચે એક વિદ્યાર્થી માધ્‍યમિકથી ઉચ્‍ચ શિક્ષણમાં પહોંચે છે : પરેશ ધાનાણી
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > રાજ્‍યમાં દર ત્રણે એક વિદ્યાર્થી પ્રાથમિકથી માધ્‍યમિકમાં અને દર પાંચે એક વિદ્યાર્થી માધ્‍યમિકથી ઉચ્‍ચ શિક્ષણમાં પહોંચે છે : પરેશ ધાનાણી
ગાંધીનગરગુજરાત

રાજ્‍યમાં દર ત્રણે એક વિદ્યાર્થી પ્રાથમિકથી માધ્‍યમિકમાં અને દર પાંચે એક વિદ્યાર્થી માધ્‍યમિકથી ઉચ્‍ચ શિક્ષણમાં પહોંચે છે : પરેશ ધાનાણી

Web Editor Panchat
Last updated: March 31, 2022 9:20 pm
Web Editor Panchat Published March 31, 2022
Share
SHARE

રાજ્‍યમાં દર ત્રણે એક વિદ્યાર્થી પ્રાથમિકથી માધ્‍યમિકમાં અને દર પાંચે એક વિદ્યાર્થી માધ્‍યમિકથી ઉચ્‍ચ શિક્ષણમાં પહોંચે છે : પરેશ ધાનાણી

ધન રોકવાની લાલચમાં જ્ઞાન આજે વિદેશ ભાગી રહ્‌યું છે.
કોંગ્રેસના શાસનમાં સરસ્‍વતીના મંદિરોમાં જ્ઞાનની પૂજા થતી હતી,
આજે ભાજપના રાજમાં જ્ઞાનનો વેપાર થાય છે.
ચોપડીયા જ્ઞાનથી આ દેશ કે રાજ્‍યનો વિકાસ નહી થાય.
રાજ્‍યમાં દર ત્રણે એક વિદ્યાર્થી પ્રાથમિકથી માધ્‍યમિકમાં અને દર પાંચે એક વિદ્યાર્થી માધ્‍યમિકથી ઉચ્‍ચ શિક્ષણમાં પહોંચે છે : પરેશ ધાનાણી

છ એપ્રિલ ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપનુ થઇ શકે છે શક્તિ પ્રદર્શન !

આજે વિધાનસભા ગૃહમાં રાજ્‍યના શિક્ષણમંત્રી દ્વારા લવાયેલ ગુજરાત ખાનગી યુનિવર્સિટી (સુધારા) વિધેયક-ર૦રરમાં વિચારો રજુ કરતા પૂર્વ વિપક્ષના નેતા અને અમરેલીના ધારાસભ્‍ય પરેશ ધાનાણીએ જણાવ્‍યું હતું કે, વર્ષ-ર૦૦૯માં આ મુળ બિલ વિધાનસભામાં પસાર થયું ત્‍યારે ખાનગી અને અર્ધ સરકારી સંસ્‍થાઓને ખાનગી યુવિનર્સિટીનો દરજજો આપવા માટે લવાયું હતું. વર્ષ-ર૦૦૯થી ર૦રર સુધીમાં ભાજપ સરકારે માત્ર ૧૪ વર્ષના ગાળામાં આજ વિધેયકમાં ૧૬ વખત સુધારા કરવા મજબુર શા માટે બનવું પડયું છે ? ૧૬મી વખતનો સુધારો ૧૧ જેટલી સંસ્‍થાઓને ખાનગી યુનિવર્સિટીનો દરજ્‍જો આપવા માટે સરકાર લાવી છે. દરેક સુધારામાં ખાનગી યુનિવર્સિટીનું નામ, સરનામું બદલવા કે નવી સંસ્‍થાને ખાનગી યુનિવર્સિટીનો દરજ્‍જો આપવા માટે વારંવાર આવા સુધારા કરવા પડે છે. આપણે કાયદા ઘડનારા છીએ. કાયદાનો અમલ કરાવવાની જવાબદારી વિભાગની હોય છે. આ કાર્યપાલિકાનું કામ વિધાનસભાએ હાથમાં લેવું ન જોઈએ. એક વખત મોટો સુધારો કરો તો વારંવાર સુધારા કરવાની જરૂર નહીં પડે. એક નીતિ નકકી કરીને કાયદો ઘડીએ, તેના ધારા-ધોરણો ઘડીએ અને તેનું પાલન કરવાની જવાબદારી કાર્યપાલિકાને સોંપી દઈએ તો સમગ્ર ગુજરાતમાં ધારા-ધોરણો અને કાયદાને પરિપૂર્ણ કરતી કોઈપણ સંસ્‍થાઓને યુનિવર્સિટીનો દરજ્‍જો મેળવવા મોકળું મેદાન મળશે.

આમ આદમી પાર્ટી બીજેપી અને કોગ્રેસને આપી શકે છે મોટો ઝટકો !

સત્તામાં બેઠેલાઓ દ્વારા વારંવાર કહેવામાં આવે છે કે ૬૦ વર્ષમાં કોંગ્રેસે કંઈ જ કર્યુ નથી. તેઓને આકરો જવાબ આપતાં શ્રી ધાનાણીએ જણાવ્‍યું હતું કે, ૧૯૬૦માં ગુજરાતનો પાયો નંખાયો ત્‍યારથી આજ સુધીમાં તમામ લોકો કોંગ્રેસે બનાવેલી શાળાઓમાં જ ભણ્‍યા છે. પૂર્વ પ્રધાનમંત્રી અટલજી, અડવાણીજી અને હાલના પ્રધાનમંત્રીએ પણ કોંગ્રેસે બનાવેલી શાળાઓમાં શિક્ષણ લીધું હશે તેમજ કેટલાય ઉદ્યોગપતિઓ, ડોકટરો, એન્‍જીનીયરો, વૈજ્ઞાનિકો વગેરે લોકોએ કોંગ્રેસના શાસનમાં બનેલી શાળામાં જ અભ્‍યાસ કર્યો હશે. કોંગ્રેસના શાસનમાં સરસ્‍વતીના મંદિરોમાં જ્ઞાનની પૂજા થતી હતી, આજે ભાજપના રાજમાં જ્ઞાનનો વેપાર થાય છે. આજે સમયની જરૂરિયાત પ્રમાણે સૌને સસ્‍તું, સરળતાથી અને સંસ્‍કારી શિક્ષણ મળવું જોઈએ. ગુણવત્તાયુકત શિક્ષણ મળે, જ્ઞાનવર્ધક શિક્ષણ મળે, ચોપડીયા જ્ઞાનથી દેશ કે રાજ્‍યનો વિકાસ નહીં થાય. રાજ્‍યની શાળા-કોલેજોમાં ફી નિયંત્રણ કાયદાથી યોગ્‍ય રીતે ફી નિયંત્રણ કરવામાં આવી હોત તો ગરીબ, પછાત, મજૂર, ખેડૂતના દીકરાઓ કે જેમની ફી ભરવાનો વેંત નથી એવા બાળકો વધુ અભ્‍યાસ કરી શકત, પરંતુ રાજ્‍યમાં અમુક ફી માફીયાઓને મોંઘી ફી વસુલવા મોકળું મેદાન મળી ગયું છે. રાજ્‍યમાં એફ.આર.સી. કાયદો લાગુ થયા પછી ૮પ% કરતા વધુ શાળા-કોલેજોમાં ફી વધારો કરી દેવાયો અને કરોડો રૂપિયાનું ભારણ લાખો ગરીબ અને મધ્‍યમવર્ગીય પરિવારો ઉપર પડયું. રાજ્‍યમાં શાળા-કોલેજોના અભાવે ગુજરાતનું ધન અન્‍ય રાજ્‍યોમાં જતું હતું, તેને રોકવા માટે ખાનગી શિક્ષણ સંસ્‍થાઓ ખોલવામાં આવી. સરકારે ધન રોકવાનો પ્રયાસ કર્યો પણ તે ધનને રોકવાના પ્રયાસમાં મુઠ્ઠીભર લોકોએ કમાણી કરવાના ઈરાદાથી એવી સ્‍થિતિ પેદા કરી કે, ધન રોકવાની લાલચમાં જ્ઞાન વિદેશગમન કરી ગયું.

 

છ એપ્રિલ ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપનુ થઇ શકે છે શક્તિ પ્રદર્શન !

પરેશ ધાનાણીએ જણાવ્‍યું હતું કે, રાજ્‍યમાં પ્રવેશોત્‍સવ, ગુણોત્‍સવ જેવા કાર્યક્રમો શરૂ કર્યા પરંતુ પ્રાથમિક, માધ્‍યમિક કે ઉચ્‍ચ શિક્ષણમાં સરેરાશ ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્‌યો છે. રાજ્‍યમાં ગત વર્ષે શાળા-કોલેજોમાં રપ% ફી માફી કરવાનો સરકાર દ્વારા ઠરાવ કરવામાં આવ્‍યો હતો તેવી જ રીતે ચાલુ વર્ષે પણ ૨૫% ફી માફ કરવા તત્‍કાલીન શિક્ષણ મંત્રીશ્રી જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ આ વર્ષે વિદ્યાર્થીઓને ફી માફીનો લાભ આપવામાં આવ્‍યો નથી. રાજ્‍યમાં ગરીબ અને મધ્‍યમવર્ગીય પરિવારો પાસે શાળા-કોલેજોની ફી ભરવા માટે સગવડ ન હોવાથી બાળકો શિક્ષણથી વંચિત રહે છે. રાજ્‍યમાં દર ૩ વિદ્યાર્થીએ ૧ વિદ્યાર્થી પ્રાથમિક શાળાથી માધ્‍યમિકમાં પહોંચી શકે છે, જ્‍યારે દર પ વિદ્યાર્થીએ ૧ વિદ્યાર્થી માધ્‍યમિકથી ઉચ્‍ચ અભ્‍યાસમાં પહોંચે છે. રાજ્‍યમાં સસ્‍તું અને સરળ શિક્ષણ મળે તેવી વ્‍યવસ્‍થા સરકારે ઉભી કરવી જોઈએ. ઉચ્‍ચ-તાંત્રિક-આરોગ્‍ય અને અન્‍ય કુશળ ક્ષેત્રના વિદ્યાર્થીઓને વિના વ્‍યાજે સરળતાથી ધિરાણ સરકારે ઉપલબ્‍ધ કરાવવું જોઈએ અને અભ્‍યાસ પૂર્ણ કર્યા બાદ પગાર/રોજગારની આવકમાંથી આ ધિરાણની સીધી વસુલાત કરવાની જોગવાઈ સરકારે કરવી જોઈએ.

 

ગુજરાતમાં હવે રાજનિતિક લડાઇ મરાઠા પાટીલ વર્સીસ ગુજરાતી પટેલ વચ્ચે બનવાના એંધાણ !

You Might Also Like

અર્બુદા સેનાના ઘોડાપુર ને જોઈ ને મહેસાણામાં પોલીસે પાછલા દરવાજે થી પૂર્વ ગૃહ પ્રધાન વિપુલ ચૌધરી ને કોર્ટ માં લઇ ગઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને અરવિંદ કેજરીવાલ કેવી રીતે આપશે ટક્કર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાપી-નર્મદા-સુરત જિલ્લામાં ₹ 2083 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે

સહકાર સમ્મેલનની તૈયારીઓ પુર્ણ- વડા પ્રધાન નરેન્દ્રમોદીની જોવાતી રાહ

હવામાન શાસ્ત્રીની ચૂંટણી પર લખી કવિતા

TAGGED:Congresseducationparesh dhananiprivate bill
Share This Article
Facebook Twitter Email Print

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત
ગાંધીનગર
મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે રાઉત
ઇન્ડિયા
પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયાના મત વિસ્તારમાં શિક્ષ્ણ ક્ષેત્રને બદનામ કરતી ઘટના
રાજકારણ
ગાંધીનગરના પરિવારને સાણંદ પાસે નડ્યો અકસ્માત, 3ના મોત
અમદાવાદ
ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો
ગાંધીનગર
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?