By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ગુજરાતમાં સેવા દિવસ તરીકે સમર્પિત
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ગુજરાતમાં સેવા દિવસ તરીકે સમર્પિત
ગાંધીનગરગુજરાતરાજકારણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ગુજરાતમાં સેવા દિવસ તરીકે સમર્પિત

Web Editor Panchat
Last updated: September 17, 2022 7:38 pm
Web Editor Panchat Published September 17, 2022
Share
SHARE

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ગુજરાતમાં સેવા દિવસ તરીકે સમર્પિત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યકક્ષાના અને મંત્રીશ્રીઓ-પદાધિકારીઓ જિલ્લા કક્ષાના વિવિધ સેવા કાર્યક્રમો-વિકાસ કામોમાં સહભાગી થયા

મહિલા સશક્તિકરણની વડાપ્રધાનશ્રીની પ્રતિબદ્ધતા ગુજરાતે સાકાર કરી
વડાપ્રધાનના જન્મદિને ૩૩ જિલ્લામાં ર૩ હજારથી વધુ સ્વસહાય જૂથોની અઢી લાખ જેટલી બહેનોને રૂ. ૩૦૬ કરોડની સહાયથી આત્મનિર્ભરતાનો રાહ મળ્યો
‘મિશન મિલીયન ટ્રીઝ’ અન્વયે અમદાવાદમાં ૧.૭૫ લાખ વૃક્ષોના વાવેતરનો પ્રારંભ
કલાયમેટ ચેન્જ સામે પંચામૃત જાગૃતિ પખવાડિયાનો રાજ્યવ્યાપી શુભારંભ
સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ-રિસર્ચ એન્ડ ઇનોવેશન ફેસ્ટિવલ-ર૮ દિવસમાં ૧૭પ કોલેજ-યુનિવર્સિટીઓના યુવા સ્ટાર્ટઅપના શોધ-સંશોધનને મળશે પ્લેટફોર્મ
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના ‘શોધ’ અને SSIP 2.0 અન્વયે કુલ રૂ. ૧૪ કરોડની સહાય વિતરણ
વિવિધ સંગઠનો દ્વારા રક્તદાન શિબિર સહિતના સેવાકીય કાર્યક્રમો રાજ્યભરમાં થયાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ ૧૭મી સપ્ટેમ્બરને તેમના વતન રાજ્ય ગુજરાતે અનેકવિધ સેવા કામો અને વિકાસ કાર્યોની શૃંખલાથી સેવા સમર્પિત દિવસ તરીકે મનાવ્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં મંત્રીમંડળના મંત્રીઓ, પદાધિકારીઓ, ધારાસભ્યો રાજ્યના ૩૩ જિલ્લાઓમાં આવા સેવા સમર્પિત કાર્યક્રમો દરમિયાન જનસમૂહના ઉલ્લાસ અને ઉમંગમાં સહભાગી થયા હતા.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મહિલા સશક્તિકરણથી નારીશક્તિના સામર્થ્યને વધુ ઊજાગર કરવાની નેમ રાખેલી છે. માતા-બહેનો આત્મનિર્ભર બને, સ્વાવલંબી બને એટલું જ નહિ ઘર પરિવારનો આર્થિક આધાર બને તેવા તેમના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાતે નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસે નક્કર કદમ ઉઠાવ્યું છે.
નાના વ્યવસાય, ગૃહ ઉદ્યોગ દ્વારા ઘર-પરિવારનું ગુજરાન ચલાવવામાં સહાયક થતી માતા-બહેનોના સ્વ-સહાય જૂથોને લોન સહાય આપવાનો ઉદાત્ત અભિગમ વડાપ્રધાનના જન્મદિને રાજ્ય સરકારે ચરિતાર્થ કર્યો છે.
દીનદયાળ ઉપાધ્યાય રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન તથા દીનદયાળ અંત્યોદય યોજના અન્વયે રાજ્યભરની ગ્રામીણ અને શહેરી વિસ્તારોની કુલ અઢી લાખથી વધુ માતા-બહેનોના ર૩,૮ર૯ સ્વસહાય જુથોને એકજ દિવસમાં ૩૦૬ કરોડ રૂપિયાની સહાય પહોંચાડવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આ સહાય વિતરણનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ અમદાવાદમાં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીના જન્મદિવસ અવસરે અમદાવાદ મહાનગરના કુલ ૫૦ કરોડ રૂપિયાના લોકાર્પણ -ખાતમુહૂર્તના કામોની ભેટ આપી હતી.
વડાપ્રધાન જલવાયુ પરિવર્તન ક્લાયમેટ ચેન્જ વિષયે સતત દેશવાસીઓને સજાગ રાખી આ સંકટથી ઉગારવાના ઉપાયો માટે વૈશ્વિકસ્તરે પણ સુઝાવ આપતા રહ્યા છે.
તેમના જન્મદિવસથી ગુજરાત સરકારના ક્લાઈમેટ ચેન્જ વિભાગે ક્લાઈમેટ ચેન્જ ક્ષેત્રે પંચામૃત યુવા જાગૃતિ અભિયાનની શરૂઆત કરી છે. એટલું જ નહીં, ઉદ્યોગ જગત દ્વારા કાર્બન ઉત્સર્જન ઘટાડવાની પહેલરૂપે રાજ્ય સરકાર અને ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે એમઓયુ પણ સંપન્ન થયા છે.
સાથોસાાથ કલાયમેટ ચેંજ વિષયે રિસર્ચ એન્ડ ઇનોવેશન પ્રોત્સાહન માટે રાજ્ય સરકારે એમ.એસ. યુનિવર્સિટી સાથે અને IITE દ્વારા શિક્ષકોને આ વિષયે અભ્યાસ તાલીમ માટે પણ MoU કરીને વડાપ્રધાનશ્રીના કલાયમેટ ચેંજ સાથે ‘કન્વીનઅન્ટ એકશન’માં સૂર પૂરાવ્યો છે.

 

અમદાવાદ મહાનગરપાલિકાએ વડાપ્રધાનના જન્મદિવસે સેવા સમર્પિત ભાવને સ્વાસ્થ્ય સાથે જોડીને શહેરમાં ઓક્સિજન પાર્કના નિર્માણનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ કરાવ્યો હતો. ‘મિશન મિલીયન ટ્રીઝ’ અન્વયે આવા ઓક્સિજન પાર્કમાં ૧ લાખ ૭પ હજાર વૃક્ષો વાવીને ગ્રીન-ક્લિન એન્વાયરમેન્ટની નરેન્દ્રભાઇ મોદીની નેમ પાર પાડવાનો સફળ આયામ હાથ ધરાવાનો છે.

યુવાશક્તિના પ્રેરણાસ્ત્રોત અને યુવાશક્તિના સ્કીલ ડેવલપમેન્ટથી નયા ભારતના નિર્માણના પ્રણેતા વડાપ્રધાનશ્રીના જન્મદિવસે રાજ્યમાં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ રિસર્ચ એન્ડ ઇનોવેશન ફેસ્ટીવલનો પણ પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો છે.
આગામી ૧પ ઓક્ટોબર-ર૦રર સુધી એટલે કે, ર૮ દિવસ આ ફેસ્ટીવલમાં રાજ્યભરની ૧૭પ કોલેજીસ અને વિવિધ યુનિવર્સિટીમાં યોજાશે તથા યુવા સ્ટાર્ટઅપના ઇનોવેશન એન્ડ રિસર્ચને પ્લેટફોર્મ પુરૂં પાડશે.
યુવાઓના સામર્થ્યને, તેમનામાં પડેલી શોધ-સંશોધન શક્તિને યોગ્ય તક આપી ઉચ્ચ અભ્યાસ માટે આર્થિક આધાર આપવાનો અભિગમ અપનાવ્યો છે.
આ અભિગમને વધુ વેગ આપવા ગુજરાતમાં વડાપ્રધાનશ્રીના જન્મદિવસે એકજ દિવસમાં ૧૪૧૯ હોનહાર યુવા વિદ્યાર્થીઓને કુલ રૂ. ૧૦.૧૧ કરોડની સહાય, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં આપવામાં આવી છે.
પી.એચ.ડી જેવા ઉચ્ચ સંશોધન અભ્યાસ કરતા ૯૩૦ છાત્રોને ‘શોધ’ અન્વયે કુલ રૂ. ૧.ઘ૯ કરોડ વડાપ્રધાનના જન્મદિવસે અપાયા છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇએ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપને પ્રોત્સાહિત કરવાનો જે અભિગમ અપનાવ્યો છે તેને ગુજરાતે SSIP 2.0 પોલિસીથી વધુ વેગવંતો કર્યો છે.
નરેન્દ્રભાઇના જન્મદિવસે ૧૭મી સપ્ટેમ્બર શનિવારે ર૦ જેટલી કોલેજ અને યુનિવર્સિટીઝને રૂ. ૩.૧ર કરોડની રકમ ફાળવવામાં આવી છે.
વડાપ્રધાનના પૈતૃક નગર વડનગરથી તેમની વૈશ્વિક નેતા સુધીની સફળ યાાત્રા તથા તેમના જીવન-કવન આધારિત ચિત્ર પ્રદર્શન પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદમાં ખૂલ્લું મુકવામાં આવ્યું હતું.
આ ઉપરાંત વિવિધ સ્વૈચ્છિક સેવા સંગઠનો, સમાજો દ્વારા રકતદાન શિબિર જેવા સેવાકીય કાર્યક્રમો દ્વારા પણ વડાપ્રધાનનો આ જન્મદિવસ સમગ્ર ગુજરાતમાં સેવા સમર્પિત દિવસ તરીકે જન ઉમંગ અને જનભાગીદારીથી ઉજવવામાં આવ્યો હતો.

You Might Also Like

1941 વર્સી 2025 નુ કલેન્ડર : 1941 જેવું જ છે 2025નું કેલેન્ડર : 84 વર્ષ પછી ફરી આવ્યુ શ્રાપિત વર્ષ? જાણો જ્યોતિષ અનિલ પટેલ શુ કહે છે

AI 171 વિમાનના પાઇલટ અને કો-પાઇલટના મૃતદેહનું પોસ્ટમોર્ટમ, એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના પ્રોટોકોલ મુજબ કરવામાં આવ્યું

શ્રમિકોનો ‘અંત’ સુધી સાથ નિભાવે છે ગુજરાત સરકારની અંત્યેષ્ટિ સહાય યોજના

અમદાવાદ વિમાન દુર્ઘટના – અત્યાર સુધીમાં કુલ ૨૦૮ મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા, જેમાંથી ૧૭૩ મૃતદેહ પરિવારજનોને સોંપાયા

અમદાવાદ પ્લેન દુર્ઘટના – સિવીલ હોસ્પિટલ તંત્ર અને રાજ્ય સરકાર આ કપરા સમયમાં દરેક પીડિત પરિવારની પડખે: પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ

Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

૧૯ જૂન – વિશ્વ સિકલ સેલ નાબૂદી દિવસ વહેલા નિદાન અને યોગ્ય સારવારથી સિકલ સેલ મુક્ત બનશે ગુજરાત
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત હેલ્થ
અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપતો રાજ્ય મંત્રીમંડળનો શોકદર્શક પ્રસ્તાવ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
મૃતકોનાં પરિવારજનોની વ્યવસ્થા સાચવવા માટે માર્ગ અને મકાન વિભાગ અહર્નિશ ખડેપગે
અમદાવાદ ગુજરાત
ગુજરાત યોગ બોર્ડના સફળ છ વર્ષ: 1.5 લાખ પ્રશિક્ષકોને તાલીમ, 5000થી વધુ દૈનિક સત્રો, 5 લાખથી વધુ નાગરિકો નિયમિત યોગાભ્યાસ કરતા થયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
સિવિલ હોસ્પિટલમાં પાર્થિવ દેહના પોસ્ટમોર્ટમ, ફોરેન્સિક તપાસ અને સ્ટોરેજની અત્યાધુનિક સુવિધા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?