By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાનાં પિતાએ દીકરાની હત્યા બાદ પંજાબનાં મુખ્યમંત્રીને લખ્યો પત્ર, NIA અને CBI તપાસની કરી માંગ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ઇન્ડિયા > પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાનાં પિતાએ દીકરાની હત્યા બાદ પંજાબનાં મુખ્યમંત્રીને લખ્યો પત્ર, NIA અને CBI તપાસની કરી માંગ
ઇન્ડિયાકાયદોક્રાઈમ

પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાનાં પિતાએ દીકરાની હત્યા બાદ પંજાબનાં મુખ્યમંત્રીને લખ્યો પત્ર, NIA અને CBI તપાસની કરી માંગ

Web Editor Panchat
Last updated: March 16, 2025 11:36 pm
Web Editor Panchat Published May 30, 2022
Share
SHARE

પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાનાં પિતાએ દીકરાની હત્યા બાદ પંજાબનાં મુખ્યમંત્રીને લખ્યો પત્ર, NIA અને CBI તપાસની કરી માંગ

પંજાબી ગાયક સિદ્ધૂ મૂસેવાલાની હત્યા, સરકારે એક દિવસ પહેલા જ પાછી ખેંચી હતી સુરક્ષા

– સિદ્ધૂ પોતાના 2 કમાન્ડો અને પોતાની બુલેટપ્રૂફ ગાડી લીધા વગર જ બહાર નીકળ્યા હતા

પંજાબના લોકપ્રિય અને પ્રસિદ્ધ ગાયક તથા કોંગ્રેસી નેતા સિદ્ધૂ મૂસેવાલાની રવિવારના રોજ હત્યા કરવામાં આવી હતી. માનસા ખાતે તેમની ગાડી ઉપર 30થી પણ વધારે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટર્સે તેમને મૃત ઘોષિત કર્યા હતા. મૂસેવાલા પોતાના બંને કમાન્ડોને સાતે લીધા વગર બહાર નીકળ્યા હતા અને પોતાની બુલેટપ્રૂફ ગાડી પણ સાથે નહોતા લઈ ગયા.

પંજાબ સરકારે શનિવારે જ સિદ્ધૂ મૂસેવાલાની સુરક્ષા પાછી ખેંચી લીધી હતી. મુખ્યમંત્રી ભગવંત માને કાયદો-વ્યવસ્થાનો હવાલો આપીને શનિવારના રોજ તાત્કાલિક અસરથી 424 VIP સુરક્ષા પાછી ખેંચી લીધી હતી જેમાં મૂસેવાલાનો પણ સમાવેશ થતો હતો.

પંજાબના DGP વીકે ભવરાએ સિદ્ધૂ મૂસેવાલાની હત્યા પાછળ લોરેન્સ બિશ્નોઈ ગેંગનો હાથ હોવાની માહિતી આપી હતી. કેનેડાના લકીએ આ હત્યાની જવાબદારી સ્વીકારી છે. પોલીસને એવી આશંકા છે કે, સિદ્ધૂ મૂસેવાલાની હત્યા પાછળ ગેંગવોર જવાબદાર છે.

વર્ષ 2021માં વિક્કી મુદ્દુખેરાની હત્યા થઈ હતી. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે તાજેતરમાં વિક્કીની હત્યામાં સામેલ 3 બદમાશોને ઝડપી લીધા હતા. પુછપરછ દરમિયાન ત્રણેય બદમાશોએ એક નામી સિંગરનો મેનેજર હત્યાકાંડમાં સામેલ હોવાનું જણાવ્યું હતું. એક અહેવાલ પ્રમાણે પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલા જ વિક્કીની હત્યામાં સામેલ હતો.

પોલીસને એવી શંકા છે કે, વિક્કી મુદ્દુખેરા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો નજીકનો માણસ હતો. તેના મૃત્યુનો બદલો લેવા માટે લોરેન્સ બિશ્નોઈએ પોતાના ઓપરેટિવ્સની મદદથી સિદ્ધૂ મૂસેવાલાની હત્યા કરાવી છે. કેનેડામાં રહેતો ગેંગસ્ટર ગોલ્ડી, લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે મળીને દિલ્હી, રાજસ્થાન, પંજાબ અને હરિયાણા ઓપરેટ કરે છે.

પંજાબના DGPએ હત્યાકાંડ અંગેની વિગતો આપતા જણાવ્યું કે, ઘરેથી નીકળ્યા બાદ સિદ્ધૂ મૂસેવાલા 2 અન્ય લોકો સાથે કાર દ્વારા જઈ રહ્યો હતો ત્યારે સામેથી 2 કાર ધસી આવી હતી અને ફાયરિંગ થયું હતું.

મૂસેવાલા પાસે પંજાબ પોલીસના 4 કમાન્ડો હતા. તે પૈકીના 2ને પાછા ખેંચી લેવામાં આવ્યા હતા જ્યારે બાકીના 2 કમાન્ડોને સાથે લીધા વગર જ સિદ્ધૂ બહાર નીકળ્યા હતા. હત્યાકાંડ બાદ મુખ્યમંત્રીના આદેશથી IG રેન્જને SITની રચના કરવા કહેવામાં આવ્યું છે. હત્યા માટે 3 હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

શુભદીપ સિંહ સિદ્ધૂ એક પંજાબી ગાયક તરીકે સિદ્ધૂ મૂસેવાલા નામથી લોકપ્રિય હતા. મૂસેવાલા આગામી સપ્તાહે ગુરૂગ્રામ ખાતે પોતાનો શો કરવાના હતા. તે ગત વર્ષે નવેમ્બર મહિનામાં કોંગ્રેસમાં સામેલ થયા હતા અને માનસાથી કોંગ્રેસની ટિકિટ પર વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. આમ આદમી પાર્ટીના ડો. વિજય સિંગલાએ તેમને હરાવ્યા હતા. સિંગલા માન સરકારના મંત્રી હતા અને તાજેતરમાં જ ભ્રષ્ટાચારના આરોપસર તેમને હટાવી લેવામાં આવ્યા છે.

You Might Also Like

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !

ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !

શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !

કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી નો ગૃહકલેશ ફરી જાહેર માં આવ્યો સામે !

TAGGED:Arvind Kejriwalbhagwant maanBJPCongressMURDERpunjabsiddhu muselwala
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે
કૃષિ વિશ્વ ગાંધીનગર ગુજરાત
શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર
અમદાવાદ ગુજરાત
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?