By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: જે દિવસે મારે ત્યાં એકપણ નર્મદા પરિક્રમાવાસી ખિચડી ના ખાય તે દિવસે મને ખાવાનું ના ભાવે…
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ભરૂચ > જે દિવસે મારે ત્યાં એકપણ નર્મદા પરિક્રમાવાસી ખિચડી ના ખાય તે દિવસે મને ખાવાનું ના ભાવે…
ગુજરાતધર્મ દર્શનભરૂચ

જે દિવસે મારે ત્યાં એકપણ નર્મદા પરિક્રમાવાસી ખિચડી ના ખાય તે દિવસે મને ખાવાનું ના ભાવે…

Web Editor Panchat
Last updated: May 20, 2022 10:31 am
Web Editor Panchat Published May 20, 2022
Share
SHARE

જે દિવસે મારે ત્યાં એકપણ નર્મદા પરિક્રમાવાસી ખિચડી ના ખાય તે દિવસે મને ખાવાનું ના ભાવે…

type=”rectangular” ids=”5256,5255,5254″]

પુણ્યસલિલા માં નર્મદાજીનો મહિમા અનેરો છે. એમના પટ પરથી ફૂંકાતા પવનમાંથી જાણે સ્વાર્થ અને ઈર્ષા ચળાઈ જાય અને સેવાનો ભાવ ઉમેરાઈ જાય. નર્મદાજીના કાંઠે એક અલગ દુનિયા છે. અહીંના લોકો સ્વભાવે મૃદુ, સેવાભાવી અને પ્રામાણિક છે. સેવા એમના શ્વાચ્છોશ્વાસમાં વણાયેલી છે.

ભાજપના કયા નેતાએ ભરત બોઘરાને કહ્યુ કે માં ખોડલ તમને ઠેકાણે પાડી દેશે !

આમ તો હું સંસારી આદમી પણ મને નર્મદાજીના કિનારે ફરવાનો ગજબનો શોખ. થોડા દિવસ પહેલા એક પરિક્રમાવાસીએ કહ્યુ કે, નર્મદાજીના સંગમતિર્થ વિમળેશ્વરથી આઠેક કિલોમીટર પહેલા હનુમાન ટેકરી નામનો આશ્રમ છે. અહીં ખૂબ સેવાભાવી સંત છે. અમે એમને ખિચડી વાલે બાબા તરીકે ઓળખીયે છીએ. બાબા આખો દિવસ એક ઝાડની નીચે બેસે અને પરિક્રમાવાસીઓની સેવા કરે. પદયાત્રીઓ માટે એમનો આદર જોઈને નવાઈ લાગે. મનમાં સવાલ થાય કે, પરિક્રમાવાસીઓ સાથે એમને કેવુ ઋણાનુબંધ હશે

અભિનેત્રી સોનાલી રાઉતનો આ છે ગજબ અદાજ

એમની વાત સાંભળીને મને બાબાને મળવાની ઈચ્છા થઈ. એકાદ અઠવાડિયા પછી હું હાંસોટથી દસ કિલોમીટર દૂર હનુમાન ટેકરી પર પહોંચ્યો. આ પવિત્ર સ્થળને સીતારામ બાગ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંના વાતાવરણમાં નિરવ શાંતિ અને પવિત્રતા હતી. સીતારામ બાગના પ્રવેશદ્વાર પાસે ગુલમોહરના ઝાડની નીચે એક મહંત બેઠા હતા. એમને જોઈને જ હું સમજી ગયો કે, ખિચડી વાલે બાબા આ જ હશે.

મહિલા નેતાના પતિને કોણે દેખાડ્યા ધોળે દિવસે તારા !

મેં પ્રણામ કર્યા. એમની સાથે બેઠો અને વાત શરુ કરી. મેં કહ્યુ કે, બાબા ખોટુ ના લાગે તો એક વાત પુછું..તમને પરિક્રમાવાસીઓ ખિચડી વાલે બાબા કેમ કહે છે ? મારો સવાલ સાંભળીને એમના ચહેરા પર નિર્દોષ હાસ્ય રેલાઈ ગયું. તેઓ સહજતાથી બોલ્યા કે, ભાઈ મારુ નામ તો મહંત રામેશ્વરદાસ ત્યાગી છે. પણ અહીં ખિચડી-કઢીનું સદાવ્રત ચાલે છે એટલે કદાચ તેઓ મને ખિચડી વાલે બાબા કહેતા હશે. જેનો જેવો ભાવ એવી રીતે બોલાવે. એમા આપણે શુ કરીએ ? હકીકત એ છે કે, ગુરુજીની આજ્ઞા અને નર્મદાજીનાં આશીર્વાદથી અમે છેલ્લા વીસેક વર્ષથી અહીં પરિક્રમાવાસીઓની અવિરત સેવા કરીએ છીએ અને અહીંથી ભોજન લીધા વિના કોઈને જવા દેતા નથી. તમે પણ આવ્યા છો તો અમારી ખિચડી ખાઈને જ જજો. તેમણે વાત આગળ વધારી અને કહ્યુ કે, હું મૂળ જબલપુરનો છું.

મોદીજી કી બેટી પાકિસ્તાનને સુધારશે !

એકવખત નર્મદાજીની પરિક્રમા કરવા નીકળ્યો હતો. તે વખતે અંકલેશ્વરથી હાંસોટ થઈને વિમળેશ્વર પહોંચવુ હોય તો ઘણી મુશ્કેલીઓ નડતી હતી. રસ્તામાં આરામ કરવો હોય તો કોઈ યોગ્ય સ્થળ ના મળે અને ભોજન કરવુ હોય તો પણ કોઈ સેવાભાવીની રાહ જોવી પડે. એટલે પરિક્રમા પુરી કર્યા પછી મને એમ થયુ કે, આ સ્થળે પરિક્રમાવાસીઓને સાચી મદદની જરુર છે એટલે મેં એક ઝાડની નીચે ધૂણી ધખાવી અને રામધૂન શરુ કરી. માં નર્મદાજીની એવી કૃપા થઈ કે, ખૂબ જ ટૂંકા ગાળામાં અહીં પરિક્રમાવાસીઓને જેની જરુર પડે તેવી લગભગ બધી સગવડો ઉભી થઈ ચુકી છે. કશુ નહીં તો ખિચડી-કઢીની સેવા તો અવિરત ચાલે જ છે.

બુલડોઝર જોઇને યુવકે કહ્યુ પ્લીઝ આવુ ના કરો હુ ભાજપાનો વોટર છું

અમારી વાત ચાલતી હતી તે જ સમયે રસ્તા પરથી ચાર-પાંચ પરિક્રમાવાસી પસાર થયા. બાબાની એમની ઉપર નજર પડી અને તેમણે જોરથી સાદ પાડયો નર્મદે હર…સામેથી પરિક્રમાવાસી બોલ્યા નર્મદે હર…બાબાએ એમને આવકાર આપ્યો. આશ્રમની અંદર બોલાવ્યા અને એમની સાથે વાતોમાં ખોવાઈ ગયા.બાજુમાં બેઠોબેઠો હું વિચારવા લાગ્યો કે, આવા મુઠી ઉંચેરા માનવી માત્ર નર્મદાજીના કાંઠે જ મળે. આશ્રમમાં મને ભુપેન્દ્રભાઈ ભટ્ટ મળ્યા. તેમણે મને કહ્યુ કે, જેન તમે જેને ખિચડી વાલે બાબા તરીકે ઓળખો છો એ મહંત શ્રી 108 રામેશ્વરદાસ ત્યાગી છે. તેમણે પોતાનું જીવન નર્મદા પરિક્રમાવાસીઓની સેવામાં જ સમર્પિત કરી દીધુ છે. સવારે પૂજાપાઠ કરીને તેઓ આ ઝાડની નીચે આસન જમાવે છે અને રસ્તા પર નજર રખ્યા કરે છે. કોઈપણ પરિક્રમાવાસી પસાર થતો હોય તો તેને આગ્રહ કરીને બોલાવે છે અને નિઃસ્વાર્થ સેવા કરે છે.

ફિક્સ પગારમાં નિમણુંક પામેલ ગ્રાન્ટેડ શાળાના સહાયક શિક્ષકો,વહીવટી સહાયકો,સાથી સહાયકોની પાંચ વર્ષની સેવાઓ સળંગ ગણાશે : શિક્ષણ મંત્રી

સાચુ કહું તો, શિયાળાની કડકડતી ઠંડી હોય, ઉનાળાનો બળબળતો તડકો હોય કે, પછી ચોમાસામાં મૂશળધાર વરસાદ હોય. તેઓ બારેમાસ ઝાડની નીચે જ આસન જમાવીને બેઠા હોય. ઝાડની છાંયામાં બેસીને રસ્તા પરથી પગપાળા પસાર થતા પ્રત્યેક વ્યક્તિને ભાવથી બોલાવવાના અને એમને ખિચડી-કઢી ખવડાવવાના…બસ આ જ એમનુ કામ. ક્યારેક તો અમને એવુ થાય કે, બાપજી કોઈની રાહ તો નથી જોઈ રહ્યા ને…તમને જાણીને આશ્ચર્ય થશે કે, જે દિવસે આશ્રમમાં એકપણ પરિક્રમાવાસી ના આવે તે દિવસે તેમને ખાવાનું ના ભાવે. નર્મદાજીની આકરી પરિક્રમા કરી રહેલા પદયાત્રીઓની સેવામાં મહંત શ્રી 108 રામેશ્વરદાસ ત્યાગીજી જેવા અનેક સંતો-મહંતો ખડેપગે હાજર છે. એમના જીવનનો સાર એટલે સેવા. સંસારના પ્રપંચથી દૂર અને નર્મદાજીની નીકટતાના નીજાનંદમાં મસ્ત એવા સાધુઓને

You Might Also Like

GCAS પોર્ટલ ફેલ કે પાસ ! વિદ્યાર્થીઓ કે વાલીઓ માટે હાલાકીનો ઘર કે પછી ઘર બેઠા ગંગા !

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વતનભૂમિ વડનગરમાં ઉજવાશે રાજ્યકક્ષાનો ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

કડી અને વિસાવદરમાં કોણ મારશે બાજી ! અપસેટ સર્જાશે કે પુનરાવર્તન થશે !

જૂનાગઢનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ઇન્ડિયન ગ્રે વુલ્ફના સંરક્ષણ માટે બન્યું આશાનું કિરણ

મગ, મઠ, અડદ અને ચોળા જેવા ખરીફ કઠોળ પાકમાં રોગ-જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં અને વાવણી સમયે ખેડૂતોએ આટલું જરૂર કરવું…..!!

TAGGED:bhupendra bhattNARMADANARMADA PARIKRAMApadyatri
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

રાજ્યના જરૂરિયાતમંદ સાચા રેશનકાર્ડ ધારકોએ લાભ લેવા e-KYC કરાવવું જરૂરી : રાજ્યમાં ૮૮ ટકા e-KYC પૂર્ણ : અન્ન- નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
1941 વર્સી 2025 નુ કલેન્ડર : 1941 જેવું જ છે 2025નું કેલેન્ડર : 84 વર્ષ પછી ફરી આવ્યુ શ્રાપિત વર્ષ? જાણો જ્યોતિષ અનિલ પટેલ શુ કહે છે
અમદાવાદ એન્ટરટેનમેન્ટ ગુજરાત જ્યોતિષ
AI 171 વિમાનના પાઇલટ અને કો-પાઇલટના મૃતદેહનું પોસ્ટમોર્ટમ, એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના પ્રોટોકોલ મુજબ કરવામાં આવ્યું
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શ્રમિકોનો ‘અંત’ સુધી સાથ નિભાવે છે ગુજરાત સરકારની અંત્યેષ્ટિ સહાય યોજના
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
અમદાવાદ વિમાન દુર્ઘટના – અત્યાર સુધીમાં કુલ ૨૦૮ મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા, જેમાંથી ૧૭૩ મૃતદેહ પરિવારજનોને સોંપાયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?