By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: અમદાવાદના આ  સ્મશાનગૃહમાં મોત પછી પણ નથી મળી રહી શાંતિ- ખવડાવાય છે ધક્કા
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > અમદાવાદના આ  સ્મશાનગૃહમાં મોત પછી પણ નથી મળી રહી શાંતિ- ખવડાવાય છે ધક્કા
અમદાવાદગુજરાત

અમદાવાદના આ  સ્મશાનગૃહમાં મોત પછી પણ નથી મળી રહી શાંતિ- ખવડાવાય છે ધક્કા

Web Editor Panchat
Last updated: July 13, 2022 6:11 pm
Web Editor Panchat Published July 13, 2022
Share
SHARE

અમદાવાદના આ  સ્મશાનગૃહમાં મોત પછી પણ નથી મળી રહી શાંતિ- ખવડાવાય છે ધક્કા

 

મોત પછી સ્મશાન ગૃહોમાં પણ જો પાર્થિવ શરીરના અંતિમ ક્રિયામાં હેરાનગતી થાય અને કલાકો સુધી તંત્રની બેદરકારીના કારણે હેરાન થવુ પડે તો તેને તમે શુ કહેશો, ઘટના અમદાવાદના હાર્ટકેશ્વર સ્મશાન ગૃહની છે, જ્યારંસીએનજી ભટ્ટી ચાલુ છે કે નહી તે કર્મચારીઓને ખબર જ નથી,,મોતનો મલાજો ન જાળવી સકનાર આવા કર્મચારીઓ હાલ લોકોને અતિમ ધામ પહોચાડવામાં પણ મુશ્કેલી સર્જી રહ્યા છે, મૃતકના પરિવારજનોને હેરાન પરેશાન કરી રહ્યા છે, આ ઘટના સામે આવતા લોકો તંત્ર ઉપર ફિટકાર વરસાવી રહ્યા છે,

ઘટના બુધવારની છે, ખોખરા વોર્ડના જયજીત ફ્લેટમાં રહેતા હરચંદાણી પરિવારની મહિલા આકસ્મિક મોત ને ભેટી, જયશ્રી બેન નારાણદાસ હરચંદાણી ઉમર વરસ 47ની મહિલાનુ મોત થઇ ગયું, ,પરિવારજનોએ તેમના પાર્થિવ દેહને અંતિમ વિધી માટે નજીકના સ્મશાન ગૃહ હાર્ટકેશ્વર લઇ ગયા, જ્યારે સીએનજી ભટ્ટી ચાલુ છે કે નહી તે પણ સ્થાનિક કર્મચારીઓને ખબર ન હતી, કર્મચારીઓએ પાર્થિવ દેહને પહેલી વખત સીએનજી ભટ્ટીમાં ટ્રોલી મારફતે ચીમનીમાં નાખવામાં આવ્યા, પણ ચિમની બગડેલી હતી, દોઢ કલાક સુધી અગ્નિદાહ ન આપી શકાયો, અને પછી પાર્થિવ દેહને બહાર કાઢવામાં આવ્યો અને નનામી કાઢીને  લાકડાની ચિત્તા ઉપર લઇ જવુ પડ્યુ, આ તમામ પ્રક્રીયામાં સાત કલાકનો સમય લાગી ગયો સાથે વરસાદમાં ભીના લકડાથી મૃતકના અતિમ સંસ્કાર કરવા પડ્યા

 

મહિલા સાથે અશ્લિલ વિડીયો વાયરલ થયા બાદ ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે ક્યા નેતાનુ લીધુ રાજીનામું !

મૃતકના પતિ નારાણદાસ હરચંદાણીએ જણાવ્યુ કે મારા પત્ની જયશ્રીબેનનુ અકસ્માતમાં મોત થયુ હતું, વરસાદ હોવાના કારણ પરિવારની ઇચ્છા હતી કે ખોખરામાં સીએનજી ભટ્ટીની વ્યવસ્થા છે તો અહી પાર્થિવ દેહનુ અંતિમ સંસ્કાર કરીએ, અમે અહી આવ્યા, કર્મચારીઓએ કહ્યુ કે તમામ વિધી કરી દો,, પછી અગ્નિસંસ્કાર કરીએ,, અમારી વિધી થઇ પણ ભટ્ટી ચાલુ ન થઇ, દસ મિનિટ પંદર મિનિટ કરતા કરતા દોઢ કલાલ કાઢી નાખ્યુ, પછી અમને કહ્યુ કે હવે ભટ્ટી ચાલતી નથી, તમે લાકડા ઉપર લઇ જાવ,, પછી અમે ભારે હૃદયથી લાકડા ઉપર અંતિમ સંસ્કાર કર્યુ

નારણદાસના મિત્ર ભગવાન ભાઇ રાણાએ જણાવ્યુ કે આ પરિવાર સાથે સાથે થયુ એવુ કોઇ બીજા સાથે ન થવુ જોઇએ,, કારણ કે વરસાદમાં લાકડા ભીના હોય છે, જેના કારણે અંતિમ સંસ્કારમાં ખુબ મુશ્કેલી પડે છે, ત્યારે તંત્રે ધ્યાન રાખવાની જરુર છે, મોતનો મલાજો પણ જાળવ્યો નહી જે ખુબજ દુખદ છે,

 

ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ લપસ્યા તો કોણે વ્યક્ત કરી ચિન્તા

 

મહત્વની વાત એ છે કે જ્યારે આ અંગે સ્થાનિક કાઉન્સિલર કમલેશ પટેલને આ અંગે ખબર પડી તો તેઓએ જાહેરાત કરી કે જ્યાં સુધી ભઠ્ઠી ના ચાલુ થાય ત્યાં સુધી સ્મશાન ગૃહમાં જે પણ લાકડા વપરાશે તેઓ તેનો ખર્ચ ભોગવશે,આમ હાલ આ રીતે રસ્તો કાઢવાનો પ્રયત્ન થયો છે, પણ સવાલ એ છે કે કમલેશ પટેલે એએમસીની ઇજ્જત બચાવવાનો પ્રયત્ન કર્યો છે, સવાલ એ છે કે સીએનજી ભઠ્ઠી ચાલુ કેમ નથી, વરસાદમાં જ્યારે લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે તો વરસાદમાં ભીના લાકડા ઉપર પાર્થિવ દેહને સળગાવવા માટે કેમ મજબુર થવુ પડશે, તે એએમસીના સત્તાવાળાઓના મોઢા ઉપર એક તમાચો છે,

 

મહિલા સાથે અશ્લિલ વિડીયો વાયરલ થયા બાદ ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે ક્યા નેતાનુ લીધુ રાજીનામું !

એક તરફ રાજ્યમાં જ્યારે વંદે ગુજરાત અભિયાન ચલાવાઇ રહ્યુ છે, નાગરિકોના ટેક્સના નાણાંમાંથી વિશાલકાય હોર્ડિંગ્સ લગાવાઇ રહ્યા છે, તેમને સુવિધા કેવી અપાય છે તે તમે બે દિવસ પહેલાના વરસાદમાં જે રીતે અમદાવાદ સહિતના શહેરના શહેરીજનો હેરાન થયા તે સાબિત કરે છે કે વંદે ગુજરાત જેવા અભિયાનો સાવ પોકળ છે, કરુણ સ્થિતિ તો ત્યાં થઇ ગઇ જ્યારે નાગરિકોને અંતિમ સફર ઉપર જવા માટે તંત્ર એક સીએનજી ભટ્ટી ચાલુ નથી રાખી સકતું, આ જવાબદારી કોની છે તે પુછવા જઇશુ તો તેનો કોઇ જવાબ નહી મળે, પણ યાદ રાખજો જવાબદારી એની જ છે જેને જોઇને તમે વોટ આપો છે,

 

You Might Also Like

GCAS પોર્ટલ ફેલ કે પાસ ! વિદ્યાર્થીઓ કે વાલીઓ માટે હાલાકીનો ઘર કે પછી ઘર બેઠા ગંગા !

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વતનભૂમિ વડનગરમાં ઉજવાશે રાજ્યકક્ષાનો ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

કડી અને વિસાવદરમાં કોણ મારશે બાજી ! અપસેટ સર્જાશે કે પુનરાવર્તન થશે !

જૂનાગઢનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ઇન્ડિયન ગ્રે વુલ્ફના સંરક્ષણ માટે બન્યું આશાનું કિરણ

મગ, મઠ, અડદ અને ચોળા જેવા ખરીફ કઠોળ પાકમાં રોગ-જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં અને વાવણી સમયે ખેડૂતોએ આટલું જરૂર કરવું…..!!

TAGGED:AMCBJPCNG BHATTICREMENATIONDEVLOPMENTFeaturedgujaratVANDE GUJARATVIKASH GANDO THAYO CHHE
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

રાજ્યના જરૂરિયાતમંદ સાચા રેશનકાર્ડ ધારકોએ લાભ લેવા e-KYC કરાવવું જરૂરી : રાજ્યમાં ૮૮ ટકા e-KYC પૂર્ણ : અન્ન- નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
1941 વર્સી 2025 નુ કલેન્ડર : 1941 જેવું જ છે 2025નું કેલેન્ડર : 84 વર્ષ પછી ફરી આવ્યુ શ્રાપિત વર્ષ? જાણો જ્યોતિષ અનિલ પટેલ શુ કહે છે
અમદાવાદ એન્ટરટેનમેન્ટ ગુજરાત જ્યોતિષ
AI 171 વિમાનના પાઇલટ અને કો-પાઇલટના મૃતદેહનું પોસ્ટમોર્ટમ, એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના પ્રોટોકોલ મુજબ કરવામાં આવ્યું
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શ્રમિકોનો ‘અંત’ સુધી સાથ નિભાવે છે ગુજરાત સરકારની અંત્યેષ્ટિ સહાય યોજના
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
અમદાવાદ વિમાન દુર્ઘટના – અત્યાર સુધીમાં કુલ ૨૦૮ મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા, જેમાંથી ૧૭૩ મૃતદેહ પરિવારજનોને સોંપાયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?