By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની આગેવાનીમાં ભારત દેશ વિશ્વગુરૂ બનવા જઇ રહ્યો છે – વિધાનસભા અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્ય
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની આગેવાનીમાં ભારત દેશ વિશ્વગુરૂ બનવા જઇ રહ્યો છે – વિધાનસભા અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્ય
ગાંધીનગરગુજરાતજામનગરરાજકારણ

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની આગેવાનીમાં ભારત દેશ વિશ્વગુરૂ બનવા જઇ રહ્યો છે – વિધાનસભા અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્ય

Web Editor Panchat
Last updated: September 8, 2022 5:34 pm
Web Editor Panchat Published September 8, 2022
Share
SHARE

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની આગેવાનીમાં
ભારત દેશ વિશ્વગુરૂ બનવા જઇ રહ્યો છે
– વિધાનસભા અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્ય

ડબલ એન્જિનની સરકારે કચ્છમાં વિકાસના કામો જેટગતિએ કર્યા છે
જિલ્લા પંચાયત અધ્યક્ષ પારૂલબેન કારા

નારાણપર(રાવરી)ખાતે રૂા. ૧૯.૨૨ કરોડના ખર્ચે આકાર લેનારી ભુજ ભાગ-૨ જુથ પાણી પુરવઠા(સુધારણા) યોજનાનું વિધાનસભા અધ્યક્ષશ્રી ડો.નીમાબેન આચાર્યેના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતની શાસનધુંરા સંભાળ્યા બાદ દેશનો વિકાસ અકલ્પનીય રીતે થઇ રહ્યો છે. વડાપ્રધાનની આગેવાનીમાં ભારત દેશ વિશ્વગુરૂ બનવા જઇ રહ્યો છે. દરેક નાગરીકોની જરૂરીયાતને ધ્યાને રાખીને સરકારે વિવિધ યોજનાઓ અમલી બનાવી છે જેનાથી સુખાકારીમાં વધારો થયો છે. તેવું નારાણપર(રાવરી)ખાતે ભુજ ભાગ-૨ જુથ પાણી પુરવઠા(સુધારણા) યોજનાનું ખાતમુહૂર્ત કરતા વિધાનસભા અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્યે જણાવ્યું હતું.
ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા સંચાલિત થનારી રૂા. ૧૯.૨૨ કરોડની આ યોજના થકી ૪૧ ગામ અને ૧૨ પરાને પીવાના પાણીનો સીધો લાભ મળશે. આ યોજનાનું ખાતમુહૂર્ત કરતા વિધાનસભા અધ્યક્ષાશ્રીએ જણાવ્યું હતું કે, નલ સે જલ યોજના વડાપ્રધાન દ્વારા અમલી કરાયા બાદ લોકોની પીવાના પાણીની સમસ્યા હળવી બની છે. કચ્છમાં હાલ નર્મદાના પાણી છેવાડાના ગામડા સુધી મળી રહ્યા છે. આ યોજના સાકાર થયા બાદ આ વિસ્તારના ૪૧ ગામ, ૧૨ પરાને ફાયદો થશે. આ પ્રસંગે તેમણે નર્મદાના વધારાના પાણી કચ્છને મળતા ખેતી સમૃધ્ધ થશે તેવું જણાવતા ઉમેર્યું હતું કે, પાણી યોજના હેઠળ અગાઉ માત્ર નાગરીકોની જરૂરીયાત ગણીને આયોજન કરાતું હતું. પરંતુ હવેથી પશુઓને ૧૦૦ લીટર અને મનુષ્યને ૧૦૦ લીટર એમ જથ્થો ફાળવાશે. કચ્છમાં પશુઓની સંખ્યા વધારે હોવાથી આ માંગણી પણ પુર્ણ કરાઇ છે. તેમણે ટુંકસમયમાં રસ્તાના રીસર્ફેંસીંગ તથા નવીનીકરણનું કામ પણ હાથ ધરાશે તેવું જણાવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયત અધ્યક્ષ પારૂલબેન કારાએ જણાવ્યું હતું કે, ડબલ એન્જિનની સરકાર થકી કચ્છનો વિકાસ જેટગતિએ થયો છે. વિવિધ યોજનાઓ અમલી બની છે જેનો મહત્તમ લાભ લેવા તેમણે લોકોને અપીલ કરી હતી. નલ સે જલ ઉપલબ્ધ થતાં ખાસ કરીને મહિલાઓને બેડામાંથી મુક્તિ મળી છે, તેવું જણાવતા તેમણે વડાપ્રધાનશ્રી કચ્છ પ્રત્યે અપાર સ્નેહ ધરાવતા હોવાથી તાજેતરમાં પીએમ કચ્છ આવ્યા ત્યારે જે રીતે લાખો કચ્છીઓએ સભામાં ઉપસ્થિત રહીને અપાર પ્રેમ આપ્યો તે બદલ તેમણે સૌનો આભાર વ્યકત કર્યો હતો.
આ કાર્યક્રમમાં વિવિધ ગામના સરપંચ હાજર રહીને વિધાનસભા અધ્યક્ષશ્રી ડો.નીમાબેન આચાર્યનું ખાસ સન્માન કર્યું હતું.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ મંજુલાબેન ભંડેરી, જિલ્લા પંચાયત સદસ્ય કુંવરબેન મહેશ્વરી, તાલુકા પંચાયત સદસ્ય પુરબાઇ વેકરીયા, રમેશદાન ગઢવી, નારણપર (રાવરી)સરપંચ ધનબાઇ પીંડોરીયા, નારણપર(પસાયતી)ના સરપંચ રમીલાબેન માતંગ , આગેવાન ભીમજીભાઇ જોધાણી, હરીભાઇ આહિર, હિતેશભાઇ ખંડોલ, સુરેશભાઇ જોષી તથા પાણી પુરવઠા બોર્ડના ચીફ ઇજનેર પકંજભાઇ નાગર, કાર્યપાલક ઇજનેર દિનેશભાઇ રામાનુજ, સુમિટોના જનરલ મેનેજર કિરણભાઇ ચાંદવાણી તથા સર્વ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

You Might Also Like

GCAS પોર્ટલ ફેલ કે પાસ ! વિદ્યાર્થીઓ કે વાલીઓ માટે હાલાકીનો ઘર કે પછી ઘર બેઠા ગંગા !

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વતનભૂમિ વડનગરમાં ઉજવાશે રાજ્યકક્ષાનો ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

કડી અને વિસાવદરમાં કોણ મારશે બાજી ! અપસેટ સર્જાશે કે પુનરાવર્તન થશે !

જૂનાગઢનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ઇન્ડિયન ગ્રે વુલ્ફના સંરક્ષણ માટે બન્યું આશાનું કિરણ

મગ, મઠ, અડદ અને ચોળા જેવા ખરીફ કઠોળ પાકમાં રોગ-જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં અને વાવણી સમયે ખેડૂતોએ આટલું જરૂર કરવું…..!!

TAGGED:bhupendra patelcmo gujaratfeaturekutchh jilla panchayatnimaben acharyparulebn kara
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

રાજ્યના જરૂરિયાતમંદ સાચા રેશનકાર્ડ ધારકોએ લાભ લેવા e-KYC કરાવવું જરૂરી : રાજ્યમાં ૮૮ ટકા e-KYC પૂર્ણ : અન્ન- નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
1941 વર્સી 2025 નુ કલેન્ડર : 1941 જેવું જ છે 2025નું કેલેન્ડર : 84 વર્ષ પછી ફરી આવ્યુ શ્રાપિત વર્ષ? જાણો જ્યોતિષ અનિલ પટેલ શુ કહે છે
અમદાવાદ એન્ટરટેનમેન્ટ ગુજરાત જ્યોતિષ
AI 171 વિમાનના પાઇલટ અને કો-પાઇલટના મૃતદેહનું પોસ્ટમોર્ટમ, એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના પ્રોટોકોલ મુજબ કરવામાં આવ્યું
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શ્રમિકોનો ‘અંત’ સુધી સાથ નિભાવે છે ગુજરાત સરકારની અંત્યેષ્ટિ સહાય યોજના
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
અમદાવાદ વિમાન દુર્ઘટના – અત્યાર સુધીમાં કુલ ૨૦૮ મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા, જેમાંથી ૧૭૩ મૃતદેહ પરિવારજનોને સોંપાયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?