By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: કોંગ્રેસના કયા નેતાએ જગદીશ ઠાકોરને જયચંદોથી સાવધાન રહેવાની સલાહ આપી
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > કોંગ્રેસના કયા નેતાએ જગદીશ ઠાકોરને જયચંદોથી સાવધાન રહેવાની સલાહ આપી
અમદાવાદગુજરાત

કોંગ્રેસના કયા નેતાએ જગદીશ ઠાકોરને જયચંદોથી સાવધાન રહેવાની સલાહ આપી

Web Editor Panchat
Last updated: June 18, 2022 9:07 pm
Web Editor Panchat Published June 18, 2022
Share
SHARE

કોંગ્રેસના કયા નેતાએ જગદીશ ઠાકોરને જયચંદોથી સાવધાન રહેવાની સલાહ આપી

ગુજરાત કોંગ્રેસના પુર્વ પ્રવક્તા અને યુવા નેતા મૌલિન શાહે ગુજરાત કોગ્રેસ અવદશાને લઇને આકરી ટીકા કરી છે, તેઓએ વધુમાં કહ્યુ છે કે ગુજરાત કોંગ્રેસમાં જયચંદોના કારણે જ
કોંગ્રેસ સત્તામા આવતી નથી,, કોંગ્રેસના અનેક જયચંદોના સત્તાધારી પાર્ટીના નેતાઓ સાથે વ્યાપારિક સંબધો હોવાના કારણે કોંગ્રેસે સત્તાથી હાથ ધોઇ નાખવા પડે છે, કોંગ્રેસ અદનો કાર્યકર્તા નિષ્ઠા, પ્રમાણિકતા પોતાના પરિવારને ભુલીને તન મન ધન થી પાર્ટી વિચારધારા માટે
સમર્પણ ભાવથી કામ કરતો હોય છે,જો કે પાર્ટીમાં રહેલા જયચંદો પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે ટિકીટોની વહેચણીથી લઇ પ્રચારમાં મલાઇ તારવી લેતા હોય છે,તેઓએ પ્રદેશ પ્રમુખ જગદીશભાઇ ઠાકોરને અપીલ કરી છે,

જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !

કોંગ્રેસના યુવા નેતા મૌલિન શાહે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને ઉદ્દેશીને પત્ર લખ્યો છે,
પ્રમુખશ્રી જગદીશભાઈ, આમ રાજકારણના વ્યાપારિકરણને છાવરવું તો સીધું રાહુલ ગાંધીનું અપમાન છે! જયચંદોથી કોંગ્રેસ ચેતી જાય!
ભાજપ દ્વારા બદલાની ભાવનાથી વિપક્ષ કોંગ્રેસને દબાવવાની રાજનીતિ વિરુદ્ધ જ્યારે રાષ્ટ્રીય નેતૃત્વ, પ્રદેશ નેતૃત્વ અને લાખો કાર્યકર્તાઓ સંઘર્ષ કરતા હોય, પોલીસ દમનનો શિકાર બનતા હોય ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય કક્ષાના નેતાનું ભાજપના નેતા અને મળતીયાઓ સાથેની વ્યાપારિક ભાગીદારીનો ઘટસ્ફોટ થાય છે ત્યારે જનતામાં નકારાત્મક સંદેશ જાય છે. જેના લીધે કાર્યકર્તાઓના સંઘર્ષ પર પાણી ફરી જાય છે અને એમના મોરલને ધક્કો વાગતો હોય છે.
રાહુલ ગાંધી અત્યારે સુબ્રહ્મણીયન સ્વામી દ્વારા ચગાવેલા નેશનલ હેરાલ્ડ કેસ બાબતે સોમવારથી રોજના 10-12 કલાક #ED ઓફિસમાં હાજર થઈ રહ્યા છે. તેવી જ રીતે તેઓને વારંવાર અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટમાં વર્ષ 2019માં દાખલ થયેલા એક કેસ બાબતે હાજરી આપવા આવવું પડે છે અને આજે પણ કેસ ચાલે છે.
આ કેસ કરનાર ભાજપના નેતા જોડે વર્ષ 2021માં રિયલ એસ્ટેટ કન્સ્ટ્રકશનના વેપારમાં કોઈ કોંગ્રેસ નેતા ભાગીદારી કરે તો એ કેટલું યોગ્ય છે?
ઉપરોક્ત બાબતે મીડિયાના અલગ અલગ માધ્યમો પર ઘટસ્ફોટ થયા પછી પણ કોંગ્રેસના રાષ્ટ્રીય કે રાજ્યના નેતૃત્વ દ્વારા કોઈ પગલા ના લેવાય અને નેતાને છાવરે એ કેટલું યોગ્ય છે?
■ ગયા રવિવારે (12 જૂન) કોંગ્રેસ પ્રમુખશ્રી જગદીશ ઠાકોર અને રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી પવન ખેડા ભાજપ દ્વારા ઇડી, સીબીઆઈ જેવી સંસ્થાઓના દુરૂપયોગ બાબતે પત્રકાર પરિષદ કરી રહ્યા હતા ત્યારે અચાનક એક સિનિયર પત્રકારે કોંગ્રેસના નેતા રોહનભાઈ ગુપ્તા અને ભાજપના નેતા અજયભાઈ પટેલ ના પરિવારો વચ્ચે ધંધાકીય ભાગીદારી પર સવાલ કરાતા પ્રેસવાર્તામાં હાજર કોંગ્રેસ નેતાઓ સ્તબ્ધ થઈ ગયા હતા. ત્યારે પ્રમુખશ્રીએ આને ભાજપની ચાલ છે એવી વાત કરીને પત્રકારના સવાલ પર પડદો પાડવા પ્રયાસ કર્યો હતો.
શ્રી જગદીશભાઈ આ રીતે ભાગીદારી ને છવારવું તો રાહુલજી નું અપમાન કહેવાય કે નહીં?
નેતૃત્વ ક્યાં સુધી આવી બાબતને ગંભીરતાથી નહિ લે?
આજ રીતે જો રિયલ એસ્ટેટની LLP કંપનીમાં ડાયરેક્ટરશીપને નાના મોટા વેપાર ધંધા તરીકે ખપાવીને કોંગ્રેસ નેતાની ભાગીદારીને નેતૃત્વ છુપાવતું/છાવરતું રહેશે તો ભવિષ્યમાં આવી ભાગીદારી કરતા જયચંદોનો આખો એક સેલ કે વિભાગ જ ઉભો થઈ જશે!
આજે જ કોંગ્રેસના એક ભૂતપૂર્વ નેતા નટવરસિંહના કોંગ્રેસ નેતાઓ વિરુદ્ધના નીવેદનો જોતા લાગે છે આવા તો અલગ અલગ પ્રકારના કેટલાય જયચંદો હશે!
આવુંને આવું ચાલશે તો સત્તામાં આવવાની વાત તો દૂર પણ સક્રિય વિપક્ષની ભૂમિકા ભજવવાથી જનતા કોંગ્રેસને દૂર રાખશે.
છેલ્લા 25 વર્ષમાં જનતા ભાજપથી ત્રાસી ગયેલી છે તે છતાં કોંગ્રેસને સત્તાનો મેન્ડેટ મળતો નથી કેમ? શું આવા બધા જ કારણો જવાબદાર છે?
જનતા આજે પણ ભાજપને નિષ્ફળ ગણે છે, જનતા એની બી ટિમ ‘આપ’ને પણ ઓળખી રહી છે, જનતા કોંગ્રેસ પાસે આશા રાખીને બેઠી છે કે જે રીતે ભાજપ સામે છેલ્લા અઠવાડિયાથી કોંગ્રેસ લડી રહી છે એજ રીતે જનતાના પ્રશ્નો ને લઈને લડે.
જો કે કોંગ્રેસ દરેક મુદ્દે લડતી જ આવી છે અને આગળ વધારે મજબૂતીથી લડાઈ લડશે જ!
વિચારધારા સાથે સમાધાન કર્યા સિવાય માત્ર જનતા માટે લડવાના સમીકરણો ગોઠવે નહિ કે ચૂંટણી પૂરતા સામાજિક સમીકરણો ગોઠવવામાં કે સામાજિક આગેવાનોને પોખવા જવામાં નેતાઓ વ્યસ્ત રહે!
આજે કોંગ્રેસ પાસે કાર્યકર્તાઓની સાથે સાથે વિચારધારા સાથે જોડાયેલા સમર્થકો અને ટેકેદારોની મોટી ફોજ પક્ષને પડદા પાછળ ટેકો આપી રહી છે અને આપશે. જો એમના મોરલ ને ઠેસ પહોંચશે તો ત્યાં પણ નુકશાન થી જશે!આભાર. ~@મૌલિનશાહ૯ (કોંગ્રેસ સમર્થક અને મતદાર)
■ ખાસ નોંધ:
આ પોસ્ટ હું ગયા રવિવારે મૂકી શકતો હતો પરંતુ બીજે દિવસે કોંગ્રેસ દ્વારા ઇડી વિરુદ્ધના દેખાવનો કાર્યક્રમ હોવાથી કાર્યકર્તાઓના મોરલ પર વિપરીત અસર ન પડે એટલે મેં ટાળ્યું હતું.
પરંતુ જે રીતે ભાજપ સત્તાના મદમાં રાહુલ ગાંધીને બદલાની ભાવનાથી હેરાન કરી રહી છે અને લાખો કાર્યકર્તાઓ પર પોલીસ દમન ગુજાર્યું તે જોતા એમ લાગે છે કે આજે કોંગ્રેસ નબળી પડવાની સ્થિતિ ઉભી થઈ છે એના કારણોમાં એક ‘જયચંદવૃત્તિ’ અને બીજું કારણ ભાજપ સાથેના વ્યાપારિક મીઠા સંબંધો હોઈ શકે છે. એને ઉજાગર કરવું જ રહ્યું!
આ પક્ષના હિતમાં મુકાયેલી પોસ્ટ છે. કોઈ વ્યક્તિગત ટસલ કે વિરોધ માટે નથી મુકાઈ અને જે લોકો એ આનો પણ વિરોધ કરવો હોય તો વિવેકબુદ્ધિથી વિચારીને કરે કેમકે આ મુદ્દે પ્રકાશિત અહેવાલો, વિડીયો અને પુરાવાઓ તમારી દલીલોને નબળી પાડશે! આભાર. ~@મૌલિનશાહ૯, અમદાવાદ (19:52 pm)
આ સાથે 12 જૂન ની પત્રકાર પરિષદ નો એક અંશ ગુજરાત કોંગ્રેસના ફેસબુક પર થી લઈને અપલોડ કરેલ છે.
#જયચંદો_ની_ભાગીદારી #રાજકારણ_નું_વ્યાપારિકરણ #GujaratCongress #Congress #BJP

વાઘાણીએ સીઆર પાટીલના નામે કેમ કર્યો બદલી માટે ફોન !

હસમુખ પટેલે હર્ષ સંધવીને કેમ પુછ્યુ કે વ્યાજખોરો ડામવા માટે તમારી પાસે શુ યોજના છે

You Might Also Like

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી કોર્ટે ફગાવી!

GP-SMASHની વધુ એક ઉલ્લેખનીય સફળતા: ચાલુ ટ્રેનમાંથી પડી ગયેલી માતાના બંને બાળકોને સુરક્ષિત કરી, માતાની શોધખોળ માટે ત્વરિત કાર્યવાહી

આજે ગર્વ સાથે કહી શકું છું કે, અમારા બોરડી ગામની ગ્રામ પંચાયત સંપૂર્ણ મહિલા સદસ્યોથી રચાયેલી છે – મહિલા સરપંચ શ્રી લીલાબેન મોરી

ક્લાયમેટ ચેન્જથી બદલાઇ રહ્યો છે ચોમાસાનો મિજાજ !! અર્બન હિટ આયલેન્ડ શહેરોમાં ભારે વરસાદનું કારણ બને છે અને પૂરની સ્થિતિનું નિર્માણ કરે છે

કોંગ્રેસ ભાજપના ખિસ્સામાં છે, બન્ને મળીને જનતાને લૂંટે છે : અરવિંદ કેજરીવાલ

TAGGED:ajay patelBJPCongressFeaturedjagdish thakoremanish doshimaulin shahrohan gupta
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

FSI -૨૦૨૩ના અહેવાલ મુજબ નોટિફાઇડ વન વિસ્તાર બહારના વૃક્ષ આવરણમાં કુલ ૨૪૧ થી વધુ ચો.કિ.મીના વધારા સાથે ગુજરાત દેશભરમાં અગ્રેસર
ahmedabad govt gujarat
📢ગુજરાતમાં જો ખતરો હોય તો ફક્ત 🥤એક ગ્લાસ🥤 થી છે !
aap gujarat politics
ભુપેન્દ્ર પટેલ આ રસ્તા ચોમાસાના કારણે નહી પણ કમિશનના કારણે તુટ્યા છે ! તમે કોને બનાવો છો !
ahmedabad govt gujarat heavy rain weather ભારે વરસાદ
ગ્રામીણ વિસ્તારોમાં ગામની સ્વચ્છતા માટે વ્યક્તિ દીઠ માસિક રૂ.૪ની ફાળવણી વધારીને બે ગણી રૂ.૮ કરવામાં આવશે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
gandhinagar govt gujarat જાણવા જેવું
ગુજરાતનું સહકારી મૉડલ બન્યું મહિલા સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ, મહિલા દૂધ મંડળીઓમાં 21%નો વધારો, આવક ₹9000 કરોડને પાર
ahmedabad coopretive gandhinagar govt gujarat
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?