Connect with us

અમદાવાદ

હાર્દીક પટેલની સાથે તેના માટે એડ ફિલ્મ બનાવનાર કલાકારોને કેમ પડી ગાળો- એ પણ ગંદી !

Published

on

હાર્દીક પટેલની સાથે તેના માટે એડ ફિલ્મ બનાવનાર કલાકારોને કેમ પડી ગાળો- એ પણ ગંદી !

ભાજપના કયા નેતાએ કહ્યુ કે અગ્નીવીરોને ભાજપના કાર્યાલયમાં સિક્યોરીટી તરીકે પ્રાથમિકતા અપાશે !

ભાજપના નેતા અને પેજ પ્રમુખ હાર્દીક પટેલને તો સોશિયલ મિડીયા ઉપર ભરપુર ગાળો અપાતી હતી, હવે તેની ઇમેજ મેક ઓવર કરવા માટે બનાવેલી એડ ફિલ્મના કલાકારોને
પણ લોકોએ ભરપુર ગાળોથી નવાજ્યા છે,તમને થશે વળી આ શુ ઘટના છે, હાર્દીક પટેલની છાપ સુધારવા માટે અને સેવા ભાવી યુવાન તરીકે તેની ઇમેજ બનાવવા માટે
ખાસ એડ ફિલ્મ બનાવવામાં આવી,,તો હજારો લોકોએ તેના ઉપર હાર્દીક સહિત એડ ફિલ્મમાં કામ કરનારા કાલાકારોને પણ ભરપુર ગાળાટ્યા,,

ગુજરાતમા એક તરફ વડા પ્રધાન નરેન્દ્રમોદી વિવિધ કાર્યક્રમના ઉદ્ઘટનો માટે એક દિવસના પ્રવાસ ઉપર હતા,તો બીજી તરફ હાર્દીક પટેલ પોતાની ઇમેજને વડા પ્રધાનની લોકપ્રિયતાની
સાથે લોકપ્રિય બનાવવા માટે પોતાના ફેસબુક પેજ ઉપરથી એક એડ ફિલ્મ રિલિઝ કરી, 5.20 મિનીટના આ એડ ફિલ્મમાં કુલ ત્રણ પાત્રો છે, જેમાં બે યુવાન છે ,,જ્યારે એક આધેડ છે,યુવાનો હાર્દીકથી નારાજ દેખાય છે,,તો હાર્દીક પટેલ કેમ સમાજ માટે લડી રહ્યો છે, સેવા ભાવી છે, બલીદાની છે,, અને સમાજ માટે સર્વસ્વ ત્યાગ કરનારો છે તે બતાવવાનો પ્રયત્ન આધેડ કલાકાર કરતા દેખાય છે, અને આધેડના વાતોની અસર યુવાનો ઉપર થાય છે, અને તેઓ હાર્દીકનો સારો છે તેમ માની લે છે, પણ મહત્વની વાત એ છે કે
આ એડ ફિલ્મ જેમ રિલિઝ થઇ,,હાર્દીકથી નારાજ યુવાનોએ તેને ન કેહવાના શબ્દો કહ્યા, તેમના માતા સુધીની વાતો કહી,, અને ગદ્દાર જેવા શબ્દો તો ખુબ સામાન્ય લાગે,,
હત્યારો ,,ન જાણે શુ શુ લખ્યુ અને પોતાનુ આક્રોશ વ્યક્ત કર્યુ,, આમાં સંખ્યા બધ્ધ પ્રતિભાવ હાર્દીકના સમર્થનમા પણ હતા, છતાં તેના વિરોધમાં હજારોની સંખ્યામાં લોકોએ
પોતાનુ વિરોધ વ્યક્ત કર્યો,,મહત્વપુર્ણ વાત એ છે કે તેના ફેસબુક ઉપર એડ ફિલ્મમાં કામ કરનારા કલાકારોને પણ ગાળો આપવામા આવી,, કેટલા પૈસામાં ફિલ્મ તૈયાર કરાઇ છે તેવા
સવાલો પુછ્યા,અને તમારા નાટકથી હાર્દીક પ્રત્યે નારાજગી દુર નહી થાય તેવી વાત પણ કરાઇ હતી,,આમ તો આવી એડ ફિલ્મ થકી હાર્દીકની ઇમેજને સુધારવાના પ્રયત્ન થઇ રહ્યા છે, પણ પ્રથમ વખત એવી ઘટના બની હશે કે લોકોએ એડ ફિલ્મના કલાકારોને પણ ગાળો આપવાનુ બાકી રખ્યુ ન હોય છે,

Advertisement

હાર્દીક પટેલે કોની ચાપલુસી કરવામાં વટાવી હદ, સોશિયલ મિડીયા યુઝર્સે હાર્દીકના લીધા રિમાંડ !

સુત્રોની માનીએ તો હાર્દીક પટેલ પોતાની ઇમેજ સુધારાની રેલીએ કે સભાઓ કે યાત્રાઓ કરવા માંગે છે,,કારણ કે તેને ખબર છે જ્યારે તે આદોલન ચલાવતો હતો ત્યારે સત્તાપક્ષના પ્રધાનો સાથે કેવી કેવી ઘટનાઓ બનતી હતી,ત્યારે હવે તેની સાથે પણ રેલી , સભાઓ કે યાત્રાઓમાં ઘટનાઓ થઇ શકે છે, હાર્દીકને એ પણ યાદ રાખવાની જરુર છે કે જ્યારે
તે આદોલન ચલાવતો હતો ત્યારે આંદોલન દરમિયાન એક યુવાને તેને લાફો પણ મારી દીધુ છે,,ત્યારે આ તમામ યુવાનો હવે હાર્દીકની સામે પડ્યા છે, ત્યારે હાર્દીક પટેલે પણ
હવે સંભાળીને રહેવાની જરુર છે, અને કદાજ એટલા માટે જ હાર્દીક આવી એડ ફિલ્મ થકી પોતાની ઇમેજ હવે સુધારાવા માંગે છે અને નારાજગી દુર કરવા માંગે છે, છતાં
જે રીતે તેના એક ટ્ટીટ ઉપર અને એક વિડીયો પોસ્ટ કરવા સાથે જ હજારો લોકો તેના પેજ ઉપર જઇને જે રીતે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે તેનાથી લાગતુ નથી કે
આવા ગતકડા કરવાથી લોકોની નારાજગી દુર થશે, કારણ કે આમા રિયેક્શન કોઇ સમાજના લોકો નથી આપતા વિવિધ સમાજના લોકો હાર્દીક પટેલથી નારાજ છે તેમ આ રિયેક્શન
જોતા લાગે છે,

કોંગ્રેસના કયા નેતાએ જગદીશ ઠાકોરને જયચંદોથી સાવધાન રહેવાની સલાહ આપી

https://www.facebook.com/watch/live/?extid=NS-UNK-UNK-UNK-IOS_GK0T-GK1C&ref=watch_permalink&v=560064252332748

વાઘાણીએ સીઆર પાટીલના નામે કેમ કર્યો બદલી માટે ફોન !

Advertisement

હસમુખ પટેલે હર્ષ સંધવીને કેમ પુછ્યુ કે વ્યાજખોરો ડામવા માટે તમારી પાસે શુ યોજના છે

Advertisement

અમદાવાદ

ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

Published

on

 

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.

મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.

આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.

Advertisement

તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!

આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.

પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.

આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!

Advertisement
Continue Reading

અમદાવાદ

પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

Published

on

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .

આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો

Continue Reading

અમદાવાદ

આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

Published

on

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી

 

નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.

Advertisement

મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન

મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.

રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી

Advertisement

ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.

જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે

આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.

અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

Advertisement

આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

Continue Reading
Advertisement

Trending