Connect with us

અમદાવાદ

આપ અને મોંઘવારીનો ઓછાયો ભાજપની કારોબારીમાં કેમ દેખાયો !

Published

on

આપ અને મોંઘવારીનો ઓછાયો ભાજપની કારોબારીમાં કેમ દેખાયો !

ગુજરાત વિધાનસભાની ચૂંટણી  જંગ જીતવા ભાજપે કમર કસી છે, ગુજરાતની સ્થાપનાથી અત્યાર સુધીમાં કોઇ રાજકીય પક્ષને સફળતા ન મળી હોય, તેવી સફળતા આ વખતે ગુજરાત ભાજપ ઇચ્છે છે

જો કે આ વખતની પ્રદેશ ભાજપની કારોબારીમાં આમ આદમી પાર્ટી અને મોંધવારીનો મુદ્દો ભાજપમાં લક્ષ્યાંકમાં પડકાર રુપ બની શકે  તેમ છે, જેની આશંકા પણ વ્યક્ત કરાઇ છે, સાથે સાથે

કાર્યકર્તાઓને હૈયા ધારણા અપાઇ છે પાર્ટી દ્વારા મેરીટના આધારે ટિકીટ અપાશે,

Advertisement

 

સુરતમાં બે દિવસ માટે ભારતિય જનતા પાર્ટીની સરકાર અને સંગઠન બન્ને મળી આગામી ચૂંટણીનુ રોડ મેપ તૈયાર કર્યો,, જેમાં 182 વિધાનસભા બેઠકો જીતવા માટે માઇક્રો પ્લાન તૈયાર થયો છે,

જેનો અમલી કરણ માટે પણ કાર્યકર્તાઓને જવાબદારી સોપી દેવાઇ છે, પ્રથમ વખત  વિધાનસભા બેઠક વાઇસ નિમણુંક કરાયેલ પ્રભારીઓ બેઠકમાં સ્થાન અપાયુ હતું,  આ બેઠકના પ્રથમ દિવસે

જાપાનના પુર્વ વડા પ્રધાન સીંજી આબેને શ્રધ્ધાંજલિ અપાઇ,, તેની સાથે સીએમ ભુપેન્દ્ર પટેલ હોય કે સીઆર પાટીલ, કે પછી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ગુજરાતના બે કેન્દ્રિય પ્રધાનો કેમ ન હોય

તેઓએ પણ કાર્યકર્તાઓને કેન્દ્ર સરકાર અને સંગઠનની સફળતાઓ ગણાવી,  જેમાં ગુજરાતમાં કઇ રીતે સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપે ભવ્ય જીત મેળવી તેની વાત કહી, તે સિવાય પેજ સમિતીની કામગીરીને પણ ચંદ્રકાંત પાટીલે

Advertisement

વખાણી હતી,

પાટીદાર અનામત આદોલન દલિત આંદોલન ઓબીસી આંદોલનની વચ્ચે ગુજરાતમાં વર્ષ 2017માં વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતી, એ દરમિયાન બીજેપી માટે સત્તા પર પરત આવવુ મુશ્કેલ હતું એટલુ જ ઉમેદવારોની પસંદગી પણ પડકાર જનક હતી ત્યારે  પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલે  ક્હયુ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સંખ્યા બધ્ધ કાર્યકર્તાઓએ ટિકીટ માંગી હતી, પણ આપણે નિશ્ચિત કાર્યકર્તાઓને ટીકીટ આપી સકયા હતા, બાકીના કાર્યકર્તાઓએ ઘરે બેસવાના બદલે પાર્ટીને જીતવાડવાનો કામ કર્યુ હતું,

કયા નેતાએ કહ્યુ કે ગુજરાતમાં ભાજપને સત્તા જવાનો છે ડર

ટિકીટ ન મળે તો પણ કામ કરવાની ચંદ્રકાંતે પાટીલે કેમ આપી સલાહ 

સુત્રોની વાત સાચી માનીએ તો વર્ષ 2022માં યોજાનાર ચૂંટણીમાં  ભારતિય જનતા પાર્ટી દ્વારા નવતર પ્રયોગ કરી નો રિપીટ ફોર્મ્યુલા લાવવામાં આવે તેવી શક્યતા છે, જે પ્રકારે સ્થાનિક સ્વરાજમા મેયરથી લઇ કાઉન્સિલર સુધી

Advertisement

તમામને પાર્ટીએ બદલી નાખ્યા હતા, તેમના સ્થાને નવા લોકોને તક પાર્ટીએ આપી હતી, એ જ રીતે વિધાનસભાની ચૂંટણીમાં પણ નવા લોકોને તક મળે તેવી શક્યતાઓ છે, ત્યારે પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલે કહ્યુ છે પાર્ટી મેરીટના આધારે ટીકીટ આપશે, સુત્રોની વાત સાચી માનીએ તો બીજેપી દ્વારા રાજ્યની તમામ વિધાનસભા બેઠકો પર ઉમેદવારોથી લઇ ધારાસભ્યોની કામગીરી તેમનો પ્રભાવ  વિસ્તારની સમસ્યાઓ વિપક્ષના લોકોનો પ્રભાવ સમાજીક આગેવાનોનો પ્રભાવ સહિત વિવિધ પ્રકારના પ્રશ્નો બાબતે સર્વેની કામગીરી કરી દેવાઇ છે, એજન્સી દ્વારા રિપોર્ટ તૈયાર કર્યા બાદ પાર્ટીમાં સોપી દેવાયો છે, અલગ અલગ એજન્સીઓના રિપોર્ટના આધારે જીતી શકે તેવા

મજબુત ઉમેદવારની પાર્ટી દ્વારા પસંદગી કરાશે, ત્યારે ત્રણ કે ચાર ટર્મ ચુંટાયેલા 65 વરસથી વધુ વયના આગેવાનોની ટિકીટ કાપીને નવા ઉમેદવારોને તક આપી શકાય છે, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં જે પ્રકારે ભાજપે યુવાનોને તક આપી છે, એ પ્રકારે વિધાનસભામાં પણ યુવા ચહેરાઓ તક આપી શકે છે,  જ્યારે સિનિયર અનુભવી અને પ્રજામાં પકડ ધરાવતા નેતાઓને  ચૂંટણી જીતાડવાની જવાબદારી સોપાશે,

બળાત્કારનો કેસ પરત ખેચવાનો કયા પ્રધાન કરી રહ્યા છે દબાણ-વધુ એક ઓડિયો ક્લીપ વાયરલ 

વધતી મોંધવારી અને આમ આદમી પાર્ટીનો નથી કોઇ જવાબ- નાના નેતાઓમાં ચર્ચા

સુત્રોની માનીએતો ગુજરાત ભાજપના સિનયર નેતાઓએ ભાજપ સરકારની અનેક સિધ્ધીઓ ગણાવી,, કાર્યકર્તાઓમાં જોશ ભરવાનું કામ અવશ્ય કર્યુ,, છતાં આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં વધતો પ્રભાવ, અને મોંધવારીથી જે રીતે પ્રજા ત્રસ્ત છે, તે વાતની ચર્ચા દબાયેલી આવાજમાં કાર્યકર્તાઓમાં થતી રહી,, કાર્યકર્તાઓમાંં ચિન્તા એ વાતની છે કે જે રીતે પેટ્રોલ ડીઝલ અને ગેસ મોંધું થયુ છે, તેના કારણે કયા મોઢે મતદારો પાસે જઇને મત માંગવામાં આવશે

Advertisement

ખાસ કરીને હવે લોકો જ્યારે સવાલ પુછતા થયા છે તેવા સંજોગોમાં માત્ર રાષ્ટ્રવાદ, દેશભક્તિ,હિન્દુ મુસ્લિમ, ધ્રુવીકરણ કરીને મતદારોને નહી સમજાવી શકાય, કેટલાક નાના નેતાઓ તો ત્યાં સુધી કહેતા દેખાયા કે મોટા નેતાઓને તો

માત્ર કહેવુ છે, જે કાર્યકર્તાઓ ફિલ્ડમાં જાય છે તેમની હાલત ખરાબ છે, કારણ કે ગરીબ અને મધ્યમ વર્ગને મોંધવારીએ જ્યારે પીંખી નાખી હોય, રોજગારી હોય નહી, આવક ઓછી થઇ હોય તેવા કંડીશનમાં મોધવારી આપ કરતા પણ  મોટી વિલન સાબિત થઇ શકે છે,  તે સિવાય જે રીતે આમ આદમી પાર્ટીનો પ્રભાવ ગુજરાતમાં વધી રહ્યો છે, અને વિજળી મફત આપવાનો જે રીતે તેમનો અભિયાન ચાલ્યો તેનાથી લોકો હવે મફતની વાત કરતા થઇ ગયા છે,સાથે ચર્ચા એ છે કે ભુતકાળમાં ભારતિય જનતા પાર્ટીએ વર્ષ 1995માં જ્યારે  એસટી બસ, ભાડામાં રાહત, વિજ બિલમાં રાહત આપીને સત્તાનું સુખ માણ્યુ છે, એજ માર્ગે હવે  આપ પણ ગુજરાતની જનતા એ જ વાયદા કરીરહી છે

ત્યારે તેનો કાઉન્ટર કરવો અત્યારે ગુજરાત ભાજપ માટે અધરુ સાબિત થઇ રહ્યુ છે, ત્યારે મોંધવારી અને આમ આદમી પાર્ટી હાલ ભાજપ માટે ચિન્તાનો વિષય છે,

Advertisement

અમદાવાદ

ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

Published

on

 

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.

મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.

આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.

Advertisement

તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!

આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.

પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.

આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!

Advertisement
Continue Reading

અમદાવાદ

પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

Published

on

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .

આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો

Continue Reading

અમદાવાદ

આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

Published

on

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી

 

નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.

Advertisement

મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન

મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.

રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી

Advertisement

ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.

જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે

આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.

અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

Advertisement

આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

Continue Reading
Advertisement

Trending