By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ભારત જોડો યાત્રા શામાટે? 150 દિવસની ‘ભારત જોડો યાત્રા’
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > ભારત જોડો યાત્રા શામાટે? 150 દિવસની ‘ભારત જોડો યાત્રા’
અમદાવાદગુજરાતરાજકારણ

ભારત જોડો યાત્રા શામાટે? 150 દિવસની ‘ભારત જોડો યાત્રા’

Web Editor Panchat
Last updated: September 8, 2022 6:44 pm
Web Editor Panchat Published September 8, 2022
Share
SHARE

ભારત જોડો યાત્રા શામાટે?

દક્ષિણમાં કન્યાકુમારીથી લઈ ઉત્તરમાં કાશ્મીરના શ્રીનગર સુધી 3,570 કિલોમીટરની; 150 દિવસની ‘ભારત જોડો યાત્રા’ 7 સપ્ટેમ્બર 2022ના રોજ કન્યાકુમારીથી શરુ થઈ છે. 12 રાજ્યોમાંથી આ પદયાત્રા પ્રસાર થશે. રાજ્યોમાં પેટા સમર્થક યાત્રાઓ પણ નીકળશે.

આ યાત્રાનો ઉદ્દેશ શું છે? દેશમાં સાંપ્રદાયિક બળો; નફરત/હિંસા ફેલાવી રહ્યા છે; બંધારણીય મૂલ્યો-સમાનતા/સ્વતંત્રતા/ન્યાય/બંધુત્વ ઉપર પ્રહાર કરી રહ્યા છે. ગાંધીજીના હત્યારાઓને દેશભક્ત તરીકે રજૂ કરીને હિંસાનું ખૂલ્લેઆમ સમર્થન કરી રહ્યા છે; ભારત તોડોના કામમાં લાગેલી વિકરાળ શક્તિઓ વચ્ચે ભારત જોડો આંદોલન દેશહિત/લોકહિત માટેનું છે. દેશમાં સાંપ્રદાયિક ધ્રુવીકરણ થઈ રહ્યું છે, બંધુત્વની ભાવના તૂટી રહી છે; મોંઘવારી/બેરોજગારી વગેરે મુદ્દાઓથી ધ્યાન હટાવવા કોર્પોરેટ ટીવી ચેનલો નફરતી ચર્ચાઓ કરી રહી છે; તેની સામે દેશના લોકોને જોડવાનો આ યાત્રાનો હેતુ છે. આપણે અલગ અલગ ધર્મ/જાતિ/રંગ/ભાષામાં વહેંચાયેલા છીએ; અલગ અલગ ભાવનાઓ છે. 130 કરોડ લોકોના દેશને એક રાખવા માટે ભાઈચારો/પોતાનાપણું/એક બીજા પ્રત્યે સંવેદનાની ભાવના છે; તે ખોવાઈ ન જાય તે માટે આ યાત્રા છે. યાત્રાની ટેગ લાઈન છે-‘મિલે કદમ, જુડે વતન.’ દેશ અને બંધારણીય મૂલ્યોને બચાવવા; ભગતસિંહ/ગાંધીજી વગેરે હજારો શહિદોની શહીદી એળે ન જાય તે માટે ભરવામાં આવેલું સાચી દિશાનું ઐતિહાસિક પગલું છે. આ યાત્રા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના વડપણ હેઠળ નીકળી રહી છે; સ્વાભાવિક છે કે કોંગ્રેસ પોતાને મજબૂત કરવા ઈચ્છે છે. કોઈપણ રાજકીય પક્ષ હકારાત્મક યાત્રાઓ યોજે તે લોકજાગૃતિ માટે/લોકશાહીની તંદુરસ્તી માટે આવશ્યક છે. જ્યારે કોર્પોરેટ મીડિયા/ ગોદી મીડિયા વિપક્ષનું ચરિત્રહનન કરતું હોય; સત્તાપક્ષ દ્વારા વિપક્ષનો અવાજ સંસદમાં રુંધવામાં આવતો હોય; IT Cell દ્વારા સોશિયલ મીડિયામાં સતત જૂઠ પીરસવામાં આવતું હોય; ત્યારે વિપક્ષ પાસે એક જ રસ્તો છે, લોકો વચ્ચે જવાનો ! સત્તાપક્ષ સત્તા માટે લોકો વચ્ચે ધૃણા ફેલાવે છે; વિપક્ષ લોકોને જોડવાની વાત કરે છે; આ તફાવત સમજવાનો છે. ભારત જોડો યાત્રા ‘મન કી બાત’ નથી; ‘જન કી બાત’ છે !

સ્વાભાવિક છે કે સત્તાપક્ષને આ યાત્રા ન ગમે; તેમની દલીલ છે કે “આ તો ‘રાહુલ ગાંધી બચાઓ યાત્રા’ છે ! ઢોંગ છે !” સિવિલ સોસાયટીના 240 પ્રસિદ્ધ હસ્તીઓએ; ‘ભારત જોડો યાત્રા’માં જોડાવા લોકોને અપીલ કરી છે. સિવિલ સોસાયટીમાં; સ્વરાજ ઇન્ડિયાના સ્થાપક યોગેન્દ્ર યાદવ/ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિર્માતા આનંદ પટવર્ધન/ ઓલ ઈન્ડિયા સેક્યુલર ફ્રન્ટના અનિલ સદગોપાલ/ નાગરિક અધિકાર કાર્યકર્તા અંજલિ ભારદ્વાજ/ થીએટર આર્ટિસ્ટ અનુરાધા કપૂર/ પત્રકાર મૃણાલ પાંડે/પૂર્વ સાંસદ ધર્મપાલ ગાંધી વગેરે સામેલ છે. સિવિલ સોસાયટીની દલીલ છે કે “ભારતમાં ગણતંત્ર પર ખતરો છે ! આપણા ગણતંત્રના મૂલ્યો પર અગાઉ ક્યારેય જઘન્ય હુમલા થયા નથી; જેટલા હાલના સમયે થઈ રહ્યા છે. આ પહેલાં ક્યારેય સમુદાયોમાં નફરત/વિભાજન/કોઈને હાંસિયામાં ધકેલવાની કોશિશ આટલી બેરહમીથી થઈ નથી. આ પહેલાં ક્યારેય કિસાનો/ શ્રમિકો/ દલિતો/ આદિવાસીઓ/મહિલાઓ/ ધાર્મિક લઘુમતીઓને આ પ્રકારના રાષ્ટ્રીય સંકટનો સામનો કરવો પડ્યો નથી. આ નિર્ણાયક ક્ષણ છે. આપણે નિર્ણય કરવાનો છે !” સાર એટલો કે કોઈ પણ પક્ષ; ગોડસેવાદી સત્તાનો વિરોધ કરે તો તેમનો અવાજ બુલંદ બને તે માટે સહયોગ આપવો જોઈએ !

You Might Also Like

GCAS પોર્ટલ ફેલ કે પાસ ! વિદ્યાર્થીઓ કે વાલીઓ માટે હાલાકીનો ઘર કે પછી ઘર બેઠા ગંગા !

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વતનભૂમિ વડનગરમાં ઉજવાશે રાજ્યકક્ષાનો ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

કડી અને વિસાવદરમાં કોણ મારશે બાજી ! અપસેટ સર્જાશે કે પુનરાવર્તન થશે !

જૂનાગઢનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ઇન્ડિયન ગ્રે વુલ્ફના સંરક્ષણ માટે બન્યું આશાનું કિરણ

મગ, મઠ, અડદ અને ચોળા જેવા ખરીફ કઠોળ પાકમાં રોગ-જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં અને વાવણી સમયે ખેડૂતોએ આટલું જરૂર કરવું…..!!

TAGGED:BHARAT JODO YATRACongressmanish doshirahul gandhi
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

રાજ્યના જરૂરિયાતમંદ સાચા રેશનકાર્ડ ધારકોએ લાભ લેવા e-KYC કરાવવું જરૂરી : રાજ્યમાં ૮૮ ટકા e-KYC પૂર્ણ : અન્ન- નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
1941 વર્સી 2025 નુ કલેન્ડર : 1941 જેવું જ છે 2025નું કેલેન્ડર : 84 વર્ષ પછી ફરી આવ્યુ શ્રાપિત વર્ષ? જાણો જ્યોતિષ અનિલ પટેલ શુ કહે છે
અમદાવાદ એન્ટરટેનમેન્ટ ગુજરાત જ્યોતિષ
AI 171 વિમાનના પાઇલટ અને કો-પાઇલટના મૃતદેહનું પોસ્ટમોર્ટમ, એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના પ્રોટોકોલ મુજબ કરવામાં આવ્યું
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શ્રમિકોનો ‘અંત’ સુધી સાથ નિભાવે છે ગુજરાત સરકારની અંત્યેષ્ટિ સહાય યોજના
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
અમદાવાદ વિમાન દુર્ઘટના – અત્યાર સુધીમાં કુલ ૨૦૮ મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા, જેમાંથી ૧૭૩ મૃતદેહ પરિવારજનોને સોંપાયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?