By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: જે ખેડૂત નથી એને ખેડૂત થવાની આઝાદી કેમ નહિ? પ્રો. હેમંતકુમાર શાહ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > જે ખેડૂત નથી એને ખેડૂત થવાની આઝાદી કેમ નહિ? પ્રો. હેમંતકુમાર શાહ
અમદાવાદગુજરાતશિક્ષણ

જે ખેડૂત નથી એને ખેડૂત થવાની આઝાદી કેમ નહિ? પ્રો. હેમંતકુમાર શાહ

Web Editor Panchat
Last updated: February 5, 2023 4:56 pm
Web Editor Panchat Published February 5, 2023
Share
SHARE

 

આજકાલ ગુજરાત સહિતનાં મોટા ભાગનાં રાજ્યોમાં ખેતીની જમીન અંગે એવા કાયદા છે કે જે ખેડૂત નથી તે ખેતીની જમીન ખરીદી શકે નહિ અને ખેડૂત બની શકે નહિ.

જો કે, કોઈ ખેડૂતનાં સંતાનો અને ખેડૂત પોતે પણ ડોક્ટર, વકીલ, પ્રોફેસર, શિક્ષક, અભિનેતા, અભિનેત્રી, નર્તક, કવિ, આર્કિટેક્ટ, એન્જિનિયર, આઇએએસ, કોન્ટ્રેક્ટર, મેનેજર, શેરદલાલ, દુકાનદાર, બેન્કર, સીએ, સીએસ, કંપનીઓના માલિક વગેરે બધું જ થઈ શકે છે. આ લોકો આ બધું જ થવા છતાં પણ વળી પાછા ખેડૂત રહી પણ શકે છે. તેઓ પોતાની જમીન પર જાતે ખેતી ન કરે તો બીજાની પાસે કરાવી શકે છે! તેમની પાસે પાંચ વીઘા જમીન હોય અને એમને પચાસ વીઘા જમીન બીજી ખરીદવી હોય તો ખરીદી પણ શકે છે. તેમને ગમે તેટલા મોટા ખેડૂત થવું હોય તો થઈ શકે છે.

પરંતુ જે પોતે ખેડૂત નથી અને જેની પાસે ખેતીની જમીન નથી એવી વ્યક્તિને ખેતીની જમીન ખરીદવી હોય અને ખેતીનો વ્યવસાય કરવો હોય તો તે ના કરી શકે કારણ કે એનાથી ખેતીની જમીન ખરીદી શકાય નહિ એવા કાયદા છે!

આ દેશમાં આશરે પચાસ કે સો વર્ષ પહેલાં લગભગ બધા પરિવારો ખેડૂતો જ હતા. દેશ આઝાદ થયો ત્યારે આશરે ૮૨ ટકા લોકો ખેતીમાંથી રોજગારી મેળવતા હતા. પછી દુકાળ પડ્યા, શહેરો વિકસ્યાં અને ખેતી સિવાયના ઉદ્યોગ-ધંધા વિકસ્યા એટલે ઘણાએ પોતાની ખેતીની જમીનો વેચી નાખી અને તેમનાં આજનાં સંતાનો પાસે તેમના બાપદાદા ખેડૂત હતા એવા કોઈ પુરાવા પણ રહ્યા નહિ. આવી વ્યક્તિઓને ખેડૂત થતાં હવે સરકારો રોકે છે કારણ કે એવી દલીલ કરવામાં આવે છે કે હાલ જેઓ ખેડૂતો છે તેમની જમીનો આ રીતે જેઓ હાલ ખેડૂત નથી એમની પાસે જતી રહેશે અને ખેડૂતો કોઈ અસ્કામત વિનાના થઈ જશે.

આ દલીલ તદ્દન વાહિયાત છે. વાસ્તવમાં આ સરકારો દ્વારા ખેડૂતોની કરવામાં આવતી તદ્દન બોગસ આળપંપાળ છે.

હવે નવા કાયદા અને નીતિઓ અનુસાર કોઈક કંપની ખેડૂતો પાસેથી ખેતીની જમીન ખરીદી શકે અને કંપની ખેતી કરી શકે. એને કોર્પોરેટ એગ્રિકલ્ચર કહેવામાં આવે છે. સરકારો આવી ખેતીને પ્રોત્સાહન આપી રહી છે.

વળી, ખેતીની જમીનો બિન-ખેતી (NA) તો મોટા પાયા પર થઈ જ રહી છે. એમાં ખેડૂતો જમીનો વેચી જ દે છે.

એક દાખલો આપું. હું ખેડૂત નથી. મારા પિતાજીના દાદા એક ગામમાં ખેડૂત અને પશુપાલક હતા. લગભગ ૧૨૩ વર્ષ પહેલાં સંવત ૧૯૫૬ના છપ્પનિયા દુકાળ વેળા ગામ છોડીને ખેતીની જમીન અને ઢોર, ઘર, દુકાન વગેરે વેચીને જે ભાવ મળ્યા તે લઈને વખાના માર્યા ભાગ્યા અને અમદાવાદ આવીને વસ્યા એમ મારા પિતાજી કહેતા હતા.

હવે અમે ખેડૂત હતા તેનો કોઈ પુરાવો છે જ નહિ. મારે જાતે ખેતી કરવી હોય તો મને સરકાર કાયદા દ્વારા ખેતીની જમીન ખરીદવાની ના પાડે છે. પણ હું જો કોઈ કંપની બનાવું અને ખેતી કરું તો હા પાડે. કોઈ કારખાનું નાખવા ખેતીની જમીન ખરીદી તેને NA કરાવું તો વાંધો નહિ. અરે, માની લો કે હું અમદાવાદ મહાનગરપાલિકાની હદમાં એક એકર જમીન ખરીદી એને NA કરાવું અને એમાં નાનું મકાન બાંધીને રહું અને બાકીની જમીનમાં ખેતી કર્યા કરું તો પણ વાંધો નહિ! કમાલ છે આ તો!

ખેતીની જમીનનું બજાર બીજાં બજારોની જેમ જ મુક્ત હોય તો વાંધો શું? જે ખેડૂતને ખેતીની જમીન જેને વેચવી હોય એને વેચવા દો અને જેને ખરીદવી હોય એને ખરીદવા દો. વેચનાર અને ખરીદનાર ભાવ નક્કી કરશે. એમાં સરકારે પ્રતિબંધો મૂકવાની જરૂર શી છે?

આદિવાસી વિસ્તારોની ખેતીની જમીનના વેચાણ અને ખરીદી પર આ જ પ્રકારના પ્રતિબંધો છે. શા માટે?

હાલ જેઓ ખેડૂતો છે તેઓ ગાંડા તો નથી જ કે તેમની જમીનો ઓછા ભાવે વેચી મારે. જેઓ ખેડૂત નથી તેઓ ખેતીની જમીનો ખરીદવા નીકળે તો શક્ય છે કે માંગ વધવાને લીધે જમીનોના ભાવ વધે અને હાલ જેઓ ખેડૂત છે તેમને વધુ ભાવ મળે.

બિન-ખેડૂત વ્યક્તિગત રીતે ખેડૂત થઈ જ ના શકે એવા કાયદા તદ્દન બિન-તાર્કિક છે. જો એમ જ રાખવું હોય તો પછી જે ખેડૂત સંતાનો બીજા વ્યવસાયમાં જાય તેઓ ખેતી ના કરી શકે અને ખેડૂત ના રહી શકે એવું કરી શકાય? એવું તો થાય જ નહિ ને! ખેડૂતો કે તેમનાં સંતાનો બીજું કંઈ ન થઈ શકે, તેમણે તો ખેતી જ કરવાની, એવું થઈ શકે? ના, એવું પણ ના થઈ શકે. તો કોઈ પણ બિન-ખેડૂતને પણ ખેડૂત થવા દો ને.

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?