Connect with us

અમદાવાદ

વિશ્વ નર્સિસ ડે :- સિવિલ હોસ્પિટલના અંગદાનના સેવાયજ્ઞમાં સહાયક તરીકે ચાવીરૂપ ભૂમિકા અદા કરતા નર્સિગ સ્ટાફ

Published

on

વિશ્વ નર્સિસ ડે :- સિવિલ હોસ્પિટલના અંગદાનના સેવાયજ્ઞમાં સહાયક તરીકે ચાવીરૂપ ભૂમિકા અદા કરતા નર્સિગ સ્ટાફ
…………………
I.C.U. કેર માટે સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફની “ટીમ 90” રાઉન્ડ ધ ક્લોક ફરજરત
…………………………
નર્સ નેહાબહેને ચર્ચમાં ખ્રિસ્તી સમાજના લોકોને અને સોશિયલ મીડિયામાં “ડોનેટ યોર સેલ્ફ” કેમ્પેઇન થી અંગદાન પ્રત્યેની જાગૃતીના પ્રયત્નો હાથ ધર્યા
………………………..
ઓર્થોપેડિક, સર્જીકલ અને ગાયનેક વિભાગની ઓ.ટી.માં દર્દીના જીવ બચાવવા સર્જરી થાય છે જ્યારે રીટ્રાઇવલ સેન્ટરમાં 9 દર્દીઓને નવજીવન આપવા – નેહા સિસ્ટર

મણિનગર તોડ કાંડમાં માછલીઓ વિરુધ્ધ એફઆઇઆર-મગરમચ્છ સામે ક્યારે પગલા !

/>


……………………..
આજે 12 મી મે એટલે “વિશ્વ નર્સિસ ડે”. નર્સિસ દિવસે અમદાવાદ સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફની મહત્વની કામગીરી આપ સમક્ષ મૂકવી છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલે આદરેલા અંગદાનના મહાયજ્ઞમાં 60 વ્યક્તિઓના અંગદાન થકી 163 જેટલા જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન આપવામાં સફળતા મળી છે. આ સફળતા પાછળ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ, તબીબો, ,કાઉન્સેલર્સ, સિક્યુરીટી ગાર્ડ અને નર્સિંગ સ્ટાફની મહેનત જોડાયેલી છે.
સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ ખાસ કરીને અંગદાનના પરિપ્રેક્ષ્યમાં જોઇએ તો આઇ.સી.યુ. કેર અને ઓપરેશન થીયેટરમાં ફરજરત નર્સિંગ સ્ટાફ અંગદાન માટે બેકબોન બનીને કાર્ય કરી રહ્યું છે.
આઇ.સી.યુ. કેર માટે “ટીમ 90” એટલે કે 90 નર્સિંગ સ્ટાફ ઇમરજન્સી કેર માટે દિવસ રાત રાઉન્ડ ધ ક્લોક કાર્ય કરે છે.
ખાસ કરીને દર્દી જ્યારે ગંભીર હાલતમાં હોય અને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવે ત્યારે તેને સી.પી.આર. આપવું, ઇમરજન્સી ડ્રગ્સ આપવા, જરૂરિ વાઇટ્સ દર કલાકે મોનીટર કરવાની કામગીરી આ મિત્રો કરે છે.
હોસ્પિટલમાં દાખલ દર્દીની કલાકે કલાકની રજે રજ ની માહિતી – ડેટા નોંધવાનું કાર્ય પણ નર્સિંસ કરતા હોય છે.
આઇ.સી.યુ. કેરમાં આવા જ એક 29 વર્ષીય નર્સ તન્વીબેન કે જેઓ છેલ્લા ત્રણ વર્ષથી આઇ.સી.યુ. કેરમાં સેવારત છે જણાવે છે કે, બ્રેઇનડેડ દર્દીને આઇ.સી.યુ. માંથી ઓપરેશન થીયેટર સુધી પહોંચાડવા સુધીની કામગીરી ઘણી મહત્વની હોય છે.
બ્રેઇનડેડ દર્દીના શરીરના તમામ માપદંડો અને સપોર્ટ સિસ્ટમને લાઇવ રાખવું ખૂબ જ જરૂરી બની રહે છે જે કાર્ય આઇ.સી.યુ. નર્સિંગ સ્ટાફ દ્વારા કરવામાં આવે છે.
બ્રેઇનડેડ દર્દી ઓપરેશન થીયેટરમાં પહોંચી જાય ત્યારે ઓપરશન થીયેટરમાં અલગ નર્સિંગ સ્ટાફ હોય છે જે સર્જરીને લગતી કામગીરીમા સહાયકની ભૂમિકા અદા કરે છે.
આવા જ અન્ય એક નર્સ કે જેઓએ સ્વને ભૂલીને સમષ્ટિ માટે કાર્ય કરવાને પ્રાથમિકતા આપીને અંગદાન માટેના રીટ્રાઇવલ સેન્ટરમાં સહર્ષ ડ્યુટી સ્વીકારી. આ ફરજને નૌકરી માટે નહીં પરંતુ સમાજમાં લોકઉપયોગી બનવાના ઉદ્દેશ સાથે ફરજ અદા કરીને મિસાલ કાયમ કરી છે. આ નર્સ છે “નેહા સિસ્ટર”.

અમદાવાદમાં એચ એલ ત્રિવેદી કિડની હોસ્પિટલમાં નર્સિંગ દિવસની ઉજવણી કરાઇ

Advertisement

સિવલ હોસ્પિટલમાં ફરજરત નેહા સિસ્ટર ઘણાં સમયથી પ્લાસ્ટીક ઓપરેશન થીયેટરમાં ફરજ અદા કરી રહ્યા છે. તેમણે સિવિલ હોસ્પિટલના અંગદાનની મુહિમમાં સહર્ષ જોડાઇને સેવાકાર્ય કરવાનો સંકલ્પ કર્યો છે.
નેહા સિસ્ટર ઓર્થોપેડિક ઓપરેશન થીયેટર,ગાયનેક ઓ.ટી.,સર્જીકલ ઓ.ટી. સહિત પ્લાસ્ટિક ઓ.ટી.માં કામગીરી કરવાનો બહોળો અનુભવ ધરાવે છે.
અંગદાનના રીટ્રાઇવલ સેન્ટરમાં કામગીરી અન્ય થી કંઇ રીતે અલગ છે તેના વિશે જણાવતા તેઓ કહે છે કે, અન્ય ઓપરેશન થીયટેરમાં દાખલ દર્દીના જીવ બચાવવા માટે ઓપરેશન કરવામાં આવે છે જ્યારે રીટ્રાઇવલ સેન્ટરમાં 9 વ્યક્તિઓને નવજીવન આપવા . સિસ્ટર પોતાની કામગીરી વિશે માહિતી આપતા જણાવે છે કે, બ્રેઇનડેડ શરીરને આઇ.સી.યુ.માંથી માનપૂર્વક રીટ્રાઇવલ સેન્ટરમાં લઇ જવામાં આવે છે. શરીરને લાઇવ સપોર્ટીંગ સીસ્ટમ પર જીવંત રાખવા માટેની વ્યવસ્થા હાથ ધરાય છે. મારી અન્ય કામગીરીમાં રીટ્રાઇવલ કરતા તબીબો અને પ્રત્યારોપણ માટે આવેલા તબીબોને ઓ.ટી. ડ્રેસ, અન્ય ઉપકરણો ઉપલબ્ધ કરાવવા અને તમામ પ્રકારની વ્યવસ્થાનું સુદ્રઢ અને ત્વરીત આયોજન કરવાનું હોય છે.
તબીબો સાથે સહાયક તરીકે સંપૂર્ણ પ્રક્રિયા સાથે જોડાઇને તમામ અંગોનું રીટ્રાઇવલ થઇ ન જાય ત્યાં સુધી રાઉન્ડ ધ ક્લોક ખડેપગે ફરજ રહીએ છીએ.
નેહા સિસ્ટર સિવિલ હોસ્પિટલના ફરજ ના કલાકો બાદ સમાજ પ્રત્યેની ફરજ અને ઉત્તરદાયિત્વ નિભાવવા ઓર્ગેન ડોનેશની જાગૃતી માટે ડોનેટ યોર સેલ્ફ કરીને સોશિયલ મીડિયા પર કેમ્પેઇનીંગ કરે છે.
ચર્ચમાં ખ્રિસ્તી સમાજના લોકોમાં પણ અંગદાન પ્રત્યે જાગૃકતા લાવવા તેઓએ જનજાગૃતિની પ્રવૃતિઓ આરંભી છે.
સિવિલ હોસ્પિટલના અંગદાનની મુહિમ 60 એ પહોંચી છે. સિવિલ હોસ્પિટલ તંત્રના અથાગ પરિશ્રમ અને આદરેલા સેવાયજ્ઞમાં 60 અંગદાતાઓના પરિવારજનોએ કરેલા અંગોના દાન થકી 163 જીવોમાં જીવ આવ્યો છે.
અંગદાન બાદ અંગોના રીટ્રાઇવલ માટે જેટલી મહેનત તબીબો કરે છે તેટલો જ પરિશ્રમ તેમના સાથે રહીને નર્સિંગ સ્ટાફ દ્વારા કરવામાં આવે છે.
નિષ્ણાંત તબીબો સાથે સહાયકની ભૂમિકા અદા કરીને અંગોનું રીટ્રાઇવલ કરીને તેને પ્રત્યારોપણ કેન્દ્ર સુધી મોકલવાની તમામ સફરમાં કળીરૂપ ભૂમિકા નર્સિંગ સ્ટાફની છે.
આજે સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીના વડપણ હેઠળની SOTTO ની ટીમ કે જેમાં સિનિયર તબીબો, ઇનટેન્સીવિસ્ટ, ન્યુરોસર્જરી, મેડિસીન ડિપાર્ટમેન્ટ ,એનેસ્થેટિક ડિપાર્ટમેન્ટ, જનરલ સર્જન, નર્સિંગ સ્ટાફ, કાઉન્સેલર્સ, સીક્યુરીટી ગાર્ડના સંકલનના પરિણામે જ અંગદાનની પ્રવૃતિએ વેગ પકડ્યો છે અને જવલંત સફળતા હાંસલ કરી છે.

ગુજરાતમાં દલિત સમાજના યુવકના વરઘોડા પર કોણે કર્યો પત્થરમારો !

અમદાવાદ

ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

Published

on

 

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.

મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.

આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.

Advertisement

તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!

આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.

પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.

આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!

Advertisement
Continue Reading

અમદાવાદ

પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

Published

on

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .

આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો

Continue Reading

અમદાવાદ

આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

Published

on

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી

 

નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.

Advertisement

મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન

મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.

રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી

Advertisement

ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.

જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે

આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.

અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

Advertisement

આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

Continue Reading
Advertisement

Trending