By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ 05 જુલાઇ સાંજે 05 કલાકે જોરણંગથી વંદે ગુજરાત વિકાસયાત્રાનો પ્રારંભ કરાવશે
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ 05 જુલાઇ સાંજે 05 કલાકે જોરણંગથી વંદે ગુજરાત વિકાસયાત્રાનો પ્રારંભ કરાવશે
ગાંધીનગરગુજરાતશિક્ષણ

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ 05 જુલાઇ સાંજે 05 કલાકે જોરણંગથી વંદે ગુજરાત વિકાસયાત્રાનો પ્રારંભ કરાવશે

Web Editor Panchat
Last updated: July 4, 2022 4:16 pm
Web Editor Panchat Published July 4, 2022
Share
SHARE

ગુજરાતના ૨૦ વર્ષના પુરુષાર્થને, ૨૦ વર્ષના વિશ્વાસને, ૨૦ વર્ષના વિકાસને વંદન કરવા અને જન જનને ગુજરાતની વિકાસયાત્રાથી વાકેફ કરવા સમગ્ર ગુજરાતમાં ‘વંદે ગુજરાત વિકાસયાત્રા’નું આયોજન કરાયું છે. મહેસાણા જિલ્લામાં તારીખ ૫ જુલાઈથી તારીખ ૧૯ જુલાઈ દરમિયાન જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બે વિકાસ રથ ગામેગામ ફરી જનજન સુધી પહોંચશે.
મહેસાણા જિલ્લામાં આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલ ૫ મી જુલાઈએ સાંજે ૫.૦૦ વાગ્યે મહેસાણા તાલુકાના જોરણંગ ગામેથી વંદે ગુજરાત વિકાસયાત્રાનો શુભારંભ કરાવનાર છે.
ગુજરાતે ૨૦ વર્ષમાં વિકાસની હરણફાળ ભરી છે. અનેક ક્ષેત્રે ગુજરાત અગ્રેસર છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સુકાન સંભાળ્યું હતું ત્યારથી ગુજરાતે સિદ્ધિઓના નવા શિખરો સર કર્યા છે. ગુજરાતની આ વિકાસયાત્રાને ગામેગામ લઈ જવાની સાથો સાથ લોકોને મળતા લાભો ગામેગામ જઈને પહોંચાડવામાં આવશે.
મહેસાણા જિલ્લામાં લોકહિતની વિવિધ યોજનાઓના 12,019 લાભાર્થીઓને રૂપિયા 12720.23 લાખના વિવિઘ સહાયના લાભો ઘર આંગણે જઈને અપાશે. એટલું જ નહીં, વંદે ગુજરાત વિકાસયાત્રાના ૧૫ દિવસ દરમિયાન મહેસાણા જિલ્લામાં રૂપિયા 347.99 લાખના 169 કામોનું લોકાર્પણ અને રૂપિયા 158.61 કરોડના 104 નવા વિકાસકામોનું ખાતમુહૂર્ત કરાશે.
જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં બે રથ અને શહેરી વિસ્તારમાં એક રથ પરિભ્રમણ કરશે. મહેસાણા જિલ્લામાં વંદે ગુજરાત વિકાસયાત્રા નાગરિકોને ગુજરાતની ગૌરવવંતી વિકાસગાથાથી વાકેફ તો કરશે જ, સાથોસાથ ભાવિ વિકાસનો રાજમાર્ગ પણ કંડારશે.
મહેસાણા જિલ્લામાં ત્રણ રથ વિવિધ ગામો અને શહેરોમાં પરીભ્રમણ કરી નાગરિકોને જાગૃત કરનાર છે.આ 15 દિવસોમાં સવારે 09-30 કલાકથી 11-30 કલાક તેમજ સાંજે 04-30 થી 06-30 કલાક ગામમાં પરીભ્રમણ કરનાર છે.આ ઉપરાંત જે ગામમાં રથ આવનાર છે તેના દિવસે શિક્ષણ વિભાગ દ્વારા સવારે 07 કલાકે પ્રભાતફેરી,આરોગ્ય વિભાગ દ્વારા સવારે 08 કલાકે યોગાભ્યાસ અને વન અને પર્યાવરણ વિભાગ દ્વારા સવારે 08-30 કલાકે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરાયું છે.
આ ઉપરાંત વિકાસ રથના કાર્યક્રમના દિવસે બપોરે 01 કલાકથી 04 કલાક સુધી આયુષ્યમાન ભારત પી.એમ.જે..વાય કાર્ડ વિતરણ,કે.વાય.સી અપડેટ,તેમજ નિરામય ગુજરાત આરોગ્ય કેમ્પનુ આયોજન થનાર છે.આ દિવસે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય વિરણ,હુકમ વિતરણ,પ્રમાણપત્ર,સનદ અને કિટ વિતરણનું આયોજન કરાયું છે.
આ પ્રંસગે નિવાસી અધિક કલેકટર ઇન્દ્રજીતસિંહ વાળા,નાયબ જિલ્લા વિકાસ અધિકારી અમીબેન,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક સહિત જિલ્લા,તાલુકા અને પાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

You Might Also Like

ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ

શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૫૩ ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ

Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

SC સમાજના પીડાના પ્રશ્નો લઈને વિધાનસભામાં લડીશું – ગરીબનો અવાજ હવે દબાશે નહીં: ગોપાલ ઇટાલીયા
Uncategorized
“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬
ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી નો ગૃહકલેશ ફરી જાહેર માં આવ્યો સામે !
આણંદ ગુજરાત રાજકારણ
ગુજરાતના લોકોમાં સહકારનો વારસો, સહયોગ અને સેવા ભાવના છે, એ જ રાષ્ટ્રની પ્રગતિનો માર્ગ છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
એસ.ટી. બસોની સફાઈ માટે રાજ્યના ૩૩ ડેપો ખાતે ‘ઓટોમેટીક વ્હીકલ વોશિંગ મશીન’ ઇન્સ્ટોલ કરાયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?