By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: AI 171 વિમાનના પાઇલટ અને કો-પાઇલટના મૃતદેહનું પોસ્ટમોર્ટમ, એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના પ્રોટોકોલ મુજબ કરવામાં આવ્યું
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > AI 171 વિમાનના પાઇલટ અને કો-પાઇલટના મૃતદેહનું પોસ્ટમોર્ટમ, એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના પ્રોટોકોલ મુજબ કરવામાં આવ્યું
અમદાવાદગવર્મેન્ટગુજરાત

AI 171 વિમાનના પાઇલટ અને કો-પાઇલટના મૃતદેહનું પોસ્ટમોર્ટમ, એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના પ્રોટોકોલ મુજબ કરવામાં આવ્યું

Web Editor Panchat
Last updated: June 18, 2025 7:43 pm
Web Editor Panchat Published June 18, 2025
Share
SHARE

વિમાન દુર્ઘટનામાં સિવિલ હોસ્પિટલનું ઉત્તમ આપત્તિ વ્યવસ્થાપન : દરેક મૃતદેહ, નશ્વર અવશેષ અને વસ્તુઓની યુનિક આઇડેન્ટિફિકેશન નંબરથી ઓળખ સુનિશ્ચિત કરાઈ
………
વિમાનના પાયલોટ કો–પાયલોટનું પોસ્ટ મોર્ટમ, એરક્રાફ્ટ એકસીડન્ટ ઇન્વિસ્ટીગેશન બ્યુરોના ધારાધોરણ મુજબ કરવામાં આવ્યું
……..
અમુક નાના નશ્વર અવશેષો હોવા છતાં, તમામનું પોસ્ટમોર્ટમ અને DNA સેમ્પલિંગ નિયત ધારાધોરણો મુજબ થયા
_ ડૉ. ધર્મેશ સિલજિયા.
….. ….. ….. ….. ….. …..

તાજેતરમાં અમદાવાદમાં બનેલી AI 171 વિમાન દુર્ઘટનામાં સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા મૃતકોના પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક તપાસમાં અપનાવવામાં આવેલા ઉચ્ચ ધારાધોરણો અને વ્યવસ્થાપન નોંધપાત્ર છે.

ફોરેન્સિક મેડિસિન ડિપાર્ટમેન્ટના ડો. ધર્મેશ સિલજિયાએ જણાવ્યું કે, આ દુર્ઘટનામાં દરેક સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ અને નિયત પ્રક્રિયાઓનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું, જેનો શ્રેય સિવિલ હોસ્પિટલના નિષ્ણાત તબીબો અને ફોરેન્સિક એક્સપર્ટ ટીમને જાય છે.

ત્વરિત પ્રક્રિયા હાથ ધરવા આરોગ્ય સેવાના ૧૪૦ જેટલા તબીબોને મોબિલાઇઝ કરવામાં આવ્યા હતા.

તેમણે વિગતવાર માહિતી આપતા જણાવ્યું કે, AI 171 વિમાનના પાઇલટ અને કો-પાઇલટના મૃતદેહનું પોસ્ટમોર્ટમ, એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના પ્રોટોકોલ મુજબ કરવામાં આવ્યું હતું.

પાઇલટની શારીરિક અવસ્થા, ખાદ્ય પદાર્થોનું સેવન અને સંભવિત રોગ-બીમારીની જાણકારી મેળવવી, શરીરની XRay તપાસ આવા કિસ્સાઓમાં અત્યંત અગત્યની હોય છે, અને તેથી આ તપાસમાં વાંછિત ગંભીરતા દાખવવામાં આવતા AAIBના અધિકારીઓએ પણ સંતોષ વ્યક્ત કર્યો છે.

વિમાન દુર્ઘટનાના અન્ય હતભાગીઓના મૃતદેહની ઓટોપ્સી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત કરવામાં આવી હતી.

ડો. ધર્મેશે સ્પષ્ટ કર્યું કે, આવા ડિઝાસ્ટરની પરિસ્થિતિમાં જ્યારે મૃત્યુનું કારણ સ્પષ્ટપણે જાણીતું હોય (“કોઝ ઓફ ડેથ નોન”), ત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ મૃતદેહોનું માત્ર એક્સટર્નલ એક્ઝામિનેશન (બાહ્ય પરીક્ષણ) કરવામાં આવે છે. આ માટે સક્ષમ સત્તાધિકારી પાસેથી પ્રમાણપત્ર મેળવીને જ આ પ્રકારની તમામ ઓટોપ્સી કરવામાં આવી હતી.

આ પ્રક્રિયા સુનિશ્ચિત કરે છે કે તપાસ ઝડપથી થાય, મૃતકની ઓળખની પ્રક્રિયા ઝડપી થતા પરિવારજનોને રાહત મળે અને કાયદાકીય જરૂરિયાતો પણ પૂરી થાય.

સિવિલ હોસ્પિટલ તંત્રે આ ડિઝાસ્ટર મેનેજમેન્ટના સ્તરે કોઈ કચાશ રાખી નથી. દુર્ઘટના સ્થળ પરથી આવેલા દરેક મૃતદેહને અને દરેક નાનામાં નાના અવશેષને, એક યુનિક આઇડેન્ટિફિકેશન નંબર આપવામાં આવ્યો હતો.

માત્ર મૃતદેહોને જ નહીં, તેમની સાથે આવેલી તમામ વસ્તુઓને પણ એ જ યુનિક નંબર આપવામાં આવ્યો હતો.

પોસ્ટમોર્ટમ નોટ જેવા દસ્તાવેજોમાં પણ આ યુનિક નંબરથી જ જે તે મૃતદેહનો ઉલ્લેખ કરવામાં આવતો હતો.

આ વ્યવસ્થાપન પદ્ધતિને કારણે ડી.એન.એ. સેમ્પલ મેચ થતાં જ મૃતદેહ અને તેની સાથેની તમામ વસ્તુઓ સહેલાઈથી પરિવારજનોને સોંપી શકાઈ હતી.

ડો. ધર્મેશ સિલજિયાએ ભારપૂર્વક જણાવ્યું કે, મોટી સંખ્યામાં મૃતદેહો, નશ્વર અવશેષો હોવા છતાં, તમામના પોસ્ટમોર્ટમ અને DNA સેમ્પલિંગ નિયત ધારાધોરણો મુજબ થયા હતા અને કોઈ પણ શોર્ટકટ અપનાવવામાં આવ્યો ન હતો.

આ સંપૂર્ણ પ્રક્રિયા સિવિલ હોસ્પિટલની ફોરેન્સિક ટીમના વ્યાવસાયિક અભિગમ અને પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

You Might Also Like

શ્રમિકોનો ‘અંત’ સુધી સાથ નિભાવે છે ગુજરાત સરકારની અંત્યેષ્ટિ સહાય યોજના

અમદાવાદ વિમાન દુર્ઘટના – અત્યાર સુધીમાં કુલ ૨૦૮ મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા, જેમાંથી ૧૭૩ મૃતદેહ પરિવારજનોને સોંપાયા

અમદાવાદ પ્લેન દુર્ઘટના – સિવીલ હોસ્પિટલ તંત્ર અને રાજ્ય સરકાર આ કપરા સમયમાં દરેક પીડિત પરિવારની પડખે: પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ

૧૯ જૂન – વિશ્વ સિકલ સેલ નાબૂદી દિવસ વહેલા નિદાન અને યોગ્ય સારવારથી સિકલ સેલ મુક્ત બનશે ગુજરાત

અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપતો રાજ્ય મંત્રીમંડળનો શોકદર્શક પ્રસ્તાવ

TAGGED:AHMEDABADairidniadna testpalne crash
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

મૃતકોનાં પરિવારજનોની વ્યવસ્થા સાચવવા માટે માર્ગ અને મકાન વિભાગ અહર્નિશ ખડેપગે
અમદાવાદ ગુજરાત
ગુજરાત યોગ બોર્ડના સફળ છ વર્ષ: 1.5 લાખ પ્રશિક્ષકોને તાલીમ, 5000થી વધુ દૈનિક સત્રો, 5 લાખથી વધુ નાગરિકો નિયમિત યોગાભ્યાસ કરતા થયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
સિવિલ હોસ્પિટલમાં પાર્થિવ દેહના પોસ્ટમોર્ટમ, ફોરેન્સિક તપાસ અને સ્ટોરેજની અત્યાધુનિક સુવિધા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
રાહુલ ગાંધી : દેશમાં લોકશાહીનું પ્રતિક બની ઉભરેલા મજબૂત નેતા – હેમાંગ રાવલ
અમદાવાદ ઇન્ડિયા કોંગેસ ગુજરાત રાજકારણ
વિસાવદરમાં ભાજપ કોંગ્રેસના કોઈ પ્લાન સફળ થયા નહીં માટે હવે તે લોકોએ મોટી સંખ્યામાં દારૂની પેટીઓ ઉતારી: રાજુભાઈ કરપડા AAP
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ જુનાગઢ ભાજપ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?