By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ૧૯ જૂન – વિશ્વ સિકલ સેલ નાબૂદી દિવસ વહેલા નિદાન અને યોગ્ય સારવારથી સિકલ સેલ મુક્ત બનશે ગુજરાત
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > ૧૯ જૂન – વિશ્વ સિકલ સેલ નાબૂદી દિવસ વહેલા નિદાન અને યોગ્ય સારવારથી સિકલ સેલ મુક્ત બનશે ગુજરાત
અમદાવાદગવર્મેન્ટગુજરાતહેલ્થ

૧૯ જૂન – વિશ્વ સિકલ સેલ નાબૂદી દિવસ વહેલા નિદાન અને યોગ્ય સારવારથી સિકલ સેલ મુક્ત બનશે ગુજરાત

Web Editor Panchat
Last updated: June 18, 2025 7:07 pm
Web Editor Panchat Published June 18, 2025
Share
SHARE

૧૯ જૂન – વિશ્વ સિકલ સેલ નાબૂદી દિવસ

વહેલા નિદાન અને યોગ્ય સારવારથી સિકલ સેલમુક્ત બનશે ગુજરાત
******************
ગુજરાતમાં સિકલ સેલ રોગીઓનું પ્રિવલેન્સ (વ્યાપકતા) ૦.૩૬ ટકા; સિકલ સેલ વાહકોનું પ્રિવલેન્સ ૬.૫૮ ટકા
******************
રાજ્યના આદિજાતિ વિસ્તારોની આંગણવાડી, શાળા, કોલેજો અને ગ્રામ્ય કક્ષાના પ્રાઈમરી હેલ્થ સેન્ટર, કમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે થાય છે સિકલ સેલનું વિનામૂલ્યે સ્ક્રીનીંગ
******************
* સિકલ સેલના દર્દીઓને નિદાન અને સારવાર પૂરી પાડવા માટે વિશેષ કેન્દ્રો અને હોસ્પિટલો કાર્યરત

* મેડીકલ કોલેજ ખાતેના કેન્દ્રોમાં હિમેટોલોજિસ્ટ્સ અને અન્ય નિષ્ણાતોની ટીમ દ્વારા દર્દીઓને મળે છે યોગ્ય માર્ગદર્શન અને સારવાર

* સિકલ સેલના દર્દીની નોંધ અને ફોલોઅપ સહિતની કામગીરી માટે સુરત ખાતે સેન્ટર ઓફ કોમ્પીટન્સ (CoC) કાર્યરત થશે.

* આ આનુવંશિક રોગના પ્રસારણને રોકવા સગર્ભા મહિલાઓ-અપરણિત યુવાઓનું કરાય છે મેરેજ કાઉન્સેલિંગ અને નિદાન
*****************
સિકલ સેલ રોગ વિશે વ્યાપક જાગૃતિ કેળવવા, આવનારી પેઢીમાં સિકલ સેલ રોગનો ફેલાવો અટકાવવા તેમજ આ રોગના નિદાન અને સારવાર અંગે નાગરિકોને માહિતગાર કરવાના નેક ઉદ્દેશ્ય સાથે સમગ્ર વિશ્વમાં દર વર્ષે તા. ૧૯ જૂનના રોજ “વિશ્વ સિકલ સેલ નાબૂદી દિવસ” ઉજવવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા પણ રાજ્યમાંથી આ ગંભીર રોગની નાબૂદી માટે વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા સિકલ સેલ નાબૂદી માટે કરવામાં આવી રહેલા પ્રયાસોને જાણીએ એ પહેલા એ જાણવું જરૂરી છે કે, સિકલ સેલ રોગ ગંભીર કેમ છે?

સિકલ સેલ રોગ શું છે?
સિકલ સેલ રોગ એ એક આનુવંશિક રક્ત વિકાર અને હિમોગ્લોબિનની ખામીને કારણે થતી એક ગંભીર આરોગ્ય સમસ્યા છે. આ રોગમાં લાલ રક્તકણોમાં રહેલા ખામીયુક્ત હિમોગ્લોબિન S (Hemoglobin S)ને કારણે સામાન્ય ગોળાકાર લાલ રક્તકણોનો આકાર બદલાઈને દાતરડાં (sickle) જેવો બની જાય છે. આ અનિયમિત આકારના રક્તકણો રક્તવાહિનીઓમાં અવરોધ પેદા કરી શકે છે અને શરીરમાં ઓક્સિજનનો પ્રવાહ અવરોધાય છે. જેના કારણે ગંભીર પીડા, એનિમિયા અને અવયવોને નુકસાન જેવી અનેક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઉદ્ભવે છે.

સિકલ સેલ એનિમિયાના મુખ્ય લક્ષણોમાં શરીર ફિક્કું પડી જવું, વારંવાર કમળો થવો, શરીરના સાંધાઓમાં તેમજ હાડકામાં સોજો આવવો અને દુઃખાવો રહેવો, વારંવાર પેટમાં દુ:ખાવો થવો, બરોળ મોટી થવી અને વારંવાર તાવ આવવો વગેરેનો સમાવેશ થાય છે. જો કોઈ સગર્ભા માતા આ રોગથી પીડિત હોય તો ગર્ભપાત થવાની શક્યતા પણ રહે છે. એટલા માટે જ, સિકલ સેલ જેવી ગંભીર બીમારીના નાબૂદી માટે સરકાર દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

સિકલ સેલ એનિમિયા મિશન-૨૦૪૭
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ભારત સરકાર દ્વારા તા. ૧ જુલાઈ, ૨૦૨૩થી દેશના કુલ ૧૭ રાજ્યોના ૨૭૮ જિલ્લાઓમાં “નેશનલ સિકલ સેલ એનિમિયા મિશન-૨૦૪૭”નો શુભારંભ કરવામાં આવ્યો હતો. ભારત દેશમાંથી વર્ષ ૨૦૪૭ સુધીમાં સિકલ સેલ એનિમિયા રોગને સંપૂર્ણપણે નાબૂદ કરવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે શરુ થયેલા આ મિશન હેઠળ ૪૦ વર્ષ સુધીની વય ધરવતા નાગરિકોને સિકલ સેલ પરીક્ષણ હેઠળ આવરી લેવામાં આવી રહ્યા છે.

ગુજરાતનો પ્રયાસ: સિકલ સેલ કંટ્રોલ પ્રોગ્રામ
ગુજરાત પણ સિકલ સેલ નાબૂદીની દિશામાં ઘણા વર્ષોથી પ્રયાસ કરી રહ્યું છે. ગુજરાતના આદિજાતિ વસ્તી ધરાવતા વિસ્તારોમાં સિકલ સેલ રોગનું પ્રમાણ વધુ જોવા મળતું હતું. એટલે જ, ગુજરાત સરકારે સિકલ સેલ રોગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ વર્ષ ૨૦૦૬થી “સિકલ સેલ કંટ્રોલ પ્રોગ્રામ”ની શરૂઆત કરી હતી. ગુજરાતમાં સિકલ સેલ રોગીઓનું પ્રિવલેન્સ એટલે કે, વ્યાપકતા લગભગ ૦.૩૬ ટકા જેટલી છે. જ્યારે, સિકલ સેલ વાહકોનું પ્રિવલેન્સ ૬.૫૮ ટકા છે. આ આંકડાઓ જ દર્શાવે છે કે, આ રોગનું નિવારણ અને નિયંત્રણ કેટલું જરૂરી છે.

આ કાર્યક્રમ હેઠળ મુખ્યત્વે સિકલ સેલ રોગના વહેલા નિદાન માટે વ્યાપક સ્ક્રીનિંગ કાર્યક્રમો ચલાવવામાં આવે છે. ખાસ કરીને આદિજાતિ વિસ્તારોમાં સગર્ભા સ્ત્રીઓ અને બાળકોનું સિકલ સેલ માટે પરીક્ષણ કરવામાં આવે છે. ગુજરાતના અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ, ડાંગ, મહીસાગર, નર્મદા, નવસારી, પંચમહાલ, સાબરકાંઠા, સુરત, વલસાડ અને તાપીને મળીને કુલ ૧૪ આદિજાતિ જિલ્લાઓમાં સિકલ સેલ માટે પરીક્ષણની કામગીરી સક્રિયપણે ચાલી રહી છે.

નિદાન અને અટકાયત
ભારત સરકારના સિકલ સેલ એનિમિયા મિશન અને રાજ્ય સરકારના સિકલ સેલ કંટ્રોલ પ્રોગ્રામનો મુખ્ય ઉદ્દેશ્ય સિકલ સેલથી પીડિત આદિજાતિ નાગરિકોને વહેલામાં વહેલી તકે રોગનું નિદાન કરાવવાનું તેમજ નિદાન બાદ તેમને મહત્તમ સારવાર આપવાનો છે. આદિજાતિ જિલ્લાઓની આંગણવાડી, શાળાઓ, કોલેજો અને ગ્રામ્ય કક્ષાએ આવેલા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે સિકલ સેલ કાઉન્સેલર અને RBSK (રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ) ટીમ દ્વારા સ્ક્રીનિંગની કામગીરી કરવામાં આવે છે. આ રોગના નિદાન માટે નાગરિકોનું પ્રાથમિક સ્ક્રીનિંગ – DTT ટેસ્ટ (Dithionite Tube Turbidity Test)ના માધ્યમથી કરવામાં આવે છે. જ્યારે રોગની પુષ્ટિ કરવા માટે HPLC ટેસ્ટ (High-Performance Liquid Chromatography) કરવામાં આવે છે.

રાજ્યમાં સિકલ સેલના દર્દીઓને નિદાન અને સારવાર પૂરી પાડવા માટે વિશેષ કેન્દ્રો અને હોસ્પિટલો કાર્યરત છે. આ કેન્દ્રોમાં હિમેટોલોજિસ્ટ્સ અને અન્ય નિષ્ણાતોની ટીમ દર્દીઓને યોગ્ય માર્ગદર્શન અને સારવાર પૂરી પાડે છે. આ ઉપરાંત સરકાર દ્વારા સિકલ સેલના દર્દીઓને મફત દવાઓ અને અન્ય તબીબી સહાય પણ પૂરી પાડવામાં આવે છે.

સિકલ સેલ એક આનુવંશિક રોગ હોવાથી આ રોગ આવનારી પેઢીમાં પ્રસરે છે. આ રોગને ફેલાતો અટકાવવા માટે ખાસ કરીને સગર્ભા મહિલાઓ અને ૧૦ થી ૨૫ વર્ષના અપરિણીત યુવાનો જેવા વિશિષ્ટ સમૂહના લોકોનું નિદાન કરવામાં આવે છે, જેથી આ રોગનો ફેલાવો આગામી પેઢીમાં થતો રોકી શકાય. આટલું જ નહિ, રોગના પ્રસારણને રોકવા માટે રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, આદિજાતિ વિકાસ વિભાગ, શિક્ષણ વિભાગ તેમજ નેશનલ હેલ્થ મિશન દ્વારા મહત્તમ મેરેજ કાઉન્સેલિંગ અને સિકલ સેલ રોગ વિશે પ્રચાર-પ્રસાર પણ કરવામાં આવે છે.

સેન્ટર ઓફ કોમ્પીટન્સ (CoC)
સુરતની ન્યૂ સિવિલ ખાતે ભારત સરકારની સહાય થી તાજેતરમાં મંજુર થયેલ છે જેમાં આધુનિક અને પ્રી નેટલ સ્ક્રીનીંગ ની સેવા આપવામાં આવશે. આદિજાતિ નાગરિકોમાં આ રોગ અંગે વધુ જાગૃતિ અને આરોગ્ય ક્ષમતા વધારવા સુરતની ન્યૂ સિવિલ ખાતે સિકલ સેલ માટે સેન્ટર ઓફ કોમ્પીટન્સ નિર્માણનું કાર્ય કરાશે. અત્યાધુનિક નિદાન અને સારવારના સાધનોથી સજ્જ આ સેન્ટરમાં સિકલસેલના પ્રત્યેક દર્દીની નોંધ અને ફોલોઅપની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. આવશ્યતા જણાય ત્યાં આદિજાતિ સ્થાનિક બોલીઓમાં તાલીમ અને જાગૃતિ સાહિત્ય તૈયાર કરીને તેનો ઉપયોગ કરવામાં આવશે. આ સેન્ટર ખાતે સિકલસેલ રોગ બાબતે રોગ નિયંત્રણાત્મક અને સારવાર સંબંધી સરકારની તેમજ ઉચ્ચ પ્રકારની સ્વૈચ્છિક સંસ્થાઓ મારફતે સંશોધન અભ્યાસો કરવામાં આવશે. તે અભ્યાસો આધારે આદિવાસી સમુદાયમાં જાગૃતિ, નિવારણાત્મક બાબતો તેમજ આદિજાતિ વિસ્તારોના આરોગ્યકર્મીઓને વિશેષ સમજ વિસ્તૃત કરવામાં આવશે.

વિશ્વ સિકલ સેલ નાબૂદી દિવસ નિમિત્તે આપણે સૌ આ રોગ વિશે જાગૃતિ ફેલાવવામાં યોગદાન આપવાનો સંકલ્પ કરીએ, સિકલ સેલ રોગથી પીડિત નાગરીકો પ્રત્યે સંવેદનશીલતા દાખવીએ અને તેમને સામાજિક સમર્થન પૂરું પાડીએ. યાદ રાખો, વહેલું નિદાન અને યોગ્ય સારવાર સિકલ સેલના દર્દીઓના જીવન સુધારવામાં મદદરૂપ થઈ શકે છે.
***********
નિતિન રથવી

You Might Also Like

અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપતો રાજ્ય મંત્રીમંડળનો શોકદર્શક પ્રસ્તાવ

મૃતકોનાં પરિવારજનોની વ્યવસ્થા સાચવવા માટે માર્ગ અને મકાન વિભાગ અહર્નિશ ખડેપગે

ગુજરાત યોગ બોર્ડના સફળ છ વર્ષ: 1.5 લાખ પ્રશિક્ષકોને તાલીમ, 5000થી વધુ દૈનિક સત્રો, 5 લાખથી વધુ નાગરિકો નિયમિત યોગાભ્યાસ કરતા થયા

સિવિલ હોસ્પિટલમાં પાર્થિવ દેહના પોસ્ટમોર્ટમ, ફોરેન્સિક તપાસ અને સ્ટોરેજની અત્યાધુનિક સુવિધા

રાહુલ ગાંધી : દેશમાં લોકશાહીનું પ્રતિક બની ઉભરેલા મજબૂત નેતા – હેમાંગ રાવલ

TAGGED:19 junAHMEDABADcivil hospitalgujaratworld sickle cell day
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિસાવદરમાં ભાજપ કોંગ્રેસના કોઈ પ્લાન સફળ થયા નહીં માટે હવે તે લોકોએ મોટી સંખ્યામાં દારૂની પેટીઓ ઉતારી: રાજુભાઈ કરપડા AAP
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ જુનાગઢ ભાજપ રાજકારણ
પ્લેન ક્રેશમાં બચી ગયેલ રમેશ વિશ્વાસકુમાર ડિચાર્જ પહેલા ક્રાઈમ બ્રાન્ચે કરી પૂછપરછ
અમદાવાદ ગુજરાત
રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને ધ્યાને રાખીને ગાંધીનગર સ્થિત ‘ફ્લડ કંટ્રોલ સેલ’ની મુલાકાત કરીને સમીક્ષા કરતા જળ સંપત્તિ મંત્રી શ્રી કુંવરજી બાવળીયા
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
કેનેડાના ટોરેન્ટો ખાતે આવેલા વડતાલધામ સ્વામિનારાયણ મંદિરના ૨૦મા પાટોત્સવ
દેશ વિદેશ ધર્મ દર્શન વિદેશ
ગુજરાતમાં વરસાદે તબાહી મચાવી ! સીએમ ભુપેન્દ્ર પટેલ કંટ્રોલ રુમ કેમ દોડી ગયા ! પછી શુ થયુ !
અમરેલી ગવર્મેન્ટ ગીર સોમનાથ ગુજરાત જામનગર જુનાગઢ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?