By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ગુજરાતે છેલ્લા બે દાયકામાં શિક્ષણ, આરોગ્ય સહિતના ક્ષેત્રોમાં અભૂતપૂર્વ વિકાસ કર્યો છે – રાજ્યમંત્રી ડો. કુબેરભાઇ ડીંડોર
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > દાહોદ > ગુજરાતે છેલ્લા બે દાયકામાં શિક્ષણ, આરોગ્ય સહિતના ક્ષેત્રોમાં અભૂતપૂર્વ વિકાસ કર્યો છે – રાજ્યમંત્રી ડો. કુબેરભાઇ ડીંડોર
ગુજરાતદાહોદરાજકારણ

ગુજરાતે છેલ્લા બે દાયકામાં શિક્ષણ, આરોગ્ય સહિતના ક્ષેત્રોમાં અભૂતપૂર્વ વિકાસ કર્યો છે – રાજ્યમંત્રી ડો. કુબેરભાઇ ડીંડોર

Web Editor Panchat
Last updated: September 12, 2022 9:35 pm
Web Editor Panchat Published September 12, 2022
Share
SHARE

વિશ્વાસથી વિકાસ યાત્રા – ઝાલોદ પ્રાંત કક્ષા કાર્યક્રમ- દાહોદ

રાજ્ય કક્ષાના મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતિમાં વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત ઝાલોદમાં કાર્યક્રમ યોજાયો

ઝાલોદ, ફતેપુરા અને સંજેલી તાલુકાના રૂ. ૩.૫૯ કરોડને ખર્ચે પૂર્ણ થનાર ૧૨૮ વિકાસ કાર્યોનો પ્રારંભ, રૂ. ૩.૦૩ કરોડને ખર્ચે સંપન્ન ૧૪૫ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરતા રાજ્યમંત્રી

ગુજરાતે છેલ્લા બે દાયકામાં શિક્ષણ, આરોગ્ય સહિતના ક્ષેત્રોમાં અભૂતપૂર્વ વિકાસ કર્યો છે – રાજ્યમંત્રી ડો. કુબેરભાઇ ડીંડોર

રાજ્ય કક્ષાના મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતિમાં વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત ઝાલોદમાં પ્રાંત કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. રાજયમંત્રી ડો. ડીંડોરે અહીંથી ઝાલોદ, ફતેપુરા અને સંજેલી તાલુકાના રૂ. ૩.૫૯ કરોડને ખર્ચે પૂર્ણ થનાર ૧૨૮ વિકાસ કાર્યોનો પ્રારંભ કરાવ્યો છે. જ્યારે આ તાલુકાઓના રૂ. ૩.૦૩ કરોડને ખર્ચે સંપન્ન ૧૪૫ વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું છે.
ઝાલોદની કે.આર. દેસાઈ કોલેજ ખાતેથી સંબોધન કરતા રાજ્યમંત્રી શ્રી કુબેરભાઈએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ હંમેશા ગરીબ-સામાન્ય માણસના કલ્યાણને કેન્દ્રમાં રાખીને વિવિધ યોજનાઓ અને વિકાસકાર્યોનો લાભ તેમના સુધી પહોંચતો કર્યો છે. તેમણે સંવિધાનના મૂળ લક્ષોને ધ્યાને રાખીને તેની યોગ્ય અમલવારી થકી સામાન્ય માણસોનું હિત સાધ્યું છે. ઉપેક્ષિત, પીડિત લોકો સુધી હવે વિકાસના ફળ પહોંચ્યા છે.
રાજ્યમાં છેલ્લા બે દાયકામાં વિકાસની નવી ક્ષિતિજોને સર કરી છે તેમ જણાવતા તેમણે કહ્યું કે, સરકાર મહિલાઓના સશક્તિકરણ માટે વિવિધ યોજનાઓ અને મહત્વનાં નિર્ણયોની યોગ્ય અમલવારી થકી આ બાબતમાં સફળ થઇ છે. રાજકારણ હોય કે નોકરી ક્ષેત્રે મહિલાઓને અનામતની સફળ ફાળવણી થકી મહિલાઓ આર્થિક અને સામાજિક રીતે સશક્ત બની છે. મહિલાઓના હકો અને અધિકારો માટે સરકાર પ્રતિબદ્ધતા સાથે કામ કરી રહી છે.
તેમણે જણાવ્યું કે, નરેન્દ્રભાઇ મોદી જયારે મુખ્યમંત્રી હતા, ગુજરાતમાં જયોતિગ્રામ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો અને અત્યારે રાજ્યના ગામે ગામ વીજળી મળી રહી છે. ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પાકા રસ્તાઓ, ગરીબ માણસનું પોતાનું પાકું મકાન સહિતની અનેક પાયાની કામગીરી થકી સામાન્ય માણસનું જીવનધોરણ ઊચું આવ્યું છે. સામાન્ય લોકોને ઘરઆંગણે આરોગ્ય સુવિધાઓ મળતી થઇ છે.
તેમણે ઉમેર્યું કે, શિક્ષણ સુવિધાઓ પણ હવે ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ મળતી થતા વિદ્યાર્થીઓ ઉજ્જવળ કારકિર્દી ઘડી શકે છે. અગાઉ વિજ્ઞાન પ્રવાહની શાળા-કોલેજોના અભાવે અનુસુચિત જાતિની મેડીકલની સીટો ખાલી રહેતી હતી. પરંતુ અત્યારે આદિવાસી સમાજના ૨૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ મેડીકલનો અભ્યાસ કરી રહ્યાં છે. જે શિક્ષણ ક્ષેત્રે આવેલા આમૂલ પરિવર્તન દર્શાવે છે.
તેમણે જણાવ્યું કે, આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓએ આઝાદી માટે કરેલા અમૂલ્ય બલિદાનોને વિસારી દેવાયા હતા. જેનો કયાંય ઉલ્લેખ નહોતો. પ્રધાનમંત્રીશ્રીએ ભગવાન ગોવિંદગુરૂ સ્મુતિ વનનો રૂ. ૪૦ કરોડથી વધુને ખર્ચે વિકાસ કરી તેનો પર્યટક સ્થળ તરીકે વિકાસ કર્યો છે. અને આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓના વિરતાભર્યા ઇતિહાસને સામે લાવવાનું કાર્ય કર્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું.
ઝાલોદ ખાતેથી વિકાસકાર્યોના લોકાર્પણ ખાતમુહૂર્ત વિશે જણાવતા તેમણે કહ્યું કે, ઝાલોદમાં ૪૭, સંજેલીમાં ૩૯, ફતેપુરામાં ૪૨ એમ કુલ ૧૨૮ વિકાસ કાર્યોનો અનુક્રમે રૂ. ૧.૧૯ કરોડ, રૂ. ૯૬ લાખ અને રૂ. ૧.૪૪ કરોડ એમ કુલ રૂ. ૩.૫૯ કરોડના કામોનો આજથી પ્રારંભ કરાયો છે. જયારે ઝાલોદમાં ૩૭, સંજેલીમાં ૪૮ અને ફતેપુરામાં ૬૦ એમ કુલ ૧૪૫ કરોડના વિકાસકાર્યોના અનુક્રમે રૂ. ૧.૪૧ કરોડ, રૂ. ૯૮ લાખ અને રૂ. ૬૪ લાખ એમ કુલ રૂ. ૩.૦૩ કરોડના વિકાસકાર્યો સંપન્ન થતા આજે નાગરિકોને સમર્પિત કરીએ છીએ.
રાજ્યની વિકાસની ગતિ કોઈ અટકાવી શકે તેમ નથી એમ જણાવતાં જિલ્લા પંચાયત પ્રમુખ  શીતલબેન વાઘેલાએ જણાવ્યું કે, રાજ્ય સામે અનેક પડકારો હોવા છતાં રાજ્ય તેજ ગતિથી વિકાસ કાર્યોને સંપન્ન કરી નાગરિકોને ભેટ આપી રહી છે તેમજ નવા વિકાસ કાર્યોને જનકલ્યાણ માટે સત્વરે પ્રારંભ કરાઈ રહ્યો છે. પ્રધાનમંત્રીના માર્ગદર્શન અને મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજ્યનો બમણી ગતિએ વિકાસ થઇ રહ્યો છે.
કાર્યક્રમમાં વિશ્વાસથી વિકાસ યાત્રા બાબતની ડોક્યુમેન્ટ્રી બતાવાઇ હતી. જેને ઉપસ્થિત નાગરિકોએ રસપૂર્વક નિહાળી હતી.
આ વેળાએ કલેકટર ડો. હર્ષિત ગોસાવી, જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી, પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ ભૂરિયા, પ્રાંત અધિકારી, ઝાલોદ, અગ્રણી શંકરભાઇ અમલીયાર, નરેન્દ્રભાઈ સોની, અત્રેની કોલેજના આચાર્યશ્રી તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહયા હતા.

 

 

 

 

.

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:bhupendra pateldr.harshit gosavikuber dindormahesh bhuriyaNarendra Modivishvas thi vikas yatra
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?