By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: કયા નેતાઓએ લાઠીચાર્જ કરવાનો હુકમ કર્યો અને નિવૃત્ત જવનનો જીવ ચાલ્યો ગયો?: ઈસુદાન ગઢવી
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > કયા નેતાઓએ લાઠીચાર્જ કરવાનો હુકમ કર્યો અને નિવૃત્ત જવનનો જીવ ચાલ્યો ગયો?: ઈસુદાન ગઢવી
અમદાવાદગુજરાતરાજકારણ

કયા નેતાઓએ લાઠીચાર્જ કરવાનો હુકમ કર્યો અને નિવૃત્ત જવનનો જીવ ચાલ્યો ગયો?: ઈસુદાન ગઢવી

Web Editor Panchat
Last updated: September 14, 2022 7:14 pm
Web Editor Panchat Published September 14, 2022
Share
SHARE

નિવૃત્ત જવાનોની હત્યા થાય એ ખૂબ જ દુઃખદ ઘટના છે: ઈસુદાન ગઢવી

હું અને પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા નિવૃત્ત જવાનોના ધરણા પ્રદર્શન વાળી જગ્યાએ ખબર લેવા ગયા હતા: ઈસુદાન ગઢવી

નિવૃત સૈનિકોની માંગોને લઈને જે રીતે તેમના પર અત્યાચાર કરવામાં આવે છે તે યોગ્ય નથી: ઈસુદાન ગઢવી

ચીનની ગોળીથી બચી ગયા, પાકિસ્તાનની ગોળીથી બચી ગયા પરંતુ ભાજપના શાસનથી ન બચી શક્યા અને નિવૃત્ત જવાનનું મૃત્યુ થયું: ઈસુદાન ગઢવી

જો સરકારથી માંગ પૂરી ન થઈ શકતી હોય તો તે ના પાડી દે, પરંતુ જવાનો પર હુમલા કરવાની શું જરૂર છે?: ઈસુદાન ગઢવી

ઉદ્યોગપતિઓ તો ક્યારેય ધરણા ઉપર નથી બેસતા છતાંય એમનું 10,00,000 કરોડ રૂપિયાનું દેવું માફ કરી દો છો, અને સરહદ પર પોતાની જાનની બાજી લગાવતા જવાનોની માંગ સરકાર સાંભળતી નથી: ઈસુદાન ગઢવી

ભાજપના કયા નેતાઓએ લાઠીચાર્જ કરવાનો હુકમ કર્યો અને નિવૃત્ત જવનનો જીવ ચાલ્યો ગયો?: ઈસુદાન ગઢવી

નિવૃત જવાનની મૃત્યુ દર્શાવે છે કે ભાજપને શાસન કરતા આવડતું નથી, રિમોટ કંટ્રોલથી ભાજપની સરકાર ચાલે છે: ઈસુદાન ગઢવી

નિવૃત જવાનની મૃત્યુ બાદ ભાજપનો આ ચહેરો ખુલ્લો પડી ગયો છે કે તે જેમ ખેડૂત વિરોધી છે એવી જ રીતે જવાન વિરોધી પણ છે: ઈસુદાન ગઢવી

ગોમતીપુર વાળી ઘટનામાં આમ આદમી પાર્ટીના કોઈપણ કાર્યકર્તાએ હુમલો નથી કર્યો: ઈસુદાન ગઢવી

ગોમતીપુરમાં જે વ્યક્તિ ઘાયલ થયા છે તેમની સાથે અમારી સહાનુભૂતિ છે: ઈસુદાન ગઢવી

ભાજપ આમ આદમી ઉપર ઘણા આક્ષેપો કરશે, જીવલેણ હુમલાઓ કરશે, સીબીઆઇ, ઇડી, ઇન્કમટેક્સનો દૂરઉપયોગ કરશે એટલે મારી ગુજરાતની જનતા થી વિનંતી છે કે તમે ભ્રમિત થતા નહીં: ઈસુદાન ગઢવી

ભાજપવાળા 27 વર્ષમાં સારું શિક્ષણ નથી આપી શક્યા, સારું સ્વાસ્થ્ય નથી આપી શક્યા, એમને બસ પોતાના જ ઘર ભર્યા છે, તે માટે ભાજપ જનતાને મુદ્દાથી ભટકાવી શકાય તેવું ષડયંત્ર કરી રહી છે: ઈસુદાન ગઢવી

આમ આદમી પાર્ટી 182 વિધાનસભામાં જે પણ ઉમેદવારો ઉતારશે તે સર્વેના આધારે અને લાયક ઉમેદવાર ઉતારશે: ઈસુદાન ગઢવી

ભાજપ ગુજરાત થી જઈ રહી છે અને આમ આદમી પાર્ટી આવી રહી છે તે જોઈને ભાજપ બોખલાઈ ગઈ છે: ઈસુદાન ગઢવી

ભાજપ પાસે હવે ફક્ત દોઢ જ મહિનો છે, એટલે ઈમાનદાર આમ આદમી પાર્ટી ઉપર ભાજપ કિચડ ઉછાળવાનું બંધ કરી દે: ઈસુદાન ગઢવી

 

આમ આદમી પાર્ટી નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ મીડિયાને સંબોધતા કહ્યું કે, નિવૃત્ત જવાનોની હત્યા થાય એ ખૂબ જ દુઃખદ ઘટના છે. ગતરોજ હું અને આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલભાઈ અમે બંને નિવૃત્ત સૈનિકો જ્યાં બેઠા હતા ત્યાં ગયા હતા. તેમની માંગોને લઈને જે રીતે નિવૃત સૈનિકો પર અત્યાચાર કરવામાં આવે છે તે યોગ્ય નથી. જો સરકારથી માંગ પૂરી ન થઈ શકતી હોય તો તે ના પાડી દે, પરંતુ તેમના પર હુમલા કરવાની શું જરૂર છે? આના પરથી સ્પષ્ટ સાબિત થાય છે કે ભાજપ જવાન વિરોધી છે. જેમ ખેડૂત વિરોધી છે એવી જ રીતે જવાન વિરોધી ભાજપનો આ ચહેરો ખુલ્લો પડી ગયો છે.

જે રીતે જવાનો એમની માંગણી લઈને શાંતિપૂર્ણ વિરોધ કરી રહ્યા હતા ત્યારે ભાજપના કયા નેતાઓએ લાઠીચાર્જ કરવાનો હુકમ કર્યો અને લાઠીચાર્જ કર્યા બાદ બેરહેમીના કારણે એમનો જીવ ચાલ્યો ગયો. ઉદ્યોગપતિઓ તો ક્યારેય ધરણા ઉપર નથી બેસતા છતાંય એમને તો તમે બધું આપી દો છો, 10,00,000 કરોડ રૂપિયાનું દેવું માફ કરી દો છો, પરંતુ તેમણે જરૂર જ નથી. આ લોકો સરકાર પાસે કંઈક માંગ કરી રહ્યા છે અને આ તે લોકો છે જે તમારી અને મારી સુરક્ષા માટે, સરહદ પર પોતાની જાનની બાજી લગાવે છે. તમે વિચાર કરો કે ચીનની ગોળીથી બચી ગયા, પાકિસ્તાનની ગોળીથી બચી ગયા પરંતુ ભાજપના શાસનથી ન બચી શક્યા અને નિવૃત્ત જવાનનું મૃત્યુ થયું. ભાજપ નાકામયાબ સાબિત થઈ છે અને ભાજપને શાસન કરતા આવડતું નથી. રિમોટ કંટ્રોલથી ભાજપની સરકાર ચાલે છે જે સરકાર સી.આર.પાટીલ બેકફુટ ઉપર ચલાવે છે અને એ જ કારણસર આ નિવૃત્ત જવાનનું મૃત્યુ થયું છે.

ઈસુદાન ગઢવીએ આગળ કહ્યું કે, આખા દેશને ખબર છે કે ગુંડાઓની, બેઈમાનોની પાર્ટી કોણ છે. આમ આદમી પાર્ટીના લોકો પર વારંવાર હુમલાઓ કરવા, હમણાં જ સૌએ જોયું છે કે અમારા મહામંત્રી મનોજ સોરઠીયાનું માથું ફાડી નાખ્યું હતું. મીડિયાને પણ ખબર છે કે તે કોણ છે. ભાજપના લોકો આમ આદમી પાર્ટીથી ખૂબ જ ડરી ગયા છે. ગોમતીપુર વાળી ઘટનામાં આમ આદમી પાર્ટીના કોઈપણ કાર્યકર્તાએ હુમલો નથી કર્યો. જે વ્યક્તિ ઘાયલ થયા છે તેમની સાથે અમારી સહાનુભૂતિ છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ હુમલો નથી કર્યો, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જ્યારે ડોર ટુ ડોર કેમ્પેનમાં લોકોના ઘરે ઘરે જઈને ગેરંટી કાર્ડ વેચી રહ્યા હતા ત્યારે ભાજપના કાર્યકર્તાઓએ ત્યાં આવીને વિરોધ કર્યો હતો. છતાંય ત્યાં અમારા કાર્યકર્તા ગીતાબેન અને એમના પતિ તે જગ્યા છોડીને ચાલ્યા ગયા હતા અને ત્યારબાદ પાછળથી જે લોકોએ આ કામ કર્યું હોય તેની અમને કોઈ જાણ નથી.

આમ આદમી પાર્ટીને બદનામ કરવાની ભાજપ વાળા કોઈ કસર છોડતા નથી. આમ આદમી પાર્ટી શરીફોની પાર્ટી છે. આમ આદમી પાર્ટી કટ્ટર ઈમાનદાર, કટ્ટર દેશભક્ત પાર્ટી છે. ભાજપવાળા 27 વર્ષમાં સારું શિક્ષણ નથી આપી શક્યા, સારું સ્વાસ્થ્ય નથી આપી શક્યા, એમને બસ પોતાના જ ઘર ભર્યા છે. તે માટે ભાજપ જનતાને મુદ્દાથી ભટકાવી શકાય તેવું ષડયંત્ર કરી રહી છે. ભાજપ આમ આદમી ઉપર ઘણા આક્ષેપો કરશે, જીવલેણ હુમલાઓ કરશે, સીબીઆઇ, ઇડી, ઇન્કમટેક્સનો દૂરઉપયોગ કરશે એટલે મારી ગુજરાતની જનતા થી વિનંતી છે કે તમે ભ્રમિત થતા નહીં.

ભાજપ ગુજરાત થી જઈ રહી છે અને આમ આદમી પાર્ટી આવી રહી છે તે જોઈને ભાજપ બોખલાઈ ગઈ છે. એટલે અર્બન નક્સલવાદીઓ જેવા મુદ્દાઓ હવે ભાજપ વચ્ચે લાવી રહી છે. આમ આદમી પાર્ટી 182 વિધાનસભામાં જે પણ ઉમેદવારો ઉતારશે તે સર્વેના આધારે અને લાયક ઉમેદવાર ઉતારશે. તે માટે જો ભાજપ કોઈ ચાલ ચાલી રહી હોય તો તે સપના જોવાનું છોડી દે. ભાજપ પાસે હવે ફક્ત દોઢ જ મહિનો છે, એટલે ઈમાનદાર આમ આદમી પાર્ટી ઉપર ભાજપ કિચડ ઉછાળવાનું બંધ કરી દે. ભગવાનથી પ્રાર્થના છે કે હવે ગુજરાતને ભાજપના ભ્રષ્ટ શાસનથી મુક્ત કરાવે.

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:aam aadmy partyAAPgopal italiaisudan gadhvi
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?