By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૨ બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાનથી ૮ જરૂરિયાતમંદોને નવજીવન
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૨ બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાનથી ૮ જરૂરિયાતમંદોને નવજીવન
અમદાવાદગુજરાતહેલ્થ

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૨ બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાનથી ૮ જરૂરિયાતમંદોને નવજીવન

Web Editor Panchat
Last updated: December 19, 2022 6:15 pm
Web Editor Panchat Published December 19, 2022
Share
SHARE

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૨૪ કલાકમાં ૨ અંગદાન

૨ બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાનથી ૮ જરૂરિયાતમંદોને નવજીવન

અમદાવાદ સિવિલ હોસ્પિટલના અંગદાનની ટીમ સતત ૨૪ કલાક અંગોને રીટ્રાઇવલ કરવામાં ફરજરત રહી

સાબરકાંઠા જિલ્લાના અસાઇ વાસણા ગામના પંકજભાઇ ઠાકરડા બ્રેઇનડેડ થતા પરિજનોએ અંગદાન કર્યું

બ્રેઇનડેડ પંકજભાઇના અંગદાનમાં હ્રદય , બે કિડની અને એક લીવરનું દાન મળ્યું

સિવિલ હોસ્પિટલના તબીબો, કાઉન્સેલીંગ ટીમ, સીક્યુરીટી સ્ટાફ, પોલીસ તંત્ર સહિત SOTTOની સમગ્ર નિષ્ઠાપૂર્ણ અંગદાનના સેવાયજ્ઞને આગળ ધપાવી રહી છે સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી

અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોની કર્તવ્યનિષ્ઠાએ ફરી એક વખત જરૂરિયાતમંદોને નવજીવન આપ્યું છે.અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૨૪ કલાકમાં ૨ બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાનથી ૮ જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોના સત્તકાર્યોની સુવાસ રાજ્ય ઉપરાંત દેશ અને વિદેશમાં પણ પ્રસરી છે.જેના પરિણામ સ્વરૂપ જ આ સિધ્ધિ હાંસલ થઇ છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થયેલ ૯૭માં અંગદાનની વિગત જોઇએ તો સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં આવેલ અસાઇ વાસણા ગામના ૩૫ વર્ષીય પંકજભાઇ ઠાકરડાને માથાના ભાગમાં ગંભીર ઇજા થતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામા આવ્યા હતા.

આ સારવાર દરમિયાન પંકજભાઇ ઠાકરડાની શારિરીક સ્થિતિ ગંભીર બની. તબીબોના તમામ પ્રયાસ છતા પણ પંકજભાઇની સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો ન હતો. અંતે તબીબો દ્વારા પંકજનભાઇને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યાં. તબીબોએ આ ક્ષણે પરિજનો અને ગામના વડીલ આગેવાન હિરાભાઇ રબારીને અંગદાન માટે પ્રેરણા આપી.
પંકજભાઇ ઠાકરડાના પિતા સોમાજી બદરજી ઠાકરડા અને ગામના આગેવાન તેમજ પરિજનોએ પરસ્પર ચર્ચા કરીને આખરે જનહિતલક્ષી સૌથી મોટું સેવાકાર્ય કરવાનો નિર્ણય કર્યો. બ્રેઇનડેડ પંકજભાઇ ઠાકરડાના અંગોનું દાન કરવા માટે સંમતિ દર્શાવી.
સિવિલ હોસ્પિટલના તબીબોએ આ અગાઉ ૯૬ માં અંગદાનમાં અંદાજીત ૧૦ થી ૧૨ કલાક સતત મહેનત કરીને ૪ અંગો રીટ્રાઇવ કરીને ૪ વ્યક્તિઓને નવજીવન આપ્યું હતું. લગોલગ આ ૯૭ મું અંગદાન થતા ચહેરા પર કોઇપણ પ્રકારનો થાક નહીં પરંતું સેવા અને જરૂરિયાતમંદને પીડામુક્ત કરવાની તત્પરતા હતા.
તબીબોએ બ્રેઇનડેડ પંકજભાઇના અંગોને રીટ્રાઇવલ કરવાની શરૂઆત કરી. ૧૦ થી ૧૨ કલાકની મહેનત બાદ હ્રદય, બે કિડની અને લીવરનું દાન મળ્યું.
હ્રદયને યુ.એન.મહેતા હોસ્પિટલમા દાખલ દર્દીમાં જ્યારે કિડની અને લીવરને અમદાવાદ સિવિલ મેડિસીટીની જ કિડની ઇન્સ્ટીટ્યુટમાં દાખલ દર્દીમાં પ્રત્યારોપણ કરવા માટે મોકલવામાં આવ્યા.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ અત્યાર સુધી થયેલા ૯૭ અંગદાનને લઇ કહ્યું હતું કે અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબો અને કાઉન્સેલીંગ ટીમ ઉપરાંત, સીક્યુરીટી સ્ટાફ, પોલીસ તંત્ર અને SOTTO ની સમગ્ર ટીમની નિષ્ઠાનું આ પરિણામ છે. સિવિલ હોસ્પિટલમાં ૨૪ કલાકમાં ૨ અંગદાન થયા છે. આગામી સમયમાં પણ વધુમાં વધું અંગદાન દ્વારા જરૂરિયાતમંદોને નવજીવન આપવા માટે સિવિલ હોસ્પિટલની સમગ્ર ટીમ કટિબધ્ધ છે.

You Might Also Like

ગુજરાત કોંગ્રેસ ના ક્યાં નેતા ભાજપ માટે વિભીષણ બન્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમની ટીમે ‘ગુજરાત ફર્સ્ટ’ની નીતિને આગળ ધપાવી છે :અમિત શાહ કેન્દ્રીય ગૃહ મંત્રી

ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ગાંધીનગર જિલ્લાના પ્રશ્નોનો તાકીદે ઉકેલ લાવવા માટે અધિકારીઓને કરી તાકીદ

ગુજરાત વિધાનસભાની 87 બેઠકો માટે 1 ડિસેમ્બરના રોજ થશે મતદાન

ઉત્તર ભારતીય વિકાસ પરિષદનુ અમદાવાદમાં યોજાશે મહા સમ્મેલન

TAGGED:AHMEDABADbrainbrain deadcivil hospitalgujaratorgan donationrakesh joshi
Share This Article
Facebook Twitter Email Print

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત
ગાંધીનગર
મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે રાઉત
ઇન્ડિયા
પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયાના મત વિસ્તારમાં શિક્ષ્ણ ક્ષેત્રને બદનામ કરતી ઘટના
રાજકારણ
ગાંધીનગરના પરિવારને સાણંદ પાસે નડ્યો અકસ્માત, 3ના મોત
અમદાવાદ
ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો
ગાંધીનગર
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?