By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ઉત્તર ગુજરાત રાજપૂત સમાજ ના પ્રમુખ તરીકે ભાજપના નેતા જયરાજસિંહ પરમારની વરણી
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > ઉત્તર ગુજરાત રાજપૂત સમાજ ના પ્રમુખ તરીકે ભાજપના નેતા જયરાજસિંહ પરમારની વરણી
ગાંધીનગરગુજરાત

ઉત્તર ગુજરાત રાજપૂત સમાજ ના પ્રમુખ તરીકે ભાજપના નેતા જયરાજસિંહ પરમારની વરણી

Web Editor Panchat
Last updated: April 11, 2022 8:50 pm
Web Editor Panchat Published April 11, 2022
Share
SHARE

ઉત્તર ગુજરાત રાજપૂત સમાજ ના પ્રમુખ તરીકે જયરાજસિંહ પરમારની વરણી

આઝાદી પહેલા સ્થપાયેલી ઉત્તર ગુજરાત રાજપૂત સમાજની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત સંસ્થા એવા ઉત્તર ગુજરાત રાજપૂત સમાજ ના પ્રમુખ તરીકે જયરાજસિંહ પરમારની વરણી

આઝાદી પહેલાથી વિસનગર સમગ્ર ઉત્તર ગુજરાતનું વિદ્યા પ્રાપ્તિનું મહત્વનું કેન્દ્ર રહ્યું છે. આઝાદીનો સૂર્ય ક્ષિતિજ પર દેખાઈ રહ્યો હતો.

રાજપૂત સમાજ રજવાડા, જમીન- જાગીરો હસતાં હસતાં દેશને એકીકૃત કરવા સોંપી રહ્યો હતો. હવે સમાજ સમક્ષ શિક્ષણ અને રોજગારીના, સામાજિક અને રાજકીય અસ્તિત્વના નવા પ્રશ્નો આવવાના હતા.

દેશમાં હજી આવાગમનની યોગ્ય સુવિધાઓ ન્હોતી. વિસનગર ખાતે ૧૯૪૬માં જ એમ.એન. કોલેજની સ્થાપના થઈ.

હિમ્મતનગર વિધાનસભામાં ચાલશે પરિવારવાદ ! કે મળશે મેરિટ ઉપર ટીકીટ

એમાં અભ્યાસ માટે ઉત્તર ગુજરાતના દૂર દૂરના ગામડાંમાંથી યુવાનો આવે એ નક્કી હતું. આવી સમન્વયની ક્ષણોમાં આજ શિક્ષણભૂમિમાં ચંદનસિંહ હરિસિંહ પરમાર(કાંસા), ભવાનસિંહ વિહોલ(પીલવાઈ), વાઘજીભાઈ સોલંકી(સીપોર), કચરાજી ચાવડા(ખંડોસણ) જેવા દૂરંદેશી સામાજિક અગ્રણીઓએ રાજપૂત તેમજ અન્ય સમાજોના વિદ્યાર્થીઓ વિસનગરમાં રહીં અભ્યાસ કરી શકે એ માટે ૧૯૪૬ માં ઉત્તર ગુજરાત રાજપૂત સમાજની સ્થાપના કરી. રાજપૂત સમાજની આ સમગ્ર ઉત્તર ગુજરાતની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત સંસ્થા છે. જેની સાથે ઉત્તર ગુજરાતના છ જિલ્લાઓના હજારો રાજપૂતો જોડાયેલા છે. આ સંસ્થા અંતર્ગત સૌ પહેલા હોસ્ટેલની શરુઆત થઈ. આ હોસ્ટેલમાં રહીં અભ્યાસ કરતાં રાજપૂત તેમજ અન્ય સમાજોના હજારો વિદ્યાર્થીઓ પોતપોતાના ક્ષેત્રમાં કારકિર્દી બનાવી કુટુંબ, સમાજ અને રાષ્ટ્ર માટે કામ કરી રહ્યાં છે. હોસ્ટેલ બાદ સમયની માંગને જોતાં ઉત્તર ગુજરાત રાજપૂત સમાજ દ્વારા જય સોમનાથ હાઈસ્કૂલની સ્થાપના કરવામાં આવી, જે હાલ શેઠ શ્રી પી. જે. ચાવડા હાઈસ્કૂલ તથા બાશ્રી હંસાબા ચંદનસિંહ રાજપૂત પ્રાથમિક શાળા તરીકે જાણીતી છે અને એક વિશાળ તથા અદ્યતન સંકુલનું નિર્માણ થયું. આ ઉપરાંત પાટણ ખાતે દાનસિંહજી જાડેજા રાજપૂત કુમાર છાત્રાલય પણ કાર્યરત છે. છેલ્લા પંચોતેર વર્ષોમાં ઈશ્વરસિંહ ચાવડા(પૂર્વ પ્રમુખ, મહેસાણા જિલ્લા પંચાયત અને પૂર્વ મંત્રીશ્રી, ગુજરાત સરકાર), ગુમાનસિંહ વાધેલા(ઠાકોર સાહેબ, દિયોદર અને ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ), પૃથ્વીસિંહ ચાવડા(પડુસ્મા), ચંદનસિંહ રાજપૂત(જાણીતા એડવોકેટ), સી.જે. ચાવડા(ધારાસભ્ય, ગાંધીનગર) જેવા અનેક સામાજિક અગ્રણીઓએ આ સંસ્થાના વિકાસમાં પોતાનું યોગદાન આપ્યું છે.

 

કપડવંજમાં ભાજપના દાવેદારોની લાંબી કતાર !

આવી એક ગૌરવવંતી સંસ્થાના પ્રમુખ તરીકે જયરાજસિંહ પરમારની વરણી કરવામાં આવી એ મહત્વની ઘટના છે. જયરાજસિંહ પરમાર છેલ્લા ૩૫ કરતાં વધુ વર્ષોથી જાહેર જીવન સાથે જોડાયેલા છે. પક્ષા-પક્ષ-જ્ઞાતિ-જાતિથી પર રહીં હરહંમેશ નાનામાં નાના માણસ માટે કાર્યરત રહ્યાં છે. આવા યુવા-ઉત્સાહી અને વિઝનરી વ્યક્તિની ઉત્તર ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ તરીકે પસંદગી સંસ્થાના આગળના વિકાસનો પથ પ્રદર્શિત કરશે.

 

વિધાનસભાની ચૂંટણીમાં આનંદી બેન પટેલના કેટલા સમર્થકોને મળશે ટીકીટ !

You Might Also Like

AAPનું ગુજરાત જોડો અભિયાન શરૂ, અરવિંદ કેજરીવાલ કરશે શરૂઆત

પાવગઢમાં પાર્કિંગમાં નામે લૂંટ ચલાવવા લુખ્ખાઓને કોને આપી પરવાનગી

રાજ્યમાં ભારે વરસાદની આગાહી, એનડીઆરએફની ટીમો તૈનાત, 21 ડેમો હાઇએલર્ટ પર

વિદ્યાર્થીઓ ને હાઈસ્કૂલ માં અભ્યાસ કરવા જવા માટે જીવના જોખમે બે બે ફૂટ પાણીભરેલ ખાડા વાળા ચેકડેમપર થી શાળાએ જવા મજબૂર

ઐતિહાસિક શૌર્યના પ્રતીક સમા ‘ઘેલા સોમનાથ મહાદેવ મંદિર’ ખાતે પણ શરૂ થશે અત્યાધુનિક લેઝર લાઇટ એન્ડ સાઉન્ડ શો

TAGGED:AZADIJAYRAJ SINGHRAJPUTUTTARGUJARAT
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

કરોડોના મનરેગા કૌભાંડ ખુલ્લા પડ્યા બાદ પણ ભાજપના મંત્રી પર પગલાં લેવામાં આવ્યા નથી: ચૈતર વસાવા
આમ આદમી પાર્ટી કાયદો ગુજરાત ભાજપ રાજકારણ
રાજ્યના કલેક્ટરો અસમર્થ ! નાની સમસ્યાઓ માટે સીએમ સુધી પહોચવું પડે છે ફરિયાદીઓને ! સીએમએ કરી તાકીદ
ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયને કેમ અપાયું છ મહિનાનું એક્સટેંશન !
કાયદો ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
સરકારની ડૂંગળી સહાય યોજના ખેડૂતો માટે કે વેપારીઓ માટે !
ઈકોનોમી કૃષિ વિશ્વ ગુજરાત
2025-26ના પ્રથમ ક્વાર્ટરમાં ગુજરાત સરકારની માલિકીની કંપનીઓનો શેર બજારમાં ડંકો વાગ્યો: BSE સેન્સેક્સ અને નિફ્ટીને પાછળ છોડ્યા
અમદાવાદ ઈકોનોમી ગુજરાત બિઝનેસ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?