By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ગાંધીનગર ખાતે માહિતી ખાતાના કર્મયોગીઓ માટે ‘પોષણ અભિયાન’ અંગે કાર્યશાળા યોજાઈ:
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > ગાંધીનગર ખાતે માહિતી ખાતાના કર્મયોગીઓ માટે ‘પોષણ અભિયાન’ અંગે કાર્યશાળા યોજાઈ:
ગાંધીનગરગુજરાતશિક્ષણ

ગાંધીનગર ખાતે માહિતી ખાતાના કર્મયોગીઓ માટે ‘પોષણ અભિયાન’ અંગે કાર્યશાળા યોજાઈ:

Web Editor Panchat
Last updated: September 5, 2022 6:52 pm
Web Editor Panchat Published September 5, 2022
Share
SHARE

માહિતી નિયામકની કચેરી, મહિલા અને બાળ વિકાસ વિભાગ અને યુનિસેફના સંયુક્ત ઉપક્રમે
ગાંધીનગર ખાતે માહિતી ખાતાના કર્મયોગીઓ માટે
‘પોષણ અભિયાન’ અંગે કાર્યશાળા યોજાઈ: તજજ્ઞો દ્વારા અપાયું માર્ગદર્શન

સરકારી પ્રયત્નોથી નાગરિકોના જીવનધોરણમાં આવેલા બદલાવને
વધુ ઉજાગર કરવા જોઈએ: માહિતી નિયામક શ્રી આર. કે. મહેતા

હકારાત્મક સાફલ્યગાથાઓ સમુદાયોનું પ્રેરક બળ છેઃ ગુજરાત યુનિસેફ વડા પ્રશાંત દાસ

નાગરિકો સુધી યોજનાઓની માહિતી પહોંચાડવામાં માહિતી ખાતાની વિશેષ ભૂમિકા

માહિતી ખાતાના કર્મયોગીઓને પ્રવર્તમાન યુગમાં આધુનિક ટેકનોલૉજીના ઉપયોગથી પ્રચાર-પ્રસારની પદ્ધતિઓથી વધુ માહિતગાર કરવા માટે ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે “કોમ્યુનિકેટ ટુ એડવોકેટ ઑન પોષણ અભિયાન” વિષયક એક દિવસીય તાલીમ- કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માહિતી નિયામક શ્રી આર. કે મહેતાએ આ કાર્યશાળાના હેતુઓ વિશે પ્રેરક ઉદબોધન કર્યું હતું.

રાજ્યના 50 પોલીસ કર્મચારીઓ વિરુધ્ધ કેમ લેવાઇ શકે છે પગલા !

 

માહિતી ખાતાની દરેક કચેરીઓમાં આજે તમામ પેઢીના અધિકારીઓ કર્મચારીઓ છે, જેની પાસે પ્રત્યાયનનો સારો એવો અનુભવ છે.

આ કાર્યશાળાના હેતુઓ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે, રાજ્ય સરકારે જનકલ્યાણની વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. આ યોજનાઓને નાગરિકો સુધી પહોંચાડવામાં માહિતી ખાતાની વિશેષ ભૂમિકા છે. રાજ્યની મહિલાઓ અને બાળકોના આરોગ્ય-પોષણની કાળજી લેવા માટે રાજ્ય સરકારે શરૂ કરેલી ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’ જેવી મહત્વપૂર્ણ યોજના જનતા-જનાર્દન સુધી પહોંચે તે જરૂરી છે. ગર્ભધારણથી શરૂ કરી ૧, ૦૦૦ દિવસ સુધી માતા-બાળકના પોષણની દરકાર કરતી આ સરકારી યોજના વિશે સમાજમાં જાગૃતિ આવે તે જરૂરી છે. આ માટે માતા-બાળકના પોષણમાં સુધારો લાવવા, બાળ મૃત્યુદર અને માતા મૃત્યુ દરમાં ઘટાડો લાવવા તથા અપૂરતા મહિને જન્મ કે ઓછા વજનવાળા બાળકોના જન્મનો વ્યાપ ઘટાડવા માટે પોષણની ભૂમિકા સમજી પ્રત્યાયન કરવામાં આવે તો સમાજમાં હકારાત્મક પરિણામ આવી શકે.

યુનિસેફના વડા પ્રશાંત દાસે પોષણ અભિયાન અંતર્ગત દર સપ્ટેમ્બરમાં યોજાતા ‘પોષણ માસ’ વિશે સંબોધનમાં જણાવ્યું હતું કે, હકારાતમ્ક સાફલ્યગાથાઓ સમુદાયોને વિશેષ પ્રેરણા પૂરી પાડે છે, આથી માહિતી ખાતાની ભૂમિકા વધી જાય છે. પોષણ અભિયાન અંતર્ગત સરકારની મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના સગર્ભા મહિલાઓ અને બાળકોનું સ્વસ્થ ભવિષ્ય સુનિશ્ચિત કરવામાં અગત્યની ભૂમિકા ભજવી રહી છે.

યુનિસેફ અને સેન્ટર ફોર કોમ્યુનિકેશન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ(CCCR)ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ એક દિવસીય તાલીમમાં માહિતી ખાતા દ્વારા હાલમાં કરવામાં આવી રહેલી પ્રચાર-પ્રસારની કામગીરી અને પ્રવર્તમાન સમયની માંગ સાથે વધુને વધુ કેવી રીતે તાદાત્મ્ય સાધીને રાજ્ય સરકારની પ્રજાલક્ષી કામગીરી અગે તેમજ પોષણ અભિયાન સંદર્ભે વધુ સારી રીતે પ્રચાર પ્રસિદ્ધિ થઈ શકે તે સંદર્ભે વિવિધ ટેકનિકલ સત્રો યોજાયા હતા.

આ તાલીમ કાર્યશાળામાં માહિતી નિયામક શ્રી આર. કે. મહેતા સહિત અમર ઉજાલા દૈનિકના એક્ઝીક્યુટિવ એડિટર  સંજય અભિજ્ઞાન દ્વારા સારી પ્રેસ નોટના વિવિધ પાસાંઓ અંગે, આઈ.સી.ડી.એસના અધિકારી  આરતી ઠાકરે સરકારની માહિલા અને બાળકોના પોષણ અંગેની યોજનાઓ વિશે, સોશિયલ મીડિયા એક્સપર્ટ  અમિત પંચાલે સોશિયલ મીડિયા કોમ્યુનિકેશન તેમજ પોષણ અભિયાનના વિવિધ પાસાંઓ ઉપર પોતાના વિચારો રજૂ કરીને સવિસ્તૃત માહિતી આપી હતી.

તાલીમના પ્રારંભમાં યુનિસેફના કોમ્યુનિકેશન તજજ્ઞ  મોરિયા દાવા દ્વારા તાલીમની રૂપરેખા આપી વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાની ભૂમિકા સહિત પ્રચાર-પ્રસિદ્ધિના વ્યાપક ઉપયોગ વિશે માર્ગદર્શન આપ્યું હતું. જ્યારે તાલીમના અંતમાં પ્રશ્નોત્તરી સત્ર યોજાયું હતું. તાલીમના અંતે ન્યૂઝ એન્ડ મીડિયા રીલેશન શાખાના નાયબ માહિતી નિયામક  જીગર ખુંટ દ્વારા આભારવિધિ કરાઈ હતી.

આ એક દિવસીય તાલીમમાં માહિતી ખાતાની વડી કચેરી સહિત પ્રાદેશિક કચેરીઓ અને વિવિધ જિલ્લા માહિતી કચેરી ખાતે ફરજ બજાવતાં અધિકારીઓ-કર્મચારીઓ જોડાયા હતા.

 

રાજ્યના 50 પોલીસ કર્મચારીઓ વિરુધ્ધ કેમ લેવાઇ શકે છે પગલા !

You Might Also Like

GCAS પોર્ટલ ફેલ કે પાસ ! વિદ્યાર્થીઓ કે વાલીઓ માટે હાલાકીનો ઘર કે પછી ઘર બેઠા ગંગા !

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વતનભૂમિ વડનગરમાં ઉજવાશે રાજ્યકક્ષાનો ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

કડી અને વિસાવદરમાં કોણ મારશે બાજી ! અપસેટ સર્જાશે કે પુનરાવર્તન થશે !

જૂનાગઢનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ઇન્ડિયન ગ્રે વુલ્ફના સંરક્ષણ માટે બન્યું આશાનું કિરણ

મગ, મઠ, અડદ અને ચોળા જેવા ખરીફ કઠોળ પાકમાં રોગ-જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં અને વાવણી સમયે ખેડૂતોએ આટલું જરૂર કરવું…..!!

TAGGED:center for comunication of childgujaratinformaion departmentprashant dasunicef
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

રાજ્યના જરૂરિયાતમંદ સાચા રેશનકાર્ડ ધારકોએ લાભ લેવા e-KYC કરાવવું જરૂરી : રાજ્યમાં ૮૮ ટકા e-KYC પૂર્ણ : અન્ન- નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
1941 વર્સી 2025 નુ કલેન્ડર : 1941 જેવું જ છે 2025નું કેલેન્ડર : 84 વર્ષ પછી ફરી આવ્યુ શ્રાપિત વર્ષ? જાણો જ્યોતિષ અનિલ પટેલ શુ કહે છે
અમદાવાદ એન્ટરટેનમેન્ટ ગુજરાત જ્યોતિષ
AI 171 વિમાનના પાઇલટ અને કો-પાઇલટના મૃતદેહનું પોસ્ટમોર્ટમ, એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના પ્રોટોકોલ મુજબ કરવામાં આવ્યું
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શ્રમિકોનો ‘અંત’ સુધી સાથ નિભાવે છે ગુજરાત સરકારની અંત્યેષ્ટિ સહાય યોજના
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
અમદાવાદ વિમાન દુર્ઘટના – અત્યાર સુધીમાં કુલ ૨૦૮ મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા, જેમાંથી ૧૭૩ મૃતદેહ પરિવારજનોને સોંપાયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?