શુ આપ ભાજપની બી ટીમ છે !
આર એસ એસ ભારત માતાની જે તસ્વીર લગાવે છે તે જ તસ્વીરની પુજા કરતા ગોપાલ ઇટાલિયાની ટીમ દેખાઇ
વિસાવદરના બીલખામા ગોપાલ ઇટાલીયાના જન સંપર્ક કાર્યાલયમાં કરાઇ પુજા
કોંગ્રેસ આ મુદ્દે કરશે પ્રચાર !
શુ આ માનવીય ભુલ હતી કે પછી જાણી જોઇને આપે આ તસ્વીરનો ઉપયોગ સાર્વજનિક રીતે થયો છે
આપના સોશિયલ મિડીયા ગ્રુપમાં આ ફોટો મુકાયો પછી ડીલિટ કરાયો,, જ્યારે ગોપાલ ઇટાલિયાના ફેસબુક પેજ ઉપર પણ આ ફોટો હતો, પાછળથી આ ફોટો હટાવાયો હતો,
કોંગ્રેસના મોટા ગજાના નેતાએ કહ્યુ છે કે અમે પહેલાજ કહેતા હતા કે આપ માત્ર કોંગ્રેસને હરાવવા આવી છે, આપ માત્ર કોંગ્રેસને હરાવે છે, જ્યારે ભાજપની સામે હારી જાય છે, જેમ દિલ્હીમાં તેઓ હારી ગયા છે,
વિસાવદરની જનતાએ હવે આપ અને ગોપાલ ઇટાલિયાને ઓળખી જવાની જરુર છે,
વિસાવદરના બીલખા ખાતે AAP ઉમેદવાર ગોપાલ ઇટાલીયાના જન કાર્યાલયનો શુભારંભ
વિસાવદરના બીલખામાં AAPનું બુથ લેવલનું કાર્યકર્તા સંમેલન યોજાયું
પ્રદેશના નેતાઓ દ્વારા કાર્યકર્તાઓને બુથ મેનેજમેન્ટ માટે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું.
ગુજરાત પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, AAP ઉમેદવાર ગોપાલ ઇટાલીયા, ધારાસભ્ય ચૈતર વસાવા, પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા અને સૌરાષ્ટ્ર સંગઠન મંત્રી રાજુ બોરખતરિયાની આગેવાનીમાં બુથ લેવલનું કાર્યકર્તા સંમેલન યોજાયું
હવે ગુજરાતના લોકો જ ભાજપ કોંગ્રેસને હરાવવા પોતે મેદાને ઉતર્યા છે: ગોપાલ રાય
ભાજપના માણસો બોગસ મત પર આધાર રાખીને બેઠા છે: ઈસુદાન ગઢવી
વિસાવદરમાં કિરીટ પટેલની ગુંડાગર્દીને સાફ કરવાનું કામ આમ આદમી પાર્ટીનું જાડું કરશે: ગોપાલ ઇટાલીયા
આમ આદમી પાર્ટીના હજારો કાર્યકર્તાઓએ વિસાવદરમાં આમ આદમી પાર્ટીને ઘરે ઘરે પહોંચાડવાનું કામ કર્યું: ચૈતર વસાવા
વિસાવદરની જનતા ક્રાંતિના મૂડમાં છે, આ વખતે ઇતિહાસ રચશે: પ્રવીણ રામ
અમદાવાદ/જુનાગઢ/ગુજરાત
વિસાવદરના બીલખા ખાતે AAP ઉમેદવાર ગોપાલ ઇટાલીયાના જન કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, સહ પ્રભારી દુર્ગેશ પાઠક, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, વિસાવદરના AAP ઉમેદવાર ગોપાલ ઈટાલિયા, ધારાસભ્ય ચૈતર વસાવા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, મધ્ય ઝોન કાર્યકારી પ્રમુખ ડૉ જ્વેલબેન વસરા, સૌરાષ્ટ્ર ઝોન સંગઠન મંત્રી રાજુ બોરખતરિયા, પ્રદેશ ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ અને પ્રદેશ મંત્રી અજિત લોખીલ, સુરતના કોર્પોરેટરો તથા પ્રદેશ તેમજ સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો અને સ્થાનિક જનતા પણ જોડાઈ હતી અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલીયાને સમર્થનમાં આપ્યું હતું. સાથે સાથે આ કાર્યક્રમમાં 300થી વધુ ભાજપ અને કોંગ્રેસના આગેવાનો અને યુવા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં સામેલ થયા હતા. સાથે સાથે કોળી પટેલ સમાજના લોકોએ પણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલીયાને પોતાનો સમર્થન જાહેર કર્યું હતું.
જન કાર્યાલયના ઓપનિંગ બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓની આગેવાનીમાં બુથ લેવલનું કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં આમ આદમી પાર્ટીના 700 થી 800 કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ તમામ કાર્યકર્તાઓને આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓએ બુથ લેવલની કામગીરીનું માર્ગદર્શન આપ્યું હતું. કાર્યકર્તાઓને જણાવવામાં આવ્યું કે 17 જૂનના રોજ ચૂંટણીનો પ્રચાર સમાપ્ત થશે ત્યાં સુધી દરેક કાર્યકર્તાએ કઈ કઈ વાતનું ધ્યાન રાખવું અને કઈ રીતે પ્રચાર અભિયાનને મજબૂત બનાવવું અને ઘરે ઘરે સુધી પહોંચવું, તે મુદ્દે દિશા નિર્દેશ આપવામાં આવ્યા. હવે ચૂંટણીના અંતિમ તબક્કામાં ઘરે ઘરે આમ આદમી પાર્ટીને પહોંચાડવાની જવાબદારી બુથ લેવલના કાર્યકર્તાઓની છે અને ખૂબ જ સંતોષકારક વાત એ છે કે આમ આદમી પાર્ટીના હજારો કાર્યકર્તાઓ આજે સમગ્ર વિસાવદરના ખૂણે ખૂણે પ્રચાર કરી રહ્યા છે અને આમ આદમી પાર્ટીને વિક્રમી માર્જિનથી જીતાડવા માટે એક મહત્વપૂર્ણ ભાગ તેઓ ભજવી રહ્યા છે. આ પરથી સ્પષ્ટ પણે કહી શકાય કે આમ આદમી પાર્ટી વિસાવદરમાં એક ઇતિહાસ રચવા જઈ રહી છે અને આની સાથે જ ગુજરાતમાં એક નવી રાજનીતિનો શરૂઆત થઈ રહ્યો છે.
અગાઉ ભાજપ અને કોંગ્રેસના લોકો કહી રહ્યા હતા કે ગુજરાતમાં ત્રીજી પાર્ટી ચાલતી નથી. અત્યાર સુધી ગુજરાતના લોકોએ ભાજપને જીતાડ્યા કોંગ્રેસને જીતાડ્યા અને હવે જ્યારે ગુજરાતના લોકો ભાજપ અને કોંગ્રેસને હરાવવા પોતે મેદાને ઉતર્યા છે, ત્યારે આ લોકો કહી રહ્યા છે કે આ ત્રીજી પાર્ટી છે પરંતુ આ ચૂંટણી ગુજરાતની જનતા લડી રહી છે. વિસાવદરમાં કિરીટ પટેલની ગુંડાગર્દીને સાફ કરવાનું કામ આમ આદમી પાર્ટીનું જાડું કરશે. ભાજપના માણસો બોગસ મત પર આધાર રાખીને બેઠા છે. 4000 મતનો ગાળો છે. ગત ચૂંટણીમાં 7000 મતનો ગાળો હતો તો અડધો ગાળો તો તેઓ બોગસ મતથી ખતમ કરવાની ફિરાકમાં છે. માટે વિસાવદરના જનતાને વિનંતી કે તેઓ બહુ જ સાચવી લે.