By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: AAPનું ગુજરાત જોડો અભિયાન શરૂ, અરવિંદ કેજરીવાલ કરશે શરૂઆત
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > AAPનું ગુજરાત જોડો અભિયાન શરૂ, અરવિંદ કેજરીવાલ કરશે શરૂઆત
અમદાવાદઆમ આદમી પાર્ટીગુજરાતરાજકારણ

AAPનું ગુજરાત જોડો અભિયાન શરૂ, અરવિંદ કેજરીવાલ કરશે શરૂઆત

Web Editor Panchat
Last updated: July 1, 2025 10:55 pm
Web Editor Panchat Published July 1, 2025
Share
SHARE

AAPનું ગુજરાત જોડો અભિયાન શરૂ, અરવિંદ કેજરીવાલ કરશે શરૂઆત

AAP રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આવતીકાલે અમદાવાદથી ‘ગુજરાત જોડો સભ્યતા અભિયાન’નો પ્રારંભ કરશે

અરવિંદ કેજરીવાલ ગુજરાતના તમામ ઝોન, જિલ્લા અને વિધાનસભા સ્તરના આગેવાનો સાથે મુલાકાત કરશે

દરેક વિધાનસભામાં આમ આદમી પાર્ટી ગ્રાઉન્ડ પર ઉતરીને સભ્યતા અભિયાન ચલાવશે : ગોપાલ રાય

વિસાવદરમાં AAPની મોટી જીત, ગુજરાતમાં બદલાવનો સંદેશો : ગોપાલ રાય

ભ્રષ્ટાચાર અને ભયની સરકારને હટાવવા માટે આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી: ગોપાલ રાય

વિસાવદરની ચૂંટણીમાં ભાજપની સંપૂર્ણ તાકાત નિષ્ફળ, જનતાએ આખા ગુજરાતને રસ્તો બતાવ્યો : ગોપાલ રાય

કોંગ્રેસની દગાબાજી લોકોને દેખાઈ ગઈ : ગોપાલ રાય

વોટ કાપવા નીકળેલી કોંગ્રેસની ચાલ નિષ્ફળ ગઈ, જનતાએ આપ્યો કરારો જવાબ : ગોપાલ રાય

ગ્રામ પંચાયત ચૂંટણીમાં પણ ભાજપને હારનો સામનો કરવો પડ્યો, જનતા હવે બદલાવના મૂડમાં : ગોપાલ રાય

મનરેગા કૌભાંડ પર સરકાર મૌન, લોકો જવાબ માગી રહ્યા છે : ગોપાલ રાય

ભ્રષ્ટાચારથી ત્રસ્ત ગુજરાત હવે આમ આદમી પાર્ટીને મજબૂત વિકલ્પ માને છે : ગોપાલ રાય

AAP જ ભાજપને મજબૂત ટક્કર આપી શકે છે અને ગુજરાતમાં બદલાવ શક્ય છે : ગોપાલ રાય





અમદાવાદ/ગુજરાત

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, સહપ્રભારી ગુલાબસિંહ યાદવ, સહપ્રભારી દુર્ગેશ પાઠક અને આમ આદમી પાર્ટીના ડેડીયાપાડા વિધાનસભાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે અમદાવાદ સ્થિત આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રભારી ગોપાલ રાયે મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતાં જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીએ 13 એપ્રિલે વિસાવદર ખાતે પ્રદેશ સંમેલનનું આયોજન કર્યું હતું. પ્રદેશ સંમેલનમાં અમે ત્રણ લક્ષ્યાંક નક્કી કર્યા હતા. પહેલું લક્ષ્યાંક હતું વિસાવદરની પેટા ચૂંટણી જીતવી. બીજું લક્ષ્યાંક હતું સંપૂર્ણ તાકાત સાથે આવનારી સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણી લડવી અને સ્થાનિક સ્તરે ભાજપને જવાબ આપવો. ત્રીજું લક્ષ્યાંક હતું ભાજપની ગુજરાતમાં છેલ્લાં 30 વર્ષથી ચાલી રહેલી સરકાર અને ભ્રષ્ટાચાર તથા ડરના શાસનને બદલીને ગુજરાતમાં પરિવર્તન લાવવા અને જનતાની સરકાર સ્થાપિત કરવી.

આમાંથી પહેલું લક્ષ્યાંક અમે હાંસલ કરી લીધું છે. વિસાવદરની જનતાએ અમને ખુબ પ્રેમ અને આશીર્વાદ આપ્યા જેના કારણે અમે ગયા વખતે કરતા ત્રણ ગણી બહુમતીથી જીત્યા અને સમગ્ર ગુજરાતમાં સંદેશો ગયો કે ગુજરાતમાં બદલાવ શક્ય છે. વિસાવદરની ચૂંટણી માત્ર ભાજપના ઉમેદવાર સામે ન હતી, આખી ભાજપ સરકાર મેદાનમાં ઉતરી હતી. પૈસા, સત્તા, આખું તંત્ર, ધારાસભ્યો, સાંસદો, મંત્રીઓ અને મુખ્યમંત્રી સહીત તમામ લોકો મળીને વિસાવદરની ચૂંટણી લડી રહ્યા હતા. પણ જ્યારે જનતાએ મન બનાવી લીધું ત્યારે વિસાવદરની જનતાએ સ્પષ્ટ સંદેશો આપી દીધો કે હવે ગુજરાતના લોકો ભાજપની નીતિ અને સરકારમાંથી મુક્તિ ઈચ્છે છે. વિસાવદરની જનતાએ એ પણ સ્પષ્ટ સંદેશો આપ્યો કે જો સમગ્ર સમાજના લોકો એક થાય તો ભાજપને હરાવી શકાય છે.

ગુજરાતની સ્થાપનાના સમય પછી 30 વર્ષ સુધી કોંગ્રેસને એવી જ રીતે લોકોએ પસંદ કરી હતી, પરંતુ જ્યારે કોંગ્રેસનો અત્યાચાર અને ભ્રષ્ટાચાર વધી ગયો ત્યારે 30 વર્ષના શાસન પછી કોંગ્રેસ પણ સત્તા પરથી ગઈ હતી. હવે ભાજપના પણ 30 વર્ષ પૂરા થઈ રહ્યા છે, એટલે જો ભાજપને હરાવવાનું હોય તો તમામ સમાજના વર્ગોના લોકોને એક સાથે આવીને ભાજપને હરાવવું પડશે. વિસાવદરમાં અમને બીજું પણ જોવા મળ્યું કે કોંગ્રેસે દગાબાજી કરીને પોતાનો ઉમેદવાર ઊભો કર્યો હતો. ભાજપે કોંગ્રેસના પાંચ ધારાસભ્યો તોડી લીધા હતા અને આમ આદમી પાર્ટીનો એક ધારાસભ્ય તોડી લીધો હતો. જ્યારે પેટા ચૂંટણી આવી ત્યારે કોંગ્રેસની પાંચ બેઠકો પર આમ આદમી પાર્ટીએ પોતાનો ઉમેદવાર ઊભો કર્યો નહીં, પણ જ્યારે વિસાવદરની બેઠક આવી ત્યારે કોંગ્રેસે પોતાનો ઉમેદવાર ઊભો કર્યો. કોંગ્રેસે વોટ કાપવા માટે આ કામ કર્યું હતું, પણ વિસાવદરની જનતાએ એ પણ સંદેશો આપી દીધો કે કોંગ્રેસ કેટલીયે વોટ કાપવાનો પ્રયાસ કરે પરંતુ તે સફળ નહીં થાય કારણ કે આમ આદમી પાર્ટી લોકોના દિલમાં મજબૂત વિકલ્પ બની ગઈ છે.

વિસાવદરથી જે સંદેશો આવ્યો છે તે આખા ગુજરાતમાં ફેલાવવા માટે અમે એક મોટો કાર્યક્રમ યોજી રહ્યા છીએ. આવતીકાલે 2 જુલાઈએ અમદાવાદમાં સમગ્ર પ્રદેશના આગેવાનોનો સંમેલન યોજાશે. જેમાં સમગ્ર પ્રદેશના આગેવાનો, તમામ ઝોન સ્તરના આગેવાનો, લોકસભા સ્તરના આગેવાનો, જિલ્લા આગેવાનો અને વિધાનસભા આગેવાનો હાજર રહેશે. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાજર રહેશે અને તમામ આગેવાનો સાથે મુલાકાત કરશે, તેમજ આવનારા કાર્યક્રમોને લીલી ઝંડી આપી દેશે. એટલે આવતીકાલથી આમ આદમી પાર્ટી ‘ગુજરાત જોડો સભ્યતા અભિયાન’ શરૂ કરી રહી છે. આ અભિયાનથી દરેક વિધાનસભામાં આમ આદમી પાર્ટી જમીન પર ઉતરીને જે લોકો આમ આદમી પાર્ટીમાં જોડાવા માગે છે અને ગુજરાતમાં આવનારા બદલાવનો ભાગ બનવા માંગે છે તેઓને પાર્ટીમાં જોડશે.

વિસાવદરની ચૂંટણી બાદ ગ્રામ પંચાયતોના પરિણામો પણ આવ્યા છે અને તેમાં અમે જોયું કે લોકોએ મંત્રીઓના પરિવારજનોને પણ ચૂંટણીમાં હરાવ્યા છે. લોકોએ ભાજપના મોટા ધારાસભ્યો અને મંત્રીઓના સમર્થન ધરાવતા ઉમેદવારોને પણ હરાવ્યા છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે હવે ગુજરાતના લોકો ભાજપને સહન કરી શકે તેમ નથી અને હવે લોકો બદલાવ ઈચ્છે છે. કારણ કે આજે તમે ક્યાંય પણ જુઓ તો બધે ભ્રષ્ટાચાર જોવા મળે છે. મનરેગામાં એટલો મોટો ઘોટાળો થયો છતાં આજ સુધી કોઈ મંત્રી પર કાર્યવાહી થઈ નથી. આ તમામ બાબતોને કારણે લોકો હવે કંટાળી ગયા છે અને લોકો બદલાવ ઈચ્છે છે અને હાલ ગુજરાતમાં આમ આદમી પાર્ટી એ એકમાત્ર વિકલ્પ છે જે રાજ્યમાં બદલાવ લાવી શકે છે અને ભાજપને મજબૂત ટક્કર આપી શકે છે.

You Might Also Like

પાવગઢમાં પાર્કિંગમાં નામે લૂંટ ચલાવવા લુખ્ખાઓને કોને આપી પરવાનગી

રાજ્યમાં ભારે વરસાદની આગાહી, એનડીઆરએફની ટીમો તૈનાત, 21 ડેમો હાઇએલર્ટ પર

વિદ્યાર્થીઓ ને હાઈસ્કૂલ માં અભ્યાસ કરવા જવા માટે જીવના જોખમે બે બે ફૂટ પાણીભરેલ ખાડા વાળા ચેકડેમપર થી શાળાએ જવા મજબૂર

ઐતિહાસિક શૌર્યના પ્રતીક સમા ‘ઘેલા સોમનાથ મહાદેવ મંદિર’ ખાતે પણ શરૂ થશે અત્યાધુનિક લેઝર લાઇટ એન્ડ સાઉન્ડ શો

કરોડોના મનરેગા કૌભાંડ ખુલ્લા પડ્યા બાદ પણ ભાજપના મંત્રી પર પગલાં લેવામાં આવ્યા નથી: ચૈતર વસાવા

TAGGED:AAParvind kejariwalELECTION 2027GUJARATJODO ABHIYAN
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

રાજ્યના કલેક્ટરો અસમર્થ ! નાની સમસ્યાઓ માટે સીએમ સુધી પહોચવું પડે છે ફરિયાદીઓને ! સીએમએ કરી તાકીદ
ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયને કેમ અપાયું છ મહિનાનું એક્સટેંશન !
કાયદો ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
સરકારની ડૂંગળી સહાય યોજના ખેડૂતો માટે કે વેપારીઓ માટે !
ઈકોનોમી કૃષિ વિશ્વ ગુજરાત
2025-26ના પ્રથમ ક્વાર્ટરમાં ગુજરાત સરકારની માલિકીની કંપનીઓનો શેર બજારમાં ડંકો વાગ્યો: BSE સેન્સેક્સ અને નિફ્ટીને પાછળ છોડ્યા
અમદાવાદ ઈકોનોમી ગુજરાત બિઝનેસ
ગુજરાત સરકારની મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતી રાજ્યની દીકરીઓ માટે આશીર્વાદરૂપ
ગવર્મેન્ટ ગુજરાત શિક્ષણ હેલ્થ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?