AAP કડી ઉમેદવાર જગદીશ ચાવડાએ પોતાનું વિનંતી પત્ર લોન્ચ કર્યું
AAP ઉમેદવાર જગદીશ ચાવડા જો ચૂંટણી જીતીને વિધાનસભામાં પહોંચશે તો તેઓ જે કામ કરશે તે તમામ મુદ્દાઓનું વિનંતી પત્ર જાહેર કર્યું: ગૌરી દેસાઈ
રોડ રસ્તા, સરકારી શાળાઓ, આરોગ્ય વ્યવસ્થા અને શિક્ષણ વ્યવસ્થા જેવી તમામ મૂળભૂત પાયાની જરૂરિયાતો પર કામ કરવામાં આવશે: ગૌરી દેસાઈ
આમ આદમી પાર્ટી કડી વિધાનસભામાં ઘરે ઘરે જશે અને લોકો સમક્ષ AAP ઉમેદવાર જગદીશ ચાવડાના વિચાર અને કડી માટે તેમનું વિઝન રજૂ કરશે: ગૌરી દેસાઈ
આઝાદીના આટલા વર્ષો બાદ ભલે ભાજપનું શાસન રહ્યું હોય કે કોંગ્રેસનું શાસન રહ્યું હોય તેમ છતાં પણ કડીની જનતા વિકાસથી અને મૂળભૂત જરૂરિયાતોથી વંચિત રહી છે: ગૌરી દેસાઈ
અમદાવાદ/મહેસાણા/ગુજરાત
આમ આદમી પાર્ટી કડી વિધાનસભાના ઉમેદવાર જગદીશ ચાવડા, આમ આદમી પાર્ટી પ્રદેશ ઉપ-પ્રમુખ ગૌરી દેસાઈ, કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ ડૉ. રમેશભાઈ પટેલ, કેન્દ્રીય ઉત્તર ઝોન પ્રમુખ રાજેશભાઇ શર્મા, નોર્થ ઝોન પ્રમુખ બિપીનભાઈ ગામિતી, સંગઠન મંત્રી જયદીપસિંહ ચૌહાણ, લોકસભા ઇન્ચાર્જ ભરત પટેલ, જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચૌહાણ, મહિલા વિંગના જિલ્લા પ્રમુખ સોનલબેન, આમ આદમી પાર્ટી અમદાવાદ શહેર પ્રમુખ વિજય પટેલ અને પૂર્વ એજ્યુકેશન સેલ પ્રમુખ જીતુ ઉપાધ્યાય દ્વારા એક સંયુક્ત રીતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીના મહિલા નેતા ગૌરી દેસાઈએ મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં બે વિધાનસભા સીટો પર પેટાચૂંટણી જાહેર થઈ છે અને આમ આદમી પાર્ટીએ બંને સીટો પર યુવાન અને લડાયક ઉમેદવારોને ઊભા રાખ્યા છે. કડીના ઉમેદવાર જગદીશ ચાવડા છેલ્લા દસ વર્ષથી એક લડાયક ચહેરો બનીને ઉભર્યા છે અને તેમણે તમામ સમાજ માટે અવાજ ઉઠાવ્યો છે. તો આજે અમે કડી વિધાનસભા માટે એક વિનંતી પત્ર લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગદીશ ચાવડા કડીના સ્થાનિક વ્યક્તિ છે અને જે જે મુદ્દા ઉપર કાર્ય કરશે તે મુદ્દાનું વિનંતી પત્ર આજે જનતા સમક્ષ રજૂ કરી રહ્યા છીએ.
આમ આદમી પાર્ટી કડી વિધાનસભામાં ઘરે ઘરે જશે અને લોકો સમક્ષ જગદીશ ચાવડાના વિચાર રજૂ કરશે અને કડી માટે તેમનું વિઝન પણ રજૂ કરશે. રોડ રસ્તા, સરકારી શાળાઓ, આરોગ્ય વ્યવસ્થા અને શિક્ષણ વ્યવસ્થા જેવી તમામ મૂળભૂત પાયાની જરૂરિયાતો પર કામ કરવામાં આવશે. આઝાદીના આટલા વર્ષો બાદ ભલે ભાજપનું શાસન રહ્યું હોય કે કોંગ્રેસનું શાસન રહ્યું હોય તેમ છતાં પણ કડીની જનતા વિકાસથી અને મૂળભૂત જરૂરિયાતોથી વંચિત રહી છે, માટે આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગદીશ ચાવડા આ તમામ મુદ્દા ઉપર કામ કરશે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગદીશ ચાવડા જો ચૂંટણી જીતીને વિધાનસભામાં પહોંચશે તો તેઓ જે કામ કરશે તે તમામ મુદ્દાઓનું વિનંતી પત્ર આજે અમે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ.