By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ‘આપ’ રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી ગુજરાતના ઘરે ઘરે જશે અને લોકોને ગેરંટી કાર્ડ આપશે.
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > ‘આપ’ રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી ગુજરાતના ઘરે ઘરે જશે અને લોકોને ગેરંટી કાર્ડ આપશે.
ગાંધીનગરગુજરાત

‘આપ’ રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી ગુજરાતના ઘરે ઘરે જશે અને લોકોને ગેરંટી કાર્ડ આપશે.

Web Editor Panchat
Last updated: August 30, 2022 9:03 pm
Web Editor Panchat Published August 30, 2022
Share
SHARE

‘આપ’ રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી ગુજરાતના ઘરે ઘરે જશે અને લોકોને ગેરંટી કાર્ડ આપશે.

2 સપ્ટેમ્બરથી અરવિંદ કેજરીવાલજી અને ગુજરાતની તમામ ટીમો ગુજરાતના ઘરે ઘરે જશે અને ડોર ટુ ડોર કેમ્પેઇન કરશે: ઈસુદાન ગઢવી

‘આપ’ દ્વારા ‘ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેન’ તરીકે મહાઅભિયાનની ઘોષણા.

અરવિંદ કેજરીવાલજીની તમામ ગેરંટીઓ ગુજરાતના એક એક વ્યક્તિ સુધી પહોંચાડવા, અમે ‘ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેન’ તરીકે એક મહાઅભિયાન શરૂ કરવા જઈ રહ્યા છીએ: ગોપાલ ઇટાલિયા

‘ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેન’ ગણેશ ચતુર્થીના શુભ અવસર પર ગણપતિની પૂજા-પ્રાર્થના બાદ પ્રારંભ કરવામાં આવશે: ગોપાલ ઇટાલિયા

‘ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેન’ દરેક વ્યક્તિ સુધી પહોંચવાનું એક ડોર ટુ ડોર કેમ્પેન છે: ગોપાલ ઇટાલિયા

‘ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેન’ દરમિયાન જનતાને ગેરંટી કાર્ડ અને રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ આપવામાં આવશે: ગોપાલ ઇટાલિયા

દરેક વ્યક્તિને અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટી તરફથી ગેરંટી કાર્ડ આપવામાં આવશે જેમાં રોજગાર ગેરંટી કાર્ડ, મહિલા ગેરંટી કાર્ડ અને વીજળી ગેરંટી કાર્ડ સામેલ હશે: ગોપાલ ઇટાલિયા

ગણેશ ચતુર્થીના શુભ દિવસથી ડોર ટુ ડોર કેમ્પેનનો પ્રારંભ થશે, જેમાં અમારા સંગઠનના તમામ કાર્યકર્તાઓ અરવિંદ કેજરીવાલજીની ગેરંટી એક એક ઘર સુધી પહોંચાડશે: ગોપાલ ઇટાલિયા

અરવિંદ કેજરીવાલજીને વોટ આપવાથી ગુજરાતની જનતાને તેમના ટેક્સનું પૂરેપૂરું વળતર આપવામાં આવશે: ઈસુદાન ગઢવી

ભાજપ પાસે કમલમ બનાવવા માટે પૈસા છે પણ પ્રજાની સુવિધા માટે સારી સરકારી સ્કૂલો અને હોસ્પિટલો બનાવવા માટે પૈસા નથી: ઈસુદાન ગઢવી

અમદાવાદ/ગુજરાત

આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, આમ આદમી પાર્ટી ખૂબ જ મજબૂતાઈથી આગળ વધી રહી છે, દિવસે ને દિવસે એક નવી ઊંચાઈ પર આમ આદમી પાર્ટીનું સંગઠન પહોંચી રહ્યું છે. હજારો લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે, તમામ વર્ગમાંથી, તમામ વિસ્તારમાંથી, તમામ સમાજમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો અરવિંદ કેજરીવાલજી સાથે અને આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. અલગ અલગ કાર્યક્રમોના માધ્યમથી એ ડોર ટુ ડોર કેમ્પેઇન હોય કે જન સંવાદ હોય કે ધરણા પ્રદર્શન હોય કે સોશિયલ મીડિયા કેમ્પેન હોય, આવા અલગ અલગ કાર્યક્રમોના માધ્યમથી આમ આદમી પાર્ટી નો વિચાર એક એક વ્યક્તિ સુધી પહોંચી રહ્યો છે. અને આ તમામ કાર્યક્રમના કારણે જનતાનો ભરોસો આમ આદમી પાર્ટી ઉપર વધી રહ્યો છે.

પછી ભલે એ પોલીસ કર્મચારી વર્ગ હોય, આંગણવાડીની બહેનો હોય, હોમગાર્ડ હોય, ખેડૂતો હોય, મહિલાઓ હોય, તમામ લોકો અરવિંદ કેજરીવાલજી ઉપર ખૂબ ભરોસો કરી રહ્યા છે અને ઈચ્છી રહ્યા છે કે એક મોકો અરવિંદ કેજરીવાલજીને આપવામાં આવે. ગુજરાતના લોકો અરવિંદ કેજરીવાલજીને એક મોકો આપે તે માટે અરવિંદ કેજરીવાલજીએ પાછલા કેટલાક દિવસોમાં ગુજરાતના લોકોને અમુક ગેરંટીઓ આપી છે. ગુજરાતના અને દેશના ઇતિહાસમાં પહેલી વખત ગેરંટી શબ્દ વાપરવામાં આવ્યો છે. અરવિંદ કેજરીવાલજી એવા પહેલા નેતા છે જે કામ કરવાની ગેરંટી આપે છે અને એવું જાહેરમાં કહેવાની હિંમત રાખે છે કે જો કામ પૂરું ન થાય તો બીજી વખત મત ના આપતા. અરવિંદ કેજરીવાલજી એ પાછલા દિવસોમાં અલગ અલગ સેક્ટર પ્રમાણે ગેરંટીઓ આપેલી છે, જેમાં વીજળીને ગેરંટી છે, મહિલાઓની ગેરંટી છે, આદિવાસી સમાજની ગેરંટી છે, વેપારીઓની ગેરંટી છે, યુવાનો માટે રોજગારની ગેરંટી છે, શિક્ષા અને સ્વાસ્થની ગેરંટી છે, આ તમામ ગેરંટીઓ લોકોને આપી છે.

આ તમામ ગેરંટીઓ ગુજરાતના એક એક વ્યક્તિ સુધી પહોંચે,એક એક ઘર સુધી પહોંચે, તેના માટે એક મહા અભિયાન ચાલુ કરવાનું છે. જેણે અમે ‘ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેન’ તરીકે આગળ વધારવા જઈ રહ્યા છીએ. આવતીકાલે ખૂબ જ શુભ દિવસ છે આપણે ત્યાં પરંપરામાં મનાય છે કે કોઈપણ શુભ કાર્યની શરૂઆત ગણપતિની પ્રાર્થનાથી થાય તો એ કાર્ય સફળ થાય છે. એટલા માટે આવતીકાલે ગણેશ ચતુર્થીના શુભ દિવસથી ડોર ટુ ડોર કેમ્પેનનો પ્રારંભ થશે, જેમાં અમારા સંગઠનના તમામ કાર્યકર્તાઓ અરવિંદ કેજરીવાલજીની ગેરંટી એક એક ઘર સુધી પહોંચાડશે.

ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેનમાં એક રજીસ્ટ્રેશન ફોર્મ હશે. તે રજીસ્ટ્રેશન ફોર્મ સાથે અમારા કાર્યકર્તાઓ એક એક ઘર સુધી જશે જેમાં રજીસ્ટ્રેશન નંબર, વ્યક્તિનું નામ, ગામ કે વોર્ડ નો નંબર, વ્યક્તિનો મોબાઇલ નંબર અને એની કઈ વિધાનસભા છે તેનું રજીસ્ટ્રેશન થશે. રજીસ્ટ્રેશન ફોર્મની પાવતી ઉપરનો ભાગ અમારા કાર્યકર્તાઓ રાખી લેશે અને નીચેના ભાગમાં જે ગેરંટી કાર્ડ છે તે જનતાને સોંપી દેવામાં આવશે, એટલે કે પહેલા તબક્કામાં આ રજીસ્ટ્રેશન થશે અને સાથે સાથે દરેક વ્યક્તિને ગેરંટી કાર્ડ આપવામાં આવશે. દરેક વ્યક્તિને અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટી તરફથી ગેરંટી કાર્ડ આપવામાં આવશે જેમાં રોજગાર ગેરંટી કાર્ડ, મહિલા ગેરંટી કાર્ડ અને વીજળી ગેરંટી કાર્ડ સામેલ હશે.

આમ ગેરંટી કાર્ડ આપી એક રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ આપવામાં આવશે, આવી રીતે અરવિંદ કેજરીવાલજીએ ગુજરાત માટે જે વિઝન રજૂ કર્યું છે, ગુજરાતની જનતા માટે જે ગેરંટીઓ આપી છે, એ રજીસ્ટ્રેશનના સ્વરૂપમાં સર્ટિફિકેટના સ્વરૂપમાં અને ગેરંટી કાર્ડના સ્વરૂપમાં એક એક વ્યક્તિ સુધી પહોંચાડવાનું ડોર ટુ ડોર કેમ્પેઇન આવતીકાલે ગણેશ ચતુર્થીના શુભ દિવસથી ગણપતિની પૂજા પ્રાર્થના કર્યા બાદ શરૂ થશે. અને ગુજરાતની જનતાને પણ વિશ્વાસ છે કે આ વખતે ગુજરાતમાં પરિવર્તન આવવાનું છે. ગુજરાતના એક એક ખૂણેથી અવાજ આવી રહ્યો છે કે એક મોકો અરવિંદ કેજરીવાલજીને આપવો છે અને ગુજરાતમાં બદલાવ લાવવો છે.

આ વખતે હું ગુજરાતના તમામ લોકોને તમામ વર્ગને, તમામ વ્યક્તિઓને, કે આવો આપણે બધા સાથે મળીને એક જૂથ થઈને ગુજરાતની અંદર એક ક્રાંતિ લાવીએ, ઈમાનદાર સરકાર બનાવીએ, અરવિંદ કેજરીવાલજીની ગેરંટી ઘર ઘર સુધી પહોંચાડીને દરેક માણસનો સહયોગ મેળવીએ.

ત્યારબાદ આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ મીડિયા અને સંબોધતા જણાવ્યું કે, આપણે સૌ જાણીએ છીએ કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી આજે આખા ગુજરાત અને દેશની એક ઉમ્મીદ બની રહ્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના 50 લાખ બેરોજગાર યુવાઓમાંથી મોટાભાગનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે. ગુજરાતના યુવાનોને એક ગેરંટી કાર્ડ આપવામાં આવશે જેમાં આમ આદમી પાર્ટીની ગેરંટી હશે કે ગુજરાતના દરેક યુવાનોને રોજગાર મળશે અને બેરોજગાર યુવાનોને દર મહિને 3000 રૂપિયા બેરોજગારી ભથ્થું મળશે તથા 10 લાખ સરકારી નોકરીઓ આપવામાં આવશે.

આમ આદમી પાર્ટી ગુજરાતના યુવાનોને ગેરંટી કાર્ડ આપી રહી છે, કોઈ ખોટા વચનો કે ગડબડ ગોટાળાવાળુ વચન નહીં. અને આ માટે 2 સપ્ટેમ્બરથી અરવિંદ કેજરીવાલજી અને ગુજરાતની તમામ ટીમો ગુજરાતના ઘરે ઘરે જશે અને ડોર ટુ ડોર કેમ્પેઇન કરશે. 2 સપ્ટેમ્બરથી ચાલુ થતા આ કેમ્પેઇનને એક મહિના સુધી ચલાવવામાં આવશે અને ઉપરથી લઈને નીચે સુધી દરેક પ્રકારના સંગઠનો આ કેમ્પેઈનમાં ભાગ લેશે અને વધુમાં વધુ લોકોનું રજીસ્ટ્રેશન કરશે. આ કેમ્પેઇન દરમિયાન અમે ગુજરાતના લોકોને ભરોસો અપાવીશું. અત્યાર સુધી લોકોએ પહેલા એક પાર્ટીને વોટ આપ્યો પછી બીજી પાર્ટીને વોટ આપ્યો પણ અત્યાર સુધી લોકોને કાંઈ મળ્યું નથી, મળ્યા છે તો ફક્ત જ્ઞાતિના આગેવાનો જે આ પાર્ટીઓમાં બેઠા છે. પણ જો હવે લોકો આમ આદમી પાર્ટીને વોટ આપશે તો સરકાર બન્યાના ફક્ત ત્રણ મહિના બાદ જ તેમનું લાઈટ બિલ શૂન્ય આવવાનું ચાલુ થઈ જશે. આવી રીતે અરવિંદ કેજરીવાલજીને વોટ આપવાથી ગુજરાતની જનતાને તેમના ટેક્સનું પૂરેપૂરું વળતર આપવામાં આવશે એના ગેરંટી કાર્ડ આ મહિને ગુજરાતના ઘરે ઘરે જઈને અમે આપીશું. આ કોઈ મફતની સુવિધા નથી પણ પ્રજાના ટેક્સના પૈસેથી જ પ્રજાને સુવિધા આપવાનું કામ કરવામાં આવશે અને આ જ કામ સરકારનું હોય છે.

આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ કમલમના લોકાર્પણ અને ખાતમુહુર્ત કરે છે. ભાજપના લોકોને કમલમ બનાવવા માટે ફંડ મળી જાય છે પણ પ્રજાની સુવિધા માટે સારી સરકારી સ્કૂલો અને હોસ્પિટલો બનાવવા માટે તેમને ફંડ નથી મળતું. ગુજરાતની પ્રજા ખૂબ જ સમજદાર છે એટલે હવે આ પ્રજાને કોઈ ભરમાવી શકશે નહીં.

આ મહત્વપૂર્ણ પ્રેસ વાર્તામાં આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા સહિત આમ આદમી પાર્ટી નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી અને આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:AAPaap gujaratAAP ISUDAN GADHAVI
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?