By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: સરકારી શાળાઓમાં ક્‍વોલીટી એજ્‍યુકેશન મળી રહે તે માટે પૂરતી સુવિધાઓ, ઉત્તમ ઈન્‍ફ્રાસ્‍ટ્રકચર, ટ્રેઈન શિક્ષકો ઉપલબ્‍ધ કરાવવા ધારાસભ્‍ય ગ્‍યાસુદ્દીન શેખની માંગ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > સરકારી શાળાઓમાં ક્‍વોલીટી એજ્‍યુકેશન મળી રહે તે માટે પૂરતી સુવિધાઓ, ઉત્તમ ઈન્‍ફ્રાસ્‍ટ્રકચર, ટ્રેઈન શિક્ષકો ઉપલબ્‍ધ કરાવવા ધારાસભ્‍ય ગ્‍યાસુદ્દીન શેખની માંગ
ગાંધીનગરગુજરાતરાજકારણ

સરકારી શાળાઓમાં ક્‍વોલીટી એજ્‍યુકેશન મળી રહે તે માટે પૂરતી સુવિધાઓ, ઉત્તમ ઈન્‍ફ્રાસ્‍ટ્રકચર, ટ્રેઈન શિક્ષકો ઉપલબ્‍ધ કરાવવા ધારાસભ્‍ય ગ્‍યાસુદ્દીન શેખની માંગ

Web Editor Panchat
Last updated: September 22, 2022 10:02 pm
Web Editor Panchat Published September 22, 2022
Share
SHARE

સરકારી શાળાઓમાં ક્‍વોલીટી એજ્‍યુકેશન મળી રહે તે માટે પૂરતી સુવિધાઓ,
ઉત્તમ ઈન્‍ફ્રાસ્‍ટ્રકચર, ટ્રેઈન શિક્ષકો ઉપલબ્‍ધ કરાવવા ધારાસભ્‍ય ગ્‍યાસુદ્દીન શેખની માંગણી
મહાનગર પાલિકાની શાળાઓ માં ટ્રેઈન શિક્ષકો નહીં પરંતુ ફીક્‍સ પગારના
શિક્ષકોથી ચાલે છે : ધારાસભ્‍ય ગ્‍યાસુદ્દીન શેખ
વાણી-વર્તનથી ભૂલ થઈ હોય, કોઈની લાગણી દુભાઈ હોય તો સાથી ધારાસભ્‍યોની
ક્ષમા યાચના  ધારાસભ્‍ય ગ્‍યાસુદ્દીન શેખ
અમદાવાદના કોંગ્રેસ ના દરિયાપુરના ધારાસભ્‍ય ગ્‍યાસુદ્દીન શેખે ગૃહમાં રજુઆત કરી હતી કે કોરોનાકાળ બાદ બે વર્ષ જે સ્‍થિતિ ઉભી થઈ તેના પરિણામે લોકોની આર્થિક સ્‍થિતિ બહુ નબળી થઈ છે. ગેસ હોય, પેટ્રોલ હોય, ખાદ્યતેલ હોય કે સ્‍કુલની ફી હોય તમામ બાબતે લોકોની હાલાકી વધી છે. કોરોના અને બેકારીના પરિણામે મોંઘવારીની સીધી અસર શિક્ષણ ઉપર પડી છે. આજે ખાનગી શાળાઓમાં શિક્ષણનો વેપાર થઈ રહ્‌યો છે. આર્થિક બેહાલીના કારણે લોકો ખાનગી શાળામાંથી પોતાના બાળકોને ઉઠાડીને સરકારી શાળાઓમાં પ્રવેશ અપાવવા મજબુર બન્‍યા છે. અમદાવાદ મ્‍યુનિસિપલ સ્‍કુલ બોર્ડે દસ હજારથી વધારે વિદ્યાર્થીઓ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં જોડાયા હોવાની જાહેરાત કરી છે. મ્‍યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓ ટ્રેઈન શિક્ષકો નહીં પરંતુ ફીક્‍સ પગારના શિક્ષકોથી ચાલે છે.

મોંઘવારીના કારણે વિદ્યાર્થીઓનો અભ્‍યાસ વિદ્યાર્થીઓનું ભવિષ્‍ય બગડી રહ્‌યું છે. સરકારી શાળાઓની સ્‍થિતિથી સહુ કોઈ વાકેફ છે. અમદાવાદ શહેરમાં મ્‍યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ૨૦૦ કરતાં વધારે શાળાઓ બંધ છે. વિસ્‍તારના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે મેં સ્‍થાનિક આગેવાનો અને મ્‍યુનિસિપલ કોર્પોરેશન સાથે ચર્ચા-વિચારણા કરી દરિયાપુર વિસ્‍તારમાં જ અંગ્રેજી માધ્‍યમની બે શાળાઓ કાળુપુર અને દરિયાપુર રાવ પબ્‍લિક સ્‍કુલ શરૂ કરાવી છે, જેનો લાભ આજે મોટી સંખ્‍યામાં વિદ્યાર્થીઓ લઈ રહ્‌યા છે. ભાજપ સરકારે વિદ્યાર્થીઓના હિતમાં યોગ્‍ય નિર્ણય કરી બંધ થયેલ શાળાઓને પુનઃ શરૂ કરવા માટે પૂરતું ઈન્‍ફ્રાસ્‍ટ્રકચર ઉપલબ્‍ધ કરાવી, પૂરતા અને ટ્રેઈન શિક્ષકોની નિમણુંક કરવી જોઈએ, જેથી લોકો ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળામાં અભ્‍યાસ કરવા પ્રેરાશે અને ગરીબ-સામાન્‍ય વર્ગના નાગરિકોને ખાનગી શાળાની ઊંચી ફી ભરવામાંથી મુક્‍તિ મળશે.
ગત વિધાનસભા સત્રમાં પૂછાયેલ પ્રશ્નના જવાબમાં રાજય સરકારે જણાવ્‍યું હતું કે, અમદાવાદ અને ગાંધીનગરમાં ૧૦૩ સરકારી પ્રાથમિક શાળાઓ મર્જ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની ઓછી સંખ્‍યાના નામે સરકારી શાળાઓને તાળા મરાય છે, પરંતુ ભાજપના મળતિયાઓની સેલ્‍ફ ફાયનાન્‍સ શાળાઓને પ્રોત્‍સાહન આપવા માટે જ સરકારી શાળાને તાળા મારવામાં આવે છે. કેન્‍દ્રની કોંગ્રેસ સરકારે દેશના ગરીબ-સામાન્‍ય વર્ગના બાળકોને શિક્ષણનો અધિકાર આપ્‍યો હતો જ્‍યારે ભાજપ સરકાર ગ્રામ્‍ય વિસ્‍તારની શાળાઓ બંધ કરીને શિક્ષણનો અધિકાર છીનવી રહી છે.
મોંઘવારીના કારણે લોકો ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળાઓમાં આવી રહ્‌યા છે ત્‍યારે બાળકોનું ભવિષ્‍ય ન બગડે અને મોંઘા શિક્ષણને કારણે અટકે નહીં અને આગળ વધી શકે, પ્રગતિ કરી શકે, હરીફાઈમાં ટકી શકે અને અન્‍ય લોકો સાથે ખભેખભા મિલાવી શકે, તેમને સમાન તક મળી રહે તે માટે સરકારી શાળાઓનું સ્‍તર સુધારવામાં આવશે તો ગરીબ-સામાન્‍ય વર્ગના લોકોને પણ આર્થિક રીતે રાહત મળશે.
આજે ચૌદમી ગુજરાત વિધાનસભાના છેલ્લા સત્રના છેલ્લા દિવસે ધારાસભ્‍ય ગ્‍યાસુદ્દીન શેખે તમામ સાથી ધારાસભ્‍યોની વાણી-વર્તનથી કોઈ ભૂલ થઈ હોય કે કોઈની લાગણી દુભાઈ હોય તો તે માટે ક્ષમા યાચના કરી હતી. તમામ સાથી ધારાસભ્‍યોને ઈશ્વર સ્‍વાસ્‍થ્‍ય સાથે લાંબુ જીવન આપે અને જીવનના દરેક તબક્કે પ્રગતિ કરે તેવી શુભેચ્‍છા પાઠવી હતી.

You Might Also Like

1941 વર્સી 2025 નુ કલેન્ડર : 1941 જેવું જ છે 2025નું કેલેન્ડર : 84 વર્ષ પછી ફરી આવ્યુ શ્રાપિત વર્ષ? જાણો જ્યોતિષ અનિલ પટેલ શુ કહે છે

AI 171 વિમાનના પાઇલટ અને કો-પાઇલટના મૃતદેહનું પોસ્ટમોર્ટમ, એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના પ્રોટોકોલ મુજબ કરવામાં આવ્યું

શ્રમિકોનો ‘અંત’ સુધી સાથ નિભાવે છે ગુજરાત સરકારની અંત્યેષ્ટિ સહાય યોજના

અમદાવાદ વિમાન દુર્ઘટના – અત્યાર સુધીમાં કુલ ૨૦૮ મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા, જેમાંથી ૧૭૩ મૃતદેહ પરિવારજનોને સોંપાયા

અમદાવાદ પ્લેન દુર્ઘટના – સિવીલ હોસ્પિટલ તંત્ર અને રાજ્ય સરકાર આ કપરા સમયમાં દરેક પીડિત પરિવારની પડખે: પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ

Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

૧૯ જૂન – વિશ્વ સિકલ સેલ નાબૂદી દિવસ વહેલા નિદાન અને યોગ્ય સારવારથી સિકલ સેલ મુક્ત બનશે ગુજરાત
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત હેલ્થ
અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપતો રાજ્ય મંત્રીમંડળનો શોકદર્શક પ્રસ્તાવ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
મૃતકોનાં પરિવારજનોની વ્યવસ્થા સાચવવા માટે માર્ગ અને મકાન વિભાગ અહર્નિશ ખડેપગે
અમદાવાદ ગુજરાત
ગુજરાત યોગ બોર્ડના સફળ છ વર્ષ: 1.5 લાખ પ્રશિક્ષકોને તાલીમ, 5000થી વધુ દૈનિક સત્રો, 5 લાખથી વધુ નાગરિકો નિયમિત યોગાભ્યાસ કરતા થયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
સિવિલ હોસ્પિટલમાં પાર્થિવ દેહના પોસ્ટમોર્ટમ, ફોરેન્સિક તપાસ અને સ્ટોરેજની અત્યાધુનિક સુવિધા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?