By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ‘મેં મોઢામાં કોળિયો મૂક્યો જ હતો અને ધડાકો સંભયાયો, એટલે હું હાજર હતી એટલી તમામ ૧૦૮-એમ્બ્યુલન્સ સાથે રેસિડેન્ટ ડૉક્ટર હોસ્ટેલ પહોંચી ગયો
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > ‘મેં મોઢામાં કોળિયો મૂક્યો જ હતો અને ધડાકો સંભયાયો, એટલે હું હાજર હતી એટલી તમામ ૧૦૮-એમ્બ્યુલન્સ સાથે રેસિડેન્ટ ડૉક્ટર હોસ્ટેલ પહોંચી ગયો
અમદાવાદગુજરાત

‘મેં મોઢામાં કોળિયો મૂક્યો જ હતો અને ધડાકો સંભયાયો, એટલે હું હાજર હતી એટલી તમામ ૧૦૮-એમ્બ્યુલન્સ સાથે રેસિડેન્ટ ડૉક્ટર હોસ્ટેલ પહોંચી ગયો

Web Editor Panchat
Last updated: June 17, 2025 10:37 pm
Web Editor Panchat Published June 17, 2025
Share
SHARE

૧૦૮-એમ્બ્યુલન્સની એ ટીમ જે વિમાન દુર્ઘટના બાદ સૌ પ્રથમ પહોંચી અને તુરંત જ બચાવ કામગીરી શરૂ કરી
**
આ છે અમદાવાદ વિમાન દુર્ઘટનાની બચાવ કામગીરીના રિયલ હીરોઝ – તેમના અનુભવો તેમના જ શબ્દોમાં
**

કોઈ પણ અકસ્માત કે દુર્ઘટના પછી સૌથી પહેલી જરૂરિયાત હોય છે, ઘાયલોના બચાવ અને તેમને સમયસર સારવાર મળે તે. તા.૧૨મી જૂનના એ ગોઝારા દિવસે અમદાવાદથી એરઇન્ડિયાની ફ્લાઇટ એઆઈ-૧૭૧એ ટેક ઑફ કર્યાં બાદ તુરંત જ ક્રેશ થઈ. ત્યાર બાદ માત્ર ત્રણ જ મિનિટમાં ૧૦૮ની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવની કામગીરી શરૂ કરી દીધી હતી. ત્યારે દુર્ઘટના સમયે સૌથી પહેલાં બચાવ માટે પહોંચેલી ૧૦૮ની ટીમના સભ્યો તેમને થયેલા જાત અનુભવ, એ વખતની તેમની મનોસ્થિતિ અને નજરે જોયેલા દૃશ્યો વિશે શું કહે છે?
**

‘મેં મોઢામાં કોળિયો મૂક્યો જ હતો અને ધડાકો સંભયાયો, એટલે હું હાજર હતી એટલી તમામ ૧૦૮-એમ્બ્યુલન્સ સાથે રેસિડેન્ટ ડૉક્ટર હોસ્ટેલ પહોંચી ગયો’: સતિંદરસિંઘ સંધૂ, સુપરવાઈઝર-૧૦૮

‘લગભગ બપોરે ૧:૪૦નો સમય થયો હશે. હજી તો મેં મોઢામાં પહેલો કોળિયો મૂક્યો જ હતો, ત્યાં એક મોટો ધડાકો સંભળાયો. તુરંત હું દોડતો બહાર ગયો અને જોયું, તો હોસ્પિટલ મેસ તરફ ધુમાડાના ગોટેગોટા ઊડતાં જોયા. મને ખ્યાલ આવી ગયો કે કંઈક તો મોટું બન્યું છે. મેં તરત ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં હાજર તમામ ૧૦૮ એમ્બ્યુલન્સને જે તરફ ધુમાડો દેખાતો હતો, ત્યાં પહોંચી જવા કહ્યું. અને રસ્તામાંથી જ મેં અમારા પ્રોગ્રામ મેનેજર જિતેન્દ્ર શાહીને ફોન કર્યો કે કોઈ મોટી ઘટના બની છે, કદાચ પ્લેન ક્રેશ હોઈ શકે છે.’

આ શબ્દો છે, અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ સૌ પ્રથમ રિસ્પોન્સ આપનાર ૧૦૮ના સુપરવાઈઝર શ્રી સતિંદરસિંઘ સંધુના. તેઓ વર્ષોથી જીવીકે-ઈએમઆરઆઈ સાથે જોડાયેલા છે અને પરિસ્થિતિની ગંભીરતા પારખીને તરત જ વધારાની ૧૦૮-મોકલવા કંટ્રોલ રૂમને જાણ કરી, જેના કારણે માત્ર ત્રણ જ મિનિટમાં બચાવ માટે મદદ પહોંચી ગઈ.
**

સુપરવાઇઝર સંધૂનો મને ફોન આવ્યો કે તરત નજીકના સ્પોટ પરની પચ્ચીસ જેટલી ૧૦૮-એમ્બ્યુલન્સને ઘોડા કેમ્પ મોકલી દીધી’- જિતેન્દ્ર શાહી, પ્રોગ્રામ મેનેજર

આ અંગે ૧૦૮ના પ્રોગ્રામ ઓફિસર શ્રી જિતેન્દ્ર શાહીએ જણાવ્યું કે, ‘લગભગ બપોરના ૧:૪૦નો સમય થયો હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ડિપ્લોય્ડ અમારા ઈએમઈ સતિંદરસિંઘ સંધુનો મારા પર ફોન આવ્યો કે અહીં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ છે, કદાચ પ્લેન ક્રેશ હોઈ શકે છે. આટલું સાંભળતાં જ મેં નજીકના સ્પોટ પરથી તમામ ૧૦૮-એમ્બ્યુલન્સને તરત ઘોડા કેમ્પ પહોંચી જવા મેસેજ મોકલી દીધો અને ગણતરીની મિનિટોમાં જ પચ્ચીસ ૧૦૮ ત્યાં પહોંચી ગઈ અને ત્યાર બાદ દસ વધુ ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.’
**

‘એ વખતે મને ખબર નહોતી કે હું જેનો હાથ પકડીને એમ્બ્યુલન્સમાં લઈ જઈ રહ્યો છું, તે વિમાન દુર્ઘટનાનો એક માત્ર સર્વાઇવર વિશ્વાસ કુમાર છે’ -ચિરાગ સંતોકી, એચબીસી

૧૦૮ ઈમરજન્સી સર્વિસીસના સતિંદરસિંઘ સંધૂની સાથે સૌ પ્રથમ પહોંચી જનાર ટીમોમાંથી એક ટીમ હતી, ચિરાગ સંતોકી, ઈએમટી ચિંતન વણકર અને પાયલોટ ધર્મેન્દ્ર પટેલની.

ધડાકો થતાં જ ભોજન છોડીને સીધા જ ઘટનાસ્થળે પહોંચેલા સંધૂએ ત્યાંથી સૌ પહેલાં ઘાયલ થયેલા રેસિડેન્ટ ડૉક્ટર હોસ્ટેલના સિક્યૉરિટી ગાર્ડને ૧૦૮માં બેસાડીને સિવિલ મોકલી આપ્યો હતો. ત્યારે હોસ્ટેલના દરવાજામાંથી કોઈ વ્યક્તિ દોડતી બહાર આવી રહી હતી. સતિંદરસિંઘે પોતાની સાથે રહેલાં એચબીસી ચિરાગ સંતોકીને આ વ્યક્તિને લઈ જવા કહ્યું.

આ અંગે ચિરાગ સંતોકીએ કહ્યું કે, ‘દુર્ઘટનાથી હતપ્રભ બનેલો એ વ્યક્તિ તેની સાથે પણ બીજા લોકો છે એવું સતત બબડતો હતો. મેં તેને સાંત્વના આપી, ધીરજ રાખવા કહ્યું અને તેને ૧૦૮માં બેસાડીને તુરંત હોસ્પિટલ મોકલી આપ્યો.’

‘મોડેથી મારા અધિકારીઓ અને મિત્રોએ મને જણાવ્યું કે મેં જેને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યો તે જ વ્યક્તિ દુર્ઘટનાનો એક માત્ર સર્વાઇવર હતો.


**

‘ઓપરેશન શિલ્ડ વખતે અમને અપાયેલી તાલીમ કામ આવી’: ચિંતન વણકર, ઈએમટી

અમદાવાદ વિમાન દુર્ઘટનાના એક માત્ર સર્વાઇવર વિશ્વાસ કુમારને ૧૦૮માં હોસ્પિટલ પહોંચાડનાર ટીમ માટે પણ આટલી મોટી દુર્ઘટનામાં કામગીરી કરવાનો અનુભવ લગભગ સૌથી પહેલો જ હતો. જેથી તેમના માટે પણ ગભરાવું અને હચમચી જવું સ્વાભાવિક હતું. પરંતુ ૧૦૮ની ટીમને આ અંગે પૂરતી તાલીમ આપવામાં આવતી હોય છે. જેના કારણે અનેક ઘાયલોને શાંત કરવાથી માંડીને તેમને સાંત્વના આપવામાં સહાયતા મળી રહી.

આ અંગે ૧૦૮-એમ્બ્યુલન્સના ઈએમટી ચિંતન વણકરે જણાવ્યું કે ‘આટલી મોટી દુર્ઘટના જોઈને સૌ પ્રથમ તો હું પણ સ્તબ્ધ થઈ ગયો હતો. થોડો ગભરાટ પણ થયો, પરંતુ તરત જ મેં મારા મન પર કાબૂ મેળવી લીધો અને વિચાર્યું કે આ જ આપણી ખરી કસોટી છે.’

‘અમને ૧૦૮ સેવામાં જોડાતાં પહેલાં દર્દીને શાંત કરવા અને તેને માનસિક રીતે રાહત આપવા કાઉન્સેલિંગની તાલીમ પણ આપવામાં આવે છે. એટલું જ નહીં, ગયા મહિને ઓપરેશન શિલ્ડ વખતે અમે શાહીબાગ વિસ્તારમાં જ આની તાલીમ પણ લીધી હતી. જે અનુભવ પણ તાજો જ હતો. એટલે મેં વિશ્વાસ કુમારને શાંત પાડ્યો અને તુરંત હોસ્પિટલે લાવીને તેની સારવાર શરૂ કરાવી. ત્યાર બાદ અમે સીધા જ બીજા ઘાયલોની મદદ માટે ફરીથી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.’
**

You Might Also Like

ગુજરાતમાં વરસાદે તબાહી મચાવી ! સીએમ ભુપેન્દ્ર પટેલ કંટ્રોલ રુમ કેમ દોડી ગયા ! પછી શુ થયુ !

વિસાવદરમાં આણંદપુર ગામના ભાજપના હોદ્દેદારના ઠેકાણેથી હજારો બોટલ દારૂ પકડાયો

અશોક, ઘરે એકલા નથી જવાનું, જીવતાં હોય કે મૃત્યુ પછી, હું હંમેશની જેમ તારી સાથે જ આવીશ – અમદાવાદ પ્લેન ક્રેશ

AAP રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપી

વિસાવદર ચૂંટણીમાં AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો ! સ્ટીંગ ઓપરેશનનો સત્ય શુ છે !

TAGGED:108 TEAM WORKahmedabad plane crash
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

સ્વ વિજય રુપાણીનો પાર્થિવ દેહ રાજકીય સન્માન સાથે પંચ મહાભૂતોમાં વિલીન
ગુજરાત રાજકોટ
અમદાવાદમાં AI-171 વિમાન દુર્ઘટનાગ્રસ્ત મુસાફરોના સ્વજનોને અત્યાર સુધીમાં કુલ 76 પાર્થિવ દેહો સોંપવામાં આવ્યાં
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
પ્રતિકાત્મક ફોટો
ભારે વરસાદના કારણે ફસાયેલા તલગાજરડાની શાળાના 38 બાળકોનો સરકારના તંત્રની સમયસૂચકતા અને ત્વરિત મદદથી બચાવ થયો
ગુજરાત ભાવનગર
પાણી પુરવઠાની સાઇટ પર ફસાયેલા ૨૪ નાગરિકોને પીપાવાવ કોસ્ટ ગાર્ડ દ્વારા રેસ્ક્યુ કરી વિકટર ગામની શાળા ખાતે સલામત રીતે ખસેડવામાં આવ્યા
અમરેલી ગવર્મેન્ટ ગુજરાત
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?