By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: અમદાવાદમાં AI-171 વિમાન દુર્ઘટનાગ્રસ્ત મુસાફરોના સ્વજનોને અત્યાર સુધીમાં કુલ 76 પાર્થિવ દેહો સોંપવામાં આવ્યાં
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > અમદાવાદમાં AI-171 વિમાન દુર્ઘટનાગ્રસ્ત મુસાફરોના સ્વજનોને અત્યાર સુધીમાં કુલ 76 પાર્થિવ દેહો સોંપવામાં આવ્યાં
અમદાવાદગવર્મેન્ટગુજરાત

અમદાવાદમાં AI-171 વિમાન દુર્ઘટનાગ્રસ્ત મુસાફરોના સ્વજનોને અત્યાર સુધીમાં કુલ 76 પાર્થિવ દેહો સોંપવામાં આવ્યાં

Web Editor Panchat
Last updated: June 16, 2025 10:40 pm
Web Editor Panchat Published June 16, 2025
Share
SHARE

રાજ્ય સરકાર પેઢીનામાં સહિતના દસ્તાવેજો સામે ચાલીને પૂરા પાડીને સ્વજનોને મદદરૂપ થઈ રહી છે
———-


———-
અમદાવાદમાં AI-171 વિમાન દુર્ઘટનાગ્રસ્ત મુસાફરોના સ્વજનોની આવી પડેલી દુઃખની ઘડીમાં રાજ્ય સરકારે પૂરતી કાળજી લીધી છે.

દુર્ઘટનાગ્રસ્તોના પાર્થિવ દેહની સોંપણીથી લઈને વીમા-દાવાની પતાવટ માટે જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ કરાવવા સહિતના કોઈ પણ તબક્કે પરિવારજનોને કોઈ મુશ્કેલીનો સામનો કરવો ન પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા યોગ્ય તંત્ર ગોઠવાયું છે અને તમામ પ્રકારે સામે ચાલીને મદદ પૂરી પાડવામાં આવી રહી છે.

વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક કોઈ વીમા કંપની તેમજ કોઈપણ સરકારી કે અર્ધસરકારી કચેરીઓમાં કામ સરળતાથી પાર પડે તે માટે સ્વર્ગસ્થના સ્વજનોનો સત્વરે સંપર્ક કરીને જરૂરી દસ્તાવેજો સરકારે સામે ચાલીને પૂરાં પાડ્યાં છે. સ્વર્ગસ્થના પેઢીનામા સહિતના દસ્તાવેજો પંચો તથા સાક્ષીઓના આધારે આપવા વહીવટી તંત્ર સામે ચાલીને મદદરૂપ થઈ રહ્યું છે.

પાર્થિવ દેહ સોંપવાની કાર્યવાહી માટે, દુર્ઘટનાગ્રસ્ત મુસાફરોના પરિવારજનો સાથે સતત સંકલન માટે જિલ્લા તંત્રએ 250થી વધુ નોડલ અધિકારીઓની નિમણુંક કરી છે. આ તમામ કાર્યવાહી યોગ્ય રીતે ચાલે તે સુનિશ્ચિત કરવા માટે સુપરવિઝન અધિકારીઓની પણ નિમણુંક કરવામાં આવી છે.



રાજ્ય સરકારના સંબંધિત જિલ્લાના સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના હોદ્દેદારશ્રીઓ-સભ્યશ્રીઓ, સ્થાનિક આગેવાનો સહિત કલેક્ટરશ્રી, પોલીસ વડાશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, મ્યુનિસિપલ કમિશનરશ્રી વગેરે અધિકારીઓ દુર્ઘટનાગ્રસ્ત મુસાફરોના પરિવારજનોને તમામ તબક્કે મદદરૂપ થવા તેમની સાથે ખભાથી ખભો મિલાવીને ઊભા રહ્યાં છે.

હાલમાં મુસાફરો તથા સ્થાનિક રહેવાસીઓના સગાં સંબંધીઓના લેવાયેલા બ્લડ સેમ્પલ પૈકી 119 ડી.એન.એ. મેચ થયા છે. આ મેચ થયેલાં ડી.એન.એ. પૈકી 76 પાર્થિવ દેહ સોંપવામાં આવ્યાં છે.

આરોગ્ય વિભાગના દ્વારા સિવિલ હોસ્પિટલના નિયમિત સ્ટાફ ઉપરાંત 855 જેટલો વધારાનો સ્ટાફ કાર્યરત કરાયો છે.

સિવિલ હોસ્પીટલમાંથી અત્યાર સુધીમાં જેટલા પણ પાર્થિવ દેહ સ્વજનોને સોંપવામાં આવ્યા છે, તે ખૂબ જ સન્માનભેર તથા માન-સન્માન સાથે સોંપવામાં આવ્યા છે તથા આગળ પણ એ મુજબ જ સોપવામાં આવશે. આ બાબતે કોઈપણ તથ્ય વિહોણા મેસેજ અને ન્યુઝ પર વિશ્વાસ ન કરવાની સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટશ્રીએ અપીલ કરી છે.

You Might Also Like

સરકાર એક મહિનામાં વંગડી ડેમનું કામ શરૂ નહીં કરે તો દ્વારકા જિલ્લામાં કોઈ પણ સરકારી કાર્યક્રમ અમે થવા દઈશું નહીં: ઈસુદાન ગઢવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને દેશનું AI ઇનેબલ્ડ ગવર્નન્સ લીડર બનાવવા AI અમલીકરણનો એક્શન પ્લાન મંજૂર કર્યો

શારદાબેન હોસ્પિટલમાં ડિલિવરી દરમિયાન ગંભીર બેદરકારી – બાળકના હાથનું ફ્રેક્ચર, દર્દીજનો સાથે ગેરવર્તન

“ગુજરાત કોંગ્રેસ સમિતિ ખાતે નવા વરાયેલા માનનીય પ્રમુખ અમિતભાઈ ચાવડા નું સન્માન સમારોહ યોજાઈ ગયો”

આવો.. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં : બાર જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવના મંદિરે

TAGGED:AHMEDABADAIRINDIABODYDEADDNAPLANE CRASH
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

h g koshia ,comisner food and drug,gujarat
અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં સ્પુરીયસ દવા વેચતાં ઇસમોના ઘરે-મેડિકલ એજન્‍સીઓ પર પડાયા દરોડા !
ahmedabad gandhinagar govt gujarat health
શૌચાલયના દસ રુપિયા અને ગુજરાત ફર્સ્ટના મહિલા રિપોર્ટર દિવ્યા ગઢીયા પંચાલ બોલ્યા,ચેનલ ચુપ -યુરિનલ માટે પઠાણી ઉઘરાણી થાય છે !
ahmedabad govt gujarat સમસ્યા
અદાણીના મુંદ્ના પોર્ટને પર્યાવરણ ભંગની કારણ બતાવો નોટિસને 15 વર્ષ થયા !
govt gujarat politics ઇન્ડિયા ઈકોનોમી કચ્છ ગવર્મેન્ટ ગુજરાત બિઝનેસ રાજકારણ સમસ્યા
17 સાંસદોને સંસદ રત્ન પુરસ્કાર, ગુજરાતમાંથી એકેય નહીં: કોંગ્રેસ જેડીયુ આરજેડી,ટીએમસી અને સમાજવાદી પાર્ટીના એક પણ સાંસદનો સમાવેશ નહી
politics આમ આદમી પાર્ટી ઇન્ડિયા કોંગેસ દેશ વિદેશ
*શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ની ઉજવણી અંતર્ગત સુરતવાસીઓને રૂ.૪૩૫.૪૫ કરોડના વિકાસ પ્રકલ્પો મુખ્યમંત્રીના હસ્તે મળ્યા
bjp govt gujarat રાજકારણ સુરત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?