By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ગાંધીનગર ખાતે ઓનલાઈન ડ્રોના માધ્યમથી ખીરસરા ઔદ્યોગિક વસાહતના ૧૬૧ ઔદ્યોગિક પ્લૉટની પારદર્શક રીતે ફાળવણી ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત  
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > ગાંધીનગર ખાતે ઓનલાઈન ડ્રોના માધ્યમથી ખીરસરા ઔદ્યોગિક વસાહતના ૧૬૧ ઔદ્યોગિક પ્લૉટની પારદર્શક રીતે ફાળવણી ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત  
ગાંધીનગરગુજરાત

ગાંધીનગર ખાતે ઓનલાઈન ડ્રોના માધ્યમથી ખીરસરા ઔદ્યોગિક વસાહતના ૧૬૧ ઔદ્યોગિક પ્લૉટની પારદર્શક રીતે ફાળવણી ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત  

Web Editor Panchat
Last updated: January 3, 2023 3:11 pm
Web Editor Panchat Published January 3, 2023
Share
SHARE

લઘુ અને મધ્યમ ઉદ્યોગોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારનો મક્કમ નિર્ધારઃ ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત

 

૧૬૧ પ્લૉટ માટે મળેલ ૫૫૮ અરજીઓ પૈકી તમામ ૧૬૧ પ્લૉટની ફાળવણી
માત્ર ૨૧ દિવસમાં પ્રક્રિયા પૂર્ણ કરી પ્લૉટની ફાળવણી કરાઈ
અત્યાર સુધીમાં ૮ ડ્રોના માધ્યમથી ૧,૭૭૮ ઉદ્યોગોને પ્લૉટની ફાળવણી કરાઈ

રાજ્યના ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે આજે સ્વર્ણિમ સંકુલ, ગાંધીનગર ખાતેથી ઓનલાઈન ડ્રોના માધ્યમથી રાજકોટ જિલ્લાના ખીરસરા સ્થિત ઔદ્યોગિક વસાહત ખાતે ૧૬૧ ઔદ્યોગિક પ્લૉટની ફાળવણી રાજ્ય ઉદ્યોગમંત્રી  હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં કરી હતી. આ કાર્યક્રમમાં રાજપૂતે જણાવ્યું હતું કે, લઘુ અને મધ્યમ ઉદ્યોગોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબદ્ધ આયોજન કર્યું છે. રાજ્ય સરકારે અત્યાર સુધીમાં ૮ ડ્રો મારફતે ૧,૭૭૮ ઉદ્યોગોને ઔદ્યોગિક પ્લૉટની ફાળવણી કરી પારદર્શકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

ઉદ્યોગ મંત્રી બળવંતસિંહે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે ભારત જી-૨૦ના પ્રમુખ સ્થાને છે. આ સંગઠન વિશ્વના જીડીપીમાં ૮૫ ટકાથી વધુ આર્થિક યોગદાન આપી રહ્યું છે, એવામાં ગુજરાતના ઉદ્યોગો પણ ભારતના જીડીપીમાં ૧ ટ્રિલિયન ડોલર જેટલું યોગદાન આપે એ માટે રાજ્ય સરકારનો પ્રયત્ન રહ્યો છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે ખીરસરા ઔદ્યોગિક વસાહત ખાતે ડ્રોમાં સમાવિષ્ટ એમ.એસ.એમ.ઇ. પ્રકારના કુલ ૧૬૧ પ્લૉટ માટે ૫૫૮ ઓનલાઇન અરજીઓ સરકારને મળી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ માત્ર ૨૧ દિવસમાં ખીરસરા ખાતેના ઔદ્યોગિક પ્લૉટની ફાળવણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. વર્ષ ૨૦૨૨-૨૩ માટે આ પ્લૉટનો ફાળવણી દર રૂ. ૪૧૬૦ પ્રતિ ચો.મી. રાખવામાં આવ્યો હતો.
તેમણે વધુમાં વધુમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે કોવિડના કપરા કાળમાં દેશના નાના-મધ્યમ ઉદ્યોગોને રાહત આપતું ૨૦ લાખ કરોડથી વધુનું આર્થિક પેકેજ જાહેર કર્યું હતું, તેમજ આવા ઉદ્યોગો માટે ઇન્કમ ટેક્સના દર ઘટાડીને ૧૫ ટકા કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના આવા પ્રોત્સાહક અભિગમથી રાજ્યના ઉદ્યોગ સાહસિકોમાં નવા ઉત્સાહનો સંચાર થયો છે.
, રાજ્યમાં વર્ષ ૨૦૨૩માં નાના અને મધ્યમ ઉદ્યોગોને ફાયદો થાય તેવી રીતે કામગીરી કરાશે. રાજ્ય સરકારે હરહંમેશ વેપારી એસોસિયેશનની માંગણીઓ અને ફરિયાદો પ્રત્યે ધ્યાન આપ્યું છે. આ માટે ચાર ઝોન મુજબ જિલ્લાવાર ઉદ્યોગ સાહસિકોના પ્રશ્નોના સ્થળ પર જ નિરાકરણ આવે તેવી સિસ્ટમ વિકાસાવવામાં આવશે. વધુમાં, ઉદ્યોગોના વિકાસ માટે રાજ્ય સરકારને શ્રમ અને રોજગાર વિભાગનો સહકાર પણ પ્રાપ્ત થયો છે. આ વિભાગના માધ્યમથી ઉદ્યોગો માટે જરૂરી માનવ શ્રમ અને કૌશલ્ય સ્થાનિક કક્ષાએથી જ પૂરા પાડવામાં આવશે એમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ પ્રદેશની ખીરસરા વસાહતની સ્થાપના વર્ષ ૨૦૧૮માં કરવામાં આવી હતી., જેનો કુલ વિસ્તાર ૯૨-૬૩-૦૬ હે.આર.એ. ચો.મી. છે. તેમાં કુલ-૫૦૬ ઔદ્યોગિક પ્લોટોનું આયોજન કરાયું છે, જે પૈકી ૪૭૩ એમ.એસ.એમ.ઇ. પ્લોટ અને ૩૩ નોન-એમ.એસ. એમ.ઇ. પ્લોટ છે. આ વસાહતમાં પ્રથમ વખત જાન્યુઆરી-૨૦૨૦માં મુખ્યમંત્રીના વરદ્ હસ્તે ડ્રો કરી પ્લોટ ફાળવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે ઉદ્યોગ વિભાગના અગ્ર સચિવ રાજકુમાર, કમિશનર રાહુલ ગુપ્તા, ઉદ્યોગ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, ફેડરેશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ એસોસિ એશન,ગુજરાતના પ્રમુખ તથા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં તેમજ રાજકોટ ચેમ્બર ઑફ કોમર્સ, આજી ઔદ્યોગિક મંડળ તેમજ લોધિકા ઔદ્યોગિક મંડળના પ્રતિનિધિઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતાં.

You Might Also Like

ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ

શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૫૩ ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ

TAGGED:Balwant Singh Rajputharsh sanghviindustries ministerKhirsara Industrial Estate
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

SC સમાજના પીડાના પ્રશ્નો લઈને વિધાનસભામાં લડીશું – ગરીબનો અવાજ હવે દબાશે નહીં: ગોપાલ ઇટાલીયા
Uncategorized
“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬
ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી નો ગૃહકલેશ ફરી જાહેર માં આવ્યો સામે !
આણંદ ગુજરાત રાજકારણ
ગુજરાતના લોકોમાં સહકારનો વારસો, સહયોગ અને સેવા ભાવના છે, એ જ રાષ્ટ્રની પ્રગતિનો માર્ગ છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
એસ.ટી. બસોની સફાઈ માટે રાજ્યના ૩૩ ડેપો ખાતે ‘ઓટોમેટીક વ્હીકલ વોશિંગ મશીન’ ઇન્સ્ટોલ કરાયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?