By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: વેપારી વર્ગના નાનાથી લઈને મોટા વેપારીઓ સુશાસન સ્થાપિત કરવા આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે: આપ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > વેપારી વર્ગના નાનાથી લઈને મોટા વેપારીઓ સુશાસન સ્થાપિત કરવા આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે: આપ
ગાંધીનગરગુજરાતરાજકારણ

વેપારી વર્ગના નાનાથી લઈને મોટા વેપારીઓ સુશાસન સ્થાપિત કરવા આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે: આપ

Web Editor Panchat
Last updated: October 5, 2022 2:17 pm
Web Editor Panchat Published October 5, 2022
Share
SHARE

ગાંધીધામ કોંગ્રેસના ઉપપ્રમુખ હાર્દિકભાઈ બારોટ પોતાના સેંકડો સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા.

હાર્દિકભાઈ બારોટ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ચુંટણી પ્રભારી ગુલાબસિંગ યાદવની ઉપસ્થિતીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા.

હાર્દિકભાઈ બારોટ ગાંધીધામ કોંગ્રેસના ઉપપ્રમુખ છે તથા તેઓ એક સામાજિક આગેવાન તથા ઉદ્યોગપતિ તરીકે પણ સારી એવી નામના ધરાવે છે: આપ

આજે ભાજપ અને કોંગ્રેસના ઈમાનદાર અને જનતાની સેવા કરવાવાળા નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે: આપ

આમ આદમી પાર્ટીની વધતી લોકપ્રિયતાથી ડરીને, આજે ભાજપ અને કોંગ્રેસ સાથે મળીને આમ આદમી પાર્ટીને રોકવાનું ષડયંત્ર કરી રહ્યા છે: આપ

વેપારી વર્ગના નાનાથી લઈને મોટા વેપારીઓ સુશાસન સ્થાપિત કરવા આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે: આપ

અરવિંદ કેજરીવાલે વેપારીઓ સાથે ભાગીદારીની સરકાર બનાવવાની ગેરંટી આપી છે: આપ

ગુજરાતના દરેક વેપારી જાણી ગયા છે કે તેમની એ અપેક્ષા ફક્ત અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી જ પૂરી કરી શકે છે: આપ

દિલ્હીમાં જે પ્રમાણે અરવિંદ કેજરીવાલજીએ વેપારીઓ માટે વેપાર કરવાનું વાતાવરણ ઊભું કરી આપ્યું છે તેવું જ ગુજરાતના વેપારીઓ ગુજરાતમાં પણ ઈચ્છે છે: આપ

 

આજે ગુજરાતની રાજનીતિમાં આમ આદમી પાર્ટી ગુજરાતના લોકોની પહેલી પસંદ બની ગઈ છે. આજે ગુજરાતના દરેક સમાજ, જાતિ – ધર્મના લોકો આમ આદમી પાર્ટીને એક મોકો આપવાનું નક્કી કરીને બેઠા છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છેલ્લા ત્રણ ચાર મહિનાથી સતત ગુજરાતમાં આવી રહ્યા છે અને ત્યારથી જ ભાજપ અને કોંગ્રેસ પાર્ટીની ઊંઘ હરામ થઈ ગઈ છે. એટલા માટે જ આજે ભાજપ અને કોંગ્રેસે ભેગા મળીને આમ આદમી પાર્ટીને રોકવાનું ષડયંત્ર કરી રહ્યા છે. પરંતુ ગુજરાતના લોકો ભાજપ અને કોંગ્રેસના ષડયંત્રને સફળ નહીં થવા દે. આજે ભાજપ અને કોંગ્રેસના પણ ઈમાનદાર અને જનતાની સેવા કરવાવાળા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે સાથે સાથે દરેક જાતિ ધર્મના લોકો અને દરેક વર્ગના લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે.

આ કડીમાં વધુ એક નામ જોડાવા જઈ રહ્યું છે. ગાંધીધામના કોંગ્રસ નેતા હાર્દિકભાઈ બારોટ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ચુંટણી પ્રભારી ગુલાબસિંગ યાદવની ઉપસ્થિતીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. હાર્દિકભાઈ બારોટ પોતાના સેંકડો સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. હાર્દિકભાઈ બારોટ ગાંધીધામ કોંગ્રેસના ઉપપ્રમુખ છે તથા તેઓ એક સામાજિક આગેવાન તથા ઉદ્યોગપતિ તરીકે પણ સારી એવી નામના ધરાવે છે. સામાજિક પ્રશ્નોના નિરાકરણ માટે તથા વેપારીઓના પ્રશ્નોના મુદ્દે તેઓ હંમેશા લડત આપતા રહ્યા છે. હાર્દિકભાઈ બારોટ જેવા આગેવાનના આમ આદમી પાર્ટીમાં જોડાવાથી આમ આદમી પાર્ટી વધુ મજબૂત બનશે.

પાછલા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે, પરંતુ આજ સુધી ભ્રષ્ટ ભાજપે ક્યારેય વેપારીઓ વિશે વિચાર્યું નથી. જેના કારણે વેપારીઓ ખૂબ જ કંટાળી ગયા છે. તેઓ ટેક્સ ભરવા માંગે છે પરંતુ સામે તે એક ઈમાનદાર સરકારની અપેક્ષા પણ કરે છે. અને હવે ગુજરાતના દરેક વેપારી જાણી ગયા છે કે તેમની એ અપેક્ષા ફક્ત અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટી જ પૂરી કરી શકે છે. અરવિંદ કેજરીવાલજીએ અત્યાર સુધી ગુજરાતમાં વેપારીઓ માટે ઘણા બધા ટાઉનહોલ કાર્યક્રમ કર્યા છે અને તેમની સમસ્યાઓ સાંભળીને તે પ્રમાણે ગેરંટીઓ પણ આપી છે. જે જોઈને ગુજરાતના દરેક વેપારી અરવિંદ કેજરીવાલજીની જનતા માટે કામ કરવાની રાજનીતિથી પ્રભાવિત થયા છે. દિલ્હીમાં જે પ્રમાણે અરવિંદ કેજરીવાલજીએ વેપારીઓ માટે વેપાર કરવાનું વાતાવરણ ઊભું કરી આપ્યું છે તેવું જ ગુજરાતના વેપારીઓ ગુજરાતમાં પણ ઈચ્છે છે.

અરવિંદ કેજરીવાલે વેપારીઓ સાથે ભાગીદારીની સરકાર બનાવવાની ગેરંટી આપી છે. તેમણે કહ્યું છે કે અમે વેપારીઓ માટે ભયમુક્ત શાસનની સ્થાપના કરીશું. વેપારીઓ માટે લાયસન્સ રાજ, રેડ રાજ અને હપ્તાખોર સંપૂર્ણપણે ખતમ કરીશું. તે સિવાય પણ અરવિંદ કેજરીવાલજીએ વેપારીઓ માટે GSTને સરળ બનાવવાની અને GST તથા VATના રિફંડ સરકાર બન્યાને છ મહિનાની અંદર ક્લિયર કરવાની ગેરંટી આપી છે. આ જોઈને ગુજરાતના વેપારી સમજ્યા છે કે તેમની વેદના ફક્ત અરવિંદ કેજરીવાલ જ સમજી શકે છે. તે માટે દરેક દિવસ વેપારી વર્ગના નાનાથી લઈને મોટા વેપારીઓ સુશાસન સ્થાપિત કરવા આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.

You Might Also Like

1941 વર્સી 2025 નુ કલેન્ડર : 1941 જેવું જ છે 2025નું કેલેન્ડર : 84 વર્ષ પછી ફરી આવ્યુ શ્રાપિત વર્ષ? જાણો જ્યોતિષ અનિલ પટેલ શુ કહે છે

AI 171 વિમાનના પાઇલટ અને કો-પાઇલટના મૃતદેહનું પોસ્ટમોર્ટમ, એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના પ્રોટોકોલ મુજબ કરવામાં આવ્યું

શ્રમિકોનો ‘અંત’ સુધી સાથ નિભાવે છે ગુજરાત સરકારની અંત્યેષ્ટિ સહાય યોજના

અમદાવાદ વિમાન દુર્ઘટના – અત્યાર સુધીમાં કુલ ૨૦૮ મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા, જેમાંથી ૧૭૩ મૃતદેહ પરિવારજનોને સોંપાયા

અમદાવાદ પ્લેન દુર્ઘટના – સિવીલ હોસ્પિટલ તંત્ર અને રાજ્ય સરકાર આ કપરા સમયમાં દરેક પીડિત પરિવારની પડખે: પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ

Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

૧૯ જૂન – વિશ્વ સિકલ સેલ નાબૂદી દિવસ વહેલા નિદાન અને યોગ્ય સારવારથી સિકલ સેલ મુક્ત બનશે ગુજરાત
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત હેલ્થ
અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપતો રાજ્ય મંત્રીમંડળનો શોકદર્શક પ્રસ્તાવ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
મૃતકોનાં પરિવારજનોની વ્યવસ્થા સાચવવા માટે માર્ગ અને મકાન વિભાગ અહર્નિશ ખડેપગે
અમદાવાદ ગુજરાત
ગુજરાત યોગ બોર્ડના સફળ છ વર્ષ: 1.5 લાખ પ્રશિક્ષકોને તાલીમ, 5000થી વધુ દૈનિક સત્રો, 5 લાખથી વધુ નાગરિકો નિયમિત યોગાભ્યાસ કરતા થયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
સિવિલ હોસ્પિટલમાં પાર્થિવ દેહના પોસ્ટમોર્ટમ, ફોરેન્સિક તપાસ અને સ્ટોરેજની અત્યાધુનિક સુવિધા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?