By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: માર્ગ-મકાન વિભાગ દ્વારા આગામી ઓકટોબર માસ સુધીમાં રૂ. ૧૨,૨૦૦ કરોડના વિવિધ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાશે
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > માર્ગ-મકાન વિભાગ દ્વારા આગામી ઓકટોબર માસ સુધીમાં રૂ. ૧૨,૨૦૦ કરોડના વિવિધ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાશે
ગાંધીનગરગુજરાત

માર્ગ-મકાન વિભાગ દ્વારા આગામી ઓકટોબર માસ સુધીમાં રૂ. ૧૨,૨૦૦ કરોડના વિવિધ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાશે

Web Editor Panchat
Last updated: May 11, 2022 5:44 pm
Web Editor Panchat Published May 11, 2022
Share
SHARE

માર્ગ-મકાન વિભાગ દ્વારા આગામી ઓકટોબર માસ સુધીમાં
રૂ. ૧૨,૨૦૦ કરોડના વિવિધ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાશે
……
 પીએમ ગતિશક્તિ પ્રોજેકટના અમલીકરણમાં ગુજરાત દેશભરમાં મોખરે : કેન્દ્રના વિવિધ વિભાગો સાથે સંકલન દ્વારા ૪૯થી વધુ NOC અપાઈ
 કચ્છમાં ભૂકંપગ્રસ્ત વિસ્તારોના ૨૦ હજારથી વધુ મકાનોને ટાઇટલ-માલિકીના હક્કો અપાશે
 હસ્તકલાને પ્રોત્સાહન આપવાના પરિણામે દેશના આઠ રાજ્યોના કારીગરોને અમદાવાદ, માધવપુર, સુરતના મેળાઓ રૂ. ૧.૫૦ કરોડના માલ વેચાણ થકી રોજગારી
 સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ દેશભરની ૧ થી ૫૦ના રેન્કમાં ગુજરાતની ૧૯ તથા ૧ થી ૧૦૦ના રેન્કમાં ૫૪ પંચાયતોની પસંદગી
 મહિલા બાળ કલ્યાણ વિભાગ દ્વારા ૭,૦૦૦થી વધુ તેડાગર બહેનોને નિમણૂક પત્રો અપાશે
 વાંસ કલાને પ્રોત્સાહિત કરવા ૪૨ લાખનું વાંસ વિતરણ કરવા મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષે ડેડિયાપાડા ખાતે કાર્યક્રમ યોજાશે
……..
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને જનસુખાકારીના લાભો સત્વરે મળે એ માટે વિવિધ વિકાસ કામોને વધુ વેગવાન બનાવવા માટે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આજે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય કરીને મુખ્યમંત્રીશ્રીએ સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપી છે.
પ્રવક્તા મંત્રી વાઘાણી ઉમેર્યું કે, ગુજરાત રોડ કનેક્ટિવિટીમાં દેશભરમાં મોખરે રહ્યું છે ત્યારે, રાજ્યભરમાં ૧૨,૨૦૦ કરોડના વિવિધ વિકાસ કામો ખાતમુર્હૂત-લોકાર્પણ આગામી ઓકટોબર માસ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. જેમાં 33 જિલ્લાઓને આવરી લેવાશે. માર્ગ-મકાન વિભાગ હસ્તક રાજ્ય પ્રભાગ, પંચાયત પ્રભાગ તથા અન્ય મળી કુલ રૂપિયા ૧૨,૨૦૦ કરોડના કામો હાથ ધરાનાર છે.
પ્રવકતા મંત્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ પી.એમ. ગતિશક્તિ યોજના અંતર્ગત ગુજરાતે શ્રેષ્ઠ કામગીરી કરીને દેશભરમાં અગ્રીમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. જેમાં કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો સાથે સંકલન કરીને ૪૯થી વધુ NOC-મંજૂરીઓ ટૂંકા ગાળામાં મેળવવામાં આવી છે. ગુજરાતમાં રૂ. ૨,૭૦૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર ઉમરગામથી નારાયણ સરોવરના કોસ્ટલ હાઇવે માટે પણ વિવિધ વિભાગોના સંકલનના કારણે અંદાજે રૂ. ૫૦૦ કરોડની બચત થશે. આવા અનેક પ્રોજેક્ટ રાજ્યમાં ચાલી રહ્યા છે જે સત્વરે પૂર્ણ કરાશે.
પ્રવકતા મંત્રીએ ઉમેર્યું કે વાંસ કલાના કારીગરોને પ્રોત્સાહિત કરીને તેમને વધુને વધુ રોજગારી મળે એ માટે ૪૨ લાખ જેટલા વાંસનું વિતરણ કરાશે. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ડેડિયાપાડા ખાતે મે માસના અંતમાં કાર્યક્રમ યોજાશે. આદિવાસી સમાજના ૧૬૮ જેટલાં ગામના લોકોને આનો લાભ મળશે. આ કલાને પ્રોત્સાહન આપવા માટે વાંસ કૌશલ્ય વર્ધન કેન્દ્ર થકી વિવિધ પ્રદર્શનનું આયોજન પણ કરવામાં આવશે.
પ્રવકતા મંત્રીએ ઉમેર્યું કે કેન્દ્ર સરકારની સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ વિવિધ રેન્કના આધારે પંચાયતોની પસંદગી કરવામાં આવે છે. મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાતે આ ક્ષેત્રે પણ નોંધપાત્ર કામગીરી કરી છે. જેના પરિણામે દેશભરની ૧ થી ૫૦ના રેન્કમાં ગુજરાતની ૧૯ પંચાયતો તથા ૧ થી ૧૦૦ના રેન્કમાં ૫૪ પંચાયતો પસંદ પામી છે જે આપણા સૌ માટે ગૌરવ છે.
પ્રવકતા મંત્રીએ ઉમેર્યું કે રાજ્યમાં વધુને વધુ જળ સંચય થાય એ માટે સુજલામ સુફલામ જળસંચય અભિયાન ચાલી રહ્યું છે જે હેઠળના કામો તા. ૩૧મી મે સુધીમાં પૂર્ણ કરવાના છે. આ માટે જિલ્લા પ્રભારી મંત્રીશ્રીઓને સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર સાથે સંકલનમાં રહીને આ કામો સમયસર પૂર્ણ કરવા પણ મુખ્યમંત્રીશ્રીએ સૂચનાઓ આપી છે.
પ્રવક્તા મંત્રી વાઘાણીએ કહ્યું હતું કે ભારતને પાંચ ટ્રિલિયન યુ.એસ. ડોલરની ઇકોનોમી બનાવવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના સ્વપ્નને સાકાર કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાત અગ્રેસર ભૂમિકા ભજવશે. જેના માટે સૌ પ્રથમ ગુજરાતે નિવૃત્ત નાણા સચિવ ડૉ.હસમુખ અઢિયાના વડપણ હેઠળ ટાસ્ક ફોર્સની રચના કરી છે. આ ટાસ્ક ફોર્સના અહેવાલમાં ગુજરાતનો GDP ૮.૩ ટકાથી વધારી ૧૦ ટકા સુધી લઇ જવાના વિવિધ ઉપાયો સૂચવવામાં આવ્યા છે. નાણાકીય શિસ્તમાં અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાત અગ્રેસર છે. ગુજરાત સૌથી ઓછુ ૧૬ ટકા જાહેર દેવુ ધરાવતું રાજ્ય છે જ્યારે અન્ય રાજ્યો ૨૨ થી ૨૪ ટકા જાહેર દેવુ ધરાવે છે. ભારતને આગામી સમયમાં કેવી રીતે પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવી તેના માટે મુખ્યમંત્રીભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાતે અત્યારથી ચોક્કસ રણનીતિ-રોડમેપ તૈયાર કર્યો છે તેમ મંત્રીએ ઉમેર્યુ હતું.
મંત્રીએ મહેસૂલ વિભાગની વિગતો આપતાં જણાવ્યું હતું કે કચ્છમાં ભૂકંપ બાદ સરકારી જમીનમાં ૨૦ હજાર મકાનો બાંધવામાં આવ્યા હતા. આ મકાનોના ટાઇટલ-માલિકી હકનો પ્રશ્ન હતો જે હલ કરવામાં આવ્યો છે. જેથી હવે અંદાજે ૧ લાખ લોકોને આ નિર્ણયનો લાભ મળશે.
મંત્રીએ કહ્યું હતું કે માધવપુર ઘેડના મેળામાં ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની સંકલ્પના સાકાર કરવા ઉત્તર પૂર્વના આસામ, અરૂણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ અને ત્રિપુરા એમ આઠ રાજ્યના હસ્તકલા-હાથશાળના કારીગરોને ગુજરાતમાં તેમના ઉત્પાદનોના વેચાણ માટે ખાસ હસ્તકલા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યુ હતું. માધવપુર ઘેડ, અમદાવાદ અને સુરત ખાતે યોજાયેલા વિવિધ હસ્તકલા પ્રદર્શનમાં અંદાજે કુલ રૂ.૧.૫૦ કરોડના એટલે કે ૧૦૦ ટકાના માલનું વેચાણ થવાથી કલાકારોને મોટા પ્રમાણમાં રોજગારી ઉપલબ્ધ થઇ છે.
મહિલા અને બાળ કલ્યાણ વિભાગની વિગતો આપતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે તેડાગર કાર્યકરોની કુલ ૮,૮૪૬ જગ્યાઓ સામે ૭,૦૦૦ જગ્યાઓ માટે સંપૂર્ણ પારદર્શિતાથી ઓનલાઇન ભરતી કરવામાં આવી છે. પસંદગી પામેલા આ ૭,૦૦૦ તેડાગર કાર્યકરોને મે માસના અંતમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે વડોદરા ખાતે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યુ હતું.

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:2022 electionassemblyBHUPENDR PATELgujarat govtjitu bhai waghani
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?