By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: કરોડોના મનરેગા કૌભાંડ ખુલ્લા પડ્યા બાદ પણ ભાજપના મંત્રી પર પગલાં લેવામાં આવ્યા નથી: ચૈતર વસાવા
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > રાજકારણ > આમ આદમી પાર્ટી > કરોડોના મનરેગા કૌભાંડ ખુલ્લા પડ્યા બાદ પણ ભાજપના મંત્રી પર પગલાં લેવામાં આવ્યા નથી: ચૈતર વસાવા
આમ આદમી પાર્ટીકાયદોગુજરાતભાજપરાજકારણ

કરોડોના મનરેગા કૌભાંડ ખુલ્લા પડ્યા બાદ પણ ભાજપના મંત્રી પર પગલાં લેવામાં આવ્યા નથી: ચૈતર વસાવા

Web Editor Panchat
Last updated: July 1, 2025 10:14 pm
Web Editor Panchat Published July 1, 2025
Share
SHARE

કરોડોના મનરેગા કૌભાંડ ખુલ્લા પડ્યા બાદ પણ ભાજપના મંત્રી પર પગલાં લેવામાં આવ્યા નથી: ચૈતર વસાવા

જાંબુઘોડામાં ભાજપ નેતાના ડ્રાઇવરના નામે 300 કરોડનું કૌભાંડ: ચૈતર વસાવા

કૌભાંડ સામે SIT, CBI, ED અને GST તપાસની માંગ : ચૈતર વસાવા

ભાજપના મંત્રીને પદ પરથી હટાવવાની માંગ ઉઠી : ચૈતર વસાવા

કરોડોનું કૌભાંડ બહાર આવ્યું પણ તપાસના નામે મીંડું : ચૈતર વસાવા

ભ્રષ્ટાચાર સામે આમ આદમી પાર્ટી મેદાને ઉતરશે: ચૈતર વસાવા

મનરેગા કૌભાંડમાં નિષ્પક્ષ તપાસ નહીં થાય તો તમામ જિલ્લાઓમાં આંદોલન : ચૈતર વસાવા




અમદાવાદ/નર્મદા/ભરૂચ/પંચમહાલ/વડોદરા/ગુજરાત

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, સહપ્રભારી ગુલાબસિંહ યાદવ, સહપ્રભારી દુર્ગેશ પાઠક, આમ આદમી પાર્ટીના ડેડીયાપાડા વિધાનસભાના ધારાસભ્ય ચૈતર વસાવા અને પ્રદેશ મહામંત્રી સાગર રબારીએ આજે અમદાવાદ સ્થિત આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડા વિધાનસભાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતાં જણાવ્યું હતું કે મનરેગા યોજના લોકોને પોતાના વિસ્તારમાં અને પોતાના ગામમાં જ 100 દિવસની રોજગારી આપવાની યોજના હતી. પરંતુ ભાજપના મંત્રીએ પોતાના પરિવારના સદસ્યો અને લાગતા વળગતા મળતીયાઓને આ યોજનાના કરોડોના ટેન્ડરો અપાવ્યા અને દર વર્ષે આ ટેંડરોને રીન્યુ કરાવ્યા. ત્યારબાદ એક ટ્રક પણ રેતી કપચી નાખ્યા વગર કરોડોની કિંમતના બિલો પાસ કરવામાં આવ્યા અને જીએસટી તથા રોયલ્ટી વગરના બિલો પણ પાસ કરવામાં આવ્યા. સ્થાનિક નેતાઓને સાથે રાખીને અને અધિકારીઓ પર દબાણ બનાવીને તથા અમુક અધિકારીઓને ટકાવારી આપીને બારોબાર તમામ જિલ્લાઓમાંથી કરોડો રૂપિયા એજન્સીઓના ખાતામાં જમા કરાવ્યા.

આ વાત અમારા ધ્યાનમાં આવી ત્યારબાદ અમે સ્થાનિક લેવલથી લઈને વિધાનસભા ગૃહમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો પરંતુ સરકાર મંત્રી વિરુદ્ધ પગલાં લેવાની જગ્યાએ તેમને છાવરતી હોય તેવું દેખાઈ રહ્યું છે. કરોડના કૌભાંડો બહાર આવ્યા તેમ છતાં પણ સરકારે હજુ પણ એસઆઇટીની રચના કરી નથી. અમે 19 પંચાયતોના પુરાવા પણ આપ્યા હતા. આમાંથી ફક્ત ત્રણ પંચાયતોમાં તપાસ થતા 71 કરોડનું કૌભાંડ બહાર આવ્યું હતું. ત્યારબાદ આ તપાસ પણ આગળ વધી નથી. આજ રીતના કૌભાંડ નર્મદા સહિત ભરૂચ પંચમહાલમાં પણ કૌભાંડો થયા છે. પંચમહાલના જાંબુઘોડા તાલુકામાં ફક્ત 42000ની વસ્તી છે ત્યાં ભાજપના જિલ્લા પ્રમુખની એજન્સીમાં પોતાના ઓળખાણ અને ડ્રાઇવરના નામની એજન્સીઓમાં 300 કરોડ રૂપિયા જમા થયા છે. પરંતુ આ પૈસા જે કામો માટે ચૂકવાયા છે તેવા કોઈ પણ કામો અત્યાર સુધી થયા નથી. આ તમામ કૌભાંડોમાં તપાસના નામે ભીનુ સંકેલી જ નાખવામાં આવતું હોય તેવું લાગી રહ્યું છે. અમે અમે એસપીને એક મહિનાથી પુરાવા આપ્યા છે પરંતુ તેઓ તપાસ ચાલે છે તપાસ ચાલે છે કરી રહ્યા છે.

અમે સરકારને કહેવા માંગીશું કે સરકાર પાસે પોતાની છબી સુધારવા માટે એક સારું અવસર છે. હવે જે લોકોને આ કૌભાંડના કારણે રોજગારી નથી મળી તે લોકો પણ ન્યાયની માંગણી કરી રહ્યા છે. લોકો પણ હવે જાણી ગયા છે કે ભાજપ કોંગ્રેસ ભાઈ ભાઈ બનીને મનરેગાનું કરોડોનું કૌભાંડ કર્યું છે. તો આ કૌભાંડમાં સામેલ તમામ લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે. અમારી માંગ છે કે જેટલું પણ પેમેન્ટ એજન્સીઓને થયું છે તે પેમેન્ટનો વ્યવહાર કોની કોની સાથે છે તે દિશામાં પણ તપાસ કરવામાં આવે. હજુ સુધી ફક્ત ભરૂચમાં એસ.આઇ.ટી બની છે બીજે ક્યાંય પણ એસઆઇટી બની નથી. બાકી તમામ જગ્યાએ પણ હાઇકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં એસઆઇટી બનાવવામાં આવે તેવી અમારી માંગ છે. ભાજપ સરકાર પોતાની જવાબદારી સમજીને હવે પોતાના મંત્રીને પદભ્રષ્ટ કરે તેવી અમારી માંગ છે. જો આવનારા દસ દિવસમાં સરકાર સંતોષકારક પગલાં નહીં ભરે તો અમે જે પણ લોકોને આ કૌભાંડથી અન્યાય થયો છે તે તમામ લોકોને સાથે રાખીને અલગ અલગ જિલ્લાઓમાં રચનાત્મક કાર્યક્રમો કરીશું. માટે સરકારને અમે વિનંતી કરીએ છીએ કે નિષ્પક્ષ તપાસ કરવા માટે તાત્કાલિક ધોરણે આદેશ કરવામાં આવે. જરૂર જણાય ત્યાં સીબીઆઇ ED અને જીએસટી વિભાગની તપાસ કરાવવામાં આવે તેવી પણ અમારી માંગ છે.

આમ આદમી પાર્ટી એક ઈમાનદાર પાર્ટી છે અને દિલ્હી તથા પંજાબમાં તમામ લોકોએ જોયું કે અમે હંમેશા ભ્રષ્ટાચાર વિરુદ્ધ પગલા લીધા છે. તો આવનારા સમયમાં જેટલા પણ લોકોના વધુ પુરાવા અમને મળશે તે તમામ લોકોને અમે ખુલ્લા પાડીશું. ચાહે સત્તા પક્ષના હોય વિપક્ષના હોય કે અમારી પાર્ટી ના હોય કે કોઈ પણ વ્યક્તિ હોય જે પણ લોકો ભ્રષ્ટાચાર કરે છે તે લોકો સામે અમે લડીશું અને જનતાને ન્યાય અપાવીશું.

આમ આદમી પાર્ટી ગુજરાત

You Might Also Like

રાજ્યના કલેક્ટરો અસમર્થ ! નાની સમસ્યાઓ માટે સીએમ સુધી પહોચવું પડે છે ફરિયાદીઓને ! સીએમએ કરી તાકીદ

રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયને કેમ અપાયું છ મહિનાનું એક્સટેંશન !

સરકારની ડૂંગળી સહાય યોજના ખેડૂતો માટે કે વેપારીઓ માટે !

2025-26ના પ્રથમ ક્વાર્ટરમાં ગુજરાત સરકારની માલિકીની કંપનીઓનો શેર બજારમાં ડંકો વાગ્યો: BSE સેન્સેક્સ અને નિફ્ટીને પાછળ છોડ્યા

ગુજરાત સરકારની મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતી રાજ્યની દીકરીઓ માટે આશીર્વાદરૂપ

TAGGED:ADIVASIbachubhaikhabadbjpministerchaitarvasavagujaratmanrega
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

સુરતમાં ભાજપ સર્જિત પૂર આવ્યું: . ગોપાલ ઇટાલીયા
આમ આદમી પાર્ટી ગુજરાત ભાજપ રાજકારણ સુરત
કેન્દ્ર – રાજ્ય સરકાર દ્વારા જુલાઇ માસને ‘ડેન્ગ્યુ વિરોધી માસ’ તરીકે ઉજવાશે
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત હેલ્થ
જો યોગ્ય તપાસ નહીં થાય તો તમામ પરિવારો પોતાના બાળકો અને ઘરવખરી લઈ ડીડીઓ કચેરીમાં આશ્રય લેશે – રાજુ કરપડા
આમ આદમી પાર્ટી ગુજરાત સુરેન્દ્રનગર
સી આર પાટીલને ખુલ્લી ચેલેન્જ- હવે એક પણ ધારાસભ્ય તોડીને ચૂંટણી કરી બતાવો: ગોપાલ ઈટાલિયા
આમ આદમી પાર્ટી ગુજરાત રાજકારણ સુરત
ગુજરાત સરકાર પ્રાથમિક શિક્ષણ આપવામાં નિષ્ફળ નીવડી- યુવરાજ સિંહનો મોટો આરોપ
અમદાવાદ ગુજરાત શિક્ષણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?