By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ભાજપ ના જાણીતા નેતા વસાવા પરેશભાઈ ગોવિંદભાઇ અને વિશ્વ ના જાણીતા કોમેડિયન ધારશીભાઇ બેરડીયા આમ આદમી પાર્ટીમાં જોડાયા.
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > ભાજપ ના જાણીતા નેતા વસાવા પરેશભાઈ ગોવિંદભાઇ અને વિશ્વ ના જાણીતા કોમેડિયન ધારશીભાઇ બેરડીયા આમ આદમી પાર્ટીમાં જોડાયા.
અમદાવાદગુજરાત

ભાજપ ના જાણીતા નેતા વસાવા પરેશભાઈ ગોવિંદભાઇ અને વિશ્વ ના જાણીતા કોમેડિયન ધારશીભાઇ બેરડીયા આમ આદમી પાર્ટીમાં જોડાયા.

Web Editor Panchat
Last updated: July 23, 2022 4:06 pm
Web Editor Panchat Published July 23, 2022
Share
SHARE

ભાજપ ના જાણીતા નેતા વસાવા પરેશભાઈ ગોવિંદભાઇ અને વિશ્વ ના જાણીતા કોમેડિયન ધારશીભાઇ બેરડીયા આમ આદમી પાર્ટીમાં જોડાયા.

ગુજરાત ના સાડા 6 કરોડ લોકો ની લડાઈ લડવા માટે આજે આવા મહાનુભાવો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે: મનોજ સોરઠીયા

આમ આદમી પાર્ટી દરેક સમાજના લોકો નું સહર્ષ સ્વાગત કરે છે: મનોજ સોરઠીયા

દિલ્હી અને પંજાબના કામો થી પ્રભાવિત થઈને આજે આખું ગુજરાત ‘આપ’ સાથે જોડાઈ રહ્યું છે: મનોજ સોરઠીયા

 

અમદાવાદ/સુરત/ગુજરાત

આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા એ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, ગુજરાતના બે મહાનુભાવો આમ આદમી પાર્ટી ના પરિવાર માં સામેલ થઇ રહ્યા છે. ભાજપ ના જાણીતા નેતા વસાવા પરેશભાઈ ગોવિંદભાઇ અને વિશ્વ ના જાણીતા કોમેડિયન ધારશીભાઇ બેરડીયા એ ગુજરાત ના સાડા 6 કરોડ લોકો ની લડાઈ લડવા માટે આજે આ મહાનુભાવો એ આમ આદમી પાર્ટીમાં જોડાવાનો નિર્ણય લીધો છે. તેની આમ આદમી પાર્ટી ના પુરા પરિવાર ને ખુશી છે. તાજેતરમાં સુરતમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હી ના માનનીય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જી એ મફત વીજળી ની પ્રથમ ગેરંટી આપીને સમગ્ર ગુજરાત ને નવી ભેટ આપી છે. તે જ સમયે વસાવા પરેશભાઈ ગોવિંદભાઈ, વિશ્વ વિખ્યાત હાસ્ય કલાકાર ધારશીભાઈ બેરડીયા અને વસાવા પરેશભાઈ ના પત્ની વસાવા શીતલબેન, અરવિંદ કેજરીવાલ જી ના હાથે ટોપી અને ખેસ પહેરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

મનોજ સોરઠીયા એ મહાનુભવો ના હોદ્દા જણાવતા કહ્યું કે, ગુજરાતના વસાવા પરેશભાઈ ગોવિંદભાઇ, નિઝર વિધાનસભા થી 3 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેમના પિતા પણ 3 વાર ધારાસભ્ય અને ગુજરાત માં મંત્રી રહી ચુક્યા છે. તેમના પત્ની જે થોડા દિવસ પહેલા જ અરવિંદ કેજરીવાલ જી ના હાથે ટોપી અને ખેસ પહેરીને આમ આદમી પાર્ટી માં જોડાયા છે જે 15 વર્ષ સુરત જિલ્લા પંચાયતના સદસ્ય અને અલગ અલગ સમિતિના સભ્ય તથા પ્રમુખ રહી ચુક્યા છે. પરેશભાઈ બીજા પણ ઘણા સામાજિક સમૂહ ના સભ્ય રહી ચૂક્યા છે જે લોકકલ્યાણ માટે કાર્યરત છે. તેમણે પોતે હાલમાં આદિજાતિ વિકાસ નિગમના ડાયરેક્ટર પદ પરથી રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટી સાથે છેડો છૂટો પાડ્યો છે અને માનનીય અરવિંદ કેજરીવાલ જી ના કાર્યો થી પ્રભાવિત થઈને આમ આદમી પાર્ટીમાં જોડાવાનો નિર્ણય લીધો છે.

તેમની સાથે જ બીજી વિશ્વ ની નામચીન વ્યક્તિ જેણે કૉમેડી જગત માં દુનિયાભરમાં તેમનું નામ કરી ગુજરાત રાજ્ય નું ગર્વ વધાર્યું છે, એવા ધારશીભાઇ બેરડીયા આજે આમ આદમી પાર્ટી માં જોડાઈ ને કૉમેડી સાથે જનસેવામાં પણ પોતાનું સર્વસ્વ યોગદાન આપવા જઈ રહ્યા છે. ધારશીભાઇ બેરડીયા એ મુંબઈ હોય કે વિદેશ, ટીવી હોય કે બોલિવૂડ બધા ક્ષેત્રોમાં પોતાની કળા નો ઉપયોગ કરી કૉમેડી જગતમાં ખુબ નામ કમાવ્યુ છે અને દર્શકો નો ઘણો પ્રેમ પ્રાપ્ત કર્યો છે. આમ આદમી પાર્ટી ને ઘણી ખુશી છે કે આવી મહેનતી અને લોકપ્રિય વ્યક્તિ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ને લોકસેવાના કાર્યોમાં સક્રિય થવા માંગે છે.

ત્યારબાદ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા અને આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડૂક એ વસાવા પરેશભાઈ ગોવિંદભાઇ અને ધારશીભાઇ બેરડીયા ને આમ આદમી પાર્ટી ના ટોપી અને ખેસ પહેરાવીને હૃદય પૂર્વક આમ આદમી પાર્ટી માં સ્વાગત કર્યું. અને ગુજરાત ની જનતા ની સેવા કરવા માટે શુભેચ્છાઓ આમ આદમી પાર્ટી વતી હાર્દિક શુભેચ્છાઓ પાઠવી.

વસાવા પરેશભાઈ ગોવિંદભાઇ એ આમ આદમી પાર્ટી માં જોડાવા પર ટિપ્પણી કરતા કહ્યું કે, મેં ભારતીય જનતા પાર્ટી માં રહીને ભ્રષ્ટાચાર રોકવાનો ઘણો પ્રયાસ કર્યો છે, ઘણા પત્રો પણ લખ્યા છે, પરંતુ તેમને આ કરોડો ના ભ્રષ્ટાચાર ને નાની વાત કહીને દબાવી દીધી છે. અમે અમારા પંદર વર્ષ ના રાજકારણ માં ક્યારેય ભ્રષ્ટાચાર કર્યો નથી પરંતુ ભાજપ તેની હરકતો થી બાજ નથી આવતી. અને તેની સામે જ હવે દેશ માં આમ આદમી પાર્ટી જેવી પણ એક પાર્ટી ઉભી થઇ છે જેમાં કટ્ટર ઈમાનદારી થી જ કામ થાય છે. દિલ્હી અને પંજાબ ના કાર્યો થી પ્રભાવિત થઈને મેં આજે આમ આદમી પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. અને હું ખાતરી આપું છું કે અમે બધા સાથે મળીને આ વખતે ગુજરાત માં આમ આદમી પાર્ટી ની સરકાર બનાવીશું.

ધારશીભાઇ બેરડીયા એ આમ આદમી પાર્ટી માં જોડાવા પર ટિપ્પણી કરતા કહ્યું કે, હું મારી મરજી થી કોઈ પણ પ્રકાર ના દબાણ વગર અને કોઈ પણ પ્રકાર ના લોભ લાલચ કે ઓફર વગર આમ આદમી પાર્ટી માં જોડાયો છું. ઘણા બધા લોકો એ પૂછ્યું કે આમ આદમી પાર્ટી જેવી નાની પાર્ટી જ કેમ? હું એ બધાને કહેવા માંગુ છું કે લોકો ભ્રષ્ટાચાર કરવા માટે ભાજપ માં જોડાય છે. પરંતુ જે જનસેવા માટે કાર્યરત થવા માંગે છે એ આમ આદમી પાર્ટી માં જોડાય છે. અરવિંદ કેજરીવાલ જેવા ભણેલા ગણેલા નેતા ના નેતૃત્વ માં આમ આદમી પાર્ટી ફક્ત ઈમાનદારી ના રસ્તે જનસેવા નું કામ કરે છે અને એ જ વિચારધારણા ને આખા દેશમાં ફેલાવવા માટે હું આમ આદમી પાર્ટીમાં જોડાઈ ને મારાથી થાય એટલું યોગદાન આપવા માંગુ છું.

આ મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફેરેન્સ માં આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા સહિત આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડૂક પણ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:2022AAPASSAMBLYBJPCOMEDIANElectiongujaratjoinsurat
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?