By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: અંકલેશ્વર અને નવસારી ખાતે મસાલાઓના ઉત્પાદકો તથા વેચાણકર્તાઓને ત્યાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રના દરોડા
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > અંકલેશ્વર અને નવસારી ખાતે મસાલાઓના ઉત્પાદકો તથા વેચાણકર્તાઓને ત્યાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રના દરોડા
અમદાવાદગુજરાત

અંકલેશ્વર અને નવસારી ખાતે મસાલાઓના ઉત્પાદકો તથા વેચાણકર્તાઓને ત્યાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રના દરોડા

Web Editor Panchat
Last updated: May 13, 2022 8:33 pm
Web Editor Panchat Published May 13, 2022
Share
SHARE

રાજ્યના નાગરિકોને ગુણવત્તાયુક્ત મરચું, હળદર, ધાણા પાઉડર જેવાં મસાલાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ : ફુડ સેફ્ટી કમિશ્નર એચ.જી.કોશીયા
………………………
મસાલામાં ભેળસેળ કરતાં તત્વોમાં ફફડાટ
અંકલેશ્વર અને નવસારી ખાતે મસાલાઓના ઉત્પાદકો તથા વેચાણકર્તાઓને
ત્યાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રના દરોડા
………………………
રાજ્યના નાગરિકોને ગુણવત્તાયુક્ત મરચું, હળદર, ધાણા પાઉડર જેવાં મસાલાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે તેમ ફુડ સેફ્ટી કમિશ્નર શ્રી એચ.જી.કોશીયાએ જણાવ્યું હતું.
ખોરાક અને ઔષધ નિયમન તંત્રની યાદીમાં જણાવ્યાનુંસાર રાજ્યમાં મરચું, હળદર, ધાણા પાઉડર જેવાં મસાલાઓની સીઝન ચાલે છે ત્યારે નાગરિકોને મસાલાઓ ભેળસેળ મુક્ત મળે તે જરૂરી છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રને મળેલ બાતમીના આધારે તંત્ર દ્વારા અંકલેશ્વર ખાતે મરચા પાઉડરની તપાસ કરવામાં આવી હતી. આ મરચું પાઉડર હલકી કક્ષાનું તેમજ ઉત્પાદક તરીકે ગુજરાત બહારનું સરનામું દર્શાવેલ હોવાથી આ મરચામાં ભેળસેળની પ્રબળ શંકા જણાઇ હતી. જેથી મે.પન્‍ના સેલ્સ એજન્‍સી, અંકલેશ્વર ખાતેથી “શ્રી સ્પેશ્યલ” બ્રાન્‍ડનું મરચું પાઉડરનો નમુનો લેવામાં આવ્યો હતો. બાકીનો ૬૯ કિલો (રૂ.૬૯૦૦) જથ્થો સ્થળ ઉપર જપ્ત કરવામાં આવ્યો છે.
આ પેઢી ખાતે આ મરચું પાઉડર મે.જૈન મસાલા પ્રોડકટસ, નવસારી દ્વારા સપ્લાય કરવામાં આવ્યુ હોવાની હકીકત ધ્યાને આવતાં ફુડ સેફ્ટી કમિશ્નરની ફુડ ટીમે તાત્કાલિક નવસારી ખાતે મે.જૈન મસાલા પ્રોડક્ટસ ઉદ્યોગનગર, નવસારી પહોંચીને મોડી સાંજે તપાસ હાથ ધરી હતી. આ ઉત્પાદક પાસેથી મરચું પાઉડર, હળદર પાઉડર અને ધાણાં પાઉડરના કુલ ત્રણ નમૂના ઓ ફુડ સેફ્ટી એક્ટ મુજબ લેવામાં આવ્યા હતા અને બાકીનો જથ્થો ૨૦૩૪ કિલો સ્થળ ઉપર કાયદા મુજબ જપ્ત કરવામાં આવ્યો હતો. આમ ૪ નમૂના ઓ લઇ કુલ ૨૧૦૩ કિલો (રૂ.૨,૩૩,૬૬૦) સ્થળ ઉપર જપ્ત કરવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે નમૂના ઓના પૃથ્થકરણ અહેવાલ મળ્યાં બાદ આગળની કાયદેસરની કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવશે તેમ યાદીમાં વધુમાં જણાવાયુ છે.

You Might Also Like

નડિયાદ ખાતે એનોટોપી વિષય પર છ દિવસીય વકૅશોપ યોજાયો

ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો

ગુજરાત નઈ તાલીમ સંઘના પ્રમુખ પદે મનસુખ માંડવિયાની કેમ કરાઇ વરણી

સચીન ગોડાઉન મેનેજર પ્રિતીબેન ચૌધરી તથા DSD (ડોર સ્ટેપ ડીલીવરી) ઇજારદાર રાકેશ પારસનાથ ઠાકુરની ભૂમિકા સમગ્ર કૌભાંડમાં મુખ્ય કાવતરાખોર 

ડેપ્યુટી કલેકટરો ની કરાઈ બદલીઓ

TAGGED:ankleshawarfood andfood and drugh g koshiahaldimarchumasalanavsari
Share This Article
Facebook Twitter Email Print

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત
ગાંધીનગર
મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે રાઉત
ઇન્ડિયા
પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયાના મત વિસ્તારમાં શિક્ષ્ણ ક્ષેત્રને બદનામ કરતી ઘટના
રાજકારણ
ગાંધીનગરના પરિવારને સાણંદ પાસે નડ્યો અકસ્માત, 3ના મોત
અમદાવાદ
50 વર્ષ બાદ પહેલીવાર ભરૂચમાં આવું પૂર આવ્યું, નર્મદાનું જળસ્તર ઐતિહાસિક 41 ફૂટને પાર પહોંચ્યું
ગુજરાત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?