By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading:  રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે  રાંધેજા સંકુલ સ્થિત ગ્રામ પ્રબંધન કેન્દ્ર, મહાદેવ દેસાઈ ગ્રામ સેવા સંકુલ, પ્રાકૃતિક ઉપચાર કેન્દ્ર અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લીધી
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર >  રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે  રાંધેજા સંકુલ સ્થિત ગ્રામ પ્રબંધન કેન્દ્ર, મહાદેવ દેસાઈ ગ્રામ સેવા સંકુલ, પ્રાકૃતિક ઉપચાર કેન્દ્ર અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લીધી
ગાંધીનગરગુજરાતજાણવા જેવું

 રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે  રાંધેજા સંકુલ સ્થિત ગ્રામ પ્રબંધન કેન્દ્ર, મહાદેવ દેસાઈ ગ્રામ સેવા સંકુલ, પ્રાકૃતિક ઉપચાર કેન્દ્ર અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લીધી

Web Editor Panchat
Last updated: December 3, 2022 6:46 pm
Web Editor Panchat Published December 3, 2022
Share
SHARE

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે  રાંધેજા સંકુલ સ્થિત ગ્રામ પ્રબંધન કેન્દ્ર, મહાદેવ દેસાઈ ગ્રામ સેવા સંકુલ, પ્રાકૃતિક ઉપચાર કેન્દ્ર અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લીધી

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગર નજીકના રાંધેજા ખાતે આવેલા ગુજરાત વિદ્યાપીઠના શૈક્ષણિક સંકુલની મુલાકાત દરમિયાન અહીંની છાત્રાલયનું નિરીક્ષણ કરી વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.  આ પ્રસંગે જણાવ્યુ હતું કે, ગાંધી જીવનદર્શન ભાવિપેઢી માટે પ્રેરણારૂપ છે. ગુજરાત વિદ્યાપીઠ ગાંધી જીવનમૂલ્યો સાથે શિક્ષણ આપતું પવિત્ર સ્થાન છે. મહાત્મા ગાંધીજીએ ગ્રામ સ્વરાજને સૌથી મહત્વનું ગણાવ્યુ હતું, તેમ જણાવી રાજ્યપાલશ્રીએ વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો કે, ગાંધી વિચારધારાને આત્મસાત કરીને ગ્રામોદ્ધાર દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી બનીએ.
આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ ગાંધીજીના જીવન-કવન ઉપરથી પ્રેરણા મેળવી વિદ્યાર્થીઓ જીવનના અનુશાસનને શીખે તેમ જણાવી ઉમેર્યું હતું કે, મનના સદવિચારો વાણીમાં ઉતરે છે અને વાણી તેવું વર્તન થાય ત્યારે વ્યક્તિ મહાન બને છે.

માતા-પિતા અને ગુરુ જ એવી વ્યક્તિ છે, જે તેમના પાલ્યની નિરંતર ઉન્નતિ ઇચ્છે છે આથી જ આ ત્રણેય ઇશ્વરતુલ્ય છે, તેમને સન્માન આપવું જોઈએ. ગુજરાત વિદ્યાપીઠનું શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તક પૂરતું સિમિત નથી પરંતુ એક વિચારધારાનું પણ શિક્ષણ છે, તેમ જણાવી વિદ્યાર્થીઓને મહાપુરૂષોના જીવન ચરિત્રને વાંચવા અને પ્રેરણા મેળવવા અનુરોધ કર્યો હતો.
રાંધેજા સંકુલમાં આવેલાં મહાદેવ દેસાઈ ગ્રામ સેવા સંકુલ, ગ્રામ પ્રબંધન કેન્દ્ર, પ્રાકૃતિક ઉપચાર કેન્દ્ર અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રની પણ મુલાકાત લીધી હતી. તેમણે કૃષિ વિજ્ઞાન કેન્દ્રને પ્રાકૃતિક કૃષિના “મોડેલ સેન્ટર” તરીકે વિકસાવવા માર્ગદર્શન આપ્યુ હતું.

કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકોને ગુરુકુળ કુરુક્ષેત્ર, હરિયાણા ખાતે પ્રાકૃતિક કૃષિની ત્રિ-દિવસીય તાલીમ મેળવવા અનુરોધ કર્યો હતો, જેથી અહીંના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક કૃષિના પ્રશિક્ષણ કેન્દ્રની શુરૂઆત થઈ શકે. તેમણે ગૌ-શાળાની પણ મુલાકાત લીધી હતી અને દેશી ગાયની નસલ સુધારણા માટે અનુરોધ કર્યો હતો.
ગુજરાત વિદ્યાપીઠના રાંધેજા સંકુલની મુલાકાત પ્રસંગે વિદ્યાપીઠના કુલનાયક ડૉ. રાજેન્દ્ર ખિમાણી, કાર્યકારી સચિવ નિખિલ ભટ્ટ, રાંધેજા પરિસરના સંયોજક ડૉ. રાજીવ પટેલ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ડાયરેક્ટર ડૉ. વી. કે. ગર્ગ, ગ્રામીણ પ્રબંધન કેન્દ્રના અધ્યક્ષા ડૉ. મયુરી ફાર્મર તેમજ ડૉ. ડોલીબેન પણ ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ પ્રવૃત્તિઓની જાણકારી આપી હતી.

You Might Also Like

સરકાર એક મહિનામાં વંગડી ડેમનું કામ શરૂ નહીં કરે તો દ્વારકા જિલ્લામાં કોઈ પણ સરકારી કાર્યક્રમ અમે થવા દઈશું નહીં: ઈસુદાન ગઢવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને દેશનું AI ઇનેબલ્ડ ગવર્નન્સ લીડર બનાવવા AI અમલીકરણનો એક્શન પ્લાન મંજૂર કર્યો

“ગુજરાત કોંગ્રેસ સમિતિ ખાતે નવા વરાયેલા માનનીય પ્રમુખ અમિતભાઈ ચાવડા નું સન્માન સમારોહ યોજાઈ ગયો”

આવો.. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં : બાર જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવના મંદિરે

અદાણીના મુંદ્ના પોર્ટને પર્યાવરણ ભંગની કારણ બતાવો નોટિસને 15 વર્ષ થયા !

TAGGED:Governor Acharya DevvratMahadev Desai Gram SevaNaturopathy CenterVillage Management Center
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

h g koshia ,comisner food and drug,gujarat
અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં સ્પુરીયસ દવા વેચતાં ઇસમોના ઘરે-મેડિકલ એજન્‍સીઓ પર પડાયા દરોડા !
ahmedabad gandhinagar govt gujarat health
શૌચાલયના દસ રુપિયા અને ગુજરાત ફર્સ્ટના મહિલા રિપોર્ટર દિવ્યા ગઢીયા પંચાલ બોલ્યા,ચેનલ ચુપ -યુરિનલ માટે પઠાણી ઉઘરાણી થાય છે !
ahmedabad govt gujarat સમસ્યા
શારદાબેન હોસ્પિટલમાં ડિલિવરી દરમિયાન ગંભીર બેદરકારી – બાળકના હાથનું ફ્રેક્ચર, દર્દીજનો સાથે ગેરવર્તન
ahmedabad congress gujarat health
17 સાંસદોને સંસદ રત્ન પુરસ્કાર, ગુજરાતમાંથી એકેય નહીં: કોંગ્રેસ જેડીયુ આરજેડી,ટીએમસી અને સમાજવાદી પાર્ટીના એક પણ સાંસદનો સમાવેશ નહી
politics આમ આદમી પાર્ટી ઇન્ડિયા કોંગેસ દેશ વિદેશ
*શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ની ઉજવણી અંતર્ગત સુરતવાસીઓને રૂ.૪૩૫.૪૫ કરોડના વિકાસ પ્રકલ્પો મુખ્યમંત્રીના હસ્તે મળ્યા
bjp govt gujarat રાજકારણ સુરત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?