By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: કેન્દ્ર – રાજ્ય સરકાર દ્વારા જુલાઇ માસને ‘ડેન્ગ્યુ વિરોધી માસ’ તરીકે ઉજવાશે
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > કેન્દ્ર – રાજ્ય સરકાર દ્વારા જુલાઇ માસને ‘ડેન્ગ્યુ વિરોધી માસ’ તરીકે ઉજવાશે
અમદાવાદગવર્મેન્ટગુજરાતહેલ્થ

કેન્દ્ર – રાજ્ય સરકાર દ્વારા જુલાઇ માસને ‘ડેન્ગ્યુ વિરોધી માસ’ તરીકે ઉજવાશે

Web Editor Panchat
Last updated: June 30, 2025 8:27 pm
Web Editor Panchat Published June 30, 2025
Share
SHARE

કેન્દ્ર – રાજ્ય સરકાર દ્વારા જુલાઇ માસને ‘ડેન્ગ્યુ વિરોધી માસ’ તરીકે ઉજવાશે
—–
રાજ્યની ૨૦ હજાર કરતાં વધુ આરોગ્યની ટીમો દ્વારા જૂન માસમાં ૧.૪૮ કરોડ કરતાં વધુ ઘરોની તપાસ
—–
• આ તપાસમાં અંદાજે ૧.૭૫ લાખ ઘરોમાં મચ્છરના પોરા તેમજ ૫.૧૧ કરોડ કરતાં વધુ સંભવિત મચ્છર ઉત્પત્તિ સ્થાનોનો નાશ કરાયો
• રાજ્યમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગોના નિર્મૂલન માટે આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી
• ડેન્ગ્યુ અને ચિકનગુનિયાની કોઈ ખાસ દવા ઉપલબ્ધ ન હોવાથી ડૉક્ટરના માર્ગદર્શન વગર દવાઓ ન લેવા અનુરોધ
• ડેન્ગ્યુ ફેલાવતો એડીસ ઇજિપ્તી મચ્છર માત્ર દિવસ દરમિયાન કરડે છે

—–
સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં જુલાઇથી ઓકટોબર માસ દરમિયાન ડેન્ગ્યુના કેસોમાં ખૂબ વધારો જોવા મળે છે, જેથી દર વર્ષે કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે દેશભરમાં જુલાઇ માસ ‘ડેન્ગ્યુ વિરોધી માસ’ તરીકે ઉજવવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા તા. ૧૬ મે, ૨૦૨૫ના રોજ ‘રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ’ “Check, Clean, Cover: Steps to defeat Dengue” ની થીમ સાથે સમગ્ર દેશમાં મનાવવામાં આવ્યો હતો. રાજ્યમાં મચ્છરની ઉત્પત્તિ અટકાવવા તેમજ ડેન્ગ્યુ અને તેનાથી થતા મૃત્યુ ઘટાડવામાં નાગરિકોનો સાથ-સહકાર પ્રાપ્ત થાય તે માટે એક ઝુંબેશ સ્વરૂપે અલગ અલગ પ્રવૃતિઓ રાજ્ય, જિલ્લા, કોર્પોરેશન તેમજ શહેરી અને ગ્રામીણ કક્ષાએ હાથ ધરવામાં આવી રહી છે.

રાજ્યમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગોના નિર્મૂલનની કામગીરીને વધુ સઘન બનાવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તેમજ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે. ચોમાસાની ઋતુ દરમિયાન મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા તેમજ વાહકજન્ય રોગના અસરકારક નિયંત્રણ માટે આરોગ્ય વિભાગ દ્વારા જૂન માસમાં રાજ્યના તમામ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં ‘હાઉસ ટુ હાઉસ’ અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતું.

આ અભિયાન અંતર્ગત રાજ્યભરમાં કુલ ૨૦ હજાર કરતાં વધુ આરોગ્ય ટીમો દ્વારા ૧.૪૮ કરોડ કરતાં વધુ ઘરોની પ્રત્યક્ષ તપાસ કરવામાં આવી હતી. જે પૈકી ૧.૭૫ લાખ જેટલા ઘરોમાં મચ્છરના પોરા જોવા મળ્યા હતા, જેનો સ્થળ ઉપર જ નાશ કરવામાં આવ્યો હતો. વધુમાં ૫.૧૧ કરોડ કરતાં વધુ જગ્યાએ સંભવિત મચ્છર ઉત્પત્તિના સ્થાનો જણાતા તેમનો પણ નાશ કરવામાં આવ્યો હતો. આ તપાસ દરમિયાન અંદાજે ૩.૬૩ લાખ કરતાં વધુ તાવના દર્દીઓ મળી આવતાં તેમના લોહીના નમૂના લઈને તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત મચ્છર ઉત્પત્તિ ન થાય તથા મચ્છરજન્ય રોગોથી કેવી રીતે બચવું તેના માટે પૂરતી સમજ નાગરિકોને આપવામાં આવી હતી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યમાં જનજાગૃતિ કેળવી જનસમુદાયની સક્રિય ભાગીદારી થકી આ વાહકજન્ય રોગોના નિયંત્રણ માટે અનેક મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ડેન્ગ્યુ એ અર્બોવાયરસથી થતો અને એડીસ ઇજિપ્તી મચ્છર દ્વારા ફેલાતો રોગ છે. દિવસ દરમિયાન કરડતો આ મચ્છર એક ચમચી જેટલા સંગ્રહ થયેલ સ્વચ્છ પાણીમાં પણ ઇંડા મૂકી શકે છે. તેથી ફૂલદાની, કુંડા, પક્ષીકુંજ તથા પાણી સંગ્રહના તમામ પાત્રોની નિયમિત સફાઇ કરવી જોઈએ તેમજ પાણી સંગ્રહના પાત્રો હવાચુસ્ત ઢાંકણથી ઢાંકીને રાખવા જોઈએ. આ ઉપરાંત ઘર, અગાસી અને ઘરની આસપાસ પડી રહેલા નકામા ખાલી પાત્રો, ભંગાર, ટાયર, નાળિયેરની કાચલી વગેરેનો સત્વરે નાશ કરવો જોઈએ.

વધુમાં, મચ્છરોના ડંખથી બચવા આખી બાંયનાં કપડાં પહેરવાં તથા શરીરના ખુલ્લા ભાગ પર મચ્છર વિરોધી ક્રીમનો ઉપયોગ કરવો, સુતી વખતે જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીનો ઉપયોગ કરવો, બારી બારણામાં મચ્છરજાળી લગાવવી તેમજ સખત તાવ, આંખોના ડોળાની પાછળ દુખાવો, સ્નાયુ-સાંધાનો દુખાવો અને શરીર પર ચકામા કે ઓરી જેવા દાણા દેખાય તો તુરંત નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ડેન્ગ્યુ અને ચિકનગુનિયાની કોઈ ખાસ દવા ઉપલબ્ધ નથી, જેથી ડૉક્ટરના માર્ગદર્શન વગર દવાઓ લેવી નહીં તેમજ આવા દર્દીએ સારવાર માટે એસ્પિરિન દવાનો ઉપયોગ કરવો નહીં. આ ઉપરાંત તાવ દરમિયાન પુષ્કળ પ્રવાહી લેવા તેમજ સંપૂર્ણ આરામ કરવા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની યાદીમાં જણાવ્યું છે.
—–
જીગર બારોટ

You Might Also Like

AAPનું ગુજરાત જોડો અભિયાન શરૂ, અરવિંદ કેજરીવાલ કરશે શરૂઆત

પાવગઢમાં પાર્કિંગમાં નામે લૂંટ ચલાવવા લુખ્ખાઓને કોને આપી પરવાનગી

રાજ્યમાં ભારે વરસાદની આગાહી, એનડીઆરએફની ટીમો તૈનાત, 21 ડેમો હાઇએલર્ટ પર

વિદ્યાર્થીઓ ને હાઈસ્કૂલ માં અભ્યાસ કરવા જવા માટે જીવના જોખમે બે બે ફૂટ પાણીભરેલ ખાડા વાળા ચેકડેમપર થી શાળાએ જવા મજબૂર

ઐતિહાસિક શૌર્યના પ્રતીક સમા ‘ઘેલા સોમનાથ મહાદેવ મંદિર’ ખાતે પણ શરૂ થશે અત્યાધુનિક લેઝર લાઇટ એન્ડ સાઉન્ડ શો

TAGGED:ahmedanbaddengerdenguegujarathealth
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

કરોડોના મનરેગા કૌભાંડ ખુલ્લા પડ્યા બાદ પણ ભાજપના મંત્રી પર પગલાં લેવામાં આવ્યા નથી: ચૈતર વસાવા
આમ આદમી પાર્ટી કાયદો ગુજરાત ભાજપ રાજકારણ
રાજ્યના કલેક્ટરો અસમર્થ ! નાની સમસ્યાઓ માટે સીએમ સુધી પહોચવું પડે છે ફરિયાદીઓને ! સીએમએ કરી તાકીદ
ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયને કેમ અપાયું છ મહિનાનું એક્સટેંશન !
કાયદો ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
સરકારની ડૂંગળી સહાય યોજના ખેડૂતો માટે કે વેપારીઓ માટે !
ઈકોનોમી કૃષિ વિશ્વ ગુજરાત
2025-26ના પ્રથમ ક્વાર્ટરમાં ગુજરાત સરકારની માલિકીની કંપનીઓનો શેર બજારમાં ડંકો વાગ્યો: BSE સેન્સેક્સ અને નિફ્ટીને પાછળ છોડ્યા
અમદાવાદ ઈકોનોમી ગુજરાત બિઝનેસ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?