By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: હું મુખ્યમંત્રી અને સી.આર. પાટીલજીને ચેલેન્જ કરું છું કે તેઓ મારી સામે આવીને માલધારી સમાજના મુદ્દાઓને લઈને ડિબેટ કરે: ઇસુદાન ગઢવી
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > હું મુખ્યમંત્રી અને સી.આર. પાટીલજીને ચેલેન્જ કરું છું કે તેઓ મારી સામે આવીને માલધારી સમાજના મુદ્દાઓને લઈને ડિબેટ કરે: ઇસુદાન ગઢવી
અમદાવાદગુજરાત

હું મુખ્યમંત્રી અને સી.આર. પાટીલજીને ચેલેન્જ કરું છું કે તેઓ મારી સામે આવીને માલધારી સમાજના મુદ્દાઓને લઈને ડિબેટ કરે: ઇસુદાન ગઢવી

Web Editor Panchat
Last updated: August 30, 2022 9:12 pm
Web Editor Panchat Published August 30, 2022
Share
SHARE

હું મુખ્યમંત્રી અને સી.આર. પાટીલજીને ચેલેન્જ કરું છું કે તેઓ મારી સામે આવીને માલધારી સમાજના મુદ્દાઓને લઈને ડિબેટ કરે: ઇસુદાન ગઢવી

છેલ્લા 27 વર્ષથી ભાજપ માલધારી સમાજનું લોહી ચૂસી રહ્યું છે: ઇસુદાન ગઢવી

ભાજપના મળતીયાઓને ફાયદો થાય એના માટે માલધારી સમાજના તબેલા તોડીને ગાયો લઈ જવામાં આવી રહી છે: ઇસુદાન ગઢવી

માલધારી સમાજના તબેલાની ગાયોને બેરહમીપૂર્વક મારવામાં આવી રહી છે: ઇસુદાન ગઢવી

એક માલધારી સમાજના યુવાન તરીકે હું જાણું છું કે માલધારી સમાજ પર શું વીતી રહી છે: ઇસુદાન ગઢવી

ઘણા બધા માલધારી સમાજના યુવાનો ભ્રષ્ટ ભાજપને છોડી રહ્યા છે અને આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે: ઇસુદાન ગઢવી

હવે ફક્ત માલધારી સમાજ જ નહીં, પોલીસ સમાજ, વિદ્યાયક સમાજ, ખેડૂત સમાજ અને હવે વાલી સમાજ પણ આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે: ઇસુદાન ગઢવી

શાળાઓમાં ભણનાર 97 લાખ બાળકોના માતા પિતા પણ આગામી સમયમાં એક ઉમ્મીદ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાશે: ઇસુદાન ગઢવી

અમદાવાદ/ગુજરાત

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ માલધારી સમાજના મુદ્દા પર વાત કરતા જણાવ્યું કે, છેલ્લા 27 વર્ષથી ભાજપ માલધારી સમાજનું લોહી ચૂસી રહ્યું હતું, માલધારી સમાજના અમુક લોકોને થોડા પદ હોદ્દા અને કામો આપીને માલધારી સમાજના યુવાનો વચ્ચે “ભાજપ ભાજપ”ના મેસેજ વાપરતા હતા. પણ હવે માલધારી સમાજના યુવાનો જાગૃત થઈ ગયા છે. માલધારી સમાજ માટે એક કાયદો બનાવ્યો અને એને બાજુમાં રાખી મૂક્યો અને ભાજપના મળતીયાઓને ફાયદો થાય એના માટે માલધારી સમાજના તબેલા તોડવામાં આવી રહ્યા છે અને ગાયો લઈ જવામાં આવી રહી છે. તબેલાની ગાયોને બેરહમીપૂર્વક મારવામાં આવી રહી છે. ભ્રષ્ટ ભાજપ કઈ હદ સુધી જશે? અને આનાથી પણ આગળ જઈને ભાજપે માલધારી સમાજના યુવાન અને મહિલાઓ પર ફરિયાદો દાખલ કરી છે અને તેમને જેલના સળિયા પાછળ મોકલવાની ધમકીઓ આપે છે.

ગઈકાલે ભાજપના એક નેતાએ વિડીયો બનાવીને મને ચેલેન્જ આપી હતી તો મેં એ ચેલેન્જ સ્વીકારીને આજે અહીંયા ચર્ચા કરવા કહ્યું હતું પણ તે અહીંયા આવ્યા નથી. કેમકે એમની તાકાત પણ નથી કે તે ગુજરાતના એક સામાન્ય આમ નાગરિક સામે ડિબેટ પણ કરી શકે. હું મુખ્યમંત્રી અને સી.આર. પાટીલજીને ચેલેન્જ કરું છું કે તેઓ મારી સામે આવીને માલધારી સમાજના મુદ્દાઓને લઈને ડિબેટ કરે. જો માલધારી સમાજના સવાલો પૂછવામાં હું ઉણો ઉતરીશ તો પણ હું રાજનીતિ છોડી દઈશ. એક માલધારી સમાજના યુવાન તરીકે હું જાણું છું કે માલધારી સમાજ પર શું વીતી રહી છે.

મુખ્યમંત્રી શ્રી અને સી આર પાટીલજીને કહેવા માગું છું કે તમે કહો એ તારીખ, તમે કહો એ સમય, તમે કહો એ જગ્યાએ હું ઈસુદાન ગઢવી માલધારી સમાજના મુદ્દા ઉપર ડિબેટ કરવા માટે તૈયાર છું. ઘણા બધા માલધારી સમાજના યુવાનો ભ્રષ્ટ ભાજપ ને છોડી રહ્યા છે અને આજે અહીંયા પણ ઘણા યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાવાના છે. હવે ફક્ત માલધારી સમાજ જ નહીં, પોલીસ સમાજ વિદ્યાયક સમાજ, ખેડૂત સમાજ અને હવે વાલી સમાજ પણ આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. ગુજરાતની સરકારી શાળાઓમાં 53 લાખ બાળકો ભણે છે અને ખાનગી શાળાઓમાં 44 લાખ બાળકો ભણી રહ્યા છે તો તેમના માતા પિતા પણ આગામી સમયમાં એક ઉમ્મીદ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાશે.

આ મહત્વની પત્રકાર પરિષદમાં આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીની સાથે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

You Might Also Like

ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ

શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૫૩ ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ

Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

SC સમાજના પીડાના પ્રશ્નો લઈને વિધાનસભામાં લડીશું – ગરીબનો અવાજ હવે દબાશે નહીં: ગોપાલ ઇટાલીયા
Uncategorized
“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬
ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી નો ગૃહકલેશ ફરી જાહેર માં આવ્યો સામે !
આણંદ ગુજરાત રાજકારણ
ગુજરાતના લોકોમાં સહકારનો વારસો, સહયોગ અને સેવા ભાવના છે, એ જ રાષ્ટ્રની પ્રગતિનો માર્ગ છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
એસ.ટી. બસોની સફાઈ માટે રાજ્યના ૩૩ ડેપો ખાતે ‘ઓટોમેટીક વ્હીકલ વોશિંગ મશીન’ ઇન્સ્ટોલ કરાયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?