By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં નાયક-ભોજક સમાજનું ગાંધીનગરમાં સ્નેહમિલન યોજાયું
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં નાયક-ભોજક સમાજનું ગાંધીનગરમાં સ્નેહમિલન યોજાયું
અમદાવાદગાંધીનગરગુજરાતરાજકારણ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં નાયક-ભોજક સમાજનું ગાંધીનગરમાં સ્નેહમિલન યોજાયું

Web Editor Panchat
Last updated: September 5, 2022 6:18 pm
Web Editor Panchat Published September 5, 2022
Share
SHARE

.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં
નાયક-ભોજક સમાજનું ગાંધીનગરમાં સ્નેહમિલન યોજાયું

નાયક-ભોજક સમાજના અગ્રણીઓએ મુખ્યમંત્રીનું હર્ષભેર અભિવાદન કર્યું
૫૧ હજાર રૂપિયા મુખ્યમંત્રીશ્રી રાહતનિધિમાં આપ્યા:

-:મુખ્યમંત્રી
શિક્ષણ એ સર્વાંગી વિકાસની પહેલી શરત
ગુજરાતે પાછલા બે દાયકામાં ઉત્તરોત્તર પ્રગતિ કરી નવાં સોપાનો સર કર્યાં
ગુજરાત સરકારનું નાણાકીય વ્યવસ્થાપન દેશમાં સર્વશ્રેષ્ઠ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, શિક્ષણ એ સર્વાંગી વિકાસની પહેલી શરત છે. ગુજરાત સરકારે શિક્ષણ ક્ષેત્રે સમયાનુકૂળ પરિવર્તનો લાવીને વિદ્યાર્થીઓ-યુવાપેઢીને અદ્યતન શિક્ષણ આપવાના તમામ પ્રયાસો કર્યા છે.
એક સમયે ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં ડ્રોપ-આઉટ રેશિયો ૩૫ ટકાથી વધારે હતો, તે ઘટીને ત્રણ ટકાથી પણ ઓછો થઈ ગયો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતની બે દાયકાની વિકાસયાત્રાનું આ સુખદ પરિણામ છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી ગાંધીનગરમાં આયોજિત નાયક-ભોજક સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં સંબોધન કરી રહ્યા હતા. તેમણે શિક્ષકદિનના ઉપલક્ષમાં ઉપસ્થિત સૌને શિક્ષક અને શિક્ષણનું મહાત્મ્ય સમજાવ્યું હતું. નાયક-ભોજક સમાજના અગ્રણીઓએ મુખ્યમંત્રીશ્રીનું હર્ષભેર અભિવાદન કર્યું હતું.
મુખ્યમંત્રીએ કહ્યું કે, શિક્ષણની સાથેસાથે આરોગ્ય, આંતર-માળખાકીય વિકાસ, ઉદ્યોગ, રોજગાર, કૃષિ, ઊર્જા, જેવાં તમામ ક્ષેત્રે ગુજરાતે પાછલા બે દાયકામાં ઉત્તરોત્તર પ્રગતિ કરી નવાં સોપાનો સર કર્યાં છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશા-નિર્દેશનમાં ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે અને ગુજરાત દેશનું મોડેલ સ્ટેટ ગણાય છે.
તેમણે વધુમાં કહ્યું કે, પાછલા આઠ વર્ષથી તો ગુજરાતને ડબલ એન્જિનની સરકારનો લાભ મળી રહ્યો છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓનો સીધો અને ઝડપી લાભ જનતાને વ્યાપકપણે મળતો થયો છે. વડાપ્રધાનશ્રીએ યોજનાના સેચ્યુરેશન-પરિપૂર્ણતાના સૂચવેલા વિચારને અનુસરીને આપણે સરકારની હિતકારી યોજનાનો લાભ ડિજિટલ ટેકનોલોજીના માધ્યમથી જનજનને પહોંચાડી રહ્યા છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, નીતિ આયોગના તાજેતરના અહેવાલ પ્રમાણે ગુજરાત સરકારનું નાણાકીય વ્યવસ્થાપન દેશમાં સર્વશ્રેષ્ઠ છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં થયેલા આ વ્યવસ્થાપનને કારણે જ ગુજરાત આર્થિક બાબતોમાં સક્ષમ રાજ્ય બન્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, કોવિડ મહામારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ અને રાજ્યનું અર્થતંત્ર આપણે ગતિમાન રાખ્યું અને વિકાસ કામો અટકવા દીધા નહીં, તે આ સરકારની મોટી ઉપલબ્ધિ છે.
આ મહામારી કે યુક્રેન-યુદ્ધના પરિણામે વિશ્વભરના દેશોના અર્થતંત્રો ખોરવાઈ ગયા છે, તેવા સમયે આપણો દેશ ૧૩.૫%નો વિકાસદર નોંધાવીને બ્રિટનને પાછળ રાખી વિશ્વની પાંચમી સૌથી મોટી ઈકોનોમી બન્યો છે. આ સિદ્ધિને અવગણીને ઘણાં વિરોધીઓ ગુજરાત અને દેશના વિકાસની છબિ ધૂંધળી કરવા મથી રહ્યા છે, પણ તેઓ આ મિથ્યા પ્રયાસમાં સફળ થવાના નથી, તેમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે નાયક-ભોજક સમાજના અગ્રણીઓ સોમભાઈ નાયક, જયંતિભાઈ નાયક, બક્ષીપંચ મોરચાના પૂર્વ અધ્યક્ષ ભગવાનદાસ પંચાલ, મયંકભાઈ નાયક, યતિનભાઈ નાયક, ઉમંગભાઈ નાયક, મિનાક્ષીબહેન નાયક, અને જયકર ભોજક, વગેરે અગ્રણીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.
સમાજ અગ્રણીઓએ આ પ્રસંગે રૂપિયા પ૧ હજારનો સ્વૈચ્છિક ફાળો મુખ્યમંત્રીશ્રી રાહતનિધિ માટે અર્પણ કર્યો હતો.

You Might Also Like

પાણી પુરવઠાની સાઇટ પર ફસાયેલા ૨૪ નાગરિકોને પીપાવાવ કોસ્ટ ગાર્ડ દ્વારા રેસ્ક્યુ કરી વિકટર ગામની શાળા ખાતે સલામત રીતે ખસેડવામાં આવ્યા

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

TAGGED:bhagvandas panchalbhupendra pateljaykar bhojakmayank nayakNarendra Modinayak
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !
અમદાવાદ કોંગેસ ગુજરાત રાજકારણ
વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?