By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ગુજરાતમાં ઉઠેલી આ આંધીમાં બધી જ ભ્રષ્ટ અને બેઇમાન પાર્ટીઓ ગુજરાતના રાજકારણમાંથી સાફ થઈ જશે મનીષ સિસોદિયા
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > ગુજરાતમાં ઉઠેલી આ આંધીમાં બધી જ ભ્રષ્ટ અને બેઇમાન પાર્ટીઓ ગુજરાતના રાજકારણમાંથી સાફ થઈ જશે મનીષ સિસોદિયા
ગાંધીનગરગુજરાતરાજકારણ

ગુજરાતમાં ઉઠેલી આ આંધીમાં બધી જ ભ્રષ્ટ અને બેઇમાન પાર્ટીઓ ગુજરાતના રાજકારણમાંથી સાફ થઈ જશે મનીષ સિસોદિયા

Web Editor Panchat
Last updated: September 21, 2022 7:38 pm
Web Editor Panchat Published September 21, 2022
Share
SHARE

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ હિંમતનગરમાં ‘બસ, હવે પરિવર્તન જોઇએ’ યાત્રામાં ભાગ લીધો.

મનીષ સિસોદિયાની આગેવાનીમાં હજારો લોકો ‘બસ, હવે પરિવર્તન જરૂરી’ યાત્રામાં જોડાયા.

હિંમતનગરમાં આમ આદમી પાર્ટીએ ‘બસ, હવે બદલાવ જરૂરી’ યાત્રા દ્વારા પોતાની તાકાત બતાવી.

ગુજરાતની જનતા 27 વર્ષથી પરિવર્તનની રાહ જોઈ રહી છે : મનીષ સિસોદિયા

27 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સરકારમાં છે, તેમણે ક્યારેય શાળાઓ, હોસ્પિટલો અને રોજગાર પર ક્યારેય કામ કર્યું નથી, હંમેશા અહીંથી ત્યાં જુમલાઓ કરતા રહે છે મનીષ સિસોદિયા

આજે લોકો અરવિંદ કેજરીવાલને એક આશાના રૂપમાં જોઈ રહ્યા છે, એ વાત પર આગળ વધી રહ્યા છે કે અરવિંદ કેજરીવાલજી જે કહે છે તે કરીને બતાવે છેઃ મનીષ સિસોદિયા

સેંકડો લોકોએ અમને હાથ વડે વિક્ટરીની નિશાની બતાવી, તેઓ કહેવા માંગે છે કે આ વખતે પરિવર્તન આવશેઃ મનીષ સિસોદિયા

ગુજરાતની જનતા એ જ રાહ જોઈ રહી છે કે કોઈ સારી સરકાર આવે અને સારી શાળાઓ બનાવે, સારી હોસ્પિટલ બનાવે, યુવાનોને રોજગાર આપે: મનીષ સિસોદિયા

હું તમને બધાને ખાતરી આપવા માંગુ છું કે આ વખતે પરિવર્તન આવશેઃ મનીષ સિસોદિયા

હું હિમતનગરની જનતાને કહેવા માંગુ છું કે આ વખતે તમે પણ હિંમત બતાવો અને ઝાડૂના નિશાનનું બટન દબાવોઃ મનીષ સિસોદિયા

આ વખતે ગુજરાતની જનતા હિંમત બતાવી રહી છે અને તેથી જ 27 વર્ષ સુધી શાસન કરનાર ભ્રષ્ટ ભાજપને આ વખતે ચૂંટણીમાં સ્થાન નહીં મળેઃ મનીષ સિસોદિયા

ગુજરાતમાં ઉઠેલી આ આંધીમાં બધી જ ભ્રષ્ટ અને બેઇમાન પાર્ટીઓ ગુજરાતના રાજકારણમાંથી સાફ થઈ જશે

દિલ્હીમાં જે રીતે આમ આદમી પાર્ટીએ પરિવર્તનની શરૂઆત કરી હતી, આજે ગુજરાતને પણ એ જ પરિવર્તનની જરૂર છે.

 

 

ગુજરાતની જનતા 27 વર્ષથી પરિવર્તનની રાહ જોઈ રહી છે : મનીષ સિસોદિયા

દિલ્હી સરકારના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાજીએ ‘બસ, હવે પરિવર્તન જોઈએ’ યાત્રામાં ઉપસ્થિત હિંમતનગરના હજારો લોકોને સંબોધતા કહ્યું કે, હું હિંમતનગરના લોકોને અને આમ આદમી પાર્ટીના કાર્યકરોને આવી શાનદાર અને ભવ્ય ‘બસ, હવે પરિવર્તન જોઈએ’ યાત્રા માટે અભિનંદન આપવા માંગુ છું. હમણાં જ મેં જોયું કે બસમાં બેઠેલા ડ્રાઈવર, કંડક્ટરો, દુકાનોમાં બેઠેલા વેપારીઓ અને આસપાસ દેખાતા સેંકડો લોકોએ અમને હાથ વડે વિક્ટરીની નિશાની બતાવી, તેઓ કહેવા માંગે છે કે આ વખતે પરિવર્તન આવશે. ગુજરાતની જનતા 27 વર્ષથી આ પરિવર્તનની રાહ જોઈ રહી છે. ગુજરાતની જનતા રાહ જોઈ રહી છે કે કોઈ સરકાર આવે અને સારી શાળાઓ બનાવે, સારી હોસ્પિટલ બનાવે, યુવાનોને રોજગાર આપે, કોઈ સરકાર આવે અને પેપર લીક થવાના બંધ થાય અને સરકારી પરીક્ષાઓ સારી રીતે થાય. જે લોકોને સરકારી નોકરી મળી છે, તે લોકો રાહ જોઈ રહ્યા છે કે તેમને સારો પગાર મળે.

આ વખતે ગુજરાતની જનતા હિંમત બતાવી રહી છે અને તેથી જ 27 વર્ષ સુધી શાસન કરનાર ભ્રષ્ટ ભાજપને આ વખતે ચૂંટણીમાં સ્થાન નહીં મળેઃ મનીષ સિસોદિયા

દિલ્હી સરકારના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ આગળ જણાવ્યું કે, હું તમને બધાને ખાતરી આપવા માંગુ છું કે આ વખતે પરિવર્તન આવશે. 27 વર્ષથી રાજ કરી રહેલી ભારતીય જનતા પાર્ટીને આ વખતે ચૂંટણીમાં કોઈ સ્થાન નહીં મળે કારણ કે આ વખતે ગુજરાતની જનતા હિંમત બતાવી રહી છે. હું હિંમતનગરની જનતાને પણ કહેવા માંગુ છું કે આ વખતે તમે પણ હિંમત બતાવો અને ઝાડુના નિશાનનું બટન દબાવો. અરવિંદ કેજરીવાલજી દેશના એકમાત્ર એવા મુખ્યમંત્રી છે જે કહે છે કે, મેં દિલ્હીમાં કામ ના કર્યું હોય તો ગુજરાતમાં મને વોટ આપશો નહીં. અને જો આગામી 5 વર્ષમાં અમારી સરકાર સારી રીતે કામ નહીં કરે તો બીજી વખત અમને વોટ આપશો નહીં. અરવિંદ કેજરીવાલજીએ આપેલી તમામ ગેરંટી પર અમે કામ કરીશું.

 

આજે લોકો અરવિંદ કેજરીવાલને એક આશાના રૂપમાં જોઈ રહ્યા છે, એ વાત પર આગળ વધી રહ્યા છે કે અરવિંદ કેજરીવાલ જે કહે છે તે કરીને બતાવે છેઃ મનીષ સિસોદિયા

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં સત્તા પરિવર્તનનો માટે અને સત્તા પરિવર્તન તો વાસ્તવમાં શિક્ષણની સ્થિતિને બદલવા માટે, સરકારી શાળાઓને સારી બનાવવા માટે, સરકારી હોસ્પિટલોને વધુ સારી બનાવવા માટે, રોજગાર માટે, મહિલાઓ માટે, ખેડૂતો માટે, મજૂરો માટે, બધા માટે પરિવર્તન કરવા માટે સૌ રાહ જોઈ રહ્યા છે. છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સરકારમાં છે, તેમણે ક્યારેય શાળાઓનું કામ કર્યું નથી, તેમણે ક્યારેય હોસ્પિટલો પર કામ કર્યું નથી, તેમણે ક્યારેય રોજગાર પર કામ કર્યું નથી, તેંમણે ક્યારેય ખેડૂતો માટે કામ કર્યું નથી, તેઓએ હંમેશા અહીંથી ત્યાં જુમલાઓ છોડી રહ્યા છે. આજે લોકો અરવિંદ કેજરીવાલને એક આશાના રૂપમાં જોઈ રહ્યા છે. આ વાત પર આગળ વધી રહ્યી છીએ કે અરવિંદ કેજરીવાલ જે કહે છે તે તેમણે દિલ્હીમાં કરીને બતાવ્યું છે. અરવિંદ કેજરીવાલજી જે કહે છે તે પંજાબમાં કરીને બતાવ્યું છે અને હવે ગુજરાતમાં અરવિંદ કેજરીવાલએ જે ગેરંટી આપી છે એ, પછી ભલે તે શાળા-હોસ્પિટલની હોય, તે વીજળી માટેની હોય, રોજગાર માટેની હોય કે પછી સરકારી કર્મચારીઓનાં વેલફેર માટે હોય, એમનાં પેમેન્ટ માટેની હોય, અમે તે બધા પર કામ કરીશું, આનાથી લોકોમાં વિશ્વાસ ઊભો થયો છે. તેથી અમે આજથી યાત્રાની શરુઆત કરી છે. આગામી 6 દિવસમાં ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં હું ગુજરાતની વિવિધ વિધાનસભા બેઠકો પર રૂબરૂ જઈશ અને લોકોને મળીશ, ત્યાં જાહેર સભાઓ પણ થશે, યાત્રાઓ પણ થશે અને આ તમામ કાર્યક્રમોની આજથી શરૂઆત થઇ ચૂકી છે.

ગુજરાતમાં ઉઠેલી આ આંધીમાં બધી જ ભ્રષ્ટ અને બેઇમાન પાર્ટીઓ ગુજરાતના રાજકારણમાંથી સાફ થઈ જશે.

હિમતનગરમાં આયોજિત ‘બસ, હવે પરિવર્તન જોઇએ’ યાત્રામાં આમ આદમી પાર્ટીના હજારો કાર્યકરો અને હિમતનગર અને આસપાસના હજારો લોકો જોડાયા હતા. પરિવર્તનની માંગ સાથે શરૂ થયેલી આ યાત્રાને લોકો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો હતો અને આમ આદમી પાર્ટીને ખુલ્લા દિલથી અપનાવવામાં આવી હતી. જ્યારથી ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટી સક્રિય થઈ છે ત્યારથી જ પ્રજાના પ્રશ્નો રાજકારણનો મુદ્દો બની ગયા છે. દિલ્હીમાં જે રીતે આમ આદમી પાર્ટીએ પરિવર્તનની શરૂઆત કરી હતી, આજે ગુજરાતને પણ એ જ પરિવર્તનની જરૂર છે. ગુજરાતની જનતાને વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટી જ જનતાને મફત વીજળી, મફતમાં શ્રેષ્ઠ શિક્ષણ, મફતમાં શ્રેષ્ઠ આરોગ્ય વ્યવસ્થા, ભ્રષ્ટાચાર મુક્ત શાસન, દરેક નાગરિકને સન્માન અને અધિકારો આપી શકે છે અને તેથી જ ગુજરાતની જનતા આ વખતે ભાજપની ગુંડાગીરીથી ડર્યા વગર આમ આદમી પાર્ટીને સમર્થન આપી રહી છે. આજે ‘બસ, હવે પરિવર્તન જોઈએ’ યાત્રામાં જોડાઈને લોકોએ સાબિત કરી દીધું કે ગુજરાતમાં ઉઠેલી આ આંધીમાં બધી જ ભ્રષ્ટ અને બેઇમાન પાર્ટીઓ ગુજરાતના રાજકારણમાંથી સાફ થઈ જશે.

‘બસ, હવે પરિવર્તન જોઈએ’ યાત્રા દરમિયાન દિલ્હી સરકારના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા સાથે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયુક્ત મહાસચિવ ઇસુદાન ગઢવી પણ હાજર હતા.

You Might Also Like

1941 વર્સી 2025 નુ કલેન્ડર : 1941 જેવું જ છે 2025નું કેલેન્ડર : 84 વર્ષ પછી ફરી આવ્યુ શ્રાપિત વર્ષ? જાણો જ્યોતિષ અનિલ પટેલ શુ કહે છે

AI 171 વિમાનના પાઇલટ અને કો-પાઇલટના મૃતદેહનું પોસ્ટમોર્ટમ, એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના પ્રોટોકોલ મુજબ કરવામાં આવ્યું

શ્રમિકોનો ‘અંત’ સુધી સાથ નિભાવે છે ગુજરાત સરકારની અંત્યેષ્ટિ સહાય યોજના

અમદાવાદ વિમાન દુર્ઘટના – અત્યાર સુધીમાં કુલ ૨૦૮ મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા, જેમાંથી ૧૭૩ મૃતદેહ પરિવારજનોને સોંપાયા

અમદાવાદ પ્લેન દુર્ઘટના – સિવીલ હોસ્પિટલ તંત્ર અને રાજ્ય સરકાર આ કપરા સમયમાં દરેક પીડિત પરિવારની પડખે: પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ

Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

૧૯ જૂન – વિશ્વ સિકલ સેલ નાબૂદી દિવસ વહેલા નિદાન અને યોગ્ય સારવારથી સિકલ સેલ મુક્ત બનશે ગુજરાત
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત હેલ્થ
અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપતો રાજ્ય મંત્રીમંડળનો શોકદર્શક પ્રસ્તાવ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
મૃતકોનાં પરિવારજનોની વ્યવસ્થા સાચવવા માટે માર્ગ અને મકાન વિભાગ અહર્નિશ ખડેપગે
અમદાવાદ ગુજરાત
ગુજરાત યોગ બોર્ડના સફળ છ વર્ષ: 1.5 લાખ પ્રશિક્ષકોને તાલીમ, 5000થી વધુ દૈનિક સત્રો, 5 લાખથી વધુ નાગરિકો નિયમિત યોગાભ્યાસ કરતા થયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
સિવિલ હોસ્પિટલમાં પાર્થિવ દેહના પોસ્ટમોર્ટમ, ફોરેન્સિક તપાસ અને સ્ટોરેજની અત્યાધુનિક સુવિધા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?