By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: કડી અને વિસાવદરમાં કોણ મારશે બાજી ! અપસેટ સર્જાશે કે પુનરાવર્તન થશે !
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > રાજકારણ > આમ આદમી પાર્ટી > કડી અને વિસાવદરમાં કોણ મારશે બાજી ! અપસેટ સર્જાશે કે પુનરાવર્તન થશે !
આમ આદમી પાર્ટીકોંગેસગુજરાતજુનાગઢભાજપરાજકારણ

કડી અને વિસાવદરમાં કોણ મારશે બાજી ! અપસેટ સર્જાશે કે પુનરાવર્તન થશે !

Web Editor Panchat
Last updated: June 19, 2025 10:23 pm
Web Editor Panchat Published June 19, 2025
Share
SHARE

૨૪- કડી (એસ.સી.) અને ૮૭- વિસાવદર વિધાનસભા બેઠકો માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન

૮૭- વિસાવદર બેઠક માટે અંદાજિત 56.89 % મતદાન નોંધાયું છે, જ્યારે ૨૪- કડી (એસ.સી.) બેઠક પર અંદાજિત 57.90 % મતદાન નોંધાયું છે.

૨૪- કડી (એસ.સી.) અને ૮૭- વિસાવદર વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે આજે મતદાન યોજાયું હતું. મતદાન સવારે ૭:૦૦ વાગ્યે શરૂ થયું અને સુવ્યવસ્થિત અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું. કેન્દ્રીય ચૂંટણી પંચની એક નવી પહેલના ભાગ રૂપે, મતદાન મથકના પ્રિસાઇડિંગ અધિકારીઓ દ્વારા ECINET એપ પર મતદાન ડેટા અપલોડ કરવામાં આવ્યો છે. સાંજે 7:00 વાગ્યા સુધી અપલોડ કરાયેલા ડેટા મુજબ ૮૭- વિસાવદર બેઠક માટે અંદાજિત 56.89 % મતદાન નોંધાયું છે, જ્યારે ૨૪- કડી (એસ.સી.) બેઠક પર 57.90 % મતદાન નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે, મતદાન ટકાવારીના વલણો અંદાજિત છે. ચૂંટણી આચાર સંહિતાના નિયમો, 1961ના નિયમ 49S હેઠળ, પ્રિસાઇડિંગ અધિકારીઓએ મતદાનના અંતે મતદાન મથક પર હાજર રહેલા ઉમેદવારોના મતદાન એજન્ટોને ફોર્મ 17C આપેલ હોય છે, જેમાં નોંધાયેલા મતોના વાસ્તવિક સંખ્યાની વિગતો આપવામાં આવી છે.

મતદાન શરૂ થાય તે પહેલાં દરેક મતદાન મથક પર EVM પર એક મોક પોલ કરવામાં આવ્યો હતો. જેમાં ઉમેદવારો દ્વારા નિયુક્ત કરાયેલા મતદાન એજન્ટો હાજર રહ્યા હતા. પેટા ચૂંટણી માટે, ચૂંટણી પંચે તા. 01/04/2025ના રોજ લાયકાત ધરાવતા નાગરિકો માટે મતદાર યાદીના ખાસ સંક્ષિપ્ત સુધારણાનો નિર્દેશ આપ્યો હતો. ખાસ સંક્ષિપ્ત સુધારણા અને મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ તા. 05/05/2025ના રોજ કરવામાં આવી હતી. તેની એક નકલ માન્ય રાજકીય પક્ષોને ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. યાદીઓ સાચી અને અપડેટેડ હોવાની ખાતરી મતદાન મથક સ્તરે BLO એ કરી હતી. માન્ય રાજકીય પક્ષો દ્વારા નિયુક્ત કરાયેલા BLA એ પ્રક્રિયાની ચકાસણી કર્યા બાદ કડીમાં 692 અને વિસાવદરમાં 489 દાવાઓ અને વાંધા દાખલ કરવામાં આવ્યા. ત્યારબાદ અંતિમ મતદાર યાદીની નકલ તમામ માન્ય રાજકીય પક્ષોને ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. RP એક્ટ 1950 ની કલમ 24(a) હેઠળ જિલ્લા મેજિસ્ટ્રેટ તથા કલમ 24(b) હેઠળ મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ એક પણ અપીલ દાખલ કરવામાં આવી નથી. મતદાર યાદીની એક નકલ ચૂંટણી લડતા તમામ ઉમેદવારોને મોકલવામાં આવી હતી. મતદાર યાદીમાં કુલ 5,06,037 મતદારો નોંધાયેલા હતા. 01 મહિલા ઉમેદવાર સહિત કુલ 24 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં હતા.

બંને વિધાનસભા બેઠકોના મતવિસ્તારમાં કુલ 588 મતદાન મથકો સ્થાપવામાં આવ્યા હતા. મતદાન મથકમાં મતદારોની સંખ્યા ઘટાડીને 1200 કરવાના ચૂંટણી પંચના તાજેતરના નિર્ણયને કારણે નવા 3 સહિત કુલ 588 મતદાન મથકો સ્થાપવામાં આવ્યા હતા. દરેક મતદાન મથક પર ખાતરીપૂર્વકની લઘુત્તમ સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. તદુપરાંત પ્રથમ વખત મતદારોની સુવિધા માટે મતદાન મથકોના પ્રવેશદ્વાર પર મોબાઇલ ફોન જમા કરવાની સુવિધા ઉભી કરવામાં આવી હતી. કુલ મતદાન મથકોમાં 04 મહિલા સંચાલિત 1 પીડબ્લ્યુડી મતદાન મથક અને 1 મોડેલ મતદાન મથક સ્થાપિત કરવામાં આવ્યા હતા. વિસાવદરમાં EVM નું ફર્સ્ટ લેવલ ચેકિંગ 02/05/2025થી 05/05/2025 દરમિયાન તથા કડીમાં 24/02/2025થી 28/02/2025 દરમિયાન પૂર્ણ કરાયું. ફર્સ્ટ લેવલ ચેકિંગ પૂર્ણ થતા મોકપોલ આયોજિત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તા. 13/06/2025ના રોજ વિસાવદરમાં ઉપયોગમાં લેવાનાર EVMમાં કમિશનિંગ કરાયું હતું. જ્યારે તા. 12/06/2025ના રોજ કડીમાં ઉપયોગમાં લેવાનાર EVMમાં કમિશનિંગ ઉમેદવારો/તેમના અધિકૃત પ્રતિનિધિઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું.

દરેક તબક્કે, EVM પર મોક પોલ કરવામાં આવ્યા હતા અને તેના પરિણામોની VVPAT સ્લિપ સાથે સરખામણી કરવામાં આવી હતી. મતદાન મથકોને EVMની ફાળવણી 2-તબક્કાની રેન્ડમાઇઝેશન પ્રક્રિયા દ્વારા ઉમેદવારો/તેમના અધિકૃત પ્રતિનિધિઓની હાજરીમાં કરવામાં આવી હતી. મતદાન મથકો પર તૈનાત કરવાના EVM ની યાદી ચૂંટણી લડતા ઉમેદવારોને અગાઉથી ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

ચૂંટણી પંચના જનરલ ઓબ્ઝર્વર્સની હાજરીમાં 3-તબક્કાના રેન્ડમાઇઝેશન દ્વારા મતદાન કર્મચારીઓને ફરજો સોંપવામાં આવી હતી. તાલીમ કાર્યક્રમો દરમિયાન હેન્ડ્સ ઓન તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરેક ઉચ્ચ અધિકારીએ EVM મોક પોલ હાથ ધર્યો હતો, જેમાં રેન્ડમલી 100 મોક વોટ નાખ્યા હતા અને પરિણામ ચકાસીને VVPAT સ્લિપ સાથે પણ સરખામણી કરી હતી. તાલીમના અંતે, પ્રિસાઇડિંગ ઓફિસર્સ દ્વારા EVM ની સંપૂર્ણ કાર્યદક્ષતાની ખાતરી કરવામાં આવી હતી. મતદાર યાદીના સંક્ષિપ્ત સુધારણાથી લઈને મતદાન સુધી, CEO, DEO અને ERO/RO સ્તરે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે સંખ્યાબંધ બેઠકો યોજાઈ. ચૂંટણી લડી રહેલા ઉમેદવારો/પ્રતિનિધિઓ સાથે RO સ્તરે પણ અનેક બેઠકો યોજાઈ હતી જેથી તેમને વિવિધ ચૂંટણી પ્રક્રિયાઓ વિશે માહિતગાર કરી શકાય.

ECI ના સુધારેલા નિયમો અનુસાર ઉમેદવારોને મતદાન મથકોના પ્રવેશદ્વારથી 100 મીટરના અંતરે તેમના બૂથ બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી, જે મતદારો માટે અને તેમાં પણ ખાસ કરીને જેમની પાસે મતદાર માહિતી સ્લિપ ન હોય તેમના માટે ફાયદાકારક હતી.

172 જેટલા 85થી વધુ વયના અને દિવ્યાંગ મતદારોને પોસ્ટલ બેલેટ દ્વારા ઘરે મતદાન કરવાની સુવિધા આપવામાં આવી હતી, જેના માટે ખાસ સમર્પિત ટીમો દ્વારા ઉમેદવારોના પ્રતિનિધિઓની હાજરીમાં મતદાનની પ્રક્રિયા ધરવામાં આવી હતી.ચૂંટણી પ્રક્રિયાઓના નિરીક્ષણ માટે ECI એ 2 સામાન્ય નિરીક્ષકો, 2 પોલીસ નિરીક્ષકો અને 2 ખર્ચ નિરીક્ષકોની પણ નિમણૂક કરી હતી. 26/05/2025ના રોજ ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી, વિવિધ એન્ફોર્સમેન્ટ એજન્સીઓ દ્વારા કુલ 90.15 લાખની જપ્તી કરવામાં આવી છે. જ્યારે મતદાનના દિવસે સાંજે પાંચ વાગ્યા સુધીમાં 41 નાગરિકો પાસેથી સી-વિજિલ એપ દ્વારા ફરીયાદો મળી હતી જેમાંથી 34 ફરીયાદો 100 મિનિટના સમયગાળામાં ઉકેલવામાં આવી હતી.

ECI એ ઇન્ડેક્સ કાર્ડ જનરેટ કરવાની પ્રક્રિયાને પણ ડીજીટલ કરી છે જે પરંપરાગત મેન્યુઅલ પદ્ધતિનું સ્થાન લેશે. ગણતરી બાદ નવી સિસ્ટમ ઓટોમેશન અને ડેટા ઇન્ટિગ્રેશન દ્વારા ઇન્ડેક્સ કાર્ડનું ઝડપી રિપોર્ટિંગ અને રિલીઝ સુનિશ્ચિત કરશે.

You Might Also Like

જૂનાગઢનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ઇન્ડિયન ગ્રે વુલ્ફના સંરક્ષણ માટે બન્યું આશાનું કિરણ

મગ, મઠ, અડદ અને ચોળા જેવા ખરીફ કઠોળ પાકમાં રોગ-જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં અને વાવણી સમયે ખેડૂતોએ આટલું જરૂર કરવું…..!!

રાજ્યના જરૂરિયાતમંદ સાચા રેશનકાર્ડ ધારકોએ લાભ લેવા e-KYC કરાવવું જરૂરી : રાજ્યમાં ૮૮ ટકા e-KYC પૂર્ણ : અન્ન- નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા

1941 વર્સી 2025 નુ કલેન્ડર : 1941 જેવું જ છે 2025નું કેલેન્ડર : 84 વર્ષ પછી ફરી આવ્યુ શ્રાપિત વર્ષ? જાણો જ્યોતિષ અનિલ પટેલ શુ કહે છે

AI 171 વિમાનના પાઇલટ અને કો-પાઇલટના મૃતદેહનું પોસ્ટમોર્ટમ, એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના પ્રોટોકોલ મુજબ કરવામાં આવ્યું

TAGGED:byelectiongopal italiagujaratKADIkiritpatelMLAPoliticsvidhansabhavisavadar
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

શ્રમિકોનો ‘અંત’ સુધી સાથ નિભાવે છે ગુજરાત સરકારની અંત્યેષ્ટિ સહાય યોજના
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
અમદાવાદ વિમાન દુર્ઘટના – અત્યાર સુધીમાં કુલ ૨૦૮ મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા, જેમાંથી ૧૭૩ મૃતદેહ પરિવારજનોને સોંપાયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
અમદાવાદ પ્લેન દુર્ઘટના – સિવીલ હોસ્પિટલ તંત્ર અને રાજ્ય સરકાર આ કપરા સમયમાં દરેક પીડિત પરિવારની પડખે: પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
૧૯ જૂન – વિશ્વ સિકલ સેલ નાબૂદી દિવસ વહેલા નિદાન અને યોગ્ય સારવારથી સિકલ સેલ મુક્ત બનશે ગુજરાત
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત હેલ્થ
અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપતો રાજ્ય મંત્રીમંડળનો શોકદર્શક પ્રસ્તાવ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?