By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: દેશના પ્રથમ એવા વડાપ્રઘાન  નરેન્દ્રભાઇ મોદી છે. જેમના જન્મ દિવસે સામાજિક સેવાના અનેક કાર્યક્રમોનું આયોજન દેશભરમાં કરવામાં આવે છે ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > દેશના પ્રથમ એવા વડાપ્રઘાન  નરેન્દ્રભાઇ મોદી છે. જેમના જન્મ દિવસે સામાજિક સેવાના અનેક કાર્યક્રમોનું આયોજન દેશભરમાં કરવામાં આવે છે ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી
ગાંધીનગરગુજરાત

દેશના પ્રથમ એવા વડાપ્રઘાન  નરેન્દ્રભાઇ મોદી છે. જેમના જન્મ દિવસે સામાજિક સેવાના અનેક કાર્યક્રમોનું આયોજન દેશભરમાં કરવામાં આવે છે ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી

Web Editor Panchat
Last updated: September 17, 2022 7:28 pm
Web Editor Panchat Published September 17, 2022
Share
SHARE

ગાંધીનગર ખાતે વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ અંતર્ગત ગ્રામ્ય- શહેરના ૫૪૩ સ્વ-સહાય જુથોને રૂ. ૫૭૬.૮૦ લાખની સહાય ગૃહ રાજય મંત્રીના હસ્તે અર્પણ કરાઇ

દેશના પ્રથમ એવા વડાપ્રઘાન  નરેન્દ્રભાઇ મોદી છે. જેમના જન્મ દિવસે સામાજિક સેવાના અનેક કાર્યક્રમોનું આયોજન દેશભરમાં કરવામાં આવે છે ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી

જિલ્લાના ૪૦૦ જેટલા સખી મંડળોને રૂ. ૪૫૦ લાખ જેટલી કેશ ક્રેડિટ લોન મંજુર કરાઇ

 

દેશના પ્રથમ એવા વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી છે. જેમના જન્મ દિવસે સામાજિક સેવાના અનેક કાર્યક્રમોનું આયોજન દેશભરમાં કરવામાં આવે છે, તેવું ગાંધીનગર ખાતે યોજાયેલ વિશ્વાસથી વિકાસયાત્રા અંતર્ગત સ્વ સહાય જૂથોને ચેક વિતરણ સમારંભમાં ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.
દેશના વડાપ્રઘાનને જન્મ દિવસની શુભકામનાઓ પાઠવીને ગૃહ રાજય મંત્રીહર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, કોઇ દેશના વડાપ્રઘાન કે કોઇ રાજકીય આગેવાનનો જન્મ દિવસ હોય તો મોટા સમારંભો યોજાય છે. તેમજ ફૂલહારથી તેમનું સન્માન થતું હોય છે. દેશના આ પ્રથમ વડાપ્રઘાન  નરેન્દ્રભાઇ મોદી છે કે, તેમના જન્મ દિવસને સમગ્ર દેશમાં જનકલ્યાણના કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવે છે. તેમજ તેમના જન્મ દિવસે સમાજ સેવાના કાર્ય કરવામાં આવે છે.
તેમણે ઉમેર્યું હતું કે, તેમના જન્મ દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાતના અનેક સ્થળો ખાતે આજે ગરીબો, મહિલાઓ અને યુવાઓના વિકાસ માટેના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ન ભૂતો ન ભવિષ્ય જેવા સમાજિક સેવાનો માહોલ આજે ગુજરાતમાં ઉભો થયો છે. સમગ્ર રાજયમાં આજે અનેક જન કલ્યાણના કામો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. રાજયના સર્વે નાગરિકોના સહકાર અને સરકારના અથાગ મહેનત થકી આજે ગુજરાતની વિકાસની ગતિ વઘુ તેજ બની છે.

જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામક બી.કે પટેલે જણાવ્યુ હતું કે, ગુજરાત સરકાર મહિલાઓના વિકાસ માટે અને મહિલાઓ સ્વ-નિર્ભર થાય તેના માટે હંમેશા પ્રયત્નશીલ રહી છે. જેના ભાગ રુપે મહિલાઓના આર્થિક ધોરણની પ્રવૃત્તિઓને હંમેશા વેગ આપ્યો છે. રાષ્ટ્રીય ગ્રામીણ આજીવીકા મિશન અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં હાલ ૨૦૦૦ જેટલા સક્રિય સ્વ-સહાય જુથો દ્વારા નિયમિત બચત અને આર્થિક ધિરાણની પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. આ જુથોને રિવોલ્વિંગ ફંડ પેટે ૨૦ થી ૩૦ હજાર અને કોમ્યુનિટિ ઈન્વેસ્ટમેન્ટ ફંડ પેટે ૧.૫૦ લાખ રુપિયાની જુથ દિઠ સહાય આપવામાં આવે છે.
ગાંધીનગર જિલ્લાનાં ૧૩૦૦ જેટલા સ્વ-સહાય જુથોને રૂ. ૧૩ કરોડ ધિરાણ બેંકોમાંથી આપવામાં આવ્યું છે. આ બે ધિરાણનો ઉપયોગ કરીને મહિલાઓ ખેતી, પશુપાલન, હેન્ડિક્રાફ્ટ, નાના પાયાના ઉદ્યગો સાથે જોડાઈને આર્થિક પ્રવૃત્તિઓ કરતા થયા છે. વધુમાં જિલ્લામાં બેંકિગ ક્ષેત્રે પણ જુથની બહેનો આગળ આવીને બેંક સખી, બીમા સખી વગેરેની તાલીમ લઈ સખી મંડળ અ‍નેક બેંક વચ્ચે કડી રુપ મહત્વની કામગીરી કરી રહી છે. આ કાર્યક્રમમાં જિલ્લાના ૪૦૦ જેટલા સખી મંડળોને રૂ. ૪૫૦ લાખ જેટલી કેશ ક્રેડિટ લોન મંજુર કરવામાં આવી છે. ૪૬ જેટલા સ્વ-સહાય જુથોને રૂ.૧૩.૮૦ લાખનું રિવોલ્વિંગ ફંડ અને ૯૭ સ્વ-સહાય જુથોને કુલ રૂ. ૧૧૩ લાખનું કોમ્યુનિટિ ઈનવેસ્ટમેન્ટ ફંડ ચુકવવામાં આવ્યુ છે.આમ, કુલ ૫૪૩ સ્વ-સહાય જુથોને રૂ. ૫૭૬.૮૦ લાખની સહાય આજના દિને ચુકવવામાં આવી છે.
આ કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ દિલીપભાઇ પટેલ, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર હિતેષ મકવાણા, ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જસંવતભાઇ પટેલ, કલોલ નગરપાલિકાના પ્રમુખ ઉર્વીશબેન પટેલ, ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી સુરભિ ગૌત્તમ, ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ અનિલભાઇ પટેલ, શહેર ભાજપ પ્રમુખ રૂચિરભાઇ ભટ્ટ સહિત મોટી સંખ્યામાં સ્વ સહાય જૂથની બેનો ઉપસ્થિત રહી હતી.

 

You Might Also Like

GCAS પોર્ટલ ફેલ કે પાસ ! વિદ્યાર્થીઓ કે વાલીઓ માટે હાલાકીનો ઘર કે પછી ઘર બેઠા ગંગા !

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વતનભૂમિ વડનગરમાં ઉજવાશે રાજ્યકક્ષાનો ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

કડી અને વિસાવદરમાં કોણ મારશે બાજી ! અપસેટ સર્જાશે કે પુનરાવર્તન થશે !

જૂનાગઢનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ઇન્ડિયન ગ્રે વુલ્ફના સંરક્ષણ માટે બન્યું આશાનું કિરણ

મગ, મઠ, અડદ અને ચોળા જેવા ખરીફ કઠોળ પાકમાં રોગ-જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં અને વાવણી સમયે ખેડૂતોએ આટલું જરૂર કરવું…..!!

Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

રાજ્યના જરૂરિયાતમંદ સાચા રેશનકાર્ડ ધારકોએ લાભ લેવા e-KYC કરાવવું જરૂરી : રાજ્યમાં ૮૮ ટકા e-KYC પૂર્ણ : અન્ન- નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
1941 વર્સી 2025 નુ કલેન્ડર : 1941 જેવું જ છે 2025નું કેલેન્ડર : 84 વર્ષ પછી ફરી આવ્યુ શ્રાપિત વર્ષ? જાણો જ્યોતિષ અનિલ પટેલ શુ કહે છે
અમદાવાદ એન્ટરટેનમેન્ટ ગુજરાત જ્યોતિષ
AI 171 વિમાનના પાઇલટ અને કો-પાઇલટના મૃતદેહનું પોસ્ટમોર્ટમ, એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના પ્રોટોકોલ મુજબ કરવામાં આવ્યું
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શ્રમિકોનો ‘અંત’ સુધી સાથ નિભાવે છે ગુજરાત સરકારની અંત્યેષ્ટિ સહાય યોજના
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
અમદાવાદ વિમાન દુર્ઘટના – અત્યાર સુધીમાં કુલ ૨૦૮ મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા, જેમાંથી ૧૭૩ મૃતદેહ પરિવારજનોને સોંપાયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?